રથયાત્રા
રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જતા હોય છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગર ચર્યાએ નીકળે છે.
ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.
જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ ,છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી નગર ચર્યા કરાવવામાં આવે છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. તેથી જ આ તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે.
જગન્નાથ પુરી મંદિરના ચાર મુખ્ય દ્વારોનું શું છે રહસ્ય? જાણો માનવ જીવનના 4 પુરુષાર્થો સાથે જોડાયેલું ધાર્મિક મહત્વ
પુરીમાં આવેલું જગન્નાથ મંદિરના ચાર દ્વાર માત્ર પ્રવેશ કરવા માટેના દરવાજા નથી, તે માનવ જીવનના ચાર પુરુષાર્થોનું પ્રતિબિંબ છે. ચાલો જાણીએ કે તેમની ખાસિયત શું છે.
- Sachin Agrawal
- Updated on: Jul 16, 2026
- 4:55 pm
Rath Yatra 2026:અમદાવાદમાં ભગવાન જગન્નાથને નિરખી ભાવિકો બન્યા ભક્તિમય, 18 ગજરાજો વધારી રહ્યા છે રથયાત્રાની શોભા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવ પૂર્વક નીકળી છે. ભગવાનના જગન્નાથના રથની સાથે 18 ગજરાજો અને અખાડાના કરતબ બાજો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેઓ વિવિધ કરતબો કરી ભાવિકોને આકર્ષી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 16, 2026
- 4:43 pm
અમદાવાદમાં મામાના ઘરે પહોંચી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
હાલ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરસપુર મામાને ઘરે પહોંચી છે. ત્યારે ભગવાન સ્વરૂપે પધારેલા ભાણેજને આવકારવા માટે સરસપુરવાસીઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jul 16, 2026
- 3:48 pm
કેમ ભગવાન જગન્નાથજીની આંખો આટલી મોટી છે? રથયાત્રાના પવિત્ર દિવસે જાણી લો મૂર્તિ પાછળનું પૌરાણિક રહસ્ય
આજે 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે. ભગવાન જગન્નાથજીની મૂર્તિ અન્ય હિન્દુ દેવતાઓની મૂર્તિઓથી અલગ હોય છે. ભગવાન જગન્નાથજીની આંખો મોટી અને શરીર અપૂર્ણ હોય છે. ભગવાન જગન્નાથજીના આ અનોખા સ્વરૂપ પાછળ એક લોકપ્રિય પૌરાણિક માન્યતા છે.
- Dhruval Shah
- Updated on: Jul 16, 2026
- 2:53 pm
Rath Yatra 2026: રથયાત્રામાં ભગવાન જગન્નાથ 9 દિવસ સુધી મંદિરથી બહાર કેમ રહે છે? જાણો તેની પાછળની ધાર્મિક માન્યતા
ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા 16 જુલાઈ એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ 9 દિવસ સુધી પોતાના મંદિરથી બહાર રહે છે. જી હા, આજે અમે તમને જણાવીશું કે ભગવાન જગન્નાથ કેમ મંદિરની બહાર રહે છે...
- Sachin Agrawal
- Updated on: Jul 16, 2026
- 2:33 pm
Jagannath Rath Yatra 2026 : ભગવાન જગન્નાથના રથની દોરી પકડતા જ બદલાઈ જાય છે ભાગ્ય? જાણો પૌરાણિક માન્યતા
શું તમે જાણો છો કે ભગવાન જગન્નાથના રથની દોરી ખેંચવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળવાની માન્યતા છે? આ પરંપરા પાછળ છુપાયેલા આધ્યાત્મિક મહત્વ અને પૌરાણિક કથાઓ વિશે જાણો...
- RajSingh Sisodiya
- Updated on: Jul 16, 2026
- 1:58 pm
Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર લાલે રથયાત્રાનો આનંદ માણ્યો, જુઓ Video
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રામાં નીકળી છે. રથયાત્રામાં કેટલાક સ્ટાર પણ જગન્નાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમજ મયુર વાકાણી એટલે કે સુંદર મામા રાયપુર પહોચ્યા હતા. મયુર વાકાણીએ રથયાત્રાનો આનંદ માણ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Jul 16, 2026
- 1:01 pm
એક જ દિવસ, બે ભવ્ય રથયાત્રા… આખરે ‘પુરી’ અને ‘અમદાવાદ’ ની જગન્નાથ રથયાત્રા વચ્ચે શું છે ‘મોટો તફાવત’?
