
રાજ્યસભા
રાજ્યસભા એ ભારતીય સંસદનું ઉચ્ચ પ્રતિનિધિ ગૃહ છે. લોકસભા એ નીચલું પ્રતિનિધિ ગૃહ છે. રાજ્યસભામાં 245 સભ્યો છે. જેમાં 12 સભ્યો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થાય છે. જેમને ‘નોમિનેટેડ સભ્યો’ કહેવામાં આવે છે. અન્ય સભ્યો ચૂંટાઈને આવે છે. રાજ્યસભાના સભ્યો 6 વર્ષ માટે ચૂંટાય છે, જેમાંથી એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે.
કોઈપણ સંઘીય સરકારમાં, બંધારણીય જવાબદારીને કારણે સંઘીય સ્તરે રાજ્યના હિતોનું રક્ષણ કરવા માટે સંઘીય ધારાસભાના ઉપલા ભાગની રચના કરવામાં આવે છે. આ સિદ્ધાંતને કારણે રાજ્યસભાની રચના કરવામાં આવી છે. આ કારણોસર, રાજ્યસભાને ગૃહોની સમાનતા તરીકે જોવામાં આવે છે, જે સંસદના બીજા ગૃહ તરીકે રચવામાં આવી છે.
લોકસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવોની સમીક્ષા કરવા માટે રાજ્યસભાની રચના એક સંશોધન ગૃહ તરીકે કરવામાં આવી છે. તે મંત્રી પરિષદમાં નિષ્ણાતોની અછતને પણ પૂરી કરી શકે છે કારણ કે તેમાં ઓછામાં ઓછા 12 નિષ્ણાતો નામાંકિત છે. કટોકટી લાદતા તમામ ઠરાવો કે જે રાષ્ટ્રપતિ સમક્ષ જાય છે તે પણ રાજ્યસભા દ્વારા પસાર થવા જોઈએ. જુલાઈ 2018 થી, રાજ્યસભાના સાંસદો ગૃહમાં 22 ભારતીય ભાષાઓમાં ભાષણ આપી શકે છે, કારણ કે ઉપલા ગૃહમાં તમામ 22 ભારતીય ભાષાઓમાં એક સાથે અર્થઘટનની સુવિધા છે.
ભારતની વિવિધ એરલાઈન્સે 2023 – 2024માં 1359 નવા વિમાનના ઓર્ડર આપ્યા
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલેએ જણાવ્યું હતું કે, 105 વિમાનો 15 વર્ષથી જૂના છે, જેમાં 43 વિમાનો એર ઇન્ડિયા લિ.ના અને 37 વિમાનો એર ઇન્ડિયા એક્સપ્રેસ લિ.ના છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2025
- 7:59 pm
વૈશ્વિક ગરમી અને ક્લાઈમેટ એક્શનને લઈને ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશેઃ પરિમલ નથવાણી
વિશ્વમાં વધતા ઉષ્ણતામાનની સમસ્યા આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંથી એક બની ગઇ છે. જેમાં મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં ઉત્સર્જનો જવાબદાર છે. પરંતુ ભારત, જે વિશ્વની 17 %થી વધુ જનસંખ્યા ધરાવતો દેશ છે, વૈશ્વિક ગરમી વિરુદ્ધ લડાઈમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2025
- 3:55 pm
પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લઈને, ભારતને ઈઝરાયેલ-અમેરિકાની યાદીમાં જોડી દીધુઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં દેશની સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીર સમસ્યા, ડાબેરી ઉગ્રવાદ અને ઉત્તર-પૂર્વમાં વિદ્રોહનો ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે, આખી દુનિયામાં માત્ર બે જ દેશ ઈઝરાયેલ અને અમેરિકા એવા છે જે દરેક સ્તરે પોતાની સરહદો અને સેના માટે તૈયાર છે. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લેતાની સાથે જ ભારતનુ નામ પણ ઈઝરાયેલ અને અમેરિકાની સાથેની યાદીમાં આવી ગયું છે.
