AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 1504 બાંધકામોના ડિમોલેશનની કામગીરી પૂર્ણ, જુઓ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી મહદ અંશે પૂર્ણ થયું છે.ગેરકાયદેસર બાંધકામો દૂર થતાં નદીનો વિસ્તાર વધ્યો છે.વાહનોની અવરજવર થઈ શકે તે માટે અત્યારે રોડ ખુલ્લા કરવામાં આવ્યા છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 25, 2026 | 1:40 PM
Share

જંગલેશ્વર ડિમોલેશનને લઇને મહત્વના સમાચાર જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી મહદ અંશે પૂર્ણ થયું છે.જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.અનેક હિસ્ટ્રીશિટરોના બંગલાઓ તોડી પાડવામાં આવ્યાં છે.પીજીવીસીએલને દર વર્ષે અંદાજે 50 લાખ રૂપિયાની વીજચોરીનું નુકસાન થતું હતું.

પ્રોટેકેશન વોલ કરવી ખુબ જરૂરી

1509 બાંધકામો પૈકી 1504 બાંધકામો સંપૂર્ણ તોડવામાં આવ્યાં છે.આજે 5 બાંધકામો તોડવામાં આવશે.પ્રથમ ટીપી રોડ પરના બાંધકામનો કાટમાળ દૂર કરવામાં આવશે.નદીના પટના 948 જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.ગેરકાયદેસર બાંધકામો દૂર થતાં નદીનો વિસ્તાર વધ્યો છે.આકાશી દ્રશ્યોમાં નદી પહોળી જોઇ શકાય છે.ચોમાસા પહેલા કાટમાળ દૂર કરીને પ્રોટેકેશન વોલ કરવી ખુબ જરૂરી બની છે.

કાટમાળ ખસેડ્યા બાદ રોડના ખાતમુહૂર્તનો નિર્ણય લેવાશે. વાહનોની અવરજવર થઈ શકે તે માટે અત્યારે રોડ ખુલ્લા કરવામાં આવ્યા છે.આ કાટમાળને દુર કરવામાં અંદાજે એક મહિનાથી વધુનો સમય પણ લાગી શકે છે.ચોમાસા પહેલા બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. દિવસમાં 120 જેટલા ટ્રેકટરોની મદદથી કાટમાળ દૂર કરવામાં આવશે.

શા માટે ડિમોલેશનની જરૂર ?

જંગલેશ્વર વિસ્તાર આજી નદીકાંઠાનો વિસ્તાર છે.નદીકાંઠાના વિસ્તારમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ઉભા હતા.નદીનો પટ પુરવા લાગ્યા હતા,જેના કારણે ચોમાસાના સમયમાં આ વિસ્તાર પાણીમાં ગરકાવ થતો હતો.આજી ડેમ ઓવરફ્લો થતાં આ વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા હતા.આ ઉપરાંત નદી કાંઠામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ થતી હતી.કેટલાક લેભાગુ તત્વોએ આ વિસ્તારમાં ઓરડીઓ બનાવી હતી જેથી ચોમાસામાં હાલાકી હતી. આજી નદી બુરાવાને કારણે ચોમાસામાં હાલાકી પડે છે.

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">