Breaking News: કેપ્ટન તરીકે પહેલી જ મેચમાં હારનાર માત્ર ચોથો ભારતીય, શ્રેયસ અય્યરના નામે નોંધાયો અનિચ્છનીય રેકોર્ડ
ભારતીય કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરને તેની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આયર્લેન્ડે પહેલી T20માં ભારતને 34 રનથી હરાવ્યું. આ હાર સાથે અય્યરના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો. સાથે જ કેપ્ટન તરીકે પહેલી જ મેચમાં હાર મેળવનાર તે માત્ર ચોથો ભારતીય બન્યો હતો.

આયર્લેન્ડ પ્રવાસ શરૂ થાય તે પહેલા, BCCI એ શ્રેયસ અય્યરને T20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો. જોકે, ભારતના કેપ્ટન તરીકે અય્યરની શરૂઆત ઘણી ખરાબ અને નિરાશાજનક રહી છે.

બેલફાસ્ટમાં રમાયેલી બે મેચની શ્રેણીની પહેલી T20 મેચમાં યજમાન આયર્લેન્ડે વર્લ્ડ ચેમ્પિયન ભારતને 34 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો. આ કારમી હારથી કેપ્ટન શ્રેયસ અય્યરના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે.

શ્રેયસ અય્યર ભારતીય T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં ચોથો ખેલાડી બન્યો જેને કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. તેના પહેલા ફક્ત ત્રણ અન્ય ભારતીય કેપ્ટનોએ તેમની પહેલી T20 મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.

આ અનિચ્છનીય યાદીમાં શ્રેયસ અય્યર પહેલા વિરાટ કોહલી, રિષભ પંત અને શુભમન ગિલનો સમાવેશ થાય છે. T20 ઈતિહાસમાં કુલ 15 ખેલાડીઓએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 11 ખેલાડીઓએ તેમની પ્રથમ મેચ જીતી હતી, પરંતુ અય્યર આ વિશિષ્ટ ક્લબમાં જોડાવાનું ચૂકી ગયા છે.

આ સાથે, શ્રેયસ અય્યર કોઈપણ ફોર્મેટમાં આયર્લેન્ડ સામે મેચ હારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો. આ મેચ પહેલા, આયર્લેન્ડે ક્યારેય આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને હરાવ્યું ન હતું. (PC:Getty)
Breaking News: ટીમ ઈન્ડિયાએ કેમ ન આપ્યું વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ ? કેપ્ટન શ્રેયસ અય્યરે કર્યો ખુલાસો
