AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Vi ની બદલાશે કિસ્મત! મોટા ઉદ્યોગપતિઓ દેવામાં ડૂબેલી કંપની બચાવવા આવ્યા મેદાને, જાણો

વોડાફોન આઈડિયા (Vi) દેવાના બોજ હેઠળ હતી, પણ હવે JSW અને ST Telemedia જેવા મોટા રોકાણકારો Viમાં રસ દર્શાવી રહ્યા છે. સરકારની આર્થિક રાહતો જેવી કે સ્પેક્ટ્રમ બાકી રકમને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવી અને AGR લેણાંનું પુનર્મૂલ્યાંકન કંપની માટે આશાનું કિરણ છે.

| Updated on: Mar 14, 2026 | 3:54 PM
Share
છેલ્લા કેટલાક સમયથી Vodafone Idea ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. ભારે દેવા અને સતત થતા નુકસાનને કારણે કંપની માટે કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ બની હતી. જોકે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોંધપાત્ર નાણાકીય રાહત પછી હવે મોટા રોકાણકારો ફરી કંપની તરફ ધ્યાન આપી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી Vodafone Idea ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. ભારે દેવા અને સતત થતા નુકસાનને કારણે કંપની માટે કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ બની હતી. જોકે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોંધપાત્ર નાણાકીય રાહત પછી હવે મોટા રોકાણકારો ફરી કંપની તરફ ધ્યાન આપી રહ્યા છે.

1 / 5
એક અહેવાલ અનુસાર, હાલમાં ચાલતી વાટાઘાટો હજુ પ્રારંભિક તબક્કામાં છે અને કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. JSW અને ST Telemedia સિવાય પણ અમેરિકાની Tillman Global Holdings અને કેટલાક અન્ય ભારતીય ઔદ્યોગિક ગૃહોએ પણ કંપનીમાં હિસ્સો ખરીદવા માટે રસ દર્શાવ્યો છે. નવા રોકાણકારોને આકર્ષવા માટે કંપનીના ટોચના મેનેજમેન્ટે 16 અને 17 માર્ચે સિંગાપોર અને હોંગકોંગમાં સંસ્થાકીય રોકાણકારો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજવાની યોજના બનાવી છે.

એક અહેવાલ અનુસાર, હાલમાં ચાલતી વાટાઘાટો હજુ પ્રારંભિક તબક્કામાં છે અને કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. JSW અને ST Telemedia સિવાય પણ અમેરિકાની Tillman Global Holdings અને કેટલાક અન્ય ભારતીય ઔદ્યોગિક ગૃહોએ પણ કંપનીમાં હિસ્સો ખરીદવા માટે રસ દર્શાવ્યો છે. નવા રોકાણકારોને આકર્ષવા માટે કંપનીના ટોચના મેનેજમેન્ટે 16 અને 17 માર્ચે સિંગાપોર અને હોંગકોંગમાં સંસ્થાકીય રોકાણકારો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજવાની યોજના બનાવી છે.

2 / 5
હાલમાં Vodafone Ideaમાં કેન્દ્ર સરકારનો આશરે 49 ટકા હિસ્સો છે. સરકાર લાંબા સમયથી એવા વ્યૂહાત્મક રોકાણકારની શોધમાં છે, જે કંપનીમાં નવી મૂડી લાવવાની સાથે તેની કામગીરીને પણ મજબૂત બનાવી શકે. કંપનીના વર્તમાન પ્રમોટરોમાં Aditya Birla Groupનો આશરે 9.50 ટકા અને બ્રિટનની Vodafone Group PLCનો 16.07 ટકા હિસ્સો છે. જોકે નવા રોકાણકારના પ્રવેશ પછી હાલના પ્રમોટરો પોતાનો હિસ્સો વેચશે કે કંપની નવા શેર જારી કરીને મૂડી ઊભી કરશે તે હજી સ્પષ્ટ નથી.

