Republic Day 2026 Live Updates : ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં મધ્યરાત્રીના 3 વાગે યોજાશે અભ્યુદય સંમેલન
Indias Republic Day Celebrations: આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભારત તેની વિકાસ યાત્રા, સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી શક્તિનું પ્રદર્શન કરશે. ઓપરેશન સિંદૂર દરમિયાન તૈનાત કરાયેલા નવા રચાયેલા લશ્કરી એકમોના મોડેલો, તેમજ મુખ્ય શસ્ત્ર પ્રણાલીઓ પ્રદર્શિત કરવામાં આવશે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન રાષ્ટ્રીય રાજધાનીમાં આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે હાજર રહેશે.

આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભારત તેની વિકાસ યાત્રા, સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી શક્તિનું પ્રદર્શન કરશે. ઓપરેશન સિંદૂર દરમિયાન તૈનાત કરાયેલા નવા રચાયેલા લશ્કરી એકમોના મોડેલો, તેમજ મુખ્ય શસ્ત્ર પ્રણાલીઓ પ્રદર્શિત કરવામાં આવશે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન રાષ્ટ્રીય રાજધાનીમાં આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે હાજર રહેશે. ઉજવણીની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે થશે, જ્યાં તેઓ સમગ્ર રાષ્ટ્ર વતી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પુષ્પાંજલિ અર્પણ કરશે.
LIVE NEWS & UPDATES
-
ઉદગમ સ્કૂલમાં કી સ્ટોન બેંચના ટ્યુશન ચાલતા હોવાનું સ્ટિંગ ઓપરેશન છતા DEO દ્વારા પગલાં ના લેવાતા હાઈકોર્ટમાં કરાઈ રિટ પિટીશન
અમદાવાદના થલતેજની ઉદગમ સ્કૂલમાં, કી સ્ટોન ટ્યુશનનો વિવાદ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ. ઉદગમ સ્કૂલમાં ચાલતા કી સ્ટોન બેંચ સામે કાર્યવાહી ના કરાતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. અગાઉ ઉદગમ સ્કૂલમાં કી સ્ટોન બેંચના ટ્યુશન ચાલતા હોવાનું સ્ટિંગ ઓપરેશન આવ્યું હતું સામે. સ્ટિંગ ઓપરેશન બાદ પણ DEO ગ્રામ્ય દ્વારા કોઈ કાર્યવાહી ના કરાઈ હોવાની અરજીમાં રજૂઆત કરાઈ છે. PILમાં રાજ્ય સરકાર, ઉદગમ સ્કૂલ, CBSE અને અમદાવાદ ગ્રામ્ય DEO ને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
-
ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં મધ્યરાત્રીના 3 વાગે યોજાશે અભ્યુદય સંમેલન
ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં આજે શક્તિ પ્રદર્શન યોજાશે. અડધી રાત્રે મળશે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું સંમેલન. ઠાકોર સમાજના સંમેલનને અભ્યુદય નામ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના રામકથા મેદાનમાં સંમેલનને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે મોડી રાત્રે 3 વાગ્યા બાદ મળશે ઠાકોર સમાજનું સંમેલન. સામાજીક અને શૈક્ષણિક સુધારણા માટે મળી રહ્યું છે સંમેલન. સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો રહેશે ઉપસ્થિત. રાત્રે 3 વાગે કેમ સમેલન યોજાઈ રહ્યું છે તે અંગે થઈ રહી છે તરેહ તરહની વાતો.
-
-
સુરતમાં કેબલ બ્રિજ પરથી યુવકે તાપીમાં લગાવી મોતની છલાંગ
કેબલ બ્રિજ પરથી યુવકે તાપીમાં લગાવી મોતની છલાંગ. તાપી નદીમાં પડતું મૂકી કર્યો આપઘાત. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઈ. ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં મૃતકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્પેશિયલ બોટ દ્વારા યુવકની શોધખોળ કરાઈ રહી છે. યુવકની મોતની છલાંગના પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું છે. યુવકનું નામ સ્મિત પટેલ હોવાનું સામે આવ્યું છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં ફાયરને મુશ્કેલી આવી રહી છે. પોલીસે પણ સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી છે.
