AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

90% લોકો કરે છે આ ભૂલ! પરફ્યુમ પસંદ કરતા પહેલા જાણો આ 5 સિક્રેટ્સ

સારો પરફ્યુમ માત્ર તેની સુગંધથી નહીં, પરંતુ તેની લેવલ્સ અને લાંબા સમય સુધી રહેવાની ક્ષમતા પરથી ઓળખાય છે. પરફ્યુમ લેતા સમયે થતી ભૂલો અને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ જાણવાથી તમે સામાન્ય સુગંધને લક્ઝરી બનાવી શકો છો અને તમારી માટે યોગ્ય સુગંધ સરળતાથી પસંદ કરી શકો છો.

| Updated on: May 03, 2026 | 6:33 PM
Share
ઘણા લોકો સ્ટોરમાં ગમતું પરફ્યુમ ખરીદે છે, પણ પછી તે અપેક્ષા મુજબ હોતું નથી. સારું પરફ્યુમ તેની શરૂઆતની સુગંધ સિવાય તેના સ્તરો અને બનાવટ પરથી ઓળખાય છે, આથી સામાન્ય અને ખાસ સુગંધ વચ્ચેનો ફરક સમજવો જરૂરી છે. ( Credits: AI Generated )

ઘણા લોકો સ્ટોરમાં ગમતું પરફ્યુમ ખરીદે છે, પણ પછી તે અપેક્ષા મુજબ હોતું નથી. સારું પરફ્યુમ તેની શરૂઆતની સુગંધ સિવાય તેના સ્તરો અને બનાવટ પરથી ઓળખાય છે, આથી સામાન્ય અને ખાસ સુગંધ વચ્ચેનો ફરક સમજવો જરૂરી છે. ( Credits: AI Generated )

1 / 8
ઉચ્ચ ગુણવત્તાવાળું પરફ્યુમ તેની સુગંધ કેવી રીતે સમય સાથે બદલાય છે તેના પરથી ઓળખી શકાય છે. તેમાં ટોપ, હાર્ટ અને બેઝ નોટ્સ હોય છે, શરૂઆતમાં એક સુગંધ આવે છે, થોડા સમય પછી તે બદલાય છે અને પછી વધુ ઊંડી અને નરમ બને છે. જો કોઈ પરફ્યુમ આખો સમય એકસરખી સુગંધ આપે, તો તે સામાન્ય રીતે સસ્તું અને કૃત્રિમ હોઈ શકે છે. ( Credits: AI Generated )

ઉચ્ચ ગુણવત્તાવાળું પરફ્યુમ તેની સુગંધ કેવી રીતે સમય સાથે બદલાય છે તેના પરથી ઓળખી શકાય છે. તેમાં ટોપ, હાર્ટ અને બેઝ નોટ્સ હોય છે, શરૂઆતમાં એક સુગંધ આવે છે, થોડા સમય પછી તે બદલાય છે અને પછી વધુ ઊંડી અને નરમ બને છે. જો કોઈ પરફ્યુમ આખો સમય એકસરખી સુગંધ આપે, તો તે સામાન્ય રીતે સસ્તું અને કૃત્રિમ હોઈ શકે છે. ( Credits: AI Generated )

2 / 8
પરફ્યુમમાં તેની લાંબા સમય સુધી રહેવાની ક્ષમતા ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. બોટલ પર લખેલું EDP (Eau de Parfum) અને EDT (Eau de Toilette) ધ્યાનથી જોવું જોઈએ. સારો EDP સામાન્ય રીતે 6 થી 8 કલાક સુધી ટકી રહે છે, જ્યારે જો સુગંધ એક-બે કલાકમાં જ ગાયબ થઈ જાય, તો તે નીચી ગુણવત્તાનો સંકેત હોઈ શકે છે. ( Credits: AI Generated )

પરફ્યુમમાં તેની લાંબા સમય સુધી રહેવાની ક્ષમતા ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. બોટલ પર લખેલું EDP (Eau de Parfum) અને EDT (Eau de Toilette) ધ્યાનથી જોવું જોઈએ. સારો EDP સામાન્ય રીતે 6 થી 8 કલાક સુધી ટકી રહે છે, જ્યારે જો સુગંધ એક-બે કલાકમાં જ ગાયબ થઈ જાય, તો તે નીચી ગુણવત્તાનો સંકેત હોઈ શકે છે. ( Credits: AI Generated )

3 / 8
સારું પરફ્યુમ સ્પ્રે કરતાં ફૂલ, મસાલા કે લાકડાની કુદરતી સુગંધ આવે છે, સ્પિરિટની તીવ્ર ગંધ નહીં. મોંઘા પરફ્યુમમાં આલ્કોહોલ માત્ર સુગંધ ફેલાવવા માટે હોય છે, તેને દબાવવા માટે નહીં. જો પહેલી જ સુગંધથી માથું દુખે, તો તે પરફ્યુમ નીચી ગુણવત્તાનો હોઈ શકે છે. ( Credits: AI Generated )

