AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાલાલ પટેલે કરી હતી એક એવી આગાહી, જેના લીધે થઇ હતી તેમની ધરપકડ

હવામાન વિશેની આગાહીની વાત આવે તો તરત જ ગુજરાતના અંબાલાલ પટેલનું નામ સૌ કોઇના મોઢે આવે છે. ગુજરાતમાં હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલા પટેલની આગાહીને લોકો સચોટ ગણે છે. લોકો તેમની આગાહી પર વિશ્વાસ કરી રહ્યા છે. જો કે એક સમય એવો હતો કે આગાહી કરતા આ જ અંબાલાલ પટેલની એક આગાહીના પગલે જ ધરપકડ કરવામાં આવી હતી.

| Updated on: Aug 26, 2025 | 2:28 PM
Share
હવામાન વિશેની આગાહીની વાત આવે તો તરત જ ગુજરાતના અંબાલાલ પટેલનું નામ સૌ કોઇના મોઢે આવે છે. ગુજરાતમાં હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલા પટેલની આગાહીને લોકો સચોટ ગણે છે. લોકો તેમની આગાહી પર વિશ્વાસ કરી રહ્યા છે. જો કે એક સમય એવો હતો કે આગાહી કરતા આ જ અંબાલાલ પટેલની એક આગાહીના પગલે જ ધરપકડ કરવામાં આવી હતી.

હવામાન વિશેની આગાહીની વાત આવે તો તરત જ ગુજરાતના અંબાલાલ પટેલનું નામ સૌ કોઇના મોઢે આવે છે. ગુજરાતમાં હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલા પટેલની આગાહીને લોકો સચોટ ગણે છે. લોકો તેમની આગાહી પર વિશ્વાસ કરી રહ્યા છે. જો કે એક સમય એવો હતો કે આગાહી કરતા આ જ અંબાલાલ પટેલની એક આગાહીના પગલે જ ધરપકડ કરવામાં આવી હતી.

1 / 7
અંબાલાલ પટેલનું નામ આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. ખાસ કરીને તેમની પાસેથી ચોમાસું કેવું રહેશે એની જાણકારી મેળવવા ખેડૂત સહિતના લોકો તેમનાં અનુમાન પર કાન માંડીને બેઠા હોય છે.

અંબાલાલ પટેલનું નામ આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. ખાસ કરીને તેમની પાસેથી ચોમાસું કેવું રહેશે એની જાણકારી મેળવવા ખેડૂત સહિતના લોકો તેમનાં અનુમાન પર કાન માંડીને બેઠા હોય છે.

2 / 7
અંબાલાલ પટેલે અંગ્રેજી મીડિયમ સાથે એગ્રીકલ્ચરનો BSCનો અભ્યાસ કરેલો છે. 1972માં ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર તરીકે નોકરી મળી હતી. બાદમાં જે બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી.ખેડૂતો સાથે મુલાકાત કરવા દરમિયાન તેમને વિચાર આવ્યો કે ખેડૂતોની મદદ માટે હવામાનની અગાઉથી મદદ મળી જાય તો તમેને મદદ થાય.જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતુ.

અંબાલાલ પટેલે અંગ્રેજી મીડિયમ સાથે એગ્રીકલ્ચરનો BSCનો અભ્યાસ કરેલો છે. 1972માં ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર તરીકે નોકરી મળી હતી. બાદમાં જે બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી.ખેડૂતો સાથે મુલાકાત કરવા દરમિયાન તેમને વિચાર આવ્યો કે ખેડૂતોની મદદ માટે હવામાનની અગાઉથી મદદ મળી જાય તો તમેને મદદ થાય.જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતુ.

3 / 7
અંબાલાલ પટેલે વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અંબાલાલ પટેલ 1980થી સતત ઠંડી, ગરમી અને વરસાદ અને વાવાઝોડાને લઇને પણ આગાહી કરતા આવ્યા છે.

અંબાલાલ પટેલે વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અંબાલાલ પટેલ 1980થી સતત ઠંડી, ગરમી અને વરસાદ અને વાવાઝોડાને લઇને પણ આગાહી કરતા આવ્યા છે.

4 / 7
અંબાલાલ પટેલે ખેડૂતોને કૃષિ પાકમાં મદદ મળી રહે તે હેતુથી આગાહી કરવાનું શરુ કર્યુ હતુ.જો કે એક વખત તેમણે હવામાનની આગાહીની સાથે સાથે ભૂકંપની પણ આગાહી કરી હતી. તેમની આ આગાહીએ સૌ કોઇને ચોંકાવી દીધા હતા.

અંબાલાલ પટેલે ખેડૂતોને કૃષિ પાકમાં મદદ મળી રહે તે હેતુથી આગાહી કરવાનું શરુ કર્યુ હતુ.જો કે એક વખત તેમણે હવામાનની આગાહીની સાથે સાથે ભૂકંપની પણ આગાહી કરી હતી. તેમની આ આગાહીએ સૌ કોઇને ચોંકાવી દીધા હતા.

5 / 7
અંબાલાલ પટેલે કરેલી આગાહીના પગલે તત્કાલિન સરકાર દોડતી થઇ ગઇ હતી. તે સમયે કેશુભાઇ પટેલની સરકાર હતી.અંબાલાલ પટેલે ભૂકંપની આગાહી કરતા સરકારે તેમની ધરપકડના આદેશ આપ્યા હતા. જે પછી અંબાલાલ પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી.

અંબાલાલ પટેલે કરેલી આગાહીના પગલે તત્કાલિન સરકાર દોડતી થઇ ગઇ હતી. તે સમયે કેશુભાઇ પટેલની સરકાર હતી.અંબાલાલ પટેલે ભૂકંપની આગાહી કરતા સરકારે તેમની ધરપકડના આદેશ આપ્યા હતા. જે પછી અંબાલાલ પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી.

6 / 7
જો કે અંબાલાલ પટેલને ઇન્ટરનેશનલ જયોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી સહિત અનેક એવોર્ડ અને સન્માન પત્ર પણ મળેલા છે.જે પછી તો અંબાલાલ પટેલ પાસેથી સરકાર પણ હવામાનને લઈ માર્ગદશન મેળવતું રહ્યું છે.

જો કે અંબાલાલ પટેલને ઇન્ટરનેશનલ જયોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી સહિત અનેક એવોર્ડ અને સન્માન પત્ર પણ મળેલા છે.જે પછી તો અંબાલાલ પટેલ પાસેથી સરકાર પણ હવામાનને લઈ માર્ગદશન મેળવતું રહ્યું છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">