AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાચન સુધારવાથી લઈ ચમકતી ત્વચા સુધી… કોથમીરના આ 5 ચમત્કારી ફાયદા તમને કરી દેશે હેરાન

ભારતીય રસોઈમાં કોથમીર માત્ર સજાવટ માટે જ નહીં પરંતુ સ્વાદ અને સુગંધ વધારવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. બીજું કે, કોથમીરનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા પણ મળે છે.

| Updated on: Mar 04, 2026 | 3:41 PM
Share
કોથમીર બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલા કેટલાક એન્ઝાઇમ્સ શુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ સાથે જ, તેમાં ફાઈબરનું પ્રમાણ સારું હોય છે અને તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઉત્તમ વિકલ્પ બનાવે છે. તમે ઈચ્છો તો કોથમીરનું પાણી બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

કોથમીર બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલા કેટલાક એન્ઝાઇમ્સ શુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ સાથે જ, તેમાં ફાઈબરનું પ્રમાણ સારું હોય છે અને તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઉત્તમ વિકલ્પ બનાવે છે. તમે ઈચ્છો તો કોથમીરનું પાણી બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

1 / 5
કોથમીરમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરને ઇન્ફેક્શન અને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) વધારે છે. નિયમિત સેવનથી વારંવાર બીમાર પડવાની સમસ્યા ઓછી થઈ શકે છે. નબળી ઈમ્યુનિટી ધરાવતા લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કોથમીરમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરને ઇન્ફેક્શન અને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) વધારે છે. નિયમિત સેવનથી વારંવાર બીમાર પડવાની સમસ્યા ઓછી થઈ શકે છે. નબળી ઈમ્યુનિટી ધરાવતા લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

2 / 5
દરેક વ્યક્તિ સાફ અને ચમકતી ત્વચા ઈચ્છે છે. શરીરમાં એસિડિટીનું પ્રમાણ વધવાને કારણે ત્વચા પર લાલાશ, ફોલ્લીઓ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે. એવામાં કોથમીર એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ત્વચાને લગતી સમસ્યાઓમાં રાહત મળી શકે છે.

દરેક વ્યક્તિ સાફ અને ચમકતી ત્વચા ઈચ્છે છે. શરીરમાં એસિડિટીનું પ્રમાણ વધવાને કારણે ત્વચા પર લાલાશ, ફોલ્લીઓ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે. એવામાં કોથમીર એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ત્વચાને લગતી સમસ્યાઓમાં રાહત મળી શકે છે.

3 / 5
કોથમીરમાં રહેલ ફાઈબર પાચનને વધુ સરસ બનાવે છે. તે ગેસ, અપચો અને બ્લોટિંગ (પેટ ફૂલવું) જેવી તકલીફોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવા માંગતા હોવ, તો દરરોજ ભોજનમાં કોથમીરનો સમાવેશ કરવો ફાયદાકારક રહેશે.

કોથમીરમાં રહેલ ફાઈબર પાચનને વધુ સરસ બનાવે છે. તે ગેસ, અપચો અને બ્લોટિંગ (પેટ ફૂલવું) જેવી તકલીફોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવા માંગતા હોવ, તો દરરોજ ભોજનમાં કોથમીરનો સમાવેશ કરવો ફાયદાકારક રહેશે.

4 / 5
કોથમીર એક નેચરલ 'ડાયયુરેટિક' (natural diuretic) તરીકે કામ કરે છે, જે શરીરમાંથી વધારાનું સોડિયમ બહાર કાઢવામાં મદદ કરે છે. આનાથી કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. આ સિવાય ઘણા સંશોધનો દર્શાવે છે કે, તેનું નિયમિત સેવન હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. ટૂંકમાં, સ્વાસ્થ્ય માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.

કોથમીર એક નેચરલ 'ડાયયુરેટિક' (natural diuretic) તરીકે કામ કરે છે, જે શરીરમાંથી વધારાનું સોડિયમ બહાર કાઢવામાં મદદ કરે છે. આનાથી કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. આ સિવાય ઘણા સંશોધનો દર્શાવે છે કે, તેનું નિયમિત સેવન હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. ટૂંકમાં, સ્વાસ્થ્ય માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.

5 / 5
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. તમારા ડાયટમાં કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

આ પણ વાંચો: ભીષણ ગરમીમાં અમૃત સમાન છે ‘શેરડીનો રસ’, કેમ ઉનાળામાં આ પીણું સૌથી વધુ પીવું જોઈએ?

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">