-
ગુજરાતમાં એક બાજુ અધિકારી રાજ અને બીજી બાજુ કમિશન રાજઃ અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા વાકપ્રહાર કર્યાં છે. ગુજરાતમાં ચારેય તરફ ભ્રષ્ટાચાર અને કમિશન રાજ ચાલી રહ્યું છે. કમલમમાં કમિશન ના પહોંચે ત્યાં સુધી કામના વર્ક ઓર્ડર અપાતા નથી. ભાજપના જ ધારાસભ્યો પત્ર લખીને સરકાર સામે બળાપો કાઢી રહ્યા છે. વડોદરામાં 5 ધારાસભ્યો અને બાબુ પટેલે પત્ર લખીને વ્યથા ઠાલવી છે. ભ્રષ્ટાચારને કારણે જ ગુજરાતમાં પાણીની ટાંકીઓ, બ્રિજ અને રસ્તાઓ તૂટી રહ્યા છે. મનરેગાથી લઈ નલ સે જલ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા છે. “એક બાજુ અધિકારી રાજ અને બીજી બાજુ કમિશન રાજ ચાલી રહ્યું છે”
-
બારામુલ્લા-ઉરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલન, વાહનવ્યવહાર ખોરવાયો
જમ્મુ અને કાશ્મીરમાં બારામુલ્લા-ઉરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલનથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જેના કારણે રહેવાસીઓને ભારે અસુવિધા થઈ રહી છે. જોકે, રસ્તા સાફ કરવાની કામગીરી ચાલુ છે.
-
-
સુરતમાં પત્નીએ પતિનુ કાસળ કાઢી નાખ્યું, દૂઘમાં વખ ઘોળી આપ્યુ પણ મોત ન થતા છાતી પર ચડી ગળુ દબાવી દીધુ
સુરતમાં પત્નીએ પતિનુ કાસળ કાઢી નાખ્યું, દૂઘમાં વખ ઘોળી આપ્યુ પણ મોત ન થતા છાતી પર ચડી ગળુ દબાવી દીધુ. પ્રથમ દૂધમાં ઝેર ભેળવી હત્યાનો પ્રયાસ કર્યો. છતાં મોત નહીં થતા છાતી પર ચઢી ગળું દબાવી હત્યા કરી નાખી. મૃતકના ભાઈ ને શંકા જતા પોલીસને જાણ કરી. પોલીસ તપાસમાં થયો ખુલાસો, મૃતકનું નામ હૈદર અલી બાકર અલી છે જેની ઉમર 39 વર્ષ છે. લિંબાયતના નવાનગર સ્થિત ગલી નંબર 3 ના પ્લોટ નંબર 170 નો રહેવાસી છે હૈદર. મુંબઈ ખાતે ટાઇલ્સ લગાડવાનું કામકાજ કરતો હતો. મહિનામાં એક વાર સુરત લીંબાયત ખાતે ઘરે આવતો હતો. પત્ની ઇશરત જહાંને શારિરીક અને માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરતી હતી. સુરત આવ્યા બાદ પત્નીએ કાસળ કાઢવા પ્લાન બનાવ્યો હતો. જ્યાં પહેલી જાન્યુઆરીએ હળદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા નાખી હત્યાનો પ્રયાસ કર્યો. છતાં મોત નહીં થતાં 4 તારીખે છાતીએ બેસી ગળું દબાવી હત્યા કરી. જે બાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઉધરસ અને વોમિટ થતી હોવાનું નાટક કર્યું. ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો,હોસ્પિટલથી વરધી મળતા પોલીસે પીએમ કરાવ્યું હતું. જે બાદ લાશનો કબજો પત્ની અને પરિવારને સોંપ્યો હતો. દફનવિધિને લઈ પત્ની અને મૃતકના ભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી. મૃતકના ભાઈ ને શંકા જતા પોલીસને જાણ કરી હતી. જે બાદ ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં પત્ની પડી ભાંગી હતી.
-
ગાંધીધામમાં ઓટલા પર બેસવા બાબતે વૃદ્ધને ડિઝલ છાંટી જીવતો સળગાવી દીધો, 2 મહિલા સહિત 3 આરોપી ઝડપાયા
ગાંધીધામના રોટરીનગરમાં આધેડને સળગાવ્યાની ઘટનામાં ગણતરી કલાકોમાં 2 મહિલા સહિત 3 આરોપીઓની પોલીસે અટકાયત કરી. પૂર્વ કચ્છ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અટકાયત કરી છે. પોલીસે પ્રેમિલાબેન માતંગ, અંજુબેન માતંગ અને ચીમનારામ મારવાડીની અટકાયત કરી છે. અન્ય ફરાર મહિલા આરોપી મંજુ મહેશ્વરીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. આરોપીઓએ એકસંપ થઇને હતભાગી કરશનભાઈ મહેશ્વરીને ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે ઝઘડો કરીને ડીઝલ ઝાંટી જીવતો સળગાવી દીધો હતો.
