રાજ્યસભા
રાજ્યસભા એ ભારતીય સંસદનું ઉચ્ચ પ્રતિનિધિ ગૃહ છે. લોકસભા એ નીચલું પ્રતિનિધિ ગૃહ છે. રાજ્યસભામાં 245 સભ્યો છે. જેમાં 12 સભ્યો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થાય છે. જેમને ‘નોમિનેટેડ સભ્યો’ કહેવામાં આવે છે. અન્ય સભ્યો ચૂંટાઈને આવે છે. રાજ્યસભાના સભ્યો 6 વર્ષ માટે ચૂંટાય છે, જેમાંથી એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે.
કોઈપણ સંઘીય સરકારમાં, બંધારણીય જવાબદારીને કારણે સંઘીય સ્તરે રાજ્યના હિતોનું રક્ષણ કરવા માટે સંઘીય ધારાસભાના ઉપલા ભાગની રચના કરવામાં આવે છે. આ સિદ્ધાંતને કારણે રાજ્યસભાની રચના કરવામાં આવી છે. આ કારણોસર, રાજ્યસભાને ગૃહોની સમાનતા તરીકે જોવામાં આવે છે, જે સંસદના બીજા ગૃહ તરીકે રચવામાં આવી છે.
લોકસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવોની સમીક્ષા કરવા માટે રાજ્યસભાની રચના એક સંશોધન ગૃહ તરીકે કરવામાં આવી છે. તે મંત્રી પરિષદમાં નિષ્ણાતોની અછતને પણ પૂરી કરી શકે છે કારણ કે તેમાં ઓછામાં ઓછા 12 નિષ્ણાતો નામાંકિત છે. કટોકટી લાદતા તમામ ઠરાવો કે જે રાષ્ટ્રપતિ સમક્ષ જાય છે તે પણ રાજ્યસભા દ્વારા પસાર થવા જોઈએ. જુલાઈ 2018 થી, રાજ્યસભાના સાંસદો ગૃહમાં 22 ભારતીય ભાષાઓમાં ભાષણ આપી શકે છે, કારણ કે ઉપલા ગૃહમાં તમામ 22 ભારતીય ભાષાઓમાં એક સાથે અર્થઘટનની સુવિધા છે.
રાજ્યસભાના આ સાંસદોએ AAP ઉપર ફેરવ્યો સાવરણો, કયા કયા ક્ષેત્રના નિષ્ણાંતે ધારણ કર્યો ભાજપનો ભગવો ?
પશ્ચિમ બંગાળની ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ને આજે મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બે તૃતીયાશ સંસદ સભ્યો, ભાજપમાં જોડાશે. જેમાંથી ત્રણ સાંસદોએ તો આજે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબિનના હસ્તે પેંડા ખાઈને મ્હો પણ મીઠુ કરી લીધુ.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2026
- 7:07 pm
બિલ નો કાયદો કેવી રીતે બને છે? જાણો સંસદમાં રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની રસપ્રદ સફર અને બહુમતીનું ગણિત
ભારતમાં કોઈપણ નવો કાયદો બનાવવાની પ્રક્રિયા અત્યંત ગહન અને બંધારણીય છે. સંસદના વિશેષ સત્રમાં રજૂ થયેલા ત્રણ નવા બિલો વચ્ચે, સામાન્ય જનતા માટે એ જાણવું જરૂરી છે કે એક ડ્રાફ્ટ કેવી રીતે દેશનો કાયદો બને છે અને તેમાં વિપક્ષ તથા રાષ્ટ્રપતિની ભૂમિકા શું હોય છે.
- Sachin Agrawal
- Updated on: Apr 18, 2026
- 9:15 pm
Breaking News: ચાલો ઇતિહાસ રચીએ… વોટિંગ પહેલાં PMની પોસ્ટ, વિપક્ષી પક્ષોને અપીલ
મહિલા અનામત બિલ અને સીમાંકન પર સંસદમાં ગુરુવારથી ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે આ ચર્ચા સવારે 1 વાગ્યા સુધી ચાલી હતી અને આજે શુક્રવારે પણ ચાલુ રહેશે. બિલ પર મતદાન સાંજે 4 વાગ્યે થવાનું છે. આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને તેમના નિર્ણય પર કાળજીપૂર્વક વિચાર કરવા અને મહિલા અનામતની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરી હતી.
