રથયાત્રા
રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જતા હોય છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગર ચર્યાએ નીકળે છે.
ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.
જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ ,છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી નગર ચર્યા કરાવવામાં આવે છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. તેથી જ આ તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે.
Breaking News : પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન ગુંડિચા મંદિર પાસે નાસભાગ, 3 ના મોત, 50 થી વધુ ઘાયલ
ઓડિશાના પુરીમાં જાણીતા ગુંડિચા મંદિર પાસે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી ગઈ. અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાના સામાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં આજે રવિવારે વહેલી સવારે 4 થી 5 વાગ્યાની આસપાસ થયો હતો. નાસભાગ મચી તે સમય દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. સરકારે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના પણ આદેશ આપ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 29, 2025
- 10:16 am
અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીની મદદે વનતારા, પશુ ચિકિત્સક અને પશુ નિષ્ણાતે પૂરી પાડી સેવા…જુઓ Video
અમદાવાદની148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ઉચ્ચ અવાજ અને ભીડને કારણે ત્રણ હાથીઓ ઉશ્કેરાયા હતા. વનતારાની ઝડપી પ્રતિક્રિયાએ હાથીઓને શાંત કર્યા અને તેમનું સુરક્ષિત સ્થળાંતર કર્યું. વનતારાના નિષ્ણાતો, પશુચિકિત્સકો અને મહાવતોએ તાત્કાલિક સારવાર અને સહાય પૂરી પાડી.
- Sagar Solanki
- Updated on: Jun 28, 2025
- 7:36 pm
Breaking News : અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીના રથ મંદિરે પરત ફર્યા, જુઓ Video
અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સવારે મંગળા આરતી બાદ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું બાદમાં સમગ્ર નગરમાં રથયાત્રા ફરી અને સાંજે નિજમંદિરમાં પરત ફરી.
- Sagar Solanki
- Updated on: Jun 27, 2025
- 9:54 pm
રથયાત્રામાં પહેલીવાર AI ટેકનોલોજી – 3500 કેમેરાની નજર
અમદાવાદ શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 23,800થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. સાથોસાથ આ વર્ષે AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. 3500થી વધુ કેમેરાથી રથયાત્રાના સમગ્ર રૂટ પર બાજનજર રાખવામાં આવી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 27, 2025
- 7:28 pm
ગાંધીનગર CM ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરતા CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વીડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ, રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jun 27, 2025
- 5:23 pm
Rath Yatra 2025: જગતના નાથથી પત્ની થાય છે નારાજ, જાણો હેરા પંચમીનો વિધિ શું છે?
Rath Yatra 2025: રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ તેમના ભાઈ-બહેનો સાથે ગુંડીચા મંદિર એટલે કે તેમના કાકાના ઘરે જાય છે. એવું માનવામાં આવે છે કે તેઓ આ સમયે રજાઓ ઉજવવા માટે તેમના દાદીના ઘરે જાય છે, પરંતુ મહાપ્રભુ માતા લક્ષ્મીને પોતાની સાથે લઈ જતા નથી, જેના કારણે તે તેમના પર ગુસ્સે થાય છે. ચાલો જાણીએ આ વાર્તા અને હેરા પંચમી વિધિ વિશે.