અષાઢી બીજના પવિત્ર દિવસે ઓડિશાના પુરી અને ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જો કે, આ બંને ઐતિહાસિક રથયાત્રાઓની ઉજવણી અને પરંપરાઓમાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ તફાવતો જોવા મળે છે. એવામાં ચાલો જાણીએ કે, એક જ દિવસે નીકળતી આ બંને ભવ્ય રથયાત્રાઓ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે અને બંનેનું પોતાનું શું ખાસ મહત્વ છે.
- Ravi Prajapati
- Updated on: Jul 16, 2026
- 11:57 am
Rath Yatra 2026 : સોનાની સાવરણીથી રથ વાળવાની પરંપરા નિભાવી મુખ્ય પ્રધાને ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી 149મી યાત્રાનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં પહિંદ વિધિ કરીને, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવી હતી. ભૂપેન્દ્ર પટેલે, સોનાની સાવરણીથી રથ વાળીને સતત પાંચમી વાર પહિંદ વિધિ સંપન્ન કરી હતી.
- Bipin Prajapati
- Updated on: Jul 16, 2026
- 11:30 am
જગન્નાથ રથયાત્રામાંથી ઘરે લાવો આ 5 વસ્તુઓ, ધન-ધાન્યની ક્યારેય નહીં પડે અછત!
એવું માનવામાં આવે છે કે રથયાત્રામાંથી ચોક્કસ વસ્તુઓ ઘરે લાવવાથી દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં ક્યારેય પૈસા કે અનાજની કમી તમારા ઘરમાં નહીં રહે. જો તમે આ વર્ષે રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છો કે પછી દર્શન કરવા જઈ રહ્યા છો તો આ ખાસ વસ્તુઓ રથયાત્રામાંથી ઘરે લાવવાથી ખૂબ જ શુભ ફળ મળી શકે છે.
- Devankashi rana
- Updated on: Jul 16, 2026
- 10:37 am
Breaking News : અમદાવાદ જગન્નાથજીની રથયાત્રામાં હાથીની સુરક્ષા અને શાંતિ માટે ખાસ નિર્ણય, હાથી પસાર થયા બાદ જ DJ વગાડાશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મીં રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jul 16, 2026
- 10:28 am
Jagannath Rath Yatra : રથયાત્રામાં કેમ અપાય છે મગ-જાંબુ અને કાકડીનો પ્રસાદ ? જાણો પરંપરા પાછળનું વૈજ્ઞાનિક કારણ
આ વર્ષની રથયાત્રા માટે લાખો ભક્તોને ધ્યાનમાં રાખીને વિશેષ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજે 45 હજાર કિલો ફણગાવેલા મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી અને 400 કિલો કાકડી સહિત અન્ય ફળોના લગભગ 2 લાખ પ્રસાદ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર રથયાત્રાના રૂટ પર ભક્તોમાં તેનું વિતરણ કરવામાં આવશે.
- Devankashi rana
- Updated on: Jul 16, 2026
- 10:01 am
અમદાવાદથી લઈને જગન્નાથ પુરી સુધી… કેમ ધામધૂમથી ઉજવાય છે રથયાત્રા ? જાણો રથયાત્રાનું ધાર્મિક મહત્ત્વ !
આષાઢ સુદ બીજના પવિત્ર દિવસે આજે 16 જુલાઈ 2026ના રોજ અમદાવાદ અને પુરીમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો છે. માન્યતા મુજબ રથની દોરી ખેંચવાથી ભક્તોને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે.
- Dhruval Shah
- Updated on: Jul 16, 2026
- 9:46 am
Breaking News : રથયાત્રાને લઈને અમદાવાદ સુરક્ષાથી સજ્જ ! 30 હજાર જવાન તૈનાત, 100 ડ્રોનથી થઈ રહ્યું મોનિટરિંગ
રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 2 વાગ્યાથી ટ્રાફિક પોલીસના જવાનો વિવિધ સ્થળોએ ફરજ પર રહેશે. રૂટ પર 23 ક્રેન, 9 ઇન્ટરસેપ્ટર વાહનો, એક પેટ્રોલિંગ કાર અને CCTVથી સજ્જ 18 વાહનો તૈનાત રહેશે
- Devankashi rana
- Updated on: Jul 16, 2026
- 9:03 am
Ahmedabad Rath Yatra 2026 : CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રાંરભ કરાવ્યો
અમદાવાદના જગન્નાથ મંદિરે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પહિંદ વિધિ કરી હતી. પહિંદ વિધિ બાદ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રથ ખેચીને 149મી રથયાત્રાનુ પ્રસ્થાન કરાવ્યું હતું.
- Nirupa Duva
- Updated on: Jul 16, 2026
- 7:45 am