- Meera Kansagara
- Updated on: Apr 17, 2026
- 2:53 pm
મતવિસ્તારનું નવું સીમાંકન : જાણો ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન સહીત કયાં રાજ્યમાં કેટલી બેઠકો વધી શકે છે ?
કેન્દ્રની મોદી સરકારે આજે 16મી એપ્રિલથી ત્રણ દિવસનું સંસદનુ વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર બોલાવવા પાછળનો મુખ્ય હેતુ બંધારણમાં 131મો સુધારો કરવાનો છે. જો કે તેની સાથે સાથે લોકસભા મતવિસ્તારોનું નવા સીમાકંન ( ડિલિમિટેશન) પણ હાથ ધરવા માટેનો એજન્ડા પણ છે. આના કારણે ગુજરાત સહીત સમગ્ર દેશમાં લોકસભાની બેઠકોમાં ખાસ્સો વધારો થવાની સંભાવના છે.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 2:25 pm
Women Reservation Bil Explained: નવા અને જૂના મહિલા અનામત બિલ વચ્ચે શું તફાવત છે અને ચૂંટણી બેઠકો અંગે શા માટે પ્રશ્નો ઉભા થયા છે?
પ્રથમ વખત મહિલા આરક્ષણ બિલ 1996માં રજૂ કરવામાં આવ્યું હતું. તેને 81મું બંધારણીય સુધારા વિધેયક કહેવામાં આવ્યું હતું. તેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ હતો. આ બિલ વારંવાર અટકી ગયું. હવે “નારી શક્તિ વંદન અધિનિયમ” સાથે મહિલાઓના પ્રતિનિધિત્વમાં વધારો થવાની આશા ફરી જાગી છે. જૂના અને નવા મહિલા આરક્ષણ બિલમાં શું તફાવત છે, તે જાણો.
- Nishat
- Updated on: Apr 16, 2026
- 11:17 am
Breaking News : રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીને આપ્યો જવાબ, ‘ચૂપ કરાવવામાં આવ્યો છે, પણ હાર્યો નથી’
AAPએ રાઘવ ચઢ્ઢાને ગૃહના ઉપનેતા પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને સત્તાવાર પત્ર લખ્યો હતો. પાર્ટીએ તેમના સ્થાને પંજાબના સાંસદ અશોક મિત્તલનું નામ ઉપનેતા તરીકે પ્રસ્તાવિત કર્યું છે. જો કે આ નિર્ણય પછી સોશિયલ મીડિયા પર રાઘવ ચઢ્ઢાનું પ્રથમ નિવેદન સામે આવ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Apr 3, 2026
- 1:40 pm
AAPમાં મોટું ‘ઓપરેશન’ : રાઘવ ચઢ્ઢાની પાંખો કપાઈ ! પક્ષે લીધા એવા પગલાં કે રાજ્યસભામાં બોલવા પર પણ લાગ્યો ‘બ્રેક’
આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા રાઘવ ચઢ્ઢા સામે હાઈકમાન્ડે લાલ આંખ કરી છે. પદ છીનવાયું એટલું જ નહીં, પણ હવે સંસદમાં તેમનો અવાજ પણ રુંધાઈ જશે. જાણો કેમ કેજરીવાલના ખાસ ગણાતા ચઢ્ઢા અચાનક પક્ષની નજરમાં ખટકાવા લાગ્યા?
- Sachin Agrawal
- Updated on: Apr 2, 2026
- 6:18 pm
રાજ્યસભામાંથી વિદાય લેતા મલ્લિકાર્જૂન ખરગે એવુ તો શું બોલ્યા કે, PM મોદી પણ ખડખડાટ હસવા લાગ્યા, જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે, રાજ્યસભામાંથી વિદાય લઈ રહેલ સભ્યોને વિદાય આપતા રાજ્યસભાને સંબોધન કર્યું હતું. રાજ્યસભામાંથી વિદાય લઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્ર પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની પીએમ મોદીએ પ્રશંસા કરી. વડાપ્રધાને કહ્યું કે, મલ્લિકાર્જુન એક અનુભવી નેતા છે, જેમણે તેમના જીવનનો અડધાથી વધુ સમય સંસદીય કાર્યવાહીમાં સમર્પિત કર્યો છે. સંસદના નવા સભ્યોએ મલ્લિકાર્જુન ખડગેની પાસેથી શીખવું જોઈએ કે, કેવી રીતે સંપૂર્ણ સમર્પણ સાથે ગૃહમાં હાજરી આપવી.
