કાનુની સવાલ : શારીરિક સંબંધો પછી ‘કુંડળી’ મેળ ખાતી ન હોવાથી લગ્ન કરવાનો ઇનકાર કરવાથી BNS આરોપ લાગી શકે છે : દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, લગ્નનો વિશ્વાસ આપી શારીરિક સંબંધો બાંધ્યા પછી કુંડલી મેળ ખાતી ન હોવાના કારણે લગ્નની ના પાડવી એક ગુનામાં દાયરામાં આવે છે. આ મામલે આરોપ છેતરપિંડી દ્વારા શારીરિક સંબંધો બાંધવાનો છે.

ન્યાયાધીશ સ્વરણ કાંતા શર્માની બેન્ચે એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાના અને બાદમાં તેમની કુંડળી મેળ ખાતી ન હોવાના આધારે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરવાના આરોપીને જામીન આપવાનો ઇનકાર કરતી વખતે આ અવલોકન કર્યું હતું.

બેન્ચે નોંધ્યું હતું કે, આરોપીઓએ પીડિતાને વારંવાર ખાતરી આપી હતી કે તેમના લગ્નમાં કોઈ અવરોધો નથી, જેમાં કુંડળી મેળવી પણ સામેલ હતી. આરોપીએ પાછળથી પીડિતા સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.

પીઠે કહ્યું કે,પોતાની ભૂલ સ્વીકારવાના બદલે આરોપીએ આ આધાર પર જામીન માંગ્યા છે કે, સંબંધ બંન્નેની પરવાનગીથી બન્યો હતો. પીઠે કહ્યું કે, આરોપી અને પીડિતા આઠ વર્ષથી એકબીજાને ઓળખતા હતા, પરંતુ આરોપીએ પીડિતાને છેતરીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ એક ગંભીર ગુનો છે.

આરોપીના વકીલનું કહેવું હતુ કે, આ મામલો બળાત્કારની શ્રેણીમાં આવતો નથી, આરોપીને નિયમિત જામીન મળવા જોઈએ, આના પર પીઠે કહ્યું કે, પીડિતાએ પહેલી ફરિયાદ નવેમ્બર 2025માં નોંધાવી હતી. પરંતુ આરોપી અને તેના પરિવાર દ્વારા લગ્નનો વિશ્વાસ આપવાથી ફરિયાદ પરત લીધી હતી. ત્યારબાદ કુંડલી ન મળવા પર લગ્ન કરવાની ના પાડી હતી.

બેન્ચે જામીન અરજી ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે આરોપોની પ્રકૃતિ અને તપાસ દરમિયાન એકત્રિત થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને તે રાહત આપવા માટે તૈયાર નથી.

તેણે એ પણ નોંધ્યું હતું કે આ કેસમાં હજુ સુધી ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી, જેના કારણે આરોપીને જામીન આપવાનું અયોગ્ય બને છે. આ વર્ષની શરૂઆતમાં કેશવપુરમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
