AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યસભા

રાજ્યસભા

રાજ્યસભા એ ભારતીય સંસદનું ઉચ્ચ પ્રતિનિધિ ગૃહ છે. લોકસભા એ નીચલું પ્રતિનિધિ ગૃહ છે. રાજ્યસભામાં 245 સભ્યો છે. જેમાં 12 સભ્યો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થાય છે. જેમને ‘નોમિનેટેડ સભ્યો’ કહેવામાં આવે છે. અન્ય સભ્યો ચૂંટાઈને આવે છે. રાજ્યસભાના સભ્યો 6 વર્ષ માટે ચૂંટાય છે, જેમાંથી એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે.

કોઈપણ સંઘીય સરકારમાં, બંધારણીય જવાબદારીને કારણે સંઘીય સ્તરે રાજ્યના હિતોનું રક્ષણ કરવા માટે સંઘીય ધારાસભાના ઉપલા ભાગની રચના કરવામાં આવે છે. આ સિદ્ધાંતને કારણે રાજ્યસભાની રચના કરવામાં આવી છે. આ કારણોસર, રાજ્યસભાને ગૃહોની સમાનતા તરીકે જોવામાં આવે છે, જે સંસદના બીજા ગૃહ તરીકે રચવામાં આવી છે.

લોકસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવોની સમીક્ષા કરવા માટે રાજ્યસભાની રચના એક સંશોધન ગૃહ તરીકે કરવામાં આવી છે. તે મંત્રી પરિષદમાં નિષ્ણાતોની અછતને પણ પૂરી કરી શકે છે કારણ કે તેમાં ઓછામાં ઓછા 12 નિષ્ણાતો નામાંકિત છે. કટોકટી લાદતા તમામ ઠરાવો કે જે રાષ્ટ્રપતિ સમક્ષ જાય છે તે પણ રાજ્યસભા દ્વારા પસાર થવા જોઈએ. જુલાઈ 2018 થી, રાજ્યસભાના સાંસદો ગૃહમાં 22 ભારતીય ભાષાઓમાં ભાષણ આપી શકે છે, કારણ કે ઉપલા ગૃહમાં તમામ 22 ભારતીય ભાષાઓમાં એક સાથે અર્થઘટનની સુવિધા છે.

Read More

લોકોએ લોટરી લાગ્યાનું- મેળ પડ્યાનું કહેતા ભડક્યા રાજ્યસભાના સાસંદ, કહ્યું- મારી જિંદગીના 25 વર્ષ બળદિયાની જેમ કામ કર્યું છે ત્યારે અહીં પહોંચ્યો

વ્યવસાયે કેમિકલ એન્જિનિયર કેવી રીતે ભાજપમાં આવ્યો તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. નિરમા યુનિવર્સિટીમાં ભણતા એક મિત્ર થકી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યા અને તે થકી તેઓ ભાજપ યુવા મોરચામાં જોડાયા.

Breaking News : મીનાક્ષી નટરાજનના નોમિનેશન રદ થવા પર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહી આ વાત

કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંધવીએ મીનાક્ષી નટરાજનના રાજ્યસભાના નોમિનેશનને રદ થવાને ગેરકાનુની અને પક્ષપાતી કહ્યું છે. તેમણે કહ્યું કે, નટરાજન વિરુદ્ધ કોઈ અપરાધિક ગુનો નથી. માત્ર નોટિસ જાહેર કરી છે. તેનું નોમિનેશન રદ થવું કાનુની રુપથી ખોટું છે.

Breaking News: ટીએમસીને ઝટકો, સુસ્મિતા દેવે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું, બળવાખોર જૂથમાં કુલ 20 લોકસભા સાંસદો હોવાની માહિતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, બળવાખોર જૂથમાં કુલ 20 લોકસભા સાંસદોનો સમાવેશ થાય છે. જેમાં સયાની ઘોષ અને સુદીપ બંદોપાધ્યાયનો સમાવેશ થાય છે. વધુમાં, બે રાજ્યસભા સાંસદો (સુખેન્દુ શેખર રોય અને સુષ્મિતા દેવ) એ પણ રાજીનામું આપી દીધું છે. સયાની ઘોષ બંગાળના જાદવપુર લોકસભા મતવિસ્તારથી ટીએમસી સાંસદ છે.

