AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંક ખાતું 10 વર્ષથી બંધ છે? ગભરાશો નહીં, તેને આ રીતે કરો Reactivate

ડોર્મન્ટ બેંક એકાઉન્ટ એટલે કે, જેમાં 10 વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન થયેલું ન હોય. તેને ફરી શરૂ કરવા માટે ગ્રાહકે બેંક શાખામાં જઈને KYC અપડેટ કરાવવું પડે છે અને એક નાનું ટ્રાન્ઝેક્શન કરવું પડે છે.

| Updated on: Nov 15, 2025 | 9:11 PM
Share
જો તમારું બેંક એકાઉન્ટ લાંબા સમયથી વપરાયું નથી, તો તે 'ડોર્મન્ટ' એટલે કે ઈનએક્ટિવ થઈ જાય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિયમો મુજબ, જો કોઈ બેંક એકાઉન્ટમાં 10 વર્ષ સુધી ગ્રાહક તરફથી કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય, તો બેંક તેને 'ડોર્મન્ટ' કેટેગરીમાં મૂકી દે છે. તેમાં સેવિંગ, કરન્ટ એકાઉન્ટ અને એવા ફિક્સ્ડ ડિપોઝિટ્સ પણ આવે છે, જે મેચ્યોર થયા પછી પણ પડ્યા રહે છે. આવું થવાથી એકાઉન્ટમાંથી પૈસા કાઢવા, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા જેવી ઘણી સર્વિસીસ બંધ થઈ જાય છે.

જો તમારું બેંક એકાઉન્ટ લાંબા સમયથી વપરાયું નથી, તો તે 'ડોર્મન્ટ' એટલે કે ઈનએક્ટિવ થઈ જાય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિયમો મુજબ, જો કોઈ બેંક એકાઉન્ટમાં 10 વર્ષ સુધી ગ્રાહક તરફથી કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય, તો બેંક તેને 'ડોર્મન્ટ' કેટેગરીમાં મૂકી દે છે. તેમાં સેવિંગ, કરન્ટ એકાઉન્ટ અને એવા ફિક્સ્ડ ડિપોઝિટ્સ પણ આવે છે, જે મેચ્યોર થયા પછી પણ પડ્યા રહે છે. આવું થવાથી એકાઉન્ટમાંથી પૈસા કાઢવા, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા જેવી ઘણી સર્વિસીસ બંધ થઈ જાય છે.

1 / 6
 ઈનએક્ટિવ ખાતાને ફરીથી એક્ટિવ કરવા માટેનું પ્રથમ પગલું એ છે કે, તમારું KYC અપડેટ કરવું. આ કરવા માટે તમારે બેંકની હોમ બ્રાન્ચની મુલાકાત લેવી પડશે અને તમારું આધાર, PAN, તાજેતરનો ફોટો તેમજ સરનામાનો પુરાવો લાવવો પડશે.

ઈનએક્ટિવ ખાતાને ફરીથી એક્ટિવ કરવા માટેનું પ્રથમ પગલું એ છે કે, તમારું KYC અપડેટ કરવું. આ કરવા માટે તમારે બેંકની હોમ બ્રાન્ચની મુલાકાત લેવી પડશે અને તમારું આધાર, PAN, તાજેતરનો ફોટો તેમજ સરનામાનો પુરાવો લાવવો પડશે.

2 / 6
બેંક તમારી ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કરે છે અને પછી ફરીથી Reactivation Request સબમિટ કરે છે. ક્યારેક બેંક તમને 100 રૂપિયા જમા કરાવવા અથવા ઉપાડવા જેવા નાના વ્યવહાર કરવાનું કહે છે, જેથી ગ્રાહકની પ્રવૃત્તિ રેકોર્ડ કરી શકાય.

