AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રથયાત્રા

રથયાત્રા

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જતા હોય છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગર ચર્યાએ નીકળે છે.

ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.

જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ ,છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી નગર ચર્યા કરાવવામાં આવે છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. તેથી જ આ તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે.

Read More

Jagannath Idol : મોટી આંખો અને અધૂરું શરીર, ભગવાન જગન્નાથની મૂર્તિ આટલી અલગ કેમ છે ? રહસ્ય જાણવા જેવું

જગન્નાથ પુરીને હિન્દુ ધર્મના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક સ્થળ માનવામાં આવે છે. જો કે, ભગવાન જગન્નાથની મૂર્તિને જોઈને શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન જગન્નાથનું સ્વરૂપ બીજા દેવતાઓથી આટલું અલગ કેવી રીતે છે? તો ચાલો જાણીએ, ભગવાન જગન્નાથની મૂર્તિ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

Rath Yatra 2025 : આ રથયાત્રાએ જગન્નાથ મંદિર જાઓ તો ત્યાંની 2 વસ્તુઓ ઘરે જરૂરથી લાવજો, માં લક્ષ્મીની મહેર તમારા પર બની રહેશે!

દર વર્ષે અષાઢ મહિનામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. જણાવી દઈએ કે, આ વખતની રથયાત્રા 27 જૂનથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, જગન્નાથ મંદિરમાંથી એવી કઈ બે વિશિષ્ટ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ કે જેનાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા માટે બની રહે.

પોલીસ કમિશનર અને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજના હસ્તે એકતા ક્રિકેટ કપ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો

અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.પોલીસ કમિશનર જી.એસ. મલિક તથા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો

Rathyatra 2025 : રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા

ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જળયાત્રાનો પ્રારંભ થયો છે.ભગવાન જગન્નાથજી નિજ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી છે.

11 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદ રથયાત્રા પહેલા મોસાળ આવ્યા ભગવાન જગન્નાથ, સરસપુર ખાતે ભવ્ય સ્વાગત

Gujarat Live Updates આજ 11 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

ભગવાન જગન્નાથના આગમનને આવકારવા માટે મોસાળમાં શરૂ થઈ ભવ્ય તૈયારીઓ, આ વખતે પ્રથમવાર રંગોળીથી લઈને 56 ભોગ સહિતનું આયોજન- જુઓ તસવીરો

ભગવાન જગન્નાથજીના મોસાળ એવા અમદાવાદના સરસપુરમાં આવેલા રણછોડરાયજી મંદિર ખાતે ભાણેજના આગમનને લઈને તેજ ગતિએ ભવ્ય તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા પરંપરાગત રીતે ભગવાન પોતાના મોસાળ પધારે છે, જેને લઈ સમગ્ર સરસપુરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

Jagannath Rath Yatra: ભગવાન જગન્નાથ તેમના માસીના ઘરે શા માટે જાય છે? જાણો શું છે તેની પાછળની પૌરાણિક કથા

Jagannath Rath Yatra 2025: હિંદુ ધર્મમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રથયાત્રામાં હજારો ભાવિ-ભક્તો જોડાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન જગન્નાથજી રથયાત્રા દરમિયાન તેમની માસીના ઘરે જઈને વિશ્રામ કરે છે. ત્યારે આવો જાણીએ તેના પાછળની કથા અને માન્યતા.

Rathyatra 2025: અમદાવાદમાં નીકળનારી જગન્નાથજીની નગરયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ, રથનું રંગરોગાન થયુ સંપન્ન- જુઓ Photos

રથયાત્રા એ હિંદુ ધર્મનો એક પાવન તહેવાર છે. આ તહેવાર હરિભક્તો માટે એક ખાસ મહત્વ ધરાવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બેસી નગરવિહાર કરે છે.

વિપક્ષી નેતાને જોઈ BJP નેતા મંચ પર લેવા નીચે દોડી ગયા, મતભેદ હોઈ શકે, મનભેદ નહીં, જુઓ વીડિયો

આ વીડિયો રાજકારણના મતભેદો વચ્ચેની સ્થિતિ વચ્ચે ખૂબ કહી જાય છે. આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે અને તેને લોકતંત્રમાં શિષ્ટાચારની અજોડ મિશાલના રુપમાં ગણાવી રહ્યા છે. એટલે જ કહે છે, કે મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ના હોઈ શકે અને આવું જ આ વીડિયોમાં જોવા મળે છે.

ભાવનગરની રથયાત્રામાં ટેબ્લોને લઈને વિવાદ, પોલીસે બેનર ઉતારવાની પાડી ફરજ, શક્તિસિંહે ઘટનાને ચોરી પર સિનાજોરી- Video

ભાવનગરમાં અષાઢી બીજના દિવસે નીકળેલી 39મી રથયાત્રામાં એક ટ્રકમાં રાજકોટ અગ્નિકાંડના બેનર લગાવેલા હતા. જો કે પોલીસે આ બેનર ઉતારી લેવાની ફરજ પાડી હતી. આ બાબતે થોડી રકઝક પણ થઈ હતી. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે સમગ્ર ઘટનાને સરકારની ચોરી પર સિનાજોરી ગણાવી છે.

8 જુલાઈના મહત્વના સમાચાર : ગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ

Gujarat Live Updates : આજ 8 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

કેનેડાના ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, જુઓ તસવીરો

આજે સમગર ભારત ભરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જિલ્લા અને શહેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કેનેડા પણ આમાંથી બાકાત નથી રહ્યું. કેનેડાના ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં રથયાત્રા નીકળી હતી જેમાં કેનેડામાં રહેતા ભારતીયો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અમદાવાદમાં સપ્તરંગી રોશનીથી દીપી ઉઠ્યુ ભગવાન જગન્નાથનું મંદિર- જુઓ તસવીરો

અમદાવાદમાં અષાઢી બીજના આજના પાવન અવસરે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી હતી. જગતના નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે અને આખા દિવસ દરમિયાન નગરની ચર્યા કર્યા બાદ ભગવાન તેમના નીજ મંદિર પરત ફરે છે. મંદિરને પણ વિવિધરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. જેમા મંદિર દીપી રહ્યુ છે.

Rathyatra 2024: દિલ્હી ચકલા પહોંચ્યો ભગવાન જગન્નાથનો રથ, થોડીવારમાં પહોંચશે નીજ મંદિર- જુઓ તસવીરો

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા ચાલી રહી છે. હાલ ભગવાનનો રથ દિલ્હી ચકલા પહોંચ્યો છે, જ્યાં ભક્તોએ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યુ હતું. જગતના નાથના રથને ખેંચવાની આનંદ ખલાસીબંધુઓના ચહેરા પર જોઈ શકાય છે. સવારના સાત વાગ્યાથી શરૂ થયેલી રથયાત્રાને આ ખલાસીબંધુઓ સતત ખેંચી રહ્યા છે છતા તેમના ચહેરા પર એજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Rathyatra 2024: અષાઢી બીજના પાવન અવસરે વાજતે ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, વિવિધ ઝાંખી બની વિશેષતા-જુઓ Photos

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા વાજતે-ગાજતે નીકળી. આ વખતે રથયાત્રામાં વિવિધ થીમ આધારીત ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમા બંધારણ, પર્યાવરણની, રામમંદિર, સ્વામીનારાયણ મંદિરની થીમ અને ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ વિજેતા બની તે થીમ પણ જોવા મળી હતી. જુઓ તસવીરો..

g clip-path="url(#clip0_868_265)">