ડાયાબિટીસથી બચવા માટે ચાલવું કે દોડવું સારું? જાણો શું કહે છે રિસર્ચ
ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં દરરોજ ચાલવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હવે નવા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ડાયાબિટીસનું જોખમ ઓછું કરવા માટે માત્ર ચાલવું જરૂરી નથી. તમારી ચાલવાની ઝડપ પણ મહત્વપૂર્ણ છે.

ડાયાબિટીસ એ એવી ગંભીર બિમારી છે જેનાથી વડીલોથી લઈને વયસ્કો, યુવાનો અને બાળકો સુધીના કરોડો લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરતા રહે છે. બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા અને ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે, સાંજે કે કોઈપણ સમયે થોડો સમય ચાલવું ખૂબ જ સારું માનવામાં આવે છે. હવે ચાલવાની ઝડપ અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવા વચ્ચેના જોડાણ પર નવું સંશોધન કરવામાં આવ્યું છે.

ડાયાબિટીસના દર્દીઓ પણ પોતાના રૂટિનમાં સંતુલિત આહારથી લઈને રોજની કસરત સુધી સારી ટેવો અપનાવીને સ્વસ્થ રહી શકે છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના જણાવ્યા અનુસાર ડાયાબિટીસથી બચવા માટે દરરોજ 10,000 પગલાંઓ ચાલવું વધુ સારું છે. ચાલવાની ઝડપ અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવા વચ્ચે શું સંબંધ છે તેના વિશે જાણો.

બ્રિટિશ જનરલ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક નવા સંશોધનમાં જણાવાયું છે કે, માત્ર ચાલવાનો સમયગાળો એટલે કે એક કે બે કલાકો જ નહીં પરંતુ સ્વસ્થ રહેવા અને ડાયાબિટીસથી બચવા માટે ચાલવાની ઝડપ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નવા સંશોધન મુજબ ઝડપી ચાલવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ લગભગ 40 ટકા જેટલું ઓછું થઈ જાય છે.

નવું સંશોધન કહે છે કે, જે લોકો ઝડપી ગતિએ ચાલે છે તેમને ડાયાબિટીસનું જોખમ સામાન્ય ગતિએ ચાલતાં લોકો કરતાં 24 ટકા ઓછું થઈ જાય છે. તેમજ જો તમે ચાલવાની સ્પીડ વધારશો, તો આ મેટાબોલિક ડિસઓર્ડર એટલે કે ડાયાબિટીસનું જોખમ 39 ટકા સુધી ઘટાડી શકાય છે. એટલે કે સામાન્ય વૉક કરવાને બદલે, જો તમે ઝડપથી ચાલશો તો તે વધુ સારૂ રહે છે.

હૃદયની તંદુરસ્તી : ડાયાબિટીસથી બચવા માટે સામાન્ય વૉકિંગ કરતાં ઝડપી ગતિએ ચાલવું વધુ સારું છે. ઝડપી ચાલવાથી હૃદયના ધબકારા વધે છે અને શરીરમાં ઓક્સિજનનું સ્તર સુધરે છે. જેનાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા અને ચયાપચયને સુધારવામાં અસરકારક સાબિત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે માત્ર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ નથી પરંતુ તે તમારા હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે અને તમે વજન જાળવી રાખવામાં પણ સક્ષમ કરે છે.

ડૉક્ટરની સલાહ : સંશોધનમાં કેટલાક લોકો પર કરવામાં પરીક્ષણો કર્યા હોય છે અને તેના આધારે પરિણામો આપવામાં આવે છે. તેથી તમારે તમારા રૂટિનમાં કસરતને ઉમેરતા પહેલા તમારા ફેમિલિ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
