AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ ભારતીય ઓપનરે હાર્દિક પંડ્યાને ન ખરીદવા CSK ને આપી સલાહ, જાણો શું કારણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનરે ચેન્નાઈ સુપર કિંગ્સને સલાહ આપતા કહ્યું છે કે તેમણે હાર્દિક પંડ્યાને ખરીદવા પર વિચાર ન કરવો જોઈએ અને જો તેઓ તેને ટીમમાં સામેલ પણ કરે તો કેપ્ટન ન બનાવવો જોઈએ.

પૂર્વ ભારતીય ઓપનરે હાર્દિક પંડ્યાને ન ખરીદવા CSK ને આપી સલાહ, જાણો શું કારણ જણાવ્યું
Image Credit source: Getty Images - cricinfo
| Updated on: Aug 02, 2026 | 9:15 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2027 પહેલા ભારતના પૂર્વ બેટ્સમેન સદાગોપન રમેશે હાર્દિક પંડ્યાના ટ્રેડ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સાથે કેપ્ટન અને ઓલરાઉન્ડર તરીકે ખરાબ સીઝન વિતાવ્યા બાદ અહેવાલો છે કે હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઇઝી છોડવાનો છે અને ઘણી બીજી ટીમોએ તેને પોતાની ટીમમાં સામેલ કરવામાં રસ દાખવ્યો છે.

સદાગોપન રમેશનું માનવું છે કે ભલે હાર્દિક પંડ્યાના ટ્રેડ ડીલ દ્વારા ચેન્નાઈ સુપર કિંગ્સમાં સામેલ થવાની ચર્ચા થઈ રહી હોય, પરંતુ ફ્રેન્ચાઇઝીએ આ ડીલ કરવી જોઈએ નહીં. સીએસકેને મિડલ ઓર્ડરમાં એક ભરોસાપાત્ર ઓલરાઉન્ડરની સખત જરૂર છે અને હાર્દિક પંડ્યાએ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ભરોસો અપાવ્યો છે.

હાર્દિક જો ટીમમાં આવે તો કેપ્ટન ન બનાવો

પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા રમેશે કહ્યું કે સીએસકે પાસે શિવમ દુબે, આયુષ મ્હાત્રે અને દેવાલ્ડ બ્રેવિસ જેવા ખેલાડીઓ છે, જેમના નામ હાર્દિક જેવા ખેલાડીને ટીમમાં સામેલ કરવા માટે ટ્રેડ ડીલમાં ચર્ચામાં છે. તેમણે મેનેજમેન્ટને એવું પણ કહ્યું કે તેઓ હાર્દિક જેવા ખેલાડી માટે કોઈ યુવા ખેલાડીને ટ્રેડ ન કરે અને જો હાર્દિક ટીમમાં આવે છે, તો તેમને કેપ્ટન પણ ન બનાવે.

રમેશે આ અંગે કહ્યું કે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે અને દુબે, મ્હાત્રે તેમજ બ્રેવિસ જેવા ખેલાડીઓના નામ સામે આવી રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું સીએસકેને હાર્દિક પંડ્યાની જરૂર છે. આનો જવાબ હા અને ના બંને છે. સૌથી પહેલી વાત તો એ છે કે સીએસકેએ કોઈપણ સંજોગોમાં યુવા ખેલાડીઓને છોડવા ન જોઈએ. તેમ છતાં સીએસકેને એવા ખેલાડીઓની સખત જરૂર છે જેમણે પોતાની જાતને સાબિત કરી હોય. તેથી એક ખેલાડી તરીકે આ ટીમને હાર્દિક પંડ્યાની જરૂર છે, પરંતુ કેપ્ટન તરીકે તેમની બિલકુલ જરૂર નથી.

સદાગોપન રમેશે એવું પણ કહ્યું કે ગત સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સના ખરાબ પ્રદર્શનનું મુખ્ય કારણ હાર્દિક પંડ્યાનું ખરાબ ફોર્મ હતું, કારણ કે તેઓ આખી સીઝનમાં બેટ અને બોલથી સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. મુંબઈ પોઇન્ટ્સ ટેબલમાં 9મા સ્થાને રહ્યું અને પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શક્યું નહીં. મેં હંમેશાં હાર્દિક પંડ્યાને બે રૂપમાં જોયા છે – એક ઉત્તમ ક્રિકેટર અને એક ખરાબ કેપ્ટન. હા, તેમણે ગુજરાતને ટાઇટલ જીતાડ્યું હતું, પરંતુ ગુજરાત છોડ્યા પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમના કેપ્ટન ન રહેવા પર પણ ગુજરાતને કોઈ નુકસાન થયું નથી.

રમેશે આગળ કહ્યું કે હાર્દિક પછી પણ ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી, પરંતુ જુઓ એ જ દરમિયાન જે ટીમની કપ્તાની હાર્દિકે કરી હતી એટલે કે મુંબઈ ઇન્ડિયન્સનું શું હાલ રહ્યું. તેથી એ સ્પષ્ટ છે કે તેમની કપ્તાની સિવાય પણ ગુજરાતમાં કેટલીક બાબતો યોગ્ય રહી છે. સદાગોપન રમેશનું પણ માનવું છે કે હાર્દિક એક સારા કેપ્ટન નથી પરંતુ એક ઉત્તમ ક્રિકેટર છે. તેમનું માનવું છે કે ગુજરાતમાં આશિષ નેહરા સાથે કામ કરવાના કારણે જ પંડ્યા સફળ રહ્યા હતા.

દુલીપ ટ્રોફી 2026-27ની જાહેરાત

રજત પાટીદાર કેપ્ટન, રિંકુ સિંહ વાઇસ કેપ્ટન; દુલીપ ટ્રોફી 2026-27 માટે સેન્ટ્રલ ઝોન ટીમની જાહેરાત: દુલીપ ટ્રોફી 2026-27 માટે સેન્ટ્રલ ઝોન ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન આ ટીમની કપ્તાની રજત પાટીદારના હાથમાં જ રહેશે જ્યારે ટીમના વાઇસ કેપ્ટન રિંકુ સિંહને બનાવવામાં આવ્યા છે.

દેખાતી તો નથી, તો પછી ટ્રેનમાં ક્યાં હોય છે પાણીની ટાંકી? એક વારમાં ભરાય છે આટલું પાણી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">