AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટુ મેગા ડીમોલેશન રાજકોટના જંગલેશ્વરમાં શરુ, જુઓ વીડિયો

રાજકોટમાં આજે વહેલી સવારથી ડિમોલેશન શરૂ કરાયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંદાજે 1498 જેટલા મકાનોનું ડિમોલેશન કરાશે,પીજીવીસીએલ,RMC અને પોલીસની ટીમ તૈનાત છે.મનપાના ઇતિહાસનું આ સૌથી મોટુ જંગલેશ્વરમાં મેગા ડીમોલેશન છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 23, 2026 | 11:59 AM
Share

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી શરુ કરવામાં આવી છે. 1498 જેટલા મકાનોનું ડિમોલેશન કરાશે,જંગલેશ્વર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.કુલ 7 ઝોનમાં કામગીરી હાથ ધરાવામાં આવી છે. પોલીસ દ્વારા શંક્સ્પદ અને તોફાની તત્વોને અગાઉથી જ ડિટેઇન કરવામાં આવ્યા છે. અનેક આસામીઓએ અગાઉથી જ પોતાના મકાનો ખાલી કર્યાં છે.

પીજીવીસીએલ, RMC અને પોલીસની ટીમ તૈનાત

રાજકોટ-જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન થતાં પહેલા આ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ કર્યું હતુ.જોઇન્ટ પોલીસ કમિશનર,બે ડીસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોવા મળ્યો હતો.ડિમોલેશનની કામગીરી બે દિવસ ચાલે તેવી શક્યતા છે.લોકોનો સહકાર મળી રહ્યો છે અને ટીપીના રોડ પર દબાણ દૂર થયાં બાદ જલ્દી આ રોડ તૈયાર કરવામાં આવશે.પીજીવીસીએલ,RMC અને પોલીસની ટીમ તૈનાત છે.

ડિમોલેશન અંગે સોશિયલ મિડીયામાં અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે, સોશિયલ મિડીયામાં આપત્તિજનક ટિપ્પણી અને ખોટી અફવા ન ફેલાવવા પોલીસે અપીલ કરી હતી.રાજકોટ પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સતત મોનિટરીંગ હાથ ધરાશે.રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

મનપાનું માઇક્રો પ્લાનિંગ

દરેક ઝોનમાં વર્ગ-1 અધિકારી, ટેક્નિકલ સ્ટાફ,સુપરવાઇઝર અને ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.64 થી વધુ જીસીબી,90 ટ્રેક્ટર,7 હિટાચી,50 બ્રેકર 42 ગેસ કટર, અને 14 ડમ્પર સહિત 260 થી વધુ મશીનો સાથે મનપાનું માઇક્રો પ્લાનિંગ છે.મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ તૈયાર કરી દરેક ઝોન માંથી કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.25 ડ્રોન કેમેરા અને ત્રીસ વોકીટોકી સેટ દ્વારા સ્થળ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.1130થી વધુ સ્ટાફ તથા 1500 જેટલા પોલીસ જવાનો તૈનાત છે.

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ
સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
g clip-path="url(#clip0_868_265)">