મહાશિવરાત્રી

મહાશિવરાત્રી

હિંદુ ધર્મમાં, મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે, મહા શિવરાત્રી મહા મહિનાની સુદ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે, એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા.દેશભરના તમામ જ્યોતિર્લિંગો અને શિવ મંદિરોમાં મહાશિવરાત્રિ પર શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જ્યાં શિવલિંગનો જલાભિષેક ધાર્મિક વિધિ તરીકે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે.મહાશિવરાત્રિ પર, શિવભક્તો તેમના દેવતાનું ધ્યાન કરતી વખતે આખી રાત જાગતા રહે છે. શિવભક્તો આ દિવસને ભગવાન શિવના લગ્ન ઉત્સવ તરીકે ઉજવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે ત્યાગનું જીવન છોડીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો.

Read More

અબુ ધાબીના હિંદુ મંદિરમાં મહાશિવરાત્રી પર્વ પર લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી

8 માર્ચ 2024ના રોજ, અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરને વાઇબ્રન્ટ રંગોથી શણગારવામાં આવ્યું હતું કારણ કે ભગવાન શ્રી શિવને સમર્પિત હિંદુ કેલેન્ડરમાં આદરણીય પ્રસંગ, મહાશિવરાત્રીની ઉજવણી કરવા હજારોની સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા. મંદિરના ઉદ્ઘાટન પછી ઉજવવામાં આવેલો આ પહેલો હિંદુ તહેવાર હતો.

Junagadh: મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીનો મેળો સંપન્ન, 11 લાખ જેટલા લોકોએ મેળો માણ્યો, જુઓ Video

જૂનાગઢના ભવનાથમાં રવેડી બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિનો મહામેળો સંપન્ન થયો છે. રાત્રે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ સંતોની પરંપરાગત રીતે રવેડી નીકળી હતી. જે ભવનાથ પહોંચ્યા બાદ રાત્રે 12 વાગ્યે ભવનાથ મંદિરે મહાઆરતી થઇ હતી.

સાબરકાંઠાઃ રોડાના પ્રાચીન મંદિર સમૂહમાં મહાઆરતી યોજાઈ, Vote for Bharat ની કરાઈ અપીલ

સાબરકાંઠા જિલ્લાનમાં પ્રાચીન વારસો ધરાવતા સ્થળોમાં રાયસિંગપુર રોડાના શિવ મંદિરનો સમૂહ જાણીતો છે. અહીં પ્રવાસીઓ પણ આ પ્રાચીન સ્થાપત્યોને જોવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. શિવ મંદિર સમૂહ સ્થળે શિવરાત્રીના દિવસે સ્વચ્છતા યોજીને મહાઆરતીનું આયોજન કરીને મતદાન જાગૃતિની અપીલ કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગનું સુરતમાં નિર્માણ, દર્શનાર્થે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ ફોટા

મહાશિવરાત્રીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં આસ્તિક ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસ માટે ભવ્ય શિવભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આકર્ષણનું કેન્દ્ર 35 ફૂટ ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ છે. આ શિવલિંગ દક્ષિણ ગુજરાતનું સૌથી ઊંચું મહાકાલ રુદ્રાક્ષ શિવલિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ડાંગના બાગેશ્વર ધામ તરીકે પ્રખ્યાત છે અર્ધનારેશ્વર બિલમાળ ધામ, જુઓ તસવીર

મહાશિવરાત્રી નિમિતે ડાંગ જિલ્લાના શિવાલયો હરહર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા. ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ડાંગનું બાગેશ્વર ધામ ગણાતું અર્ધનારેશ્વર બિલમાળ ધામ ખાતે ભોલેનાથના ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પાર્થેશ્વર મંદિરમાં મહાપૂજા સાથે વિશેષ શિવલિંગનું પૂજન, જુઓ વીડિયો

મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરાવવામાં આવી છે. તો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે 1 હજાર પરિવારો દ્વારા પાર્થેશ્વર મહાપુજા કરવામાં આવી હતી.