- TV9 Gujarati
- Updated on: Mar 21, 2025
- 4:11 pm
પીએમ મોદીના 3 વર્ષમાં વિદેશ પ્રવાસ પાછળ કેટલો ખર્ચ થયો ? ખડગેના પ્રશ્ન પર સરકારે જણાવ્યાં આંકડા
વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 2022 થી 2024 દરમિયાન કુલ 38 દેશોની મુલાકાત લીધી હતી. 2022માં પીએમની નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો 80 લાખ 1 હજાર 483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. 2023માં અમેરિકા મુલાકાત દરમિયાન સૌથી વધુ 22 કરોડ 89 લાખ 68 હજાર 509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Mar 20, 2025
- 9:40 pm
પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે ગુજરાતના 123 સહીત કુલ 194 ભારતીય માછીમારો
ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ પોતપોતાના દેશની જેલોમાં કેદ રહેલા એકબીજાના દેશના નાગરિકો અને માછીમારોની યાદી એકબીજાને સુપરત કરે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 17, 2025
- 8:36 pm
ગીરમાં સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37 %નો વધારો
ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37%નો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 6, 2025
- 6:48 pm
અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસે ખોલ્યો મોરચો, આંબેડકરને લઈને 24મીએ કૂચ, 27મીએ રેલી
સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં બંધારણ ઉપરની ચર્ચાનો જવાબ આપતા સમયે, બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીને લઈને કોંગ્રેસ ભાજપ પર આકરા પ્રહારો કરી રહી છે. હવે કોંગ્રેસ શાહના રાજીનામાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. આ સાથે કોંગ્રેસ 24મી ડિસેમ્બરે આંબેડકર સન્માન કૂચ અને 27મી ડિસેમ્બરે મોટી રેલીનું આયોજન કરવા જઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 22, 2024
- 1:26 pm
રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે દેશભરમાં કરશે વિરોધ
ગઈકાલ ગુરુવારે, સંસદભવનના મકર ગેટ પાસે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સંસદ સભ્યો એકબીજાની સામે આવ્યા હતા અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સામસામે ભારે સૂત્રોચ્ચારો અને પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા. આ દરમિયાન વિપક્ષ ઈન્ડિયા એલાયન્સ અને સત્તાધારી એનડીએના સાંસદો વચ્ચે ધક્કામુક્કીમાં પૂર્વ મંત્રી પ્રતાપચંદ્ર સારંગી અને સાંસદ મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા.
- TV9 Gujarati
- Updated on: Dec 20, 2024
- 9:19 am
આંબેડકરના અપમાનને મુદ્દો બનાવી દેશના 20 કરોડથી વધુ દલિતોની વોટબેંકને પોતાની તરફ કરવાની રણનીતિ પર કામ કરી છે કોંગ્રેસ ?
કોંગ્રેસે 19 સેકન્ડનો અમિત શાહનો સંસદના ભાષણનો વીડિયો પોસ્ટ કરી લખ્યુ કે RSS અને ભાજપના મનમાં બાબા સાહેબ આંબેડકરને લઈને ધૃણા છે અને જે વીડિયો પોસ્ટ કરાયો તેમા અમિત શાહ વિપક્ષ પર પ્રહાર કરતા એવુ કહી રહ્યા છે " અત્યારે એક ફેશન થઈ ગઈ છે કે આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલુ નામ જો ભગવાનનું લીધુ હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી જતુ." જો કે 90 મિનિટના ભાષણમાંથી કોંગ્રેસ માત્ર 19 મિનિટના અમિત શાહના નિવેદનને તોડી મરોડીને રાજકીય ફટકાબાજી કરી રહી છે તેની પાછળ દલિત વોટબેંકની મજબુત રણનીતિ કામ કરી છે.
