AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યસભા

રાજ્યસભા

રાજ્યસભા એ ભારતીય સંસદનું ઉચ્ચ પ્રતિનિધિ ગૃહ છે. લોકસભા એ નીચલું પ્રતિનિધિ ગૃહ છે. રાજ્યસભામાં 245 સભ્યો છે. જેમાં 12 સભ્યો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થાય છે. જેમને ‘નોમિનેટેડ સભ્યો’ કહેવામાં આવે છે. અન્ય સભ્યો ચૂંટાઈને આવે છે. રાજ્યસભાના સભ્યો 6 વર્ષ માટે ચૂંટાય છે, જેમાંથી એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે.

કોઈપણ સંઘીય સરકારમાં, બંધારણીય જવાબદારીને કારણે સંઘીય સ્તરે રાજ્યના હિતોનું રક્ષણ કરવા માટે સંઘીય ધારાસભાના ઉપલા ભાગની રચના કરવામાં આવે છે. આ સિદ્ધાંતને કારણે રાજ્યસભાની રચના કરવામાં આવી છે. આ કારણોસર, રાજ્યસભાને ગૃહોની સમાનતા તરીકે જોવામાં આવે છે, જે સંસદના બીજા ગૃહ તરીકે રચવામાં આવી છે.

લોકસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવોની સમીક્ષા કરવા માટે રાજ્યસભાની રચના એક સંશોધન ગૃહ તરીકે કરવામાં આવી છે. તે મંત્રી પરિષદમાં નિષ્ણાતોની અછતને પણ પૂરી કરી શકે છે કારણ કે તેમાં ઓછામાં ઓછા 12 નિષ્ણાતો નામાંકિત છે. કટોકટી લાદતા તમામ ઠરાવો કે જે રાષ્ટ્રપતિ સમક્ષ જાય છે તે પણ રાજ્યસભા દ્વારા પસાર થવા જોઈએ. જુલાઈ 2018 થી, રાજ્યસભાના સાંસદો ગૃહમાં 22 ભારતીય ભાષાઓમાં ભાષણ આપી શકે છે, કારણ કે ઉપલા ગૃહમાં તમામ 22 ભારતીય ભાષાઓમાં એક સાથે અર્થઘટનની સુવિધા છે.

Read More

Breaking News : હવે વિપક્ષના નિશાને છે ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા ઈતિહાસમાં પહેલીવાર કરાશે આવી કાર્યવાહી

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર હવે વિપક્ષના નિશાને આવ્યા છે. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરી છે. જો કે સરકારે આ મુદ્દે વિપક્ષને કોઈ હકારાત્મક પ્રતિભાવ ના આપતા, હવે વિપક્ષે સંયુક્તપણે મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે નવી રણનીતિ ઘડી કાઢી છે.

કેન્દ્રના માર્ગ અને પરિવહન વિભાગે, ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષમાં 20,383 કરોડનો ટોલ ટેક્સ વસૂલ્યો

કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ,રાજ્યસભામાં આ માહિતી આપી હતી.

ગુજરાત 12,150 મેગાવોટ ક્ષમતા સાથે સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સમા પ્રથમ નંબરે

ગુજરાત પછી, બીજા નંબરે રાજસ્થાન આવે છે. રાજસ્થાનમાં 10,726 મેગાવોટની ક્ષમતા સાથેના કુલ 11 વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા સોલાર પાર્કનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં કુલ 54 સોલાર પાર્કની કુલ મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા 39,188 મેગાવોટ થાય છે.

રાજ્યસભાની ખાલી પડનારી 37 બેઠક માટે 16 માર્ચે યોજાશે ચૂંટણી

મહારાષ્ટ્ર અને ઓડિશા ઉપરાંત, એપ્રિલમાં વિવિધ તારીખે તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની બેઠકો ખાલી પડી રહી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાત બેઠકો ખાલી પડશે.

Breaking News : કોંગ્રેસ મોદીની કબર કેમ ખોદવા માંગે છે? ખુદ PM મોદીએ જણાવ્યા કારણો, સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસ પર વંશવાદી રાજનીતિ, લોકતંત્ર માટે ખતરનાક ગણાવી. તેમણે "મોદીની કબર ખોદવાની" ભાષા, રાષ્ટ્રીય સુરક્ષાના પગલાં અને સામાન્ય પરિવારના PM બનવા પર કોંગ્રેસના વિરોધની ટીકા કરી.

Breaking News : લોકસભામાં ગઇકાલે ન બોલી શક્યા PM નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં ખૂલીને બોલ્યા, મહોબ્બતની દુકાન પર શું કહ્યું જુઓ..

