રથયાત્રા
રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જતા હોય છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગર ચર્યાએ નીકળે છે.
ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.
જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ ,છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી નગર ચર્યા કરાવવામાં આવે છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. તેથી જ આ તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે.
અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર 19 કરોડના વિકાસ કાર્યો, 95% કામગીરી પૂર્ણ, જુઓ Video
અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. AMC દ્વારા 19 કરોડથી વધુના ખર્ચે જમાલપુરથી દાણીપીઠ સુધીના 1200 મીટર રૂટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું 95% કામ પૂર્ણ થઈ ગયું છે.
- Sagar Solanki
- Updated on: Jun 14, 2026
- 10:45 pm
Breaking News : રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથોનું પૂજન કરાયું, જુઓ વીડિયો
જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે આજે ત્રણેય ઐતિહાસિક રથનુ પૂજન કરવામાં આવ્યું છે. રથયાત્રા પૂર્વે ત્રણેય રથોનું પરંપરાગત કરવામાં પૂજન આવ્યું છે.રથ પૂજનથી રથયાત્રાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવે છે.16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા નીકળશે.
- Jignesh Patel
- Updated on: Apr 20, 2026
- 11:56 am
Breaking News : પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન ગુંડિચા મંદિર પાસે નાસભાગ, 3 ના મોત, 50 થી વધુ ઘાયલ
ઓડિશાના પુરીમાં જાણીતા ગુંડિચા મંદિર પાસે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી ગઈ. અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાના સામાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં આજે રવિવારે વહેલી સવારે 4 થી 5 વાગ્યાની આસપાસ થયો હતો. નાસભાગ મચી તે સમય દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. સરકારે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના પણ આદેશ આપ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 29, 2025
- 10:16 am