AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char Dham Yatra 2026 : ચારધામની યાત્રામાં જતાં પહેલા આ નિયમો જાણી લો

Char Dham Yatra 2026 : ઉત્તરાખંડની ચારધામ યાત્રા એપ્રિલ મહિનાથી શરુ થવાની છે. ચાર ધામના કપાટ ખુલવાની તારીખ નક્કી થઈ ચૂકી છે. યાત્રાની તારીખ સાથે અનેક નિયમોનું પાલન કરવું પણ જરુરી બન્યું છે. તો ચાલો ચારધામ યાત્રાના નવા નિયમો વિશે જાણીએ.

| Updated on: Apr 07, 2026 | 4:27 PM
Share
ચારધામ યાત્રામાં બિન-હિન્દુઓનો પ્રવેશ પ્રતિબંધિત છે. વિડિયો અને ફોટો શેર કરવા પર પણ પ્રતિબંધ છે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે તો યોગ્ય કાર્યવાહી થઈ શકે છે.

ચારધામ યાત્રામાં બિન-હિન્દુઓનો પ્રવેશ પ્રતિબંધિત છે. વિડિયો અને ફોટો શેર કરવા પર પણ પ્રતિબંધ છે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે તો યોગ્ય કાર્યવાહી થઈ શકે છે.

1 / 6
બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું કે, ચારધામ યાત્રાને લઈ તૈયારીઓ લગભગ પુરી થઈ ચૂકી છે. આ વખતે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં કેમેરા અને ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિર પરિસરના 70 મીટરના ગાળામાં ફોન લઈ જવા પર પ્રતિબંધ છે.

બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું કે, ચારધામ યાત્રાને લઈ તૈયારીઓ લગભગ પુરી થઈ ચૂકી છે. આ વખતે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં કેમેરા અને ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિર પરિસરના 70 મીટરના ગાળામાં ફોન લઈ જવા પર પ્રતિબંધ છે.

2 / 6
ચાર ધામ યાત્રામાં બિન-સનાતનીઓને પ્રવેશવા પર પ્રતિબંધ છે. આ વર્ષે બિન-સનાતન લોકો મુસાફરી કરી શકશે નહીં. આના કારણે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનના નામની ચર્ચા વધી ગઈ છે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે બિન સનાતનીઓ જેને હિન્દુ ધર્મમાં આસ્થા છે. તેને પ્રેવશની અનુમતિ આપવામાં આવશે.

ચાર ધામ યાત્રામાં બિન-સનાતનીઓને પ્રવેશવા પર પ્રતિબંધ છે. આ વર્ષે બિન-સનાતન લોકો મુસાફરી કરી શકશે નહીં. આના કારણે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનના નામની ચર્ચા વધી ગઈ છે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે બિન સનાતનીઓ જેને હિન્દુ ધર્મમાં આસ્થા છે. તેને પ્રેવશની અનુમતિ આપવામાં આવશે.

3 / 6
ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 11 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. શ્રદ્ધાળુઓ માટે સરળ અને સુરક્ષિત દર્શન સુનિશ્ચિત કરવા માટે, કડક નિયમો બનાવવામાં આવ્યા છે. યાત્રાળુઓ માટે દર્શનની સુવિધા માટે વિડિઓ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 11 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. શ્રદ્ધાળુઓ માટે સરળ અને સુરક્ષિત દર્શન સુનિશ્ચિત કરવા માટે, કડક નિયમો બનાવવામાં આવ્યા છે. યાત્રાળુઓ માટે દર્શનની સુવિધા માટે વિડિઓ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

4 / 6
તમને જણાવી દઈએ કે, ચારધામ યાત્રા 2026ની શરુઆત 19 એપ્રિલથી થઈ રહી છે. આ દિવસે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલશે. ગંગોત્રી ધામના કપાટ 19 એપ્રિલના રોજ જ્યારે યમુનોત્રી ધામના કપાટ 19 એપ્રિલના રોજ ખુલશે.

તમને જણાવી દઈએ કે, ચારધામ યાત્રા 2026ની શરુઆત 19 એપ્રિલથી થઈ રહી છે. આ દિવસે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલશે. ગંગોત્રી ધામના કપાટ 19 એપ્રિલના રોજ જ્યારે યમુનોત્રી ધામના કપાટ 19 એપ્રિલના રોજ ખુલશે.

5 / 6
 યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ પછી કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલના સવારે 8 કલાકે ખુલશે. બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલના રોજ ખુલશે. (ALL PHOTO : PTI)

યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ પછી કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલના સવારે 8 કલાકે ખુલશે. બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલના રોજ ખુલશે. (ALL PHOTO : PTI)

6 / 6

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
g clip-path="url(#clip0_868_265)">