રથયાત્રા

રથયાત્રા

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જતા હોય છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગર ચર્યાએ નીકળે છે.

ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.

જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ ,છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી નગર ચર્યા કરાવવામાં આવે છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. તેથી જ આ તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે.

Read More

સુરત : 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મૃતકના પુત્ર પાસેથી 3 રિવોલ્વર મળી આવી, SOG ની રથયાત્રા પહેલા કાર્યવાહી

સુરત: રથયાત્રા પહેલા SOG એ મોટી કાર્યવાહી કરી છે. લીંબાયત વિસ્તારમાંથી પોલીસે ત્રણ રિવોલ્વર કબજે કરી છે. મુંબઈમાં 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં દરમ્યાન યુવક રિવોલ્વર લાવ્યો હતો

રથયાત્રા પહેલા જ જાણો ભગવાન જગન્નાથ કયા દિવસે કઈ કારીગરીના વાઘા પહેરશે- Photos

એકમ બીજ અને ત્રીજના દિવસે ભગવાનના વિશેષ વાઘા અને પાઘ બનીને તૈયાર થઈ ગયા છે. રજવાડી અને ગુજરાતી અને 3 છોગા વાળી પાઘ સાથે ભગવાન જગન્નાથ દર્શન આપશે .

રહસ્યોથી ભરેલું છે જગન્નાથ પુરીનું મંદિર, કાષ્ટની મૂર્તિમાં છે ભગવાનનું હૃદય, અહિં વાંચો પૂરી મંદિરના રોચક તથ્યો વિશે

Interesting Facts About Jagannath Temple: જગન્નાથ મંદિરની ટોચ પરનો ધ્વજ પવનની વિરૂદ્ધ દિશામાં ફરતે છે. અહીં પૂજારી છેલ્લા 1,800 વર્ષથી દરરોજ ધ્વજ બદલવા માટે મંદિરની ટોચ પર ચઢે છે. એવું માનવામાં આવે છે કે જો આ વિધિ એક દિવસ માટે પણ છોડી દેવામાં આવે તો મંદિર 18 વર્ષ સુધી બંધ રહેશે. આવા જ વધારે ફેક્ટ જાણવા માટે વાંચો આ અહેવાલ

જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત, દિલીપદાસજીના એક નિવેદનથી ફેલાઈ હતી નારાજગી- Video

અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળવાની છે એ પહેલા દિલીપદાસજીના એક નિવેદનથી ખલાસી બંધુઓમાં નારાજગી ફેલાઈ હતી. જો કે વિવાદ વધુ વકરે એ પહેલા જ પોલીસે બેઠક યોજી વિવાદનો અંત લાવ્યો છે. મંદિરના ટ્રસ્ટીગણ અને ખલાસી સમાજની પોલીસની મધ્યસ્થીમાં બેઠક મળી હતી.

Jalyatra 2024 : જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક, 108 કળશથી પ્રભુને કરાયુ સ્નાન, જુઓ Video

રથયાત્રાને લઈને અમદાવાદમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે તે પહેલા રથયાત્રાનો પહેલો પડાવ એટલે કે જળયાત્રા આજે યોજાઈ હતી. પરંપરા મુજબ જળયાત્રા સાબરમતીના નદીના કિનારે પહોંચી હતી જેમાં ભગવાનના જળાભિષેક માટે સાબરમતીથી જળ લાવામાં આવ્યું હતુ

Rath Yatra 2024 : સાબરમતી નદીના જળથી 108 કળશ ભર્યાં, ગંગાપૂજન અને આરતીમાં હર્ષ સંઘવી સહિત રાજકીય નેતાઓ રહ્યાં હાજર, જુઓ Video

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે જળયાત્રા વાજતે ગાજતે સોમનાથ ભૂદરના આરે પહોંચી છે. સાબરમતીના કિનારે 108 કળશ લાવવામાં આવ્યા છે. સાબરમતીના કિનારેથી સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગાપૂજન અને આરતી કરવામાં આવી છે.