સારું પરફ્યુમ સ્પ્રે કરતાં ફૂલ, મસાલા કે લાકડાની કુદરતી સુગંધ આવે છે, સ્પિરિટની તીવ્ર ગંધ નહીં. મોંઘા પરફ્યુમમાં આલ્કોહોલ માત્ર સુગંધ ફેલાવવા માટે હોય છે, તેને દબાવવા માટે નહીં. જો પહેલી જ સુગંધથી માથું દુખે, તો તે પરફ્યુમ નીચી ગુણવત્તાનો હોઈ શકે છે. ( Credits: AI Generated )

4 / 8
સારું પરફ્યુમ ત્વચા પર લગાવતા કોઈ બળતરા કે ચીકણું પદાર્થ નથી છોડતો. તેનું પ્રવાહી સામાન્ય રીતે સાફ અને પારદર્શક હોય છે. જો બોટલની અંદરનું પ્રવાહી વાદળછાયું દેખાય છે, તો તે નીચી ગુણવત્તા અથવા બગડેલું હોઈ શકે છે. ગુણવત્તાવાળું પરફ્યુમ ત્વચા સાથે સારી રીતે ભળી જાય છે અને એક ખાસ સુગંધ આપે છે. ( Credits: AI Generated )

સારું પરફ્યુમ ત્વચા પર લગાવતા કોઈ બળતરા કે ચીકણું પદાર્થ નથી છોડતો. તેનું પ્રવાહી સામાન્ય રીતે સાફ અને પારદર્શક હોય છે. જો બોટલની અંદરનું પ્રવાહી વાદળછાયું દેખાય છે, તો તે નીચી ગુણવત્તા અથવા બગડેલું હોઈ શકે છે. ગુણવત્તાવાળું પરફ્યુમ ત્વચા સાથે સારી રીતે ભળી જાય છે અને એક ખાસ સુગંધ આપે છે. ( Credits: AI Generated )

5 / 8
સારી બ્રાન્ડનું  પરફ્યુમ સામાન્ય રીતે સાફ કાચની બોટલ અને સ્મૂથ સ્પ્રે નોઝલ સાથે આવે છે. સ્પ્રે કરતી વખતે પાણી જેવો છંટકાવ નહીં, પરંતુ બારીક ઝાકળ નીકળવી જોઈએ. સાથે જ, બોટલ અને તેના પેકિંગ પરનો બેચ કોડ એકસરખો હોવો જોઈએ, જે તેની અસલિયત બતાવે છે. ( Credits: AI Generated )

સારી બ્રાન્ડનું પરફ્યુમ સામાન્ય રીતે સાફ કાચની બોટલ અને સ્મૂથ સ્પ્રે નોઝલ સાથે આવે છે. સ્પ્રે કરતી વખતે પાણી જેવો છંટકાવ નહીં, પરંતુ બારીક ઝાકળ નીકળવી જોઈએ. સાથે જ, બોટલ અને તેના પેકિંગ પરનો બેચ કોડ એકસરખો હોવો જોઈએ, જે તેની અસલિયત બતાવે છે. ( Credits: AI Generated )

6 / 8
પરફ્યુમમાં પ્રોજેક્શન અને સિલેજ મહત્વના મુદ્દા છે. પ્રોજેક્શન એટલે તમારી સુગંધ નજીકના લોકો સુધી કેટલી પહોંચે છે, અને સિલેજ એટલે તમે પસાર થયા પછી પાછળ રહેતી હળવી સુગંધ. નબળું અથવા વધારે લગાવેલું પરફ્યુમ તીવ્ર અને અસહ્ય ગંધ ફેલાવે છે, જ્યારે સારો પરફ્યુમ આસપાસ નરમ અને મનોહર સુગંધ બનાવે છે. ( Credits: AI Generated )

પરફ્યુમમાં પ્રોજેક્શન અને સિલેજ મહત્વના મુદ્દા છે. પ્રોજેક્શન એટલે તમારી સુગંધ નજીકના લોકો સુધી કેટલી પહોંચે છે, અને સિલેજ એટલે તમે પસાર થયા પછી પાછળ રહેતી હળવી સુગંધ. નબળું અથવા વધારે લગાવેલું પરફ્યુમ તીવ્ર અને અસહ્ય ગંધ ફેલાવે છે, જ્યારે સારો પરફ્યુમ આસપાસ નરમ અને મનોહર સુગંધ બનાવે છે. ( Credits: AI Generated )

7 / 8
દરેક મોંઘુ પરફ્યુમ તમને ગમે જ એવું નથી, તેથી જે પરફ્યુમ લો તે તમારા સ્વભાવ અને આરામને સુટ થાય એ મહત્વનું છે. સારું પરફ્યુમ એવો હોય છે જે દિવસભર પછી પણ કપડાં પર હળવી અને સુખદ સુગંધ છોડે છે. ( Credits: AI Generated )

દરેક મોંઘુ પરફ્યુમ તમને ગમે જ એવું નથી, તેથી જે પરફ્યુમ લો તે તમારા સ્વભાવ અને આરામને સુટ થાય એ મહત્વનું છે. સારું પરફ્યુમ એવો હોય છે જે દિવસભર પછી પણ કપડાં પર હળવી અને સુખદ સુગંધ છોડે છે. ( Credits: AI Generated )

8 / 8

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">