- Dhinal Chavda
- Updated on: Jun 27, 2025
- 2:52 pm
Breaking News: કાલુપુર પાસે ભગવાન બલભદ્રજીના રથમાં સર્જાઇ ખામી, થોડી વાર સુધી અટકાવવી પડી રથયાત્રા, જુઓ Video
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે. જો કે, આ રથયાત્રા દરમિયાન બધુ એક મુશ્કેલી સર્જાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Jun 27, 2025
- 2:35 pm
ભાવનગરમાં નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા, 100 ટ્રક, 20 ટ્રેક્ટર સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં, જુઓ Video
દેશમાં ત્રીજા અને ગુજરાતમાં બીજા નંબરની ભવ્ય ગણાતી હોય છે. ભાવનગરની રથયાત્રાનું પ્રસ્થાન થઇ ચૂક્યું છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. 3 કિલોમીટર જેટલી લાંબી આ રથયાત્રા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 27, 2025
- 2:22 pm
Ahmedabad Rathyatra 2025 : અમદાવાદ રથયાત્રામાં દેશભક્તિનો ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો, જુઓ Video
અમદાવાદની રથયાત્રા ભારતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવો પૈકી એક છે. આ વર્ષે યોજાયેલી રથયાત્રામાં એક અનોખું આકર્ષણ જોવા મળ્યું છે. આ વર્ષે રથયાત્રામાં દેશભક્તિ પર આધારિત, વનતારા પર આધારિક ટેબલો આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 27, 2025
- 1:31 pm
Breaking News : રથયાત્રામાં ગજરાજના બેકાબૂ થવાનો નવો Video સામે આવ્યો, કેટલાક લોકોને ધક્કે ચઢાવી દોડ્યો, એક ઇજાગ્રસ્ત
ભગવાનની રથયાત્રામાં કુલ 10 ગજરાજ પૈકી એક ગજરાજ અચાનક જ બેકાબુ થયો હતો. આ ગજરાજ અચાનક જ દોડવા લાગ્યો હતો. અનેક લોકોની ઉપરથી આ હાથી દોડીને જતો રહ્યો હતો. જેનો નવો વીડિયો સામે આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 27, 2025
- 1:22 pm
Rath Yatra 2025: જગન્નાથની રથયાત્રામાં સોનાની સાવરણીથી સફાઈ કેમ કરવામાં આવે છે? જાણો તેનું મહત્વ
રથયાત્રા નીકળે તે પહેલા ભગવાનની આ યાત્રાના માર્ગ પર સોનાની સાવરણીથી સફાઈ કરવામાં આવે છે, તો કેમ સોનાના જાડૂથી સફાઈ કરવામાં આવે છે ચાલો જાણીએ
- Devankashi rana
- Updated on: Jun 27, 2025
- 3:18 pm
Ahmedabad Rathyatra 2025 : 3 ગજરાજને શાંત સ્થળ પર સલામત રાખવામાં આવ્યા, CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ સ્થિતિની કરી સમીક્ષા, જુઓ Video
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે. રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે ગજરાજ બેકાબૂ બન્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Jun 27, 2025
- 11:59 am
Ahmedabad Rath Yatra: રથયાત્રામાં પરવાનગી વગર ઉડતું હતું ડ્રોન, એન્ટી ડ્રોન ગનથી તોડી પાડ્યું
વિશ્વવિખ્યાત રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાપુર અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પોલિસે ટેક્નોલોજી આધારિત હાઈ-એન્ડ સુરક્ષા ઉપાયો અમલમાં મૂક્યા છે.
- Mihir Soni
- Updated on: Jun 27, 2025
- 11:50 am
Ahmedabad Rath Yatra 2025 : AI ટેક્નોલોજી દ્વારા રથયાત્રાનું કરવામાં આવી રહ્યું છે સર્વેલન્સ, જુઓ ફોટા
રથયાત્રાને લઈ સમગ્ર અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. રથયાત્રાના રૂટ પર પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભીડ પર બાજ નજર રહે તે માટે આ વર્ષે પ્રથમ વખત AI ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 27, 2025
- 10:35 am
સરસપુરમાં મહિલાઓએ પાણી છાંટી રસ્તાને કર્યા ઠંડા, આખું વર્ષ બાળકો નિરોગી રહે તેવી માન્યતા, જુઓ Video
આજે અષાઢી બીજના દિવસે ભગવાના જગન્નાથ નગર્ચયા માટે નગરમાં નીકળ્યા છે. ત્યારે સરસપુરમાં ભક્તો ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તે પૂર્વે રસ્તાઓને પાણીથી મહિલાઓ સફાઈ કરી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 27, 2025
- 10:33 am