AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPLમાં સૌથી ઓછા લક્ષ્યનો પણ થયો સફળ બચાવ, જાણો ઈતિહાસના ટોપ-5 સૌથી નાના ડિફેન્ડેડ સ્કોર

IPLમાં ઓછો સ્કોર બનાવ્યા પછી સામેવાળી ટીમને રનચેઝ કરતા રોકવું ખૂબ જ મુશ્કેલ છે. પણ દમદાર બોલિંગ અને આત્મવિશ્વાસના દમ પર કેટલીક ટીમોએ આ કમાલ કરીને બતાવ્યો છે. ચાલો જાણીએ IPL ઈતિહાસના પાંચ સૌથી નાના સ્કોર વિશે જે ડિફેન્ડ થયા છે.

| Updated on: May 15, 2026 | 8:59 PM
Share
IPL એટલે ચોગ્ગા-છગ્ગાની રમઝટ અને મોટા સ્કોરનો ખેલ. પરંતુ IPLના ઈતિહાસમાં કેટલીક એવી મેચો પણ જોવા મળી છે જ્યાં બોલરોએ બેટ્સમેન પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. ઘણા પ્રસંગોએ નાનકડા સ્કોરનો પણ સફળ બચાવ થયો છે. 265 રનનો પીછો થતો IPLમાં 111 રન પણ ડિફેન્ડ થઈ જાય, તે જ આ લીગની ખાસિયત છે.

IPL એટલે ચોગ્ગા-છગ્ગાની રમઝટ અને મોટા સ્કોરનો ખેલ. પરંતુ IPLના ઈતિહાસમાં કેટલીક એવી મેચો પણ જોવા મળી છે જ્યાં બોલરોએ બેટ્સમેન પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. ઘણા પ્રસંગોએ નાનકડા સ્કોરનો પણ સફળ બચાવ થયો છે. 265 રનનો પીછો થતો IPLમાં 111 રન પણ ડિફેન્ડ થઈ જાય, તે જ આ લીગની ખાસિયત છે.

1 / 6
IPLના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર સફળતાપૂર્વક બચાવવાનો રેકોર્ડ પંજાબ કિંગ્સના નામે નોંધાયો છે. IPL 2025માં પંજાબે માત્ર 111 રન બનાવ્યા હતા, પરંતુ તેમની ઘાતક બોલિંગ સામે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચે સાબિત કર્યું કે T20માં બોલરો પણ મેચ જીતાડી શકે છે.

IPLના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર સફળતાપૂર્વક બચાવવાનો રેકોર્ડ પંજાબ કિંગ્સના નામે નોંધાયો છે. IPL 2025માં પંજાબે માત્ર 111 રન બનાવ્યા હતા, પરંતુ તેમની ઘાતક બોલિંગ સામે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચે સાબિત કર્યું કે T20માં બોલરો પણ મેચ જીતાડી શકે છે.

2 / 6
બીજા ક્રમે ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ આવે છે. IPL 2009માં CSKએ પહેલા બેટિંગ કરીને ફક્ત 116 રન બનાવ્યા હતા. સામાન્ય રીતે આ લક્ષ્ય સરળ માનવામાં આવે, પરંતુ પંજાબ કિંગ્સની ટીમ 92 રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ચેન્નાઈએ 26 રનથી જીત મેળવી હતી.

બીજા ક્રમે ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ આવે છે. IPL 2009માં CSKએ પહેલા બેટિંગ કરીને ફક્ત 116 રન બનાવ્યા હતા. સામાન્ય રીતે આ લક્ષ્ય સરળ માનવામાં આવે, પરંતુ પંજાબ કિંગ્સની ટીમ 92 રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ચેન્નાઈએ 26 રનથી જીત મેળવી હતી.

3 / 6
IPL 2018માં સનરાઈઝર્સ હૈદરાબાદે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 118 રન બનાવ્યા હતા. હાઈ-સ્કોરિંગ મેદાન ગણાતા વાનખેડેમાં મુંબઈની મજબૂત બેટિંગ લાઈનઅપ માત્ર 87 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદે આ મેચ 31 રનથી જીતી હતી.

IPL 2018માં સનરાઈઝર્સ હૈદરાબાદે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 118 રન બનાવ્યા હતા. હાઈ-સ્કોરિંગ મેદાન ગણાતા વાનખેડેમાં મુંબઈની મજબૂત બેટિંગ લાઈનઅપ માત્ર 87 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદે આ મેચ 31 રનથી જીતી હતી.

4 / 6
પંજાબ કિંગ્સે 2009માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 119 રનનો સફળ બચાવ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 119 રન બનાવ્યા હતા, જ્યારે મુંબઈની ટીમ 20 ઓવરમાં 113 રન જ બનાવી શકી હતી. આ મેચમાં પંજાબના બોલરોએ શાનદાર નિયંત્રણ દર્શાવ્યું હતું.

પંજાબ કિંગ્સે 2009માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 119 રનનો સફળ બચાવ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 119 રન બનાવ્યા હતા, જ્યારે મુંબઈની ટીમ 20 ઓવરમાં 113 રન જ બનાવી શકી હતી. આ મેચમાં પંજાબના બોલરોએ શાનદાર નિયંત્રણ દર્શાવ્યું હતું.

5 / 6
સનરાઈઝર્સ હૈદરાબાદે 2013માં પુણે વોરિયર્સ સામે 119 રન બનાવીને જીત મેળવી હતી. ભુવનેશ્વર કુમારની આગેવાની હેઠળ હૈદરાબાદના બોલરોએ પુણેની બેટિંગ લાઈનઅપને તોડી નાંખી હતી. પરિણામે પુણે લક્ષ્ય સુધી પહોંચી શક્યું નહોતું અને હૈદરાબાદે 11 રનથી જીત નોંધાવી હતી. (PC: PTI/X/ESPN)

સનરાઈઝર્સ હૈદરાબાદે 2013માં પુણે વોરિયર્સ સામે 119 રન બનાવીને જીત મેળવી હતી. ભુવનેશ્વર કુમારની આગેવાની હેઠળ હૈદરાબાદના બોલરોએ પુણેની બેટિંગ લાઈનઅપને તોડી નાંખી હતી. પરિણામે પુણે લક્ષ્ય સુધી પહોંચી શક્યું નહોતું અને હૈદરાબાદે 11 રનથી જીત નોંધાવી હતી. (PC: PTI/X/ESPN)

6 / 6

Breaking News: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

 

Follow Us
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">