-
સુરતના અલથાણમાં ઘરમાં કામ કરતા નોકરે જ વેપારીને લગાવ્યો ચૂનો
સુરતના અલથાણમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે..ઘટનાની વાત કરીએ તો વેસુ વિસ્તારમાં રહેતા વેપારીને ત્યાં કામ કરનારા નોકરે જ પોતાના માલિક સહિત આખા પરિવારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. આરોપી જ્યાં કામ કરતો હતો ત્યાં થોડા સમય પહેલા DRIએ દરોડા પાડ્યા હતા આ ઘટના બાદ નોકરે વેપારીને પત્નીનો વિશ્વાસ જીતીને સલાહ આપી હતી કે ઘરમાં દાગીના, રૂપિયા અને પ્રોપર્ટીના દસ્તાવેજ રાખશો તો અધિકારીઓ હેરાન કરશે અને તમારા દાગીના સુરક્ષિત નહીં રહે. નોકરે આવી વાતો કરીને પહેલા વેપારીના પત્નીને ડરાવ્યા અને પછી પોતાના નામે લોકર ખોલાવી તેમા દાગીના, નાણાં મુકવાની સલાહ આપી જેથી કોઈને શંકા ન જાય. નોકરની સલાહ મુજબ વેપારીના પત્નીએ સેફ ડિપોઝિટ વોલ્ટમાં નોકરના નામે લોકર ખોલાવી તેમાં દાગીના મુકી દીધા.
-
કચ્છ: નજીવી બાબતમાં આધેડને જીવતા સળગાવી હત્યા
કચ્છ: નજીવી બાબતમાં આધેડને જીવતા સળગાવી હત્યા કરવાની ઘટના સામે આવી છે. ગાંધીધામના રોટરીનગરમાં માનવતાને શરમાવે તેવી ઘટના બની છે. ઓટલા પર બેસવા જેવી સામાન્ય બાબતે આધેડની ક્રૂર હત્યા થઇ. પાડોશી મહિલાઓએ ડીઝલ છાંટી આધેડને જીવતા સળગાવ્યા. ગંભીર રીતે દાઝેલા પીડિતની મદદે અન્ય પાડોશીઓ આવ્યા હતા. ભુજની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભોગ બનનારનું મોત થયુ છે. ગાંધીધામ પોલીસે હત્યાનો ગુનો નોંધી બે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપ્યા.
-
રાજકોટ: રૈયાધારમાં 8 વર્ષની બાળકી સાથે અડપલાં
રાજકોટ: રૈયાધારમાં 8 વર્ષની બાળકી સાથે અડપલાં થયાની ઘટના સામે આવી છે. બદ ઈરાદે આરોપીએ બાળકીનું અપહરણ કર્યું હતુ. પોલીસે સમય સૂચકતા વાપરી તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો. આરોપી અને બાળકીના માતા-પિતા એકસાથે મજૂરી કામ કરતા હતા. 45 વર્ષીય આરોપીની બાળકી પર દાનત બગડી હતી. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
-
રાજકોટઃ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક
રાજકોટઃ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. એસ્ટ્રોન ચોકમાં લારી ગલ્લા પર આગ લગાવી. 20 થી વધારે ફ્રુટની લારીઓમાં આગ લગાડી દીધી. અસામાજિક તત્વોએ આગ લગાડી હોવાનો આક્ષેપ છે.
-
છોટાઉદેપુરઃ ક્વાંટમાં લોકોએ બાઇકચોરનો વરઘોડો કાઢ્યો
છોટાઉદેપુરઃ ક્વાંટમાં લોકોએ બાઇકચોરનો વરઘોડો કાઢ્યો. સ્થાનિકોએ ચોરને પકડીને જાહેરમાં વરઘોડો કાઢ્યો. યુવકના માથામાં મુંડન કરીને વરઘોડો કાઢ્યો. શાકભાજી ખરીદવા ગયેલા યુવકનું બાઇક ચોરી થયું હતું. બાઈક માલિકે ચોરનો પીછો કરી બૈડીયા વિસ્તારમાંથી પકડી પાડ્યો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચોરી અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નહીં.
