અમદાવાદમાં આજથી 12 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ખુલ્લા મુકાયા, જુઓ તસવીરો
સરકાર દ્વારા ઇલેક્ટ્રીક વ્હીકલ માટે પોલિસી તો બનાવી દેવામાં આવી હતી, પરંતુ અમદાવાદમાં ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થયુ ન હતુ.જેના કારણે ઇલેક્ટ્રીક વાહન ખરીદી લેનારા અને ખરીદવા ઇચ્છતા લોકોમાં મુંઝવણ રહેતી હતી.જો કે હવે અમદાવાદમાં આજથી 12 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ખુલ્લા મૂકાશે.

સરકાર દ્વારા ઇલેક્ટ્રીક વ્હીકલ માટે પોલિસી તો બનાવી દેવામાં આવી હતી, પરંતુ અમદાવાદમાં ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થયુ ન હતુ.જેના કારણે ઇલેક્ટ્રીક વાહન ખરીદી લેનારા અને ખરીદવા ઇચ્છતા લોકોમાં મુંઝવણ રહેતી હતી.જો કે હવે અમદાવાદમાં આજથી 12 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ખુલ્લા મૂકાશે.

લોકોમાં મુંઝવણ રહેતી હતી કે પોતાના EV વાહનોને ચાર્જ કયા કરવા, કેમકે ઘરે જે ચાર્જિંગ પોઇન્ટ હોય છે તે એટલા ફાસ્ટ હોતા નથી અથવા તમામ લોકો પાસે ચાર્જિંગની વ્યવસ્થા હોતી નથી.જેના કારણે લોકો EV વાહન ખરીદતા પહેલા વીચારતા હતા.

હવે અમદાવાદના અને અમદાવાદ બહારથી ઇલેકટ્રીક વાહન લઇને શહેરમાં આવતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.અમદાવાદમાં એકસાથે 12 અલ્ટ્રાફાસ્ટ સ્ટેશનને કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા શરુ કરાવવામાં આવ્યા છે.

હવે અમદાવાદ બહારથી આવનારા લોકોને EV વાહન ક્યા ચાર્જ કરવા તેની સમસ્યા રહેશે નહીં.2-3 અને 4 વ્હીલર વાહનો ચાર્જ કરવા સરળ બનશે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર EV વાહનોને સતત પ્રોત્સાહન આપે છે.એના જ કારણે EV વાહનોના વેચાણમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે અમદાવાદમાં આજથી EV વાહનોના ચાર્જિંગની સમસ્યા દૂર થઇ છે.

અમદાવાદમાં પ્રહલાદનગર, ઇન્કમટેક્સ બ્રિજ, સિંધુભવન સહિત 12 સ્થળે ચાર્જિંગ સ્ટેશન શરુ કરવામાં આવ્યા છે.