ઘરમાં અગરબત્તી પ્રગટાવતી વખતે આ 4 ભૂલ ન કરતા, નહીં તો થઈ શકે છે અકસ્માત !
ઘણા લોકો ઘરમાં પૂજા કરતી વખતે અગરબત્તી પ્રગટાવે છે. માન્યતા મુજબ, અગરબત્તી પ્રગટાવ્યા બાદ ઘરમાં વાતાવરણ પવિત્ર અને મંગલમય બને છે. જોકે, ઘરમાં ખોટી જગ્યાએ અગરબત્તી પ્રગટાવવાથી અનેક અકસ્માતો થઈ શકે છે.

પડદાની નજીક અગરબત્તી પ્રગટાવવી નહીં. પડદાની નજીક હવા આવતી-જતી હોય તો અકસ્માત થવાની શક્યતા રહે છે. અગરબત્તીના કારણે પડદામાં આગ લાગી શકે છે. (Image Source | Unsplash)

લાકડાની વસ્તુ પર અગરબત્તી પ્રગટાવીને ક્યારેય રાખવી નહીં. અગરબત્તી પડી જવાથી લાકડાની વસ્તુમાં આગ લાગવાની શક્યતા હોય છે. (Image Source | Unsplash)

પ્રાણીની નજીક અગરબત્તી પ્રગટાવવાનું ટાળવું જોઈએ. અગરબત્તીનો ગરમ ભાગ અથવા ચટકો પ્રાણીઓને લાગી શકે છે. (Image Source | Unsplash)

પંખાની નીચે અગરબત્તી રાખવી નહીં. પંખાની હવાના કારણે અગરબત્તીની સળગતી રાખ અથવા ચિનગારી ઘરમાં ઉડી શકે છે. જેના કારણે આગ લાગવાની શક્યતા વધી જાય છે. (Image Source | Unsplash)

અગરબત્તી પૂજા સ્થળમાં સુરક્ષિત અને સ્થિર જગ્યાએ જ પ્રગટાવવી જોઈએ. તેને અગરબત્તી સ્ટેન્ડ, ધાતુની થાળી અથવા સિરામિકના હોલ્ડરમાં રાખવી, જેથી તે પડી ન જાય. અગરબત્તીને પડદા, કાગળ, લાકડું અને અન્ય જ્વલનશીલ વસ્તુઓથી દૂર રાખવી જોઈએ. (Image Source | Unsplash)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Unsplash)
આ પણ વાંચો, Numerology Astrology : આ અંકવાળા લોકોમાં હોય છે દૈવી શક્તિ? ભવિષ્યના સંકેતો પહેલેથી જ સમજી જાય છે!
