AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાની આત્મહત્યા બાદ નથી મળી રહ્યો તેનો મોબાઇલ, ડિપ્રેશનની દવા લેતા હોવાનો પણ ખુલાસો

પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા કેસ મામલે નવા સમાચાર સામે આવ્યા છે. ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીનો મોબાઇલ ફોન ગુમ છે. એટલુ જ નહીં આપઘાતને લઇને જીત પાબારીએ કોઇ સુસાઇડ નોટ લખી હોવાનું પણ ધ્યાને આવ્યુ નથી.તો અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ આ કેસમાં થયા છે.

પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાની આત્મહત્યા બાદ નથી મળી રહ્યો તેનો મોબાઇલ, ડિપ્રેશનની દવા લેતા હોવાનો પણ ખુલાસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2025 | 12:19 PM
Share

પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા કેસ મામલે નવા સમાચાર સામે આવ્યા છે. ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીનો મોબાઇલ ફોન ગુમ છે. એટલુ જ નહીં આપઘાતને લઇને જીત પાબારીએ કોઇ સુસાઇડ નોટ લખી હોવાનું પણ ધ્યાને આવ્યુ નથી.તો અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ આ કેસમાં થયા છે.

રાજકોટમાં પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીએ આત્મહત્યા કર્યા પછી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટના અમીન માર્ગ પર આવેલા ઘરે જીત પાબારી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. સવારે પરિવારજનોએ જીતના રૂમમાં નજર કરી ત્યારે તે ફાંસો લટકતી સ્થિતિમાં દેખાયો હતો. તાત્કાલિક કાલાવડ રોડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જીત છેલ્લા ઘણા સમયથી ગંભીર ડિપ્રેશનમાં હતો

પોલીસ અને FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આશ્ચર્યજનક રીતે જીતનો મોબાઈલ ફોન ઘટનાસ્થળેથી ભેદી રીતે ગુમ હોવાનું સામે આવ્યું છે, જેને કારણે આત્મહત્યાના કેસમાં વધુ સવાલો ઊભા થયા છે. હાલ કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પ્રાથમિક તપાસ મુજબ જીત છેલ્લા ઘણા સમયથી ગંભીર ડિપ્રેશનમાં હતો અને તે ડિપ્રેશનની દવાઓ પણ લેતો હતો.

એક વર્ષ પહેલા જીત વિરુદ્ધ નોંધાઇ હતી દુષ્કર્મની ફરિયાદ

આ ઉપરાંત મહત્વપૂર્ણ એંગલ એ છે કે 26 નવેમ્બર 2024ના રોજ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારી વિરુદ્ધ પૂર્વ મંગેતરએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. યોગાનુયોગ, ફરિયાદ નોંધાવાની તારીખે જ એક વર્ષ પછી જીતે આત્મહત્યા કરી હોવાની ઘટના અનેક શંકાઓ ઉભી કરે છે.

જીતના મોત પાછળનું સાચું કારણ જાણવા પોલીસે તપાસને વધુ વેગ આપ્યો છે. જીતના રૂમની સઘન તપાસ અને સ્થળ પંચનામું આજે કરવામાં આવી રહ્યું છે. મૃતક માનસિક દબાણ, ગુમ થયેલો મોબાઈલ અને નોંધાયેલ દુષ્કર્મ કેસ—આ તમામ બાબતોને આધારે પોલીસ તમામ એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે.

વીથ ઇનપુટ-મોહિત ભટ્ટ, રાજકોટ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">