Char Dham Yatra 2026 : ચારધામની યાત્રામાં જતાં પહેલા આ નિયમો જાણી લો
Char Dham Yatra 2026 : ઉત્તરાખંડની ચારધામ યાત્રા એપ્રિલ મહિનાથી શરુ થવાની છે. ચાર ધામના કપાટ ખુલવાની તારીખ નક્કી થઈ ચૂકી છે. યાત્રાની તારીખ સાથે અનેક નિયમોનું પાલન કરવું પણ જરુરી બન્યું છે. તો ચાલો ચારધામ યાત્રાના નવા નિયમો વિશે જાણીએ.

ચારધામ યાત્રામાં બિન-હિન્દુઓનો પ્રવેશ પ્રતિબંધિત છે. વિડિયો અને ફોટો શેર કરવા પર પણ પ્રતિબંધ છે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે તો યોગ્ય કાર્યવાહી થઈ શકે છે.

બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું કે, ચારધામ યાત્રાને લઈ તૈયારીઓ લગભગ પુરી થઈ ચૂકી છે. આ વખતે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં કેમેરા અને ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિર પરિસરના 70 મીટરના ગાળામાં ફોન લઈ જવા પર પ્રતિબંધ છે.

ચાર ધામ યાત્રામાં બિન-સનાતનીઓને પ્રવેશવા પર પ્રતિબંધ છે. આ વર્ષે બિન-સનાતન લોકો મુસાફરી કરી શકશે નહીં. આના કારણે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનના નામની ચર્ચા વધી ગઈ છે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે બિન સનાતનીઓ જેને હિન્દુ ધર્મમાં આસ્થા છે. તેને પ્રેવશની અનુમતિ આપવામાં આવશે.

ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 11 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. શ્રદ્ધાળુઓ માટે સરળ અને સુરક્ષિત દર્શન સુનિશ્ચિત કરવા માટે, કડક નિયમો બનાવવામાં આવ્યા છે. યાત્રાળુઓ માટે દર્શનની સુવિધા માટે વિડિઓ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, ચારધામ યાત્રા 2026ની શરુઆત 19 એપ્રિલથી થઈ રહી છે. આ દિવસે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલશે. ગંગોત્રી ધામના કપાટ 19 એપ્રિલના રોજ જ્યારે યમુનોત્રી ધામના કપાટ 19 એપ્રિલના રોજ ખુલશે.

યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ પછી કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલના સવારે 8 કલાકે ખુલશે. બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલના રોજ ખુલશે. (ALL PHOTO : PTI)
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો
