AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યસભા

રાજ્યસભા

રાજ્યસભા એ ભારતીય સંસદનું ઉચ્ચ પ્રતિનિધિ ગૃહ છે. લોકસભા એ નીચલું પ્રતિનિધિ ગૃહ છે. રાજ્યસભામાં 245 સભ્યો છે. જેમાં 12 સભ્યો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થાય છે. જેમને ‘નોમિનેટેડ સભ્યો’ કહેવામાં આવે છે. અન્ય સભ્યો ચૂંટાઈને આવે છે. રાજ્યસભાના સભ્યો 6 વર્ષ માટે ચૂંટાય છે, જેમાંથી એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે.

કોઈપણ સંઘીય સરકારમાં, બંધારણીય જવાબદારીને કારણે સંઘીય સ્તરે રાજ્યના હિતોનું રક્ષણ કરવા માટે સંઘીય ધારાસભાના ઉપલા ભાગની રચના કરવામાં આવે છે. આ સિદ્ધાંતને કારણે રાજ્યસભાની રચના કરવામાં આવી છે. આ કારણોસર, રાજ્યસભાને ગૃહોની સમાનતા તરીકે જોવામાં આવે છે, જે સંસદના બીજા ગૃહ તરીકે રચવામાં આવી છે.

લોકસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવોની સમીક્ષા કરવા માટે રાજ્યસભાની રચના એક સંશોધન ગૃહ તરીકે કરવામાં આવી છે. તે મંત્રી પરિષદમાં નિષ્ણાતોની અછતને પણ પૂરી કરી શકે છે કારણ કે તેમાં ઓછામાં ઓછા 12 નિષ્ણાતો નામાંકિત છે. કટોકટી લાદતા તમામ ઠરાવો કે જે રાષ્ટ્રપતિ સમક્ષ જાય છે તે પણ રાજ્યસભા દ્વારા પસાર થવા જોઈએ. જુલાઈ 2018 થી, રાજ્યસભાના સાંસદો ગૃહમાં 22 ભારતીય ભાષાઓમાં ભાષણ આપી શકે છે, કારણ કે ઉપલા ગૃહમાં તમામ 22 ભારતીય ભાષાઓમાં એક સાથે અર્થઘટનની સુવિધા છે.

Read More

છેલ્લા 11 વર્ષમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવ્યાં

ભારત સરકારના સતત પ્રયાસોના પરિણામે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં કુલ 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી સ્વદેશ પરત મોકલાયા છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં ગુજરાતના અંદાજિત 123 માછીમારો સહિત કુલ 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. સરકારે સ્પષ્ટતા કરી કે માછીમારોની સલામતી અને વહેલી મુક્તિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સતત પાકિસ્તાન સમક્ષ માનવતાના ધોરણે મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.

રાજ્યસભાના નવા અધ્યક્ષના સ્વાગતમાં ખડગેએ એવુ તો શું કહ્યું ? કે, ગૃહમા અકળાઈ જઈને ભાજપે કહ્યું-તકલીફ હોય તો ડોકટરને બતાવો

આજથી સંસદનુ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યસભામાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષના સ્વાગત સંબોધનમાં, વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ એવુ નિવેદન કર્યું કે, શિયાળાની ઠંડીમાં રાજ્યસભામાં રાજકીય ગરમી વધી ગઈ હતી.

Parliament Winter Session : 1 થી 19 ડિસેમ્બર સુધી 15 દિવસમાં 10 બિલ રજૂ કરવામાં આવશે, સરકારનું ધ્યાન ‘રિફોર્મ’ પર

સરકાર 1 થી 19 ડિસેમ્બર દરમિયાન યોજાનાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન 10 નવા બિલ રજૂ કરવાની અને બે મહત્વપૂર્ણ બિલને મંજૂરી માટે ફરીથી રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

સુરત હીરાના વેપારી ગોંવિદ ધોળકિયા, વિશ્વકપ વિજેતા મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને ડાયમંડ જવેલરી-સોલાર પેનલ આપશે ભેટ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર ODI વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ જીત બાદ, BCCI એ ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે રૂપિયા 51 કરોડના ઈનામની જાહેરાત કરી છે. જ્યારે સુરત સ્થિત ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પણ ખેલાડીઓને ઈનામ આપવાની જાહેરાત કરી છે. ગોવિદ ધોળકિયા તરફથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને સોલાર પેનલ અને હીરાના દાગીના ભેટ સ્વરૂપે આપશે. ગોવિંદ ધોળકિયા ઉપરાંત વિવિધ રાજ્ય સરકારોએ પણ મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને કરોડોના ઈનામ આપવાની જાહેરાત કરી છે.

રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિને ઠગવાનો પ્રયાસ, સાયબર ઠગ DoT અધિકારી બનીને કહ્યું- પોર્નોગ્રાફિક વીડિયો શેર કર્યા છે !

તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેને દરેક વ્યક્તિને ચોંકાવી દીધા છે. વાત એમ છે કે, 'DoT' અધિકારીએ રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિની ઠગાઈ કરી અને પોર્નોગ્રાફિક વીડિયોઝ શેર કરવાની ધમકી આપી હતી.

ધુમ્મસને કારણે ફ્લાઈટ રદ ના થાય તે માટે કેશોદ એરપોર્ટ પર લગાવાશે એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ, કેશોદ એરપોર્ટ પર વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સહિત અપૂરતા નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઇટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Breaking News: સીપી રાધાકૃષ્ણન દેશના નવા ‘ઉપરાષ્ટ્રપતિ’ બન્યા, રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો

સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. જણાવી દઈએ કે, ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા.

ધનખર મુદ્દે કોઈ વિવાદ નથી, આરોગ્યને કારણે આપ્યું છે રાજીનામું : અમિત શાહ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા બાદ, કોંગ્રેસ સહિત વિપક્ષ તેમના મૌન પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આ અંગે પ્રતિક્રિયા આપી છે, ધનખરની બંધારણીય ભૂમિકા અને સ્વાસ્થ્ય કારણોસર રાજીનામાનો ઉલ્લેખ કરતા, અમિત શાહે ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીની પણ ટીકા કરી છે.

કેશોદ એરપોર્ટના રન વેનું વિસ્તરણ, જાન્યુઆરી 2027 સુધીમાં AB-320 પ્રકારના વિમાન ઉતરી શકશે

કેશોદ રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 190.56 કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી 2027 છે.

વિદેશ પ્રધાન એસ જયશંકરે રાજ્યસભામાં વિપક્ષને કહ્યું-કાન ખોલીને સાંભળી લો, મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ

વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લઈને પહેલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂરની કાર્યવાહીથી ગૃહને વાકેફ કર્યું હતું. એસ જયશંકરને સંબોધન વખતે વિપક્ષના સાંસદોએ, ટ્રમ્પે યુદ્ધ વિરામ કરાવ્યાનુ કહીને ખલેલ પહોચાડી હતી. આ સમયે વિદેશ પ્રધાને થોડાક રોષ સાથે કહ્યું કે, કાન ખોલીને સાંભળી લો, ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે 22 એપ્રિલથી 16 જૂન સુધી કોઈ જ વાતચીત નથી થઈ.

30 જુલાઈના મહત્વના સમાચાર : 31 જુલાઈને ગુરુવારે, સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાશે

આજે 30 જુલાઈને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

ભારતીય નાગરિકત્વ છોડવી હોય તો શું કરવું પડે ? છેલ્લા પાંચ વર્ષમાં કેટલા ભારતીયોએ છોડી નાગરિકતા ?

ભારતીયો વિશ્વના અનેક દેશમાં વસવાટ કરે છે. કેટલાક ભારતીયો જે તે દેશની નાગરિકતા સ્વીકારીને ત્યાં કાયમ માટે ઠરીઠામ થાય છે. કેટલાક ભારતીયો વિદેશની નાગરિકતા મેળવવા પ્રયાસ કરતા હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે ભારતીય નાગરિકતા છોડવા માટે કેવી કાર્યવાહી કરવી પડે છે. છેલ્લા પાંચ વર્ષમાં અનેક ભારતીયોએ ભારતની નાગરિકતા ત્યજીને વિદેશી બની ગયા છે.

Fact Check : રાજીનામા બાદ જગદીપ ધનખરનું કાર્યાલય સીલ કરવાના અહેવાલ, જાણો શું છે હકીકત

સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન સીલ કરી દેવામાં આવ્યું છે અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિને તાત્કાલિક તેમનું નિવાસસ્થાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ PIB ફેક્ટ ચેકે આ દાવાને ખોટો ગણાવ્યો છે.

રાજીનામાંની આખરી રાત.. કોઈને જાણ કર્યા વિના જ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જગદીપ ધનખડ, જાણો એ રાત્રે શું થયું ?

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવાર રાત્રે અચાનક પોતાનું રાજીનામું આપી દીધું છે, જેને મંગળવારે સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું. ધનખડે પોતાના સ્વાસ્થ્યને કારણે તરીકે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે, પરંતુ રાજીનામાની રીત અને સમયને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કેવી રીતે થશે, તેમની પાસે કેટલી સત્તા છે? જાણો હવે કોણ જવાબદારી સંભાળશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાની પહેલી લાઈનમાં તેમણે પોતાના સ્વાસ્થ્યને મુખ્ય કારણ ગણાવ્યું છે. જાણો, ઉપરાષ્ટ્રપતિનું કાર્ય શું છે, હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કેવી રીતે થશે અને રાજીનામા પછી કોણ જવાબદારી સંભાળશે?

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">