AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અકસ્માત સમયે ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર હોય તો શું મળશે વીમો? જાણો સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો

જો તમે વાહન ચલાવો છો તો સમયસર ડ્રાઇવિંગ લાઇસન્સની વેલિડિટી ચેક કરતા રહો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો માન્ય લાઇસન્સ વગર અકસ્માત થશે તો વીમા કંપની વળતર આપવા માટે જવાબદાર રહેશે નહીં.

| Updated on: Aug 05, 2026 | 3:50 PM
Share
ભારતમાં કોઈપણ પ્રકારનું વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ખૂબ જ જરૂરી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ એક ચોક્કસ સમયમર્યાદા માટે RTO દ્વારા કાઢી આપવામાં આવે છે. મુદત પૂરી થવા પર તેને ફરીથી રિન્યુ કરાવવાની જરૂર હોય છે, પરંતુ ઘણા લોકો લાઇસન્સ રિન્યુ કરાવ્યા વગર જ વાહન ચલાવતા રહે છે. પરંતુ હવે આવા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક કેસમાં ચુકાદો આપ્યો છે. આ ફેંસલાની અસર વાહન ચલાવતા દરેક વ્યક્તિ પર પડશે.

ભારતમાં કોઈપણ પ્રકારનું વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ખૂબ જ જરૂરી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ એક ચોક્કસ સમયમર્યાદા માટે RTO દ્વારા કાઢી આપવામાં આવે છે. મુદત પૂરી થવા પર તેને ફરીથી રિન્યુ કરાવવાની જરૂર હોય છે, પરંતુ ઘણા લોકો લાઇસન્સ રિન્યુ કરાવ્યા વગર જ વાહન ચલાવતા રહે છે. પરંતુ હવે આવા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક કેસમાં ચુકાદો આપ્યો છે. આ ફેંસલાની અસર વાહન ચલાવતા દરેક વ્યક્તિ પર પડશે.

1 / 5
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જો માર્ગ અકસ્માત સમયે વાહન ચાલક પાસે માન્ય (વેલિડ) અથવા રિન્યુ કરેલું ડ્રાઇવિંગ લાઇસન્સ નથી, તો તેવી સ્થિતિમાં ઇન્સ્યોરન્સ કંપની વળતર આપવા માટે જવાબદાર રહેશે નહીં. કોર્ટે કહ્યું કે આનાથી વાહન માલિક અને ચાલક પર ભારે આર્થિક બોજ પડી શકે છે. આ સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારોને માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સના મહત્વ અંગે દેશભરમાં જાગૃતિ અભિયાન ચલાવવા અને લાઇસન્સ કઢાવવા તેમજ રિન્યુ કરાવવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે નિર્દેશો પણ આપ્યા છે. એટલે કે જો ચાલકનું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું છે અને સમયસર રિન્યુ કરાવવામાં આવ્યું નથી, તો અકસ્માતની સ્થિતિમાં વાહન માલિક અને ચાલકે પોતાના ખિસ્સામાંથી ભારે વળતર ચૂકવવું પડી શકે છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જો માર્ગ અકસ્માત સમયે વાહન ચાલક પાસે માન્ય (વેલિડ) અથવા રિન્યુ કરેલું ડ્રાઇવિંગ લાઇસન્સ નથી, તો તેવી સ્થિતિમાં ઇન્સ્યોરન્સ કંપની વળતર આપવા માટે જવાબદાર રહેશે નહીં. કોર્ટે કહ્યું કે આનાથી વાહન માલિક અને ચાલક પર ભારે આર્થિક બોજ પડી શકે છે. આ સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારોને માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સના મહત્વ અંગે દેશભરમાં જાગૃતિ અભિયાન ચલાવવા અને લાઇસન્સ કઢાવવા તેમજ રિન્યુ કરાવવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે નિર્દેશો પણ આપ્યા છે. એટલે કે જો ચાલકનું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું છે અને સમયસર રિન્યુ કરાવવામાં આવ્યું નથી, તો અકસ્માતની સ્થિતિમાં વાહન માલિક અને ચાલકે પોતાના ખિસ્સામાંથી ભારે વળતર ચૂકવવું પડી શકે છે.

2 / 5
ડ્રાઇવિંગ સ્કૂલોમાં સુધારાની પણ જરૂર:  સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે દેશમાં ડ્રાઇવિંગ સ્કૂલોની વ્યવસ્થાને વધુ સારી બનાવવાની જરૂર છે. કોર્ટના જણાવ્યા અનુસાર, ડ્રાઇવિંગ સ્કૂલોની ગુણવત્તામાં સુધારો થવો જોઈએ. તેમની ફી સામાન્ય લોકોની પહોંચમાં હોવી જોઈએ. ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની અરજી અને ટેસ્ટ પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ હોવા જોઈએ, જેથી વધુમાં વધુ લોકો સરળતાથી લાઇસન્સ કઢાવી શકે.