- Mina Pandya
- Updated on: Dec 19, 2024
- 6:57 pm
રાહુલ ગાંધીએ મારી સાથે કર્યુ ગેરવર્તન, મહિલા સાંસદ કોન્યાકે અધ્યક્ષને કરી ફરિયાદ
ફાનોંગ કોન્યાકે રાહુલ ગાંધી વિશે કહ્યું, "આજે દિવસ દરમિયાન, જ્યારે હું આંબેડકરને લઈને કોંગ્રેસનો વિરોધ કરી રહ્યી હતી, ત્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધી મારી ખૂબ નજીક આવ્યા. મને તે ગમ્યું નહીં અને અચાનક તેઓ બૂમો પાડવા લાગ્યા."
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2024
- 3:38 pm
ભાજપના સાંસદો લાકડી લગાવેલ પોસ્ટર સંસદ ભવનમાં કેવી રીતે લાવ્યા ? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
સંસદ સંકુલમાં વિપક્ષી સાંસદો અને ભાજપના સાંસદો વચ્ચે ઘર્ષણ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદોએ તેમને ધક્કો માર્યો, જ્યારે ભાજપે આ ઘટના માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને, તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને, સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2024
- 3:01 pm
કોંગ્રેસે મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યુ છે, હુ આંબેડકરનો અનુયાયી-અમિત શાહ
ડોકટર આંબેડકરનુ અપમાન કર્યું હોવાના કોંગ્રેસના આક્ષેપ બાદ, અમિત શાહે કહ્યું કે સંસદમાં ચર્ચા થઈ કે કોંગ્રેસે ચૂંટણીમાં આંબેડકરને કેવી રીતે હરાવ્યા. કોંગ્રેસે આ માટે ખાસ પ્રયાસો કર્યા અને પોતાની હાર સુનિશ્ચિત કરી, પરંતુ કોંગ્રેસે સત્યને અસત્યનો વેશ ધારણ કરીને ભ્રમ ફેલાવવાનો દૂષિત પ્રયાસ કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Dec 18, 2024
- 6:20 pm
આંબેડકરનું અપમાન કરવા બદલ અમિત શાહનું ખરગેએ માગ્યું રાજીનામુ, કિરણ રિજ્જુજીએ કહ્યું- કોંગ્રેસ નાટક કરે છે
આજે સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા વિપક્ષી સાંસદોએ, સંસદ પરિસરમાં આંબેડકરના પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, લોકસભાના સાંસદો પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી સાંસદોએ મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે આંબેડકર અંગે ઉચ્ચારાયેલા શબ્દોનો વિરોધ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Dec 18, 2024
- 3:45 pm
આંબેડકરના મુદ્દે અમિત શાહને વિપક્ષે ચારેબાજુથી ઘેર્યા, BJP – PM મોદી એક્ટિવ મોડમાં આવ્યા, સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ
સંસદમાં અમિત શાહની ઘેરાબંધી બાદ ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય મોડમાં આવી ગઈ છે. શાહ સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં તે રણનીતિઓ પર ચર્ચા થઈ શકે છે જેના દ્વારા ભાજપ સંસદમાં આ મુદ્દા પર કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી શકે.
- TV9 Gujarati
- Updated on: Dec 18, 2024
- 2:01 pm
ચશ્મા વિદેશી હશે તો બંધારણમાં ભારતીયતા નહીં દેખાય, અમિત શાહનો વિપક્ષ પર કટાક્ષ
રાજ્યસભામાં બંધારણ પર ચર્ચાનો છેલ્લો દિવસ છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યસભામાં પોતાના વિચારો રજૂ કર્યા. આ દરમિયાન તેમણે લોકશાહી પર એક મહત્વની વાત કહી કે આપણી સાથે ઘણા દેશોને આઝાદી મળી પરંતુ તેમાંથી ઘણા દેશોમાં લોકશાહી સફળ નથી થઈ.
- Dilip Chaudhary
- Updated on: Dec 17, 2024
- 8:02 pm