Breaking News: ₹70,00,00,000 નો સોદો… સચિન તેંડુલકરે લોનાવાલામાં ખરીદી 3.86 એકર જમીન
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે લોનાવાલામાં કરોડો રૂપિયાનું મોટું રોકાણ કર્યું છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર સચિને 3.86 એકર જમીન ખરીદી છે. આ સોદો ત્રણ અલગ-અલગ વ્યવહારો દ્વારા કરવામાં આવ્યો છે. આટલી મોટી જમીન ખરીદ્યા બાદ સચિન અહીં શું બનાવવાની તૈયારી કરી રહ્યો છે, તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.

સચિન તેંડુલકરે મુંબઈ નજીક આવેલા લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવાલામાં આશરે ₹70 કરોડની જમીન ખરીદી છે. આ સોદો 4 સપ્ટેમ્બર, 2026ના રોજ નોંધાયો હતો. કુલ જમીન 3.86 એકર એટલે કે આશરે 1.68 લાખ ચોરસ ફૂટ છે.

આ સોદામાં ત્રણ અલગ-અલગ જમીન સામેલ છે. સૌથી મોટા 3.09 એકરના પ્લોટ માટે સચિને ₹63.69 કરોડ ચૂકવ્યા છે અને તેની સંપૂર્ણ માલિકી મેળવી છે. અન્ય બેમાં તેણે 50 ટકા હિસ્સો ખરીદ્યો છે.

દસ્તાવેજો અનુસાર, અન્ય બે સોદાની કિંમત અનુક્રમે ₹4.56 કરોડ અને ₹1.75 કરોડ છે. આ સમગ્ર વ્યવહાર માટે આશરે ₹4.20 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે, જ્યારે રજીસ્ટ્રેશન ફી ₹90,000 રહી છે.

લોનાવાલા મુંબઈ અને પુણે નજીકનું જાણીતું હિલ સ્ટેશન છે અને સેલિબ્રિટીઝ માટે સેકન્ડ હોમનું લોકપ્રિય સ્થળ છે. સચિનના આ રોકાણની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે સચિન હિલ સ્ટેશન લોનાવાલામાં નવું ઘર અથવા ફાર્મહાઉસ બનાવશે. જોકે, સચિને આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. (PC:X)
Breaking News: પાકિસ્તાન ક્રિકેટમાં ફરી ફિક્સિંગ ? PCBએ શરૂ કરી તપાસ, જાણો શું છે સમગ્ર મામલો
