
મહાશિવરાત્રી
હિંદુ ધર્મમાં, મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે, મહા શિવરાત્રી મહા મહિનાની સુદ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે, એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા.દેશભરના તમામ જ્યોતિર્લિંગો અને શિવ મંદિરોમાં મહાશિવરાત્રિ પર શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જ્યાં શિવલિંગનો જલાભિષેક ધાર્મિક વિધિ તરીકે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે.મહાશિવરાત્રિ પર, શિવભક્તો તેમના દેવતાનું ધ્યાન કરતી વખતે આખી રાત જાગતા રહે છે. શિવભક્તો આ દિવસને ભગવાન શિવના લગ્ન ઉત્સવ તરીકે ઉજવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે ત્યાગનું જીવન છોડીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો.
Mahashivratri 2025 : સદગુરુ ઈશા ફાઉન્ડેશનનો આજે મહાશિવરાત્રિ ઉત્સવ, જાણો ક્યાં જોઈ શકશો લાઈવ
મહાશિવરાત્રિ પર, બુધવારે કોઈમ્બતુરમાં સદગુરુના ઈશા યોગ કેન્દ્રમાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ પણ થશે. મોટી વાત એ છે કે આ કાર્યક્રમમાં પહેલીવાર સદગુરુ શિવ મહામંત્રની દીક્ષા આપવા જઈ રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2025
- 7:21 pm
Breaking News : માતા-પિતા સાથે કેદારનાથ જવાનો બનાવી લો પ્લાન, આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ
મહાશિવરાત્રિના પાવન અવસર પર કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તો જો તમે પણ કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણી લો કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે. તેમજ કેદારનાથ ધામ કેવી રીતે પહોંચશો.
- Nirupa Duva
- Updated on: Feb 27, 2025
- 3:56 pm
Dwarka : મહાશિવરાત્રીના પર્વ પર દ્વારકાના જગતમંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જુઓ Video
આજે મહાશિવરાત્રી નિમિત્તે દ્વારકાના જગતમંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા હતા. પૂજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશને અદભુત શણગાર કરવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2025
- 2:58 pm
Somnath : મહાશિવરાત્રીના પર્વ પર હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યા દર્શન, જુઓ Video
આજે મહાશિવરાત્રીનો મહાપર્વ હોવાથી તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીજ જામી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં છે.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2025
- 2:44 pm
Junagadh : ભવનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર, જુઓ Video
જૂનાગઢના ભવનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સમગ્ર ભવનાથ આજે શિવરાત્રીના દિવસે શિવમય બન્યું છે. સમગ્ર ભવનાથ મંદિરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2025
- 2:43 pm
હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો રાત્રે કેમ ઉજવવામાં આવે છે, જુઓ ફોટો
હિંદુ ધર્મમાં મોટાભાગના તહેવારો સૂર્યોદય પછી ઉજવવાની પરંપરા છે, પરંતુ કરવાચોથ, હોળી, દિવાળી, શરદ પૂર્ણિમા, પોષી પૂનમ, જન્માષ્ટમી અને શિવરાત્રી એવા તહેવારો છે જે રાત્રે ઉજવવામાં આવે છે. રાત્રે સેલિબ્રેટ કરવામાં આવતા તહેવારો વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Feb 26, 2025
- 2:24 pm
Mahashivratri 2025: કોઈને ભાંગ ચડી ગઈ છે? તો આ ટિપ્સ તમને તેનાથી છુટકારો મેળવવામાં મદદ કરશે
Bhang Hangover : જો તમને મહાશિવરાત્રી પર ભાંગ પીવાનો શોખ છે, પરંતુ નશાને કારણે તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