AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : ફાઈનલ મેચ પણ વરસાદના કારણે ધોવાઈ જશે? જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન

IPL 2025ની ફાઈનલ મેચને લઈ પંજાબ અને બેંગલુરુના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે બંને ટીમ પહેલીવાર ટ્રોફી જીતવા તૈયાર છે, પરંતુ જીતશે તો કોઈ એક જ ટીમ અને હારનારી ટીમના ફેન્સનું દિલ ફરી તૂટી જશે. જો કે મેચના પરિણામ પહેલા ફેન્સને વરસાદની વધુ ચિંતા છે. બધાના મનમાં એક જ સવાલ છે કે ફાઈનલ મેચના દિવસે અમદાવાદમાં વાતાવરણ કેવું રહેશે?

| Updated on: Jun 02, 2025 | 9:29 PM
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2025ની ક્વોલિફાયર-2 મેચ પણ રમાઈ હતી. જેમાં વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો અને મેચ મોડી શરૂ થઈ હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2025ની ક્વોલિફાયર-2 મેચ પણ રમાઈ હતી. જેમાં વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો અને મેચ મોડી શરૂ થઈ હતી.

1 / 5
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ ઘણી સારી છે, જેના કારણે વરસાદ બંધ થયા બાદ મેચ શરૂ થઈ શકી અને મુંબઈને હરાવી પંજાબ ફાઈનલમાં પહોંચ્યું હતું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ ઘણી સારી છે, જેના કારણે વરસાદ બંધ થયા બાદ મેચ શરૂ થઈ શકી અને મુંબઈને હરાવી પંજાબ ફાઈનલમાં પહોંચ્યું હતું.

2 / 5
હવે IPLની ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ યોજાવાની છે, એવામાં બધાના મનમાં સવાલ છે કે ફાઈનલના દિવસે અમદાવાદમાં હવામાન કેવું રહેશે?

હવે IPLની ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ યોજાવાની છે, એવામાં બધાના મનમાં સવાલ છે કે ફાઈનલના દિવસે અમદાવાદમાં હવામાન કેવું રહેશે?

3 / 5
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર IPL 2025ની ફાઈનલ મેચના દિવસે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા છે. હવે જો ફાઈનલ મેચના સમયે વરસાદ પડે છે તો પણ આ મેચના પરિણામ પર વરસાદની કોઈ અસર નહીં થાય, કારણ કે IPL ગવર્નિંગ કાઉન્સિલે 4 જૂને રિઝર્વ ડે રાખ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર IPL 2025ની ફાઈનલ મેચના દિવસે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા છે. હવે જો ફાઈનલ મેચના સમયે વરસાદ પડે છે તો પણ આ મેચના પરિણામ પર વરસાદની કોઈ અસર નહીં થાય, કારણ કે IPL ગવર્નિંગ કાઉન્સિલે 4 જૂને રિઝર્વ ડે રાખ્યો છે.

4 / 5
આનો અર્થ એ થયો કે જો વરસાદને કારણે 3 જૂને મેચ રમી શકાતી નથી, તો તે 4 જૂને રમી શકાય છે. જો બીજા દિવસે પણ વરસાદના કારણે મેચ ના રમાય તો પોઈન્ટ ટેબલમાં આગળ રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. (All Photo Credit : PTI / Getty Images)

આનો અર્થ એ થયો કે જો વરસાદને કારણે 3 જૂને મેચ રમી શકાતી નથી, તો તે 4 જૂને રમી શકાય છે. જો બીજા દિવસે પણ વરસાદના કારણે મેચ ના રમાય તો પોઈન્ટ ટેબલમાં આગળ રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. (All Photo Credit : PTI / Getty Images)

5 / 5

IPL 2025ની ફાઈનલ બેંગલુરુ અને પંજાબ વચ્ચે યોજાશે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">