ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરના ભવિષ્ય અંગે BCCIનો મોટો નિર્ણય, જાણો શું ગુમાવશે પદ?
BCCIની મુંબઈમાં યોજાયેલી મહાબેઠક બાદ અજિત અગરકર અને રોહિત શર્માના ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળો પર મોટો પડદો પડી ગયો છે. અગરકરની ખુરશી જશે કે યથાવત રહેશે અને રોહિત 2027 વર્લ્ડ કપની રેસમાં રહેશે કે નહીં, તેને લઈને અનેક સવાલો હતા. હવે બેઠક બાદ BCCI તરફથી આવેલા સંકેતોએ બંનેના ભવિષ્યની તસવીર ઘણી હદ સુધી સ્પષ્ટ કરી દીધી છે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરનું પદ હાલમાં સુરક્ષિત છે. મુંબઈમાં શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીર સાથે BCCIની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો .

એવા અહેવાલો હતા કે BCCI મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને હટાવી શકે છે અને વીવીએસ લક્ષ્મણને મોટી ભૂમિકા આપી શકે છે. જોકે, BCCIએ બંને અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

BCCIના સચિવે પુષ્ટિ કરી કે લક્ષ્મણને ક્રિકેટ ડિરેક્ટર તરીકે કોઈ પદ આપવામાં આવશે નહીં. તેઓ સેન્ટર ઓફ એક્સેલન્સના વડા જ રહેશે.

BCCI સેક્રેટરીએ એમ પણ કહ્યું કે અજિત અગરકર મુખ્ય પસંદગીકાર રહેશે. પસંદગી સમિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. આ સ્થિતિ 2027 વર્લ્ડ કપ સુધી રહેશે.

રોહિત શર્માના ભવિષ્ય અંગે પણ BCCIએ મોટો નિર્ણય લીધો છે. BCCI સેક્રેટરીએ રોહિત શર્માની બેટિંગની પ્રશંસા કરી, એટલે કે રોહિત હજુ ODI માંથી નિવૃત્તિ લેશે નહીં અને 2027 ના વર્લ્ડ કપની રેસમાં રહેશે. (ફોટો-PTI)
Breaking News: રોહિત શર્માના ભવિષ્ય પર BCCIએ લગાવી મહોર, જાણો બેઠકનું શું પરિણામ આવ્યું?