જૂનાગઢમાં મહાશિવરાત્રિએ જામ્યો ભક્તિનો માહોલ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, જુઓ Video

જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાના ચોથો દિવસે ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. ભવનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ પરિસર ગુંજી ઉઠ્યું છે.

કોટામાં શિવ શોભાયાત્રામાં અકસ્માત, ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 બાળકો દાઝ્યાં

રાજસ્થાનના કોટામાં એક મોટી દુર્ઘટના થવા પામી છે. અહીં શિવ શોભાયાત્રા દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 બાળકો દાઝી ગયા હતા. જેમાં ત્રણની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

મહાશિવરાત્રિ નિમિતે સાળંગપુરના કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર, નિલકંઠ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરાઇ

આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, ત્યારે મહાશિવરાત્રિ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજે મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી.

બેરણામાં વિશાળ શિવ પ્રતિમા સમક્ષ સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરણામાં કંટાળેશ્વર હનુમાનજી મંદિરે આજે સહસ્ત્રલિંગ 51 ફૂટ શિવજીની પ્રતિમા આગળ 20 માં વર્ષે સવા મણ રૂ ની દિવેટ વિશ્વ શાંતિ માટે પ્રગટાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દિવેટમાં ઘી ની આહુતિ આપી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

શિવરાત્રીએ રુદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે આ મનોકામનાઓ પૂર્ણ, વાંચો દરેક રુદ્રાક્ષનું મહત્વ

મહાશિવરાત્રી એ ભારતીયોનો મુખ્ય તહેવાર છે. મહાશિવરાત્રી મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના શુભ લગ્ન થયા હતા. બીજી માન્યતા અનુસાર, ભગવાન શિવે આ રાત્રે આનંદ તાંડવ (સર્જન અને વિનાશ) કર્યું હતું.

Shivratri 2024 : વિશ્વનું સૌથી ઉંચુ શિવ મંદિર ક્યા આવેલુ છે? પાંડુ પુત્ર અર્જુન સાથે છે કનેક્શન

આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે. તે ઉત્તરાખંડમાં ચંદ્રનાથ પર્વત પર 3680 મીટર (12,073 ફીટ)ની ઉંચાઈ પર આવેલું છે. મંદિરનો શાબ્દિક અર્થ પર્વતોનો ભગવાન છે. પ્રાચીન મંદિરનો ઇતિહાસ મહાભારત જેટલો જૂનો છે. મહાશિવરાત્રીના અવસર પર ચાલો જાણીએ ભગવાન શિવના સૌથી ઊંચા મંદિર સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

Mahashivratri 2024 : મહાશિવરાત્રીના વ્રત પર ખાઓ આ 4 ફુડ, બોડી થઇ જશે ડિટોક્સ

Mahashivratri Fasting:મહાશિવરાત્રીના અવસર પર, ભક્તો એક દિવસનો ઉપવાસ કરે છે અને ખૂબ જ ઉત્સાહથી ભગવાન શિવની પૂજા કરે છે. પરંતુ ઉપવાસ દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે ઉપવાસ દરમિયાન કયો ખોરાક ખાવો જોઈએ.

Mahashivratri 2024: પ્રથમ જ્યોર્તિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video

આજે મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે ભાવિકોના ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે.વહેલી સવારથી જ ભક્તોની ભીડ મંદિરમાં જોવા મળી રહી છે.

મહા શિવરાત્રી સ્પેશ્યલ: મહામૃત્યુંજય મંત્રનું આ રહસ્ય કોઈ નથી જાણતું

હિંદુ ધર્મમાં ભગવાન શિવને સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. ભગવાન શિવના મહામૃત્યુંજયના જાપ કરતાં આધ્યાત્મિક સાધના કરવી વધુ ફાયદાકારક છે. અન્ય તમામ સંસ્કૃત મંત્રો કરતાં મહામૃત્યુંજય મંત્ર વધુ પ્રચલિત છે.

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">