ધનતેરસ પર તુલસીના આ ઉપાયથી વધશે ધન-સંપત્તિ ! જાણો A ટુ Z માહિતી
દર વર્ષે કારતક મહિનામાં ધનતેરસનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. ત્યારે તુલસીના ઉપાયો થકી તમને ખૂબ પુણ્ય મેળવી શકશો.

ધનતેરસ પર તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી તમારી ધન-સંપત્તિમાં વધારો થશે. તહેવારના આ મહિનામાં તુલસીનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં ધનતેરસ પર તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાય છે, જેને કરવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે.

ધનતેરસની સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનમાં વધારો થાય છે. આ સિવાય તુલસીની સામે દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

ધનતેરસ પર તુલસીને કાચું દૂધ ચઢાવો. તેનાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. તુલસી પર કાચું દૂધ ચઢાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે.

આ સિવાય ધનતેરસ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસીની માળા ચઢાવો. આ ઉપાય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ધનતેરસ પર આ ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં આર્થિક સમસ્યાઓથી રાહત મેળવી શકે છે. તેની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે)