હાલમાં Vodafone Ideaમાં કેન્દ્ર સરકારનો આશરે 49 ટકા હિસ્સો છે. સરકાર લાંબા સમયથી એવા વ્યૂહાત્મક રોકાણકારની શોધમાં છે, જે કંપનીમાં નવી મૂડી લાવવાની સાથે તેની કામગીરીને પણ મજબૂત બનાવી શકે. કંપનીના વર્તમાન પ્રમોટરોમાં Aditya Birla Groupનો આશરે 9.50 ટકા અને બ્રિટનની Vodafone Group PLCનો 16.07 ટકા હિસ્સો છે. જોકે નવા રોકાણકારના પ્રવેશ પછી હાલના પ્રમોટરો પોતાનો હિસ્સો વેચશે કે કંપની નવા શેર જારી કરીને મૂડી ઊભી કરશે તે હજી સ્પષ્ટ નથી.

3 / 5
બ્રોકરેજ ફર્મ IIFL Securitiesના અંદાજ મુજબ, જો કોઈ વ્યૂહાત્મક રોકાણકાર કંપનીમાં લગભગ ₹50,000 કરોડનું રોકાણ કરે, તો સરકાર કંપનીની લગભગ ₹48,000 કરોડની સ્પેક્ટ્રમ સંબંધિત બાકી રકમને ઇક્વિટીમાં રૂપાંતરિત કરી શકે છે. આવી સ્થિતિમાં સરકારનો હિસ્સો 49 ટકાની મર્યાદા અંદર જ રહેશે, જ્યારે કંપનીનું સ્પેક્ટ્રમ દેવું નોંધપાત્ર રીતે ઘટી શકે છે.

બ્રોકરેજ ફર્મ IIFL Securitiesના અંદાજ મુજબ, જો કોઈ વ્યૂહાત્મક રોકાણકાર કંપનીમાં લગભગ ₹50,000 કરોડનું રોકાણ કરે, તો સરકાર કંપનીની લગભગ ₹48,000 કરોડની સ્પેક્ટ્રમ સંબંધિત બાકી રકમને ઇક્વિટીમાં રૂપાંતરિત કરી શકે છે. આવી સ્થિતિમાં સરકારનો હિસ્સો 49 ટકાની મર્યાદા અંદર જ રહેશે, જ્યારે કંપનીનું સ્પેક્ટ્રમ દેવું નોંધપાત્ર રીતે ઘટી શકે છે.

4 / 5
આ ઉપરાંત, સરકાર કંપનીના Adjusted Gross Revenue (AGR) આધારિત લેણાંનું પણ પુનર્મૂલ્યાંકન કરી રહી છે. આ પ્રક્રિયા માર્ચના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. માનવામાં આવે છે કે આ નિર્ણયથી કંપનીની કુલ જવાબદારીઓમાં 50 થી 60 ટકા સુધી ઘટાડો થઈ શકે છે અને બાકી ચુકવણી માટે 10 વર્ષ સુધીનો સમયગાળો આપવામાં આવી શકે છે. આ તમામ પગલાંઓનો મુખ્ય ઉદ્દેશ્ય નવા રોકાણકારોને આકર્ષવા અને Vodafone Ideaની નાણાકીય સ્થિતિને વધુ પારદર્શક અને સ્થિર બનાવવાનો છે. જો રોકાણ સંબંધિત ચર્ચાઓ સફળ રહે, તો Vi માટે આવનારા સમયમાં મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

આ ઉપરાંત, સરકાર કંપનીના Adjusted Gross Revenue (AGR) આધારિત લેણાંનું પણ પુનર્મૂલ્યાંકન કરી રહી છે. આ પ્રક્રિયા માર્ચના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. માનવામાં આવે છે કે આ નિર્ણયથી કંપનીની કુલ જવાબદારીઓમાં 50 થી 60 ટકા સુધી ઘટાડો થઈ શકે છે અને બાકી ચુકવણી માટે 10 વર્ષ સુધીનો સમયગાળો આપવામાં આવી શકે છે. આ તમામ પગલાંઓનો મુખ્ય ઉદ્દેશ્ય નવા રોકાણકારોને આકર્ષવા અને Vodafone Ideaની નાણાકીય સ્થિતિને વધુ પારદર્શક અને સ્થિર બનાવવાનો છે. જો રોકાણ સંબંધિત ચર્ચાઓ સફળ રહે, તો Vi માટે આવનારા સમયમાં મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

5 / 5

ઇન્ડક્શન પર રસોઈ કરવી LPG ગેસ કરતાં સસ્તી પડે કે મોંઘી? જાણવા માટે અહીં ક્લિક કરો,.. 

Follow Us
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">