કાનુની સવાલ : સોશિયલ મીડિયા પર પોસ્ટ અથવા તમારા વિરુદ્ધ અપશબ્દો બોલવાથી માનહાનિનો કેસ થઈ શકે છે, કાનૂની પ્રક્રિયા જાણો
જ્યારે કોઈ વ્યક્તિ બોલાતી, લેખિત અથવા પરોક્ષ ભાષા દ્વારા બીજાની પ્રતિષ્ઠા, સન્માન અથવા ગરિમાને નુકસાન પહોંચાડે છે ત્યારે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવે છે. ભારતમાં આ એક નાગરિક અને ફોજદારી ગુનો બંને છે. તો ચાલો જાણીએ કાયદો શું કહે છે.

આપણે ઘણીવાર રાજકારણીઓ અને અભિનેતાઓ સાથે જોડાયેલા માનહાનિના કેસ અને ચુકાદાઓ વિશે સમાચાર સાંભળીએ છીએ. પરંતુ જ્યારે કોઈ તમને બદનામ કરે છે ત્યારે શું થાય છે? તમે ચૂપ રહી શકતા નથી, અને તમારે ચૂપ રહેવું જોઈએ નહીં. કાયદો તમારા સન્માનનું રક્ષણ કરે છે. આવા કિસ્સાઓમાં, ભારતીય કાયદો પીડિતને ન્યાય મેળવવાનો અધિકાર આપે છે.

આજના ડિજિટલ યુગમાં કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા પહેલા કોઈ 100 વખત વિચારવું જરુરી છે. સોશિયલ મીડિયા પોસ્ટ, યુટ્યુબ વીડિયો, વોટ્સએપ મેસેજ કે સાર્વજનિક મંચ પર લગાવવામાં આવેલા થોટા આરોપ કોઈ પણની ગરિમાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ આ ડરવાની કે ચિંતા કરવાની જરુર નથી. કાયદો તમારી પ્રતિષ્ઠાનું સન્માન કરવું જાણે છે.

સૌથી પહેલા આપણે જાણીએ કે, માનહાનિ શું છે. ભારતીય કાનુન અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ વિશે ખોટા આરોપ,નિવેદન,લેખ વીડિયો, પોસ્ટ કે પછી ટિપ્પણી કરે છે અથવા પ્રકાશિત કરે છે.તો તેના કારણે બીજાની પ્રતિષ્ઠા, માન-સન્માનને ઠેસ પહોંચે છે અને નુકસાન થાય છે. આ મામલો માનહાનિ સાથે જોડાય શકે છે.

માનહાનિ આ એક ગુનો બોલીને, લખીને, ફોટો કે સંકેત અથવા અન્ય સોશિયલ કે ડિજિટલ માધ્યમથી કરવામાં આવી શકે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બધી ટીકાને બદનક્ષી ગણવામાં આવતી નથી. જો ટીકા મોટા જાહેર હિતમાં કરવામાં આવે તો તે બદનક્ષી નહીં હોય.

અગાઉ, ભારતમાં માનહાનિને ભારતીય દંડ સંહિતા (IPC), 1860ની કલમ 499 અને 500 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. જો કે, ભારત સરકારે જૂના કાયદાઓને બદલીને નવા ફોજદારી કાયદા, ભારતીય દંડ સંહિતા (BNS), 2023, 1 જુલાઈ, 2024 થી અમલમાં મૂક્યા. તેમાં માનહાનિ સંબંધિત જોગવાઈઓ પણ સામેલ છે.

અગાઉ, ભારતમાં માનહાનિને ભારતીય દંડ સંહિતા (IPC), 1860ની કલમ 499 અને 500 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. જો કે, ભારત સરકારે જૂના કાયદાઓને બદલીને નવા ફોજદારી કાયદા, ભારતીય દંડ સંહિતા (BNS), 2023, 1 જુલાઈ, 2024 થી અમલમાં મૂક્યા. તેમાં માનહાનિ સંબંધિત જોગવાઈઓ પણ સામેલ છે.

અગાઉ, ભારતમાં માનહાનિને ભારતીય દંડ સંહિતા (IPC), 1860ની કલમ 499 અને 500 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. જો કે, ભારત સરકારે જૂના કાયદાઓને બદલીને નવા ફોજદારી કાયદા, ભારતીય દંડ સંહિતા (BNS), 2023, 1 જુલાઈ, 2024 થી અમલમાં મૂક્યા. તેમાં માનહાનિ સંબંધિત જોગવાઈઓ પણ સામેલ છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
