AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યસભા

રાજ્યસભા

રાજ્યસભા એ ભારતીય સંસદનું ઉચ્ચ પ્રતિનિધિ ગૃહ છે. લોકસભા એ નીચલું પ્રતિનિધિ ગૃહ છે. રાજ્યસભામાં 245 સભ્યો છે. જેમાં 12 સભ્યો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થાય છે. જેમને ‘નોમિનેટેડ સભ્યો’ કહેવામાં આવે છે. અન્ય સભ્યો ચૂંટાઈને આવે છે. રાજ્યસભાના સભ્યો 6 વર્ષ માટે ચૂંટાય છે, જેમાંથી એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે.

કોઈપણ સંઘીય સરકારમાં, બંધારણીય જવાબદારીને કારણે સંઘીય સ્તરે રાજ્યના હિતોનું રક્ષણ કરવા માટે સંઘીય ધારાસભાના ઉપલા ભાગની રચના કરવામાં આવે છે. આ સિદ્ધાંતને કારણે રાજ્યસભાની રચના કરવામાં આવી છે. આ કારણોસર, રાજ્યસભાને ગૃહોની સમાનતા તરીકે જોવામાં આવે છે, જે સંસદના બીજા ગૃહ તરીકે રચવામાં આવી છે.

લોકસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવોની સમીક્ષા કરવા માટે રાજ્યસભાની રચના એક સંશોધન ગૃહ તરીકે કરવામાં આવી છે. તે મંત્રી પરિષદમાં નિષ્ણાતોની અછતને પણ પૂરી કરી શકે છે કારણ કે તેમાં ઓછામાં ઓછા 12 નિષ્ણાતો નામાંકિત છે. કટોકટી લાદતા તમામ ઠરાવો કે જે રાષ્ટ્રપતિ સમક્ષ જાય છે તે પણ રાજ્યસભા દ્વારા પસાર થવા જોઈએ. જુલાઈ 2018 થી, રાજ્યસભાના સાંસદો ગૃહમાં 22 ભારતીય ભાષાઓમાં ભાષણ આપી શકે છે, કારણ કે ઉપલા ગૃહમાં તમામ 22 ભારતીય ભાષાઓમાં એક સાથે અર્થઘટનની સુવિધા છે.

Read More

વંદે ભારત સ્લીપર ટ્રેન પર મોટી અપડેટ! હાલમાં બે રેક ટ્રાયલ, આધુનિક ટેકનોલોજી વિશે રેલવે મંત્રીએ સંસદમાં કર્યો મોટો ખુલાસો

વંદે ભારત સ્લીપર ટ્રેનને લઈને સંસદમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. આ ટ્રેનમાં આધુનિક ટેકનોલોજી, ઉચ્ચ સલામતી અને મુસાફરો માટે ખાસ સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જાણો વિગતે.

PM કિસાન યોજનાનો લાભ ડબલ થશે? સરકાર દ્વારા સંસદમાં અપાયો સત્તાવાર જવાબ

ફેબ્રુઆરી 2019થી અમલમાં આવેલી PM કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને સીધી નાણાકીય મદદ પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે. ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય આપતી આ યોજના હાલમાં દેશભરના લાખો ખેડૂતો માટે આધારસ્તંભ બની રહી છે.

Breaking News : મોદી સરકારે મનરેગાનું નામ બદલ્યું, કામના દિવસોમાં પણ વધારો થયો, કેબિનેટને મંજૂરી મળી

કેન્દ્રની મોદી સરકાર મનરેગા યોજનાનું નામ બદલીને મંજૂરી આપશે. શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. જાણો વિગતે.

Amit Shah: ‘અમે ક્યારેય ચર્ચાથી ભાગતા નથી’, વિપક્ષને આપ્યો તીક્ષ્ણ જવાબ – જુઓ Video

આજે સંસદના શિયાળુ સત્રનો 8મો દિવસ છે. તે દરમિયાન લોકસભામાં ચૂંટણી સુધારાઓ પરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ દ્વારા સર્જાયેલી મડાગાંઠ અંગે સ્પષ્ટતા કરી હતી. જુઓ વીડિયો

મુસ્લિમ લીગ સાથે ગઠબંધનમાં સરકાર બનાવી ત્યારે તમારી દેશભક્તિ ક્યાં હતી ? ભાજપને ખરગેનો સણસણતો સવાલ

રાજ્યસભામાં "વંદે માતરમ" પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે, વંદેમાતરમને લઈને એવા પ્રહાર કર્યા કે કોંગ્રેસ પાર્ટીને ઘેરી લીધી. જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જે લોકોએ ગઈકાલ સુધી વંદે માતરમ ગાયું ન હતું તેઓ હવે વંદેમાતરમને લઈને ચિંતિત છે.