-
સોમનાથ મંદિરમાં દેશભક્તિના રંગ !
દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે વિવિધ મંદિરો પણ દેશભક્તિના રંગે રંગાયા છે. પ્રથમ જ્યોતિર્લિંગ ધામ સોમનાથ ધામમાં પુષ્પ-પર્ણનો ઉપયોગ કરી મંદિરને ત્રિરંગથી સજાવાયું. ખાસ વાત એ છે કે મંદિરમાં વિદ્યામાન સોમેશ્વર દેવને પણ આજે “તિરંગા રંગી” શણગાર કરાયો. 77મા પ્રજાસત્તાક પર્વની અહીં ભવ્ય ઉજવણી થઈ. અને મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં ધ્વજવંદન કરવામાં આવ્યું. તો સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગ રૂપે તિરંગા બલુન પણ આકાશમાં મુક્ત કરાયા હતા.
-
ગાંધીનગર: ચિલોડા ગામે મહિલાની છેડતીની ફરિયાદ
ગાંધીનગર: ચિલોડા ગામે મહિલાની છેડતીની ફરિયાદ નોંધાઇ છે. મહિલાએ 3 લોકો સામે ફરિયાદ નોંધાવી. ફરિયાદી પક્ષના લોકોએ આરોપીના ઘર પર હુમલો કર્યો. હુમલા બાદ બંને પક્ષ વચ્ચે બબાલ થઈ હતી. સમગ્ર મામલે પોલીસે 10 જેટલા આરોપીની ધરપકડ કરી. પોલીસે છેડતી અને રાયોટિગનો ગુનો દાખલ કર્યો.
-
રાફેલે પોતાની હવાઈ પરાક્રમનું પ્રદર્શન કર્યું
ભારતીય વાયુસેનાએ 77મા RepublicDay પરેડ દરમિયાન ફ્લાય-પાસ્ટ કર્યું. રાફેલ સહિત અનેક વિમાનોએ પરેડમાં ભાગ લીધો. તેમણે પોતાના હવાઈ વિમાની કૌશલ્યનું પ્રદર્શન કર્યું.
#WATCH | Delhi: The Indian Air Force presents fly-past during the 77th #RepublicDay Parade on Kartavya Path
(Visuals of Arjan Formation comprising one C-130 ac in lead with two C-295 ac in echelon in ‘Vic’ Formation.)
(Source: DD) pic.twitter.com/X2QGTfLriC
— ANI (@ANI) January 26, 2026
-
રાફેલ્સ અને મિગ-29નું સિંદૂર ફોર્મેશન
પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન સિંદૂર ફોર્મેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના ચાર અધિકારીઓ (એક ગ્રુપ કમાન્ડર અને ત્રણ સુપરન્યુમરરી ઓફિસર) અને ૧૪૪ એરમેનએ ભાગ લીધો હતો. આ માર્ચિંગ ટુકડી સાથે સુમેળમાં, સિંદૂર ફોર્મેશનનું પ્રતીક કરતી ‘સ્પિયરહેડ’ ફોર્મેશનમાં બે રાફેલ્સ, બે મિગ-૨૯, બે એસયુ-૩૦ અને એક જગુઆરનો અદભુત ફ્લાય-પાસ્ટ થયો હતો.
The Indian Armed Forces presented a powerful Tri-services tableau titled “#OperationSindoor: Victory Through Jointness”#KartavyaPath #RepublicDayParade2026 #RepublicDayParade #RepublicDay #77thRepublicDay #RepublicDay2026 #RepublicDayCelebration #TV9Gujarati pic.twitter.com/oSGLpnfEjQ
— Tv9 Gujarati (@tv9gujarati) January 26, 2026
-
દિલ્હીમાં કર્તવ્ય પથ પર યુરોપિયન યુનિયન (EU) ટુકડી
EU લશ્કરી ટુકડીનું નેતૃત્વ કર્નલ ફ્રેડરિક સિમોન સ્પ્રુઇટ કરી રહ્યા છે, જે યુરોપિયન યુનિયન લશ્કરી સ્ટાફ (EUMS) ના ડાયરેક્ટર જનરલ વતી એક ઔપચારિક જીપ્સીમાં સવારી કરી રહ્યા છે.
