Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : KKRની હાર બાદ શાહરૂખ ખાનનું દિલ તૂટી ગયું, ડ્રેસિંગ રૂમમાં આપ્યો ખાસ મેસેજ

લખનૌ સુપર જાયન્ટ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો પરાજય થયો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ આ વખતે તેના જૂના ફોર્મમાં જોવા મળ્યું નથી. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના ખરાબ પ્રદર્શનને જોઈને શાહરૂખ ખાને પોતાની ટીમને એક ખાસ સંદેશ મોકલ્યો હતો.

IPL 2025 : KKRની હાર બાદ શાહરૂખ ખાનનું દિલ તૂટી ગયું, ડ્રેસિંગ રૂમમાં આપ્યો ખાસ મેસેજ
Shah Rukh KhanImage Credit source: PTI
Follow Us:
| Updated on: Apr 09, 2025 | 9:21 PM

આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન સારું રહ્યું નથી. ગયા વખતની આ ચેમ્પિયન ટીમ ઘરઆંગણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે પણ હારી ગઈ હતી. KKRને 239 રનનો લક્ષ્યાંક મળ્યો અને તેમનો ફક્ત 4 રનથી પરાજય થયો. લખનૌ સામેની આ હાર બાદ ટીમનો માલિક શાહરૂખ ખાન ખૂબ જ દુઃખી હતો, પરંતુ તેણે પોતાની ટીમનું મનોબળ વધારવા માટે એક ખાસ સંદેશ મોકલ્યો. લખનૌ સામે મેચ હાર્યા બાદ, કોલકાતાના ડ્રેસિંગ રૂમમાં શાહરૂખ ખાનનો મેસેજ વાંચવામાં આવ્યો.

શાહરૂખ ખાને મેસેજમાં શું કહ્યું?

KKRના ટીમ મેનેજર વેંકટેશ મૈસૂરે SRKનો મેસેજ વાંચ્યો જેમાં તેણે ખેલાડીઓને હિંમત ન હારવા અને આ હારમાંથી શીખવા કહ્યું. શાહરુખે મેસેજમાં લખ્યું, ‘આ એક દુઃખદ હાર છે કારણ કે આપણે જીતની ખૂબ નજીક હતા, પરંતુ આ મેચમાંથી આપણને ઘણી સકારાત્મક બાબતો મળી છે, આપણે લડી શકીએ છીએ અને મોટો સ્કોર બનાવી શકીએ છીએ, ક્યારેક આપણું શ્રેષ્ઠ પ્રદર્શન પણ પૂરતું નથી હોતું. આજનો દિવસ આવો જ એક દિવસ હતો.’

આજનું રાશિફળ તારીખ : 25-04-2025
Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ

હારને પાછળ છોડી આગળ વધવા જણાવ્યું

શાહરુખે ખેલાડીઓને યાદ અપાવ્યું કે, ‘આપણે ફક્ત એક બોલ, એક હિટ દૂર હતા’ અને શાહરુખે તેમને આ હારને પાછળ છોડીને આગળ વધવા કહ્યું. શાહરુખે મેસેજનો અંત આ રીતે કર્યો, ‘સમજદારીપૂર્વક જોતાં, મને લાગે છે કે આવી હાર ટીમને નજીક લાવે છે.’

મેચ KKRના હાથમાંથી મેચ નીકળી ગઈ

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ લખનૌ સામેની મેચ જીતી શકી હોત. એક સમયે રહાણે અને વેંકટેશ અય્યરે ટીમને જીતની આશા બાંધી હતી પરંતુ, પછી ટીમે ખૂબ જ ઝડપથી પાંચ વિકેટ ગુમાવી દીધી અને અંતે KKR હારી ગયું. KKR હવે તેની આગામી મેચ 11 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાની છે. આ મેચ ચેપોકમાં રમાશે.

આ પણ વાંચો: VIDEO : નવજોત સિંહ સિદ્ધુએ એમએસ ધોનીને કાચિંડો કહ્યો ? અંબાતી રાયડુ પર કર્યો વળતો પ્રહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
g clip-path="url(#clip0_868_265)">