ઓફિસ સમય પછી તમારે કોલ્સ અને ઇમેઇલનો જવાબ આપવાની જરૂર રહેશે નહીં, સંસદમાં રજૂ કરાયેલ રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ શું છે?

સાંસદ સુપ્રિયા સુલેએ રજૂ કર્યો 'ડિસ્કનેક્ટ કરવાનો અધિકાર બિલ 2025', જે કામના કલાકો પછી ઇમેઇલ અને કોલ્સનો જવાબ ન આપવાનો અધિકાર આપશે. અન્ય મહત્વપૂર્ણ બિલ પણ રજૂ થયા છે. આ બિલ શું છે અને કેવી રીતે કાર્ય કરશે તે સરળ ભાષામાં જાણો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો, પોરબંદર, દ્વારકાના ખેડૂત મુદ્દે શક્તિસિંહે સરકારને ઘેરી- જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો હતો. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું  કે દિવાળી પછીના વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

છેલ્લા 11 વર્ષમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવ્યાં

ભારત સરકારના સતત પ્રયાસોના પરિણામે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં કુલ 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી સ્વદેશ પરત મોકલાયા છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં ગુજરાતના અંદાજિત 123 માછીમારો સહિત કુલ 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. સરકારે સ્પષ્ટતા કરી કે માછીમારોની સલામતી અને વહેલી મુક્તિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સતત પાકિસ્તાન સમક્ષ માનવતાના ધોરણે મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.

રાજ્યસભાના નવા અધ્યક્ષના સ્વાગતમાં ખડગેએ એવુ તો શું કહ્યું ? કે, ગૃહમા અકળાઈ જઈને ભાજપે કહ્યું-તકલીફ હોય તો ડોકટરને બતાવો

આજથી સંસદનુ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યસભામાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષના સ્વાગત સંબોધનમાં, વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ એવુ નિવેદન કર્યું કે, શિયાળાની ઠંડીમાં રાજ્યસભામાં રાજકીય ગરમી વધી ગઈ હતી.

Parliament Winter Session : 1 થી 19 ડિસેમ્બર સુધી 15 દિવસમાં 10 બિલ રજૂ કરવામાં આવશે, સરકારનું ધ્યાન ‘રિફોર્મ’ પર

સરકાર 1 થી 19 ડિસેમ્બર દરમિયાન યોજાનાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન 10 નવા બિલ રજૂ કરવાની અને બે મહત્વપૂર્ણ બિલને મંજૂરી માટે ફરીથી રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

સુરત હીરાના વેપારી ગોંવિદ ધોળકિયા, વિશ્વકપ વિજેતા મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને ડાયમંડ જવેલરી-સોલાર પેનલ આપશે ભેટ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર ODI વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ જીત બાદ, BCCI એ ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે રૂપિયા 51 કરોડના ઈનામની જાહેરાત કરી છે. જ્યારે સુરત સ્થિત ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પણ ખેલાડીઓને ઈનામ આપવાની જાહેરાત કરી છે. ગોવિદ ધોળકિયા તરફથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને સોલાર પેનલ અને હીરાના દાગીના ભેટ સ્વરૂપે આપશે. ગોવિંદ ધોળકિયા ઉપરાંત વિવિધ રાજ્ય સરકારોએ પણ મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને કરોડોના ઈનામ આપવાની જાહેરાત કરી છે.

રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિને ઠગવાનો પ્રયાસ, સાયબર ઠગ DoT અધિકારી બનીને કહ્યું- પોર્નોગ્રાફિક વીડિયો શેર કર્યા છે !

તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેને દરેક વ્યક્તિને ચોંકાવી દીધા છે. વાત એમ છે કે, 'DoT' અધિકારીએ રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિની ઠગાઈ કરી અને પોર્નોગ્રાફિક વીડિયોઝ શેર કરવાની ધમકી આપી હતી.

ધુમ્મસને કારણે ફ્લાઈટ રદ ના થાય તે માટે કેશોદ એરપોર્ટ પર લગાવાશે એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ, કેશોદ એરપોર્ટ પર વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સહિત અપૂરતા નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઇટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Breaking News: સીપી રાધાકૃષ્ણન દેશના નવા ‘ઉપરાષ્ટ્રપતિ’ બન્યા, રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો

સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. જણાવી દઈએ કે, ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા.

ધનખર મુદ્દે કોઈ વિવાદ નથી, આરોગ્યને કારણે આપ્યું છે રાજીનામું : અમિત શાહ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા બાદ, કોંગ્રેસ સહિત વિપક્ષ તેમના મૌન પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આ અંગે પ્રતિક્રિયા આપી છે, ધનખરની બંધારણીય ભૂમિકા અને સ્વાસ્થ્ય કારણોસર રાજીનામાનો ઉલ્લેખ કરતા, અમિત શાહે ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીની પણ ટીકા કરી છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">