લોકસભામાં ગઇકાલે હંગામાના કારણે બોલી ન શકેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં બોલ્યા. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા ન થવા દેવી એ એક આદિવાસી પરિવારથી આવેલી દેશની રાષ્ટ્રપતિનો અપમાન છે.

વંદે ભારત સ્લીપર ટ્રેન પર મોટી અપડેટ! હાલમાં બે રેક ટ્રાયલ, આધુનિક ટેકનોલોજી વિશે રેલવે મંત્રીએ સંસદમાં કર્યો મોટો ખુલાસો

વંદે ભારત સ્લીપર ટ્રેનને લઈને સંસદમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. આ ટ્રેનમાં આધુનિક ટેકનોલોજી, ઉચ્ચ સલામતી અને મુસાફરો માટે ખાસ સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જાણો વિગતે.

PM કિસાન યોજનાનો લાભ ડબલ થશે? સરકાર દ્વારા સંસદમાં અપાયો સત્તાવાર જવાબ

ફેબ્રુઆરી 2019થી અમલમાં આવેલી PM કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને સીધી નાણાકીય મદદ પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે. ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય આપતી આ યોજના હાલમાં દેશભરના લાખો ખેડૂતો માટે આધારસ્તંભ બની રહી છે.

Breaking News : મોદી સરકારે મનરેગાનું નામ બદલ્યું, કામના દિવસોમાં પણ વધારો થયો, કેબિનેટને મંજૂરી મળી

કેન્દ્રની મોદી સરકાર મનરેગા યોજનાનું નામ બદલીને મંજૂરી આપશે. શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. જાણો વિગતે.

Amit Shah: ‘અમે ક્યારેય ચર્ચાથી ભાગતા નથી’, વિપક્ષને આપ્યો તીક્ષ્ણ જવાબ – જુઓ Video

આજે સંસદના શિયાળુ સત્રનો 8મો દિવસ છે. તે દરમિયાન લોકસભામાં ચૂંટણી સુધારાઓ પરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ દ્વારા સર્જાયેલી મડાગાંઠ અંગે સ્પષ્ટતા કરી હતી. જુઓ વીડિયો

મુસ્લિમ લીગ સાથે ગઠબંધનમાં સરકાર બનાવી ત્યારે તમારી દેશભક્તિ ક્યાં હતી ? ભાજપને ખરગેનો સણસણતો સવાલ

રાજ્યસભામાં "વંદે માતરમ" પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે, વંદેમાતરમને લઈને એવા પ્રહાર કર્યા કે કોંગ્રેસ પાર્ટીને ઘેરી લીધી. જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જે લોકોએ ગઈકાલ સુધી વંદે માતરમ ગાયું ન હતું તેઓ હવે વંદેમાતરમને લઈને ચિંતિત છે.

ઓફિસ સમય પછી તમારે કોલ્સ અને ઇમેઇલનો જવાબ આપવાની જરૂર રહેશે નહીં, સંસદમાં રજૂ કરાયેલ રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ શું છે?

સાંસદ સુપ્રિયા સુલેએ રજૂ કર્યો 'ડિસ્કનેક્ટ કરવાનો અધિકાર બિલ 2025', જે કામના કલાકો પછી ઇમેઇલ અને કોલ્સનો જવાબ ન આપવાનો અધિકાર આપશે. અન્ય મહત્વપૂર્ણ બિલ પણ રજૂ થયા છે. આ બિલ શું છે અને કેવી રીતે કાર્ય કરશે તે સરળ ભાષામાં જાણો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો, પોરબંદર, દ્વારકાના ખેડૂત મુદ્દે શક્તિસિંહે સરકારને ઘેરી- જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો હતો. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું  કે દિવાળી પછીના વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

છેલ્લા 11 વર્ષમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવ્યાં

ભારત સરકારના સતત પ્રયાસોના પરિણામે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં કુલ 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી સ્વદેશ પરત મોકલાયા છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં ગુજરાતના અંદાજિત 123 માછીમારો સહિત કુલ 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. સરકારે સ્પષ્ટતા કરી કે માછીમારોની સલામતી અને વહેલી મુક્તિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સતત પાકિસ્તાન સમક્ષ માનવતાના ધોરણે મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.

રાજ્યસભાના નવા અધ્યક્ષના સ્વાગતમાં ખડગેએ એવુ તો શું કહ્યું ? કે, ગૃહમા અકળાઈ જઈને ભાજપે કહ્યું-તકલીફ હોય તો ડોકટરને બતાવો

આજથી સંસદનુ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યસભામાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષના સ્વાગત સંબોધનમાં, વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ એવુ નિવેદન કર્યું કે, શિયાળાની ઠંડીમાં રાજ્યસભામાં રાજકીય ગરમી વધી ગઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">