બેંક તમારી ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કરે છે અને પછી ફરીથી Reactivation Request સબમિટ કરે છે. ક્યારેક બેંક તમને 100 રૂપિયા જમા કરાવવા અથવા ઉપાડવા જેવા નાના વ્યવહાર કરવાનું કહે છે, જેથી ગ્રાહકની પ્રવૃત્તિ રેકોર્ડ કરી શકાય.

3 / 6
RBI એ સ્પષ્ટપણે કહ્યું છે કે, બેંકો 'ડોર્મન્ટ' ખાતા માટે કોઈ શુલ્ક વસૂલ કરી શકતી નથી. જો કે, એકાઉન્ટ ફરીથી એક્ટિવ થયા પછી SMS ચાર્જ, મિનિમમ બેલેન્સ પેનલ્ટી અથવા ચેકબુક ચાર્જ જેવા સર્વિસ શુલ્ક લાગુ થઈ શકે છે. ઘણા ગ્રાહકોના દસ્તાવેજો જૂના થઈ ગયા હોવાથી, મોબાઈલ નંબર બદલાઈ ગયા હોવાથી અથવા સહી મેળ ખાતી ન હોવાથી આ પ્રક્રિયામાં થોડા દિવસો લાગી શકે છે.

RBI એ સ્પષ્ટપણે કહ્યું છે કે, બેંકો 'ડોર્મન્ટ' ખાતા માટે કોઈ શુલ્ક વસૂલ કરી શકતી નથી. જો કે, એકાઉન્ટ ફરીથી એક્ટિવ થયા પછી SMS ચાર્જ, મિનિમમ બેલેન્સ પેનલ્ટી અથવા ચેકબુક ચાર્જ જેવા સર્વિસ શુલ્ક લાગુ થઈ શકે છે. ઘણા ગ્રાહકોના દસ્તાવેજો જૂના થઈ ગયા હોવાથી, મોબાઈલ નંબર બદલાઈ ગયા હોવાથી અથવા સહી મેળ ખાતી ન હોવાથી આ પ્રક્રિયામાં થોડા દિવસો લાગી શકે છે.

4 / 6
જો બેંકે 10 વર્ષ પછી તમારું બેલેન્સ RBI ના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) માં ટ્રાન્સફર કર્યું હોય, તો પણ તમારા પૈસા સુરક્ષિત રહે છે. એકાઉન્ટ Reactivate થયા બાદ તમે બેંક મારફતે RBI પાસે ક્લેમ કરી શકો છો. આ પ્રક્રિયા સૌથી લાંબી હોય છે, કારણ કે તેમાં તમારા જૂના રેકોર્ડ, સહી અને ઓળખની વિગતવાર તપાસ કરવામાં આવે છે.

જો બેંકે 10 વર્ષ પછી તમારું બેલેન્સ RBI ના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) માં ટ્રાન્સફર કર્યું હોય, તો પણ તમારા પૈસા સુરક્ષિત રહે છે. એકાઉન્ટ Reactivate થયા બાદ તમે બેંક મારફતે RBI પાસે ક્લેમ કરી શકો છો. આ પ્રક્રિયા સૌથી લાંબી હોય છે, કારણ કે તેમાં તમારા જૂના રેકોર્ડ, સહી અને ઓળખની વિગતવાર તપાસ કરવામાં આવે છે.

5 / 6
RBI ના નિયમો અનુસાર, ડોર્મન્ટ ખાતા માટે ફિઝિકલ વેરિફિકેશન જરૂરી છે. આથી, તમારે શાખાની મુલાકાત લઈને પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

RBI ના નિયમો અનુસાર, ડોર્મન્ટ ખાતા માટે ફિઝિકલ વેરિફિકેશન જરૂરી છે. આથી, તમારે શાખાની મુલાકાત લઈને પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

6 / 6

આ પણ વાંચો: પાસ્તા પર 107% ટેરિફ? વૈશ્વિક બજારોમાં ચિંતાનો માહોલ, શું આ દેશ ટ્રમ્પના આક્રમક પગલાનો ભાર સહન કરી શકશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">