Rathyatra 2024 : રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રાનો વાજતે ગાજતે પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા, જુઓ Video

ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જળયાત્રાનો પ્રારંભ થયો છે.ભગવાન જગન્નાથજી નિજ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી છે.જેમાં ગજરાજાઓ તેમજ વિવિધ ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા.

22 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદના નિકોલમા યુવકની હત્યા, મહિલા અને 3 યુવકોએ કર્યો હુમલો

Gujarat Live Updates : આજ 22 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Ahmedabad Video : રથયાત્રા પહેલા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની લીધી મુલાકાત, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જગન્નાથ મંદિરની મુલાકાતે લીધી.

Ahmedabad Video : 22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા, 18 ગજરાજ અને 18 ભજન મંડળી જોડાશે

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રથયાત્રાના 15 દિવસ પૂર્વ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે આ વર્ષે 22 જૂનના રોજ કરવામાં આવ્યુ છે.

IRCTC Tour Packages : જગન્નાથ પુરીની રથયાત્રામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અમદાવાદથી શરુ થતું આ ટુર પેકેજ ચેક કરી લેજો

પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે IRCTC દેશ અને વિદેશમાં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટૂર પેકેજ લૉન્ચ કરે છે. આઈઆરસીટીસીનું આ ટુર પેકેજ તમને ઓડિશાના જગ્ગનાથપુરીના દર્શન કરાવશે. સહિત આ સ્થળો પર લઈ જવામાં આવશે.

Odisha : પુરીના જગન્નાથ મંદિરના ચારેય કપાટ ભક્તો માટે ખોલાયા, મંત્રીઓ સાથે CM માઝી હાજર રહ્યા

અષાઢી બીજનો દિવસ ખૂબ જ નજીકમાં છે. આ દિવસે જગન્નાથ પુરીમાં આખી દુનિયામાં જાણીતી એવી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, ત્યારે રથયાત્રા પહેલા પુરીથી ભક્તો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાકાળથી જગન્નાથ મંદિરમાં બંધ રાખેલા ત્રણ કપાટ સહિત આજે ચારેય કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે.

Ahmedabad Video : રથયાત્રાના રુટ પર પોલીસે કરી બાઈક માર્ચ, કમિશનર સહિતના અધિકારીઓએ ડ્રોનથી કર્યું નિરીક્ષણ

અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ સતર્ક, હોટલ, ગેસ્ટ હાઉસમાં કરાયું ચેકિંગ, જુઓ વીડિયો

આગામી રથયાત્રાને ધ્યાને રાખી પોલીસે અમદાવાદમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. રથયાત્રામાં સૌથી અગત્યનો અને મહત્વનો મુદ્દો સુરક્ષાનો હોય છે. જેને ધ્યાને રાખી પોલીસ અત્યારથી જ કામગીરી શરૂ કરી દીધી છે. ખાસ કરીને સુરક્ષાને લઈને પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવાય રહયા છે. જેમાં હોટલ, ગેસ્ટહાઉસમાં તપાસ કરવામાં આવી રહી છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશે નહીં તે અંગે સતર્કતા દાખવવામાં આવી રહી છે.

Jagannath Rath Yatra 2024 : જગન્નાથની યાત્રા પછી રથનું શું થાય છે, તેના લાકડાં ક્યાં જાય છે?

Jagannath Rath Yatra 2024 : વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ રથયાત્રા 7 જૂનથી શરૂ થશે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને નાની બહેન સુભદ્રા સાથે ત્રણ અલગ-અલગ રથ પર સવાર થઈને શહેરના પ્રવાસ માટે નીકળે છે. ચાલો જાણીએ કે યાત્રા પૂર્ણ થયા પછી આ રથ અને તેમના લાકડાનું શું થાય છે.

g clip-path="url(#clip0_868_265)">