Breaking News : રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું, કોંગ્રેસના એક પણ ઉમેદવાર નહીં હોય

રાજ્યસભા ચૂંટણીને લઇને મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ચારેય ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઋષિકેશ પટેલનું કહેવું છે કે, ગુજરાતમાં ઐતિહાસિક ઘટના બની છે.ગુજરાતમાં રાજ્યસભામાં તમામ સાંસદો ભાજપના હશે.કોંગ્રેસના એક પણ ઉમેદવાર નહીં હોય.

Breaking News : રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ, અંજલી રૂપાણી, નીતિન પટેલનું પણ નામ સામેલ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ તેમની પત્ની અંજલી રૂપાણીનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉદ્યોગપતિ ગૌતમ ગેડિયા અને જાહ્નવી વ્યાસના નામો પણ સંભવિત ઉમેદવારોમાં ગણાઈ રહ્યા છે.

Mehsana Breaking News : ભાજપના સાંસદ સામે બફાટ કરવો ભાજપના જ નેતાને પડ્યો ભારે, પોલીસે મધરાત્રે ઉઠાવીને જેલમાં ધકેલ્યો

મહેસાણા એ, ભાજપની પોલીટિકલ ટેસ્ટિગ લેબોલેટરી ગણાય છે. વર્ષોથી મહેસાણામાં ભાજપે કરેલ રાજકીય પ્રયોગ જો સફળ રહે તો તે સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવે છે. અને ગુજરાતમાં એ પ્રયોગ સફળ રહે તો સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવે છે.

ગદ્દાર કહેતા જ ભડક્યો હરભજનસિંહ, કહ્યું- પંજાબની રાજ્યસભાની બેઠક કેટલા કરોડમાં વેચી ? ખબર ના હોય તો હું કહીંશ

તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી રાજયસભાના બીજા સભ્યોની સાથેસાથે ભાજપમાં જોડાયેલા 'આપ'ના ભૂતપૂર્વ સભ્ય હરભજન સિંહને સોશિયલ મીડિયામાં 'દેશદ્રોહી' કહેવા પર વિવાદ સર્જાયો છે. હરભજન સિંહે 'આપ'ના નેતાઓ દ્વારા કરવામાં આવેલા શાબ્દિક હુમલાઓનો તીખો જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે દરેક આરોપનો જવાબ આપશે, જો કે, હરભજનસિંહે પણ વળતો હુમલો કરતા પૂછ્યું છે કે, "પંજાબ રાજ્યસભાની બેઠક કેટલામાં વેચી હતી?"

Breaking News : ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત, કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાઓની ટર્મ પુરી

ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે.શક્તિસિંહ ગોહિલ, રામ મોકરિયા, નરહરિ અમીન અને રમિલા બારાની ટર્મ પૂરી થઈ રહી છે . 18 જૂને ચૂંટણી યોજાશે.

રાઘવ ચઢ્ઢાએ 7 સાંસદો સાથે ધારણ કર્યો કેસરીયો, જાણો પ્રોફેશનલ લાઈફથી પોલિટિક્સ સુધીની સફર

રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો મોટો નિર્ણય લીધો છે. છેલ્લા 13 વર્ષથી કેજરીવાલના સૌથી વિશ્વાસુ મનાતા રાઘવ ચઢ્ઢા રાજકારણમાં આવતા પહેલા લંડનમાં સ્થાયી હતા અને જાણીતી કંપનીઓમાં CA તરીકે કામ કરતા હતા. વાંચો તેમની સફર.

રાજ્યસભાના આ સાંસદોએ AAP ઉપર ફેરવ્યો સાવરણો, કયા કયા ક્ષેત્રના નિષ્ણાંતે ધારણ કર્યો ભાજપનો ભગવો ?

