કિંગ કોહલીએ કિંગ રામ પાસેથી લીધા આશીર્વાદ, સોશિયલ મીડિયા પર ફોટો થયા વાયરલ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત કરવામાં આવેલ મહાનુભવોમાં વિરાટ કોહલીનું નામ પણ સામેલ હતું. પરંતુ વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલના કારણે કોહલી અયોધ્યામાં હાજર ના રહી શક્યો. જોકે વિરાટે મંદિરની દૂર હોવા છતા તેણે ભગવાન રામના દર્શન કર્યા હતા. સોશિયલ મીડિયા પર વિરાટના અનેક ફોટો વાયરલ થયા હતા.

રામ લલ્લાના ભવ્ય દર્શન માટે અયોધ્યામાં હાજર ન રહી શકનાર વિરાટ કોહલીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

સોશિયલ મીડિયા પર અનેક ફોટો અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં એક ફોટો એવો હતો જે ખૂબ જ વાયરલ થયો હતો.

22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ ભારતના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનો આ ફોટો વાયરલ હતો, જેમાં વિરાટ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી બેઠો છે.

વિરાટ વર્તમાન ક્રિકેટનો 'કિંગ' છે. અને આ કિંગનું શીશ ક્રિકેટ મેદાનમાં કોઈ બોલરના સામે ઝૂકતું નથી. પંરતુ રાજધીરાજ શ્રી રામચંદ્ર ભગવાનની સામે વિરાટ શીશ ઝુકાવે છે.

અયોધ્યામાં ભવ્ય રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન થયા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર પ્રભુ રામના ચરણોમાં શીશ ઝુકાવતા વિરાટ કોહલીના પર ફોટો સામે આવ્યા હતા. જોકે આ બધા એડિટ થયેલ ફોટા છે.