77th #RepublicDay | The European Union (EU) contingent at the Kartavya Path in Delhi
The European Union (EU) military representation is led by Colonel Frederik Simon Spruijt, acting on behalf of the Director General of the European Union Military Staff (EUMS), on board a… pic.twitter.com/DI6gvXNGuY
— ANI (@ANI) January 26, 2026
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરેડને સલામી આપી
પ્રજાસત્તાક દિવસની પરેડ ફરજ પર શરૂ થઈ ગઈ છે. પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ભાવનાશ કુમાર, જનરલ ઓફિસર કમાન્ડિંગ, દિલ્હી ક્ષેત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. મેજર જનરલ નવરાજ ધિલ્લોન, ચીફ ઓફ સ્ટાફ, હેડક્વાર્ટર દિલ્હી ક્ષેત્ર, પરેડના સેકન્ડ-ઇન-કમાન્ડ છે.
77th Republic Day parade is being commanded by Lt Gen Bhavnish Kumar, AVSM, VSM#KartavyaPath #RepublicDayParade2026 #RepublicDayParade #RepublicDay #77thRepublicDay #RepublicDay2026 #RepublicDayCelebration #TV9Gujarati pic.twitter.com/bdqh9HWBuI
— Tv9 Gujarati (@tv9gujarati) January 26, 2026
-
વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યુવા તરવૈયાઓ
વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યુવા તરવૈયાઓએ રાષ્ટ્રધ્વજ પકડીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.
Vadodara, Gujarat: Young swimmers celebrated Republic Day by holding the national flag while swimming at the Sama Sports Complex in Vadodara #Gujarat #RepublicDay #77thRepublicDay #RepublicDay2026 #RepublicDayCelebration #TV9Gujarati pic.twitter.com/vV496O47sq
— Tv9 Gujarati (@tv9gujarati) January 26, 2026
-
રાષ્ટ્રપતિ મુર્મુએ શુભાંશુ શુક્લાને અશોક ચક્ર અર્પણ કર્યું
કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્ર અર્પણ કર્યું. શુક્લાએ જૂન 2025માં ISS પર પગ મૂક્યો હતો અને ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો.
Group Captain #ShubhanshuShukla conferred #AshokChakra, India’s highest peacetime gallantry award, for his historic mission to the International Space Station (ISS)#KartavyaPath #RepublicDay #77thRepublicDay #RepublicDay2026 #RepublicDayCelebration #TV9Gujarati pic.twitter.com/PVn60HDISC
— Tv9 Gujarati (@tv9gujarati) January 26, 2026
-
જાપાનમાં ભારે હિમવર્ષા પછી હાલાકી
જાપાનના સુકાયુ પ્રાંત અને સાપ્પોરામાં અત્યાર સુધીની સૌથી ભારે હિમવર્ષા જોવા મળી છે. 15 ફૂટ સુધી બરફ ખાબકતા સ્થાનિક જનજીવન સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે. બરફના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઘરો પર બરફની ચાદર પથરાઈ છે, જેના કારણે લોકો બહાર નીકળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જાપાનના સમુદ્ર કાંઠાના વિસ્તારો બર્ફિલા તોફાનની અસર હેઠળ છે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે બરફવર્ષાનું એલર્ટ જાહેર છે.
-
રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ પર પહોંચ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને મુખ્ય મહેમાનો સાથે પહોંચ્યા છે. પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ મહેમાનોનું આલિંગન કરીને સ્વાગત કર્યું.
President Droupadi Murmu and the Chief Guests of #RepublicDay2026, President of the European Council, António Luís Santos da Costa and President of the European Commission, Ursula Von Der Leyen left from Rashtrapati Bhavan, for Kartavya Path.#KartavyaPath #RepublicDayParade2026… pic.twitter.com/L8Qvcyqoai
— Tv9 Gujarati (@tv9gujarati) January 26, 2026
-
PM મોદીએ નેશનલ વોર મેમોરિયલમાં શહીદોને આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્તવ્ય પથ પર પહોંચી ગયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચીને, પીએમ મોદીએ અમર જવાન જ્યોતિ પર શ્રદ્ધાંજલિ આપી.
