
રથયાત્રા
રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જતા હોય છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગર ચર્યાએ નીકળે છે.
ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.
જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ ,છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી નગર ચર્યા કરાવવામાં આવે છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. તેથી જ આ તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે.
વિપક્ષી નેતાને જોઈ BJP નેતા મંચ પર લેવા નીચે દોડી ગયા, મતભેદ હોઈ શકે, મનભેદ નહીં, જુઓ વીડિયો
આ વીડિયો રાજકારણના મતભેદો વચ્ચેની સ્થિતિ વચ્ચે ખૂબ કહી જાય છે. આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે અને તેને લોકતંત્રમાં શિષ્ટાચારની અજોડ મિશાલના રુપમાં ગણાવી રહ્યા છે. એટલે જ કહે છે, કે મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ના હોઈ શકે અને આવું જ આ વીડિયોમાં જોવા મળે છે.
- Avnish Goswami
- Updated on: Jul 8, 2024
- 8:20 pm
ભાવનગરની રથયાત્રામાં ટેબ્લોને લઈને વિવાદ, પોલીસે બેનર ઉતારવાની પાડી ફરજ, શક્તિસિંહે ઘટનાને ચોરી પર સિનાજોરી- Video
ભાવનગરમાં અષાઢી બીજના દિવસે નીકળેલી 39મી રથયાત્રામાં એક ટ્રકમાં રાજકોટ અગ્નિકાંડના બેનર લગાવેલા હતા. જો કે પોલીસે આ બેનર ઉતારી લેવાની ફરજ પાડી હતી. આ બાબતે થોડી રકઝક પણ થઈ હતી. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે સમગ્ર ઘટનાને સરકારની ચોરી પર સિનાજોરી ગણાવી છે.
- TV9 Gujarati
- Updated on: Jul 8, 2024
- 7:23 pm
8 જુલાઈના મહત્વના સમાચાર : ગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
Gujarat Live Updates : આજ 8 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
- TV9 Gujarati
- Updated on: Jul 8, 2024
- 9:52 pm
કેનેડાના ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, જુઓ તસવીરો
આજે સમગર ભારત ભરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જિલ્લા અને શહેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કેનેડા પણ આમાંથી બાકાત નથી રહ્યું. કેનેડાના ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં રથયાત્રા નીકળી હતી જેમાં કેનેડામાં રહેતા ભારતીયો મોટી સંખ્યામાં જોડાયા હતા.
- Sachin Kolte
- Updated on: Jul 7, 2024
- 8:49 pm
અમદાવાદમાં સપ્તરંગી રોશનીથી દીપી ઉઠ્યુ ભગવાન જગન્નાથનું મંદિર- જુઓ તસવીરો
અમદાવાદમાં અષાઢી બીજના આજના પાવન અવસરે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી હતી. જગતના નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે અને આખા દિવસ દરમિયાન નગરની ચર્યા કર્યા બાદ ભગવાન તેમના નીજ મંદિર પરત ફરે છે. મંદિરને પણ વિવિધરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. જેમા મંદિર દીપી રહ્યુ છે.
- Mina Pandya
- Updated on: Jul 7, 2024
- 8:46 pm
Rathyatra 2024: દિલ્હી ચકલા પહોંચ્યો ભગવાન જગન્નાથનો રથ, થોડીવારમાં પહોંચશે નીજ મંદિર- જુઓ તસવીરો
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા ચાલી રહી છે. હાલ ભગવાનનો રથ દિલ્હી ચકલા પહોંચ્યો છે, જ્યાં ભક્તોએ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યુ હતું. જગતના નાથના રથને ખેંચવાની આનંદ ખલાસીબંધુઓના ચહેરા પર જોઈ શકાય છે. સવારના સાત વાગ્યાથી શરૂ થયેલી રથયાત્રાને આ ખલાસીબંધુઓ સતત ખેંચી રહ્યા છે છતા તેમના ચહેરા પર એજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- Narendra Rathod
- Updated on: Jul 7, 2024
- 7:49 pm
Rathyatra 2024: અષાઢી બીજના પાવન અવસરે વાજતે ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, વિવિધ ઝાંખી બની વિશેષતા-જુઓ Photos
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા વાજતે-ગાજતે નીકળી. આ વખતે રથયાત્રામાં વિવિધ થીમ આધારીત ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમા બંધારણ, પર્યાવરણની, રામમંદિર, સ્વામીનારાયણ મંદિરની થીમ અને ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ વિજેતા બની તે થીમ પણ જોવા મળી હતી. જુઓ તસવીરો..
