Breaking News : સંસદમાં PM મોદી પર હુમલાનું કાવતરું ઘડાયું હતું, કોંગ્રેસે મહિલા સાંસદોનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો : લોકસભા સચિવાલય
બજેટ સત્રના 7માં દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પીએમ મોદીના ભાષણ વિના જ પસાર કરવામાં આવ્યો હતો. જે 22 વર્ષમાં પહેલી વખત છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ દ્વારા પીએમ પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતુ. જેના કારણે આ નિર્ણ લેવામાં આવ્યો હતો.

સંસદના બજેટ સત્રનો આજે 7મો દિવસ છે. બજેટ સત્રના સાતમા દિવસે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવને ભારે હોબાળા વચ્ચે ધ્વનિ મતદાન દ્વારા પસાર કરવામાં આવ્યો. અંદાજે 22 વર્ષ બાદ આવું થયું છે કે, જ્યારે વડાપ્રધાનના ભાષણ વિના જ ધન્યવાદ પ્રસ્તાવ પાસ થયો છે. પરંતુ પીએમ મોદીનું ભાષણ ન હોવા પાછળ એક કારણ પણ સામે આવ્યું છે. જે મુજબ કોંગ્રેસે પીએમ મોદી પર શારીરિક હુમલાની તૈયારી કરી હતી. આ કારણે ભાષણ આપવામાં આવ્યું ન હતુ.
PM મોદી પર હુમલાનું કાવતરું
લોકસભા સચિવાલયના સુત્રો મુજબ આ એક અભૂતપૂર્વ છે કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ભાષણ આપ્યું ન હતુ.મળતી જાણકારી અનુસાર કોંગ્રેસ લોકસભામાં વડાપ્રધાન પર શારીરિક હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યું હતો. આ માટે તેમણે મહિલા સાંસદને ઢાલ રુપમાં આગળ મોકલી હતી.આ કારણે વડાપ્રધાન સંસદમાં હાજર હોવા છતાં અને ભાષણ આપવા માટે ઉપલબ્ધ હોવા છતાં, સ્પીકરે ગૃહને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
કોંગ્રેસ નેતાઓ સાથે કરાઈ વાત-સચિવાલય
લોકસભા સચિવાલયના સુત્રોની જો વાત માનીએ તો, પીએમ મોદી સંસદમાં અભિભાષણ પર પોતાની વાત રાખવા માટે તૈયાર હતા. આને લઈ પહેલાથી સંપુર્ણ તૈયારી કરવામાં આવી હતી. પરંતુ વિપક્ષ શરુઆતથી હંગામો કરી રહ્યો હતો. આના પર તમામની નજર હતી.જેને જોઈ કોંગ્રેસે પ્લાન બનાવ્યો હતો કે, પીએમ મોદી ગૃહમાં જ ઘેરવામાં આવશે.
સચિવાલય સુત્રોની જો આપણે વાત માનીએ તો આને લઈ પહેલા કેટલીક વખત કોંગ્રેસના સીનિયર નેતાઓ સાથે વાતચીત થઈ ચૂકી હતી. પરંતુ તે પોતાના વાત છોડી રહ્યા ન હતા. અધિકારીઓએ કેટલીક વખત આ બેઠકમાં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે માનવ્યા નહી. આ માટે પીએમ મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વાત રાખી ન હતી.
એક ફ્રેમમાં જુઓ મોદી પરિવાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે જુઓપરિવારમાં કેટલા છે સભ્યો? અહી ક્લિક કરો