પશ્ચિમ બંગાળની ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ને આજે મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બે તૃતીયાશ સંસદ સભ્યો, ભાજપમાં જોડાશે. જેમાંથી ત્રણ સાંસદોએ તો આજે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબિનના હસ્તે પેંડા ખાઈને મ્હો પણ મીઠુ કરી લીધુ.

બિલ નો કાયદો કેવી રીતે બને છે? જાણો સંસદમાં રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની રસપ્રદ સફર અને બહુમતીનું ગણિત

ભારતમાં કોઈપણ નવો કાયદો બનાવવાની પ્રક્રિયા અત્યંત ગહન અને બંધારણીય છે. સંસદના વિશેષ સત્રમાં રજૂ થયેલા ત્રણ નવા બિલો વચ્ચે, સામાન્ય જનતા માટે એ જાણવું જરૂરી છે કે એક ડ્રાફ્ટ કેવી રીતે દેશનો કાયદો બને છે અને તેમાં વિપક્ષ તથા રાષ્ટ્રપતિની ભૂમિકા શું હોય છે.

Breaking News: ચાલો ઇતિહાસ રચીએ… વોટિંગ પહેલાં PMની પોસ્ટ, વિપક્ષી પક્ષોને અપીલ

મહિલા અનામત બિલ અને સીમાંકન પર સંસદમાં ગુરુવારથી ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે આ ચર્ચા સવારે 1 વાગ્યા સુધી ચાલી હતી અને આજે શુક્રવારે પણ ચાલુ રહેશે. બિલ પર મતદાન સાંજે 4 વાગ્યે થવાનું છે. આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને તેમના નિર્ણય પર કાળજીપૂર્વક વિચાર કરવા અને મહિલા અનામતની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરી હતી.

મતવિસ્તારનું નવું સીમાંકન : જાણો ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન સહીત કયાં રાજ્યમાં કેટલી બેઠકો વધી શકે છે ?

કેન્દ્રની મોદી સરકારે આજે 16મી એપ્રિલથી ત્રણ દિવસનું સંસદનુ વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર બોલાવવા પાછળનો મુખ્ય હેતુ બંધારણમાં 131મો સુધારો કરવાનો છે. જો કે તેની સાથે સાથે લોકસભા મતવિસ્તારોનું નવા સીમાકંન ( ડિલિમિટેશન) પણ હાથ ધરવા માટેનો એજન્ડા પણ છે. આના કારણે ગુજરાત સહીત સમગ્ર દેશમાં લોકસભાની બેઠકોમાં ખાસ્સો વધારો થવાની સંભાવના છે.

Women Reservation Bil Explained: નવા અને જૂના મહિલા અનામત બિલ વચ્ચે શું તફાવત છે અને ચૂંટણી બેઠકો અંગે શા માટે પ્રશ્નો ઉભા થયા છે?

પ્રથમ વખત મહિલા આરક્ષણ બિલ 1996માં રજૂ કરવામાં આવ્યું હતું. તેને 81મું બંધારણીય સુધારા વિધેયક કહેવામાં આવ્યું હતું. તેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ હતો. આ બિલ વારંવાર અટકી ગયું. હવે “નારી શક્તિ વંદન અધિનિયમ” સાથે મહિલાઓના પ્રતિનિધિત્વમાં વધારો થવાની આશા ફરી જાગી છે. જૂના અને નવા મહિલા આરક્ષણ બિલમાં શું તફાવત છે, તે જાણો.

  • Nishat
  • Updated on: Apr 16, 2026
  • 11:17 am

Breaking News : રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીને આપ્યો જવાબ, ‘ચૂપ કરાવવામાં આવ્યો છે, પણ હાર્યો નથી’

AAPએ રાઘવ ચઢ્ઢાને ગૃહના ઉપનેતા પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને સત્તાવાર પત્ર લખ્યો હતો. પાર્ટીએ તેમના સ્થાને પંજાબના સાંસદ અશોક મિત્તલનું નામ ઉપનેતા તરીકે પ્રસ્તાવિત કર્યું છે. જો કે આ નિર્ણય પછી સોશિયલ મીડિયા પર રાઘવ ચઢ્ઢાનું પ્રથમ નિવેદન સામે આવ્યુ છે. 

સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">