-
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી અને બંધારણમાં પોતાની શ્રદ્ધાને પુનઃપુષ્ટિ આપી, તેને ભારતના લોકશાહી, એકતા અને રાષ્ટ્રીય ચારિત્ર્યનો પાયો ગણાવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે પ્રજાસત્તાકની સ્થાપના કરનારા સ્વપ્નદ્રષ્ટાઓને શ્રદ્ધાંજલિ આપી અને સશસ્ત્ર દળોના હિંમત અને બલિદાનને સલામ કરી. રાજનાથ સિંહે મજબૂત, આત્મનિર્ભર અને પ્રગતિશીલ ભારત બનાવવા માટે સામૂહિક સંકલ્પ માટે અપીલ કરી.
-
અમદાવાદમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કર્યુ ધ્વજવંદન
અમદાવાદના મકરબા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયો પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ યોજાયો. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના મહેમાનો ઉપસ્થિત છે. જિલ્લા પોલીસકર્મીની ઉત્તમ કામગીરી બદલ સન્માન પત્ર હર્ષ સંઘવી એનાયત કરશે.
Dy CM Harsh Sanghavi attends Republic Day celebrations at Makraba Police HQ#Gujarat #BhupendraPatel #RepublicDay #77thRepublicDay #RepublicDay2026 #RepublicDayCelebration #TV9Gujarati pic.twitter.com/gEBP1Cr0DK
— Tv9 Gujarati (@tv9gujarati) January 26, 2026
-
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ, ઉત્તર ગુજરાતમાં પારો 5 ડિગ્રી ઘટી શકે
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. સૂસવાટાભર્યા પવનો ફૂંકાવાનું યથાવત્ છે. ઠંડી ઘટ્યા બાદ ફરી એકવાર ચમકારાની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પારો 5 ડિગ્રી ઘટી શકે. ફેબ્રુઆરીમાં ખેતી પાકો પર હિમ પડવાની શક્યતા છે. ઉત્તરભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં અસર જોવા મળશે. કચ્છમાં આગામી 3 દિવસ વાદળછાયા વાતાવરણની સંભાવના છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં માવઠું પડી શકે.
-
અમદાવાદ: વાહનમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયા
અમદાવાદ: વાહનમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બોલેરોની ટ્રોલીમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડાયો હતો. રાજસ્થાનથી અમદાવાદ લવાતી 225 દારૂની બોટલ ઝડપાઇ. સોલા પોલીસે બોલેરોનાં ડ્રાઇવર નરસિંહરામ દેવાસીની ધરપકડ કરી.
-
ગુજરાતમાંથી પાંચ હસ્તીઓને પદ્મશ્રીનું સન્માન
પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મ એવોર્ડ જાહેર કરાયા. જેમાં ગુજરાતમાંથી પાંચ હસ્તીઓને પદ્મશ્રીનું સન્માન મળ્યુ છે. ગુજરાતમાંથી ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રીનું સન્માન મળ્યુ, અંગદાન અભિયાનના પ્રણેતા નિલેષ માંડલેવાલાને પદ્મશ્રી મળશે. જૂનાગઢના ઢોલકવાદક હાજીભાઈ મીરને પદ્મશ્રીનું સન્માન, કલા ક્ષેત્રમાં પ્રદાન બદલ અરવિંદ વૈદ્યને પદ્મશ્રી એનાયત થશે. સાહિત્યકાર રતિલાલ બોરિસાગરને પદ્મશ્રીનું સન્માન મળશે.
-
વાવ થરાદઃ CM ભૂપેન્દ્ર પટેલની મહત્વની જાહેરાત, પાલિકાઓને જંત્રી વગર મફતમાં જમીન અપાશે
વાવ થરાદઃ CM ભૂપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં પાયાની સુવિધા ઉભી કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાઓને જંત્રી વગર મફતમાં જમીન અપાશે. સુવિધાઓ વિકસાવવા સરળતાથી જમીનો ફાળવવા નિર્ણય લેવાયો. પાલિકા વિસ્તારમાં 11 પ્રકારની સુવિધાઓ માટે જાહેરાત કરવામાં આવી. પાલિકા વિસ્તારમાં સુવિધાઓ માટે સરકારી જમીન ફાળવવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ સંધ્યાના કાર્યક્રમમાં જાહેરાત કરી.