- TV9 Gujarati
- Updated on: Mar 18, 2026
- 2:43 pm
Breaking News : રાજ્યસભાની 10 રાજ્યોની 37 બેઠકો પરની ચૂંટણીના પરિણામ જાહેર થયા, NDAનો દબદબો જોવા મળ્યો, જાણો સમગ્ર પરિણામ
બિહાર, હરિયાણા અને ઓડિશામાં રાજ્યસભાની કુલ 11 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)એ દબદબો જમાવ્યો છે. કેટલાક રાજ્યોમાં થયેલા ક્રોસ વોટિંગના કારણે NDAને મોટો ફાયદો થયો અને મોટાભાગની બેઠકો તેના ખાતામાં ગઈ.
- Tanvi Soni
- Updated on: Mar 17, 2026
- 8:26 am
Breaking News : રાજ્યસભા માટે મતદાન શરુ, ત્રણેય રાજ્યોમાં આકરી સ્પર્ધા, મતગણતરી 5 વાગે થશે શરુ
સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની કેટલીક બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. દેશના કુલ 10 રાજ્યોમાં 37 બેઠકો ખાલી થઈ રહી છે, જેમાંથી 26 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયા છે. બાકી રહેલી 11 બેઠકો માટે આજે બિહાર, ઓડિશા અને હરિયાણા સહિતના રાજ્યોમાં મતદાન યોજાઈ રહ્યું છે.
- Tanvi Soni
- Updated on: Mar 16, 2026
- 9:47 am
Breaking News : હવે વિપક્ષના નિશાને છે ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા ઈતિહાસમાં પહેલીવાર કરાશે આવી કાર્યવાહી
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર હવે વિપક્ષના નિશાને આવ્યા છે. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરી છે. જો કે સરકારે આ મુદ્દે વિપક્ષને કોઈ હકારાત્મક પ્રતિભાવ ના આપતા, હવે વિપક્ષે સંયુક્તપણે મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે નવી રણનીતિ ઘડી કાઢી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 12, 2026
- 1:42 pm
કેન્દ્રના માર્ગ અને પરિવહન વિભાગે, ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષમાં 20,383 કરોડનો ટોલ ટેક્સ વસૂલ્યો
કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ,રાજ્યસભામાં આ માહિતી આપી હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 11, 2026
- 6:37 pm
ગુજરાત 12,150 મેગાવોટ ક્ષમતા સાથે સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સમા પ્રથમ નંબરે
ગુજરાત પછી, બીજા નંબરે રાજસ્થાન આવે છે. રાજસ્થાનમાં 10,726 મેગાવોટની ક્ષમતા સાથેના કુલ 11 વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા સોલાર પાર્કનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં કુલ 54 સોલાર પાર્કની કુલ મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા 39,188 મેગાવોટ થાય છે.
- TV9 Gujarati
- Updated on: Mar 10, 2026
- 8:15 pm
રાજ્યસભાની ખાલી પડનારી 37 બેઠક માટે 16 માર્ચે યોજાશે ચૂંટણી
મહારાષ્ટ્ર અને ઓડિશા ઉપરાંત, એપ્રિલમાં વિવિધ તારીખે તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની બેઠકો ખાલી પડી રહી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાત બેઠકો ખાલી પડશે.
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2026
- 4:06 pm
Breaking News : કોંગ્રેસ મોદીની કબર કેમ ખોદવા માંગે છે? ખુદ PM મોદીએ જણાવ્યા કારણો, સાંભળો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસ પર વંશવાદી રાજનીતિ, લોકતંત્ર માટે ખતરનાક ગણાવી. તેમણે "મોદીની કબર ખોદવાની" ભાષા, રાષ્ટ્રીય સુરક્ષાના પગલાં અને સામાન્ય પરિવારના PM બનવા પર કોંગ્રેસના વિરોધની ટીકા કરી.
- Sagar Solanki
- Updated on: Feb 5, 2026
- 7:03 pm