ડ્રાઇવિંગ સ્કૂલોમાં સુધારાની પણ જરૂર: સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે દેશમાં ડ્રાઇવિંગ સ્કૂલોની વ્યવસ્થાને વધુ સારી બનાવવાની જરૂર છે. કોર્ટના જણાવ્યા અનુસાર, ડ્રાઇવિંગ સ્કૂલોની ગુણવત્તામાં સુધારો થવો જોઈએ. તેમની ફી સામાન્ય લોકોની પહોંચમાં હોવી જોઈએ. ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની અરજી અને ટેસ્ટ પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ હોવા જોઈએ, જેથી વધુમાં વધુ લોકો સરળતાથી લાઇસન્સ કઢાવી શકે.

3 / 5
કયા કેસમાં આવ્યો આ ફેંસલો? આ ફેંસલો વર્ષ 2009 ના એક માર્ગ અકસ્માત સાથે જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન આવ્યો હતો. આ કેસમાં ઓમપ્રકાશ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહેલા વાહને એક દ્વિચક્રી (ટૂ-વ્હીલર) વાહનને ટક્કર મારી હતી. અકસ્માત સમયે ચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ સમય પહેલાં જ એક્સપાયર થઈ ગયેલું હતું, જેને પાછળથી રિન્યુ કરાવવામાં આવ્યું હતું. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કંપનીને વળતર આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ ફેંસલાને રદ કરી દીધો હતો અને કહ્યું હતું કે જો અકસ્માત સમયે ડ્રાઇવર પાસે વેલિડ લાઇસન્સ નહોતું, તો તેવી સ્થિતિમાં ઇન્સ્યોરન્સ કંપનીને જવાબદાર ઠેરવી શકાય નહીં.

કયા કેસમાં આવ્યો આ ફેંસલો? આ ફેંસલો વર્ષ 2009 ના એક માર્ગ અકસ્માત સાથે જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન આવ્યો હતો. આ કેસમાં ઓમપ્રકાશ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહેલા વાહને એક દ્વિચક્રી (ટૂ-વ્હીલર) વાહનને ટક્કર મારી હતી. અકસ્માત સમયે ચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ સમય પહેલાં જ એક્સપાયર થઈ ગયેલું હતું, જેને પાછળથી રિન્યુ કરાવવામાં આવ્યું હતું. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કંપનીને વળતર આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ ફેંસલાને રદ કરી દીધો હતો અને કહ્યું હતું કે જો અકસ્માત સમયે ડ્રાઇવર પાસે વેલિડ લાઇસન્સ નહોતું, તો તેવી સ્થિતિમાં ઇન્સ્યોરન્સ કંપનીને જવાબદાર ઠેરવી શકાય નહીં.

4 / 5
વાહન ચાલકો માટે શું છે શીખ? સુપ્રીમ કોર્ટના આ ફેંસલા બાદ તમામ વાહન માલિકો અને ચાલકો માટે એ જરૂરી બન્યું છે કે તેઓ પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સની વેલિડિટી સમય-સમય પર ચકાસતા રહે. જો લાઇસન્સની મુદત પૂરી થવાની હોય, તો સમયસર તેને રિન્યુ કરાવી લેવું. આવું ન કરવા પર માર્ગ અકસ્માતની સ્થિતિમાં માત્ર કાનૂની કાર્યવાહીનો જ સામનો કરવો નહીં પડે, પરંતુ ભારે વળતર પણ પોતાના ખિસ્સામાંથી ભરવું પડી શકે છે.

વાહન ચાલકો માટે શું છે શીખ? સુપ્રીમ કોર્ટના આ ફેંસલા બાદ તમામ વાહન માલિકો અને ચાલકો માટે એ જરૂરી બન્યું છે કે તેઓ પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સની વેલિડિટી સમય-સમય પર ચકાસતા રહે. જો લાઇસન્સની મુદત પૂરી થવાની હોય, તો સમયસર તેને રિન્યુ કરાવી લેવું. આવું ન કરવા પર માર્ગ અકસ્માતની સ્થિતિમાં માત્ર કાનૂની કાર્યવાહીનો જ સામનો કરવો નહીં પડે, પરંતુ ભારે વળતર પણ પોતાના ખિસ્સામાંથી ભરવું પડી શકે છે.

5 / 5

હવે વાહનનો વીમો નહીં હોય તો નહીં મળે પેટ્રોલ-ડિઝલ-ગેસ ? સુપ્રીમ કોર્ટના નિર્દેશના પગલે, શરૂ કરાશે પાયલોટ પ્રોજેક્ટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">