-
ગાંધીનગર: મોટા ચિલોડા ગામે લગ્નના વરઘોડામાં બબાલ
ગાંધીનગર: મોટા ચિલોડા ગામે લગ્નના વરઘોડામાં બબાલ થઇ છે. કાર હટાવવા મામલે બે જૂથો આમને સામને આવી ગયા છે. બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા તોડફોડ થઈ. ટોળાએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરતા તંગદીલી સર્જાઇ. બબાલમાં 3 લોકોને માથાના ભાગે ઈજા પહોંચી. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. બબાલ અને તોડફોડની ઘટના બાદ ગામમાં તંગદીલી સર્જાઇ. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો.
-
સુરતઃ સેલવાસથી વડોદરા જતી બસનો અકસ્માત
સુરતઃ સેલવાસથી વડોદરા જતી બસને અકસ્માત નડ્યો છે. જાનૈયા ભરેલી બસ આગળ જતા વાહન સાથે ટકરાઈ હતી. બસમાં સવાર 5થી 7 લોકોને ઈજા પહોંચી છે. બસને ક્રેઈન વડે હટાવવાની ફરજ પડી.
-
વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત બને: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસ પર તેમના તમામ દેશવાસીઓને અભિનંદન આપ્યા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ પોસ્ટ કરી. તેમણે લખ્યું, “મારા બધા દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતના ગૌરવ અને ગૌરવનું પ્રતીક, આ રાષ્ટ્રીય તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે. વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત બને.”
Prime Minister Narendra Modi tweets, “Heartiest Republic Day greetings to all my fellow citizens. May this grand national festival, a symbol of India’s honour, pride, and glory, infuse new energy and enthusiasm into your lives. May the resolve for a developed India grow even… pic.twitter.com/hgOpjVayMb
— Tv9 Gujarati (@tv9gujarati) January 26, 2026
-
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના દ્વારા તૈનાત કરાયેલા મુખ્ય શસ્ત્રોનું પ્રદર્શન
ત્રણેય સેવાઓનું પ્રતિનિધિત્વ કરતી એક ઝાંખીમાં મે મહિનાની શરૂઆતમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના દ્વારા તૈનાત કરાયેલા મુખ્ય શસ્ત્ર પ્રણાલીઓના મોડેલો દર્શાવવામાં આવશે. આ પરેડનું મુખ્ય આકર્ષણ બનવાની અપેક્ષા છે. આ ઝાંખી રાષ્ટ્રીય સુરક્ષા પડકારોનો નિર્ણાયક રીતે જવાબ આપવાના ભારતના સંકલ્પનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય નૌકાદળની ટુકડીમાં ૧૪૪ યુવા અધિકારીઓ અને સૈનિકોનો સમાવેશ થશે, જેનું નેતૃત્વ લેફ્ટનન્ટ કરણ નાગ્યાલ કન્ટીજન્ટ કમાન્ડર તરીકે કરશે, જ્યારે લેફ્ટનન્ટ પવન કુમાર ગાંધી, લેફ્ટનન્ટ પ્રીતિ કુમારી અને લેફ્ટનન્ટ વરુણ દ્વારેરિયા પ્લાટૂન કમાન્ડર તરીકે રહેશે.
-
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
#WATCH | Delhi | Security checks underway across Delhi NCR on the occassion of the 77th Republic Day. Visuals from the Badarpur Border. pic.twitter.com/Gk7tHishiu
— ANI (@ANI) January 25, 2026
-
આજે સવારે 9:30 વાગ્યે પરેડ શરૂ થશે
77મો પ્રજાસત્તાક દિવસ સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ભવ્ય પરેડ અને સમારોહ યોજાશે, જેમાં સેના, વાયુસેના, નૌકાદળ, સાંસ્કૃતિક ઝાંખીઓ અને વિવિધ પ્રદર્શનો રજૂ કરવામાં આવશે. પરેડ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.
-
આજથી 31 જાન્યુઆરી સુધી લાલ કિલ્લા ખાતે ભારત પર્વનું આયોજન
પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે, સરકારે 26 જાન્યુઆરી (આજથી) લાલ કિલ્લા પરિસરમાં છ દિવસીય રાષ્ટ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મહોત્સવ, ભારત પર્વનું આયોજન કર્યુ છે. પર્યટન મંત્રાલયે જણાવ્યું હતું કે તેનું ઉદ્ઘાટન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કરશે. ભારત પર્વ એ મંત્રાલયનો મુખ્ય વાર્ષિક કાર્યક્રમ છે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક, કલાત્મક અને આધ્યાત્મિક વારસાની ઉજવણી કરે છે.
Published On - Jan 26,2026 7:17 AM