- Narendra Rathod
- Updated on: Jul 7, 2024
- 7:34 pm
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ, જુઓ વીડિયો
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરાએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ. દરવર્ષની જેમ ભગવાન જગન્નાથજી, શુભદ્રાજી અને બલરામજી રથમાં સવાર થઈને ઈડર નગરની નગરચર્યાએ નિકળ્યા હતા.
- Avnish Goswami
- Updated on: Jul 7, 2024
- 6:41 pm
Rath Yatra 2024 : મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત, ભાણેજને વધાવવાનો દેખાયો ઉત્સાહ, જુઓ Video
ભગવાન જગન્નાથજીના મોસાળ એટલે સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ખૂબ જ ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ભાણેજને વધાવવા સરસપુરવાસીઓ હરખ ખેલા થયા હતા.
- TV9 Gujarati
- Updated on: Jul 7, 2024
- 2:56 pm
Rathyatra 2024 : ગુજરાતના અલગ – અલગ જિલ્લાઓમાં યોજાઈ ભગવાન જગન્નાથની રથયાત્રા, જુઓ તસવીરો
આજે અષાઢી બીજ એટલે રથયાત્રાનો પવિત્ર દિવસ છે. આજના દિવસ ભગવાન જગન્નાથ નગરયાત્રા માટે નીકળે છે. જેની ઉજણવી દેશભરમાં થાય છે. ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં નાની - મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે.
- Disha Thakar
- Updated on: Jul 7, 2024
- 2:59 pm
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ વીડિયો
ભગવાન શામળાજી મંદિરના પ્રાંગણમાં ભક્તોની ભીડ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભગવાન માટે નવો ચાંદીનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ભગવાનને બિરાજમાન કરીને શામળાજી મંદિરના પરિસરમાં નિકાળવામાં આવ્યો હતો.
- Avnish Goswami
- Updated on: Jul 7, 2024
- 12:06 pm
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી, જુઓ વીડિયો
મોડાસા શહેરમાં ભગવાનની રથયાત્રા નિકળી હતી. રથયાત્રાને પ્રસ્થાન દેવરાજ ધામના મહંત ધનગીરીજીએ બાલકનાથજી મંદિરથી કરાવ્યું હતુ. યાત્રા દરમિયાન સાડા ત્રણસો કિલો જાંમું અને ફણગાવેલ મગનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.
- Avnish Goswami
- Updated on: Jul 7, 2024
- 12:04 pm
આજનું હવામાન : ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, અમદાવાદમાં રહેશે વરસાદી માહોલ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ગુજરાતમાં આજે અને 8 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Disha Thakar
- Updated on: Jul 9, 2024
- 9:08 am
ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે ભગવાન જગન્નાથની કરી મંગળા આરતી, જુઓ તસવીરો
અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 કલાકે પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચી ગયા હતા.
- Devankashi rana
- Updated on: Jul 7, 2024
- 10:57 am
Rath Yatra 2024 : રથયાત્રામાં જોવા મળી કોમી એકતા, મુસ્લિમ અગ્રણીઓએ રથયાત્રાનું કર્યુ સ્વાગત, દિલીપદાસજી મહારાજ તથા ટ્રસ્ટીઓને આવકાર્યા, જુઓ Video
અમદાવાદના ખમાસા ખાતે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું છે. તેમજ AMCના પદાઅધિકારીઓએ પણ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 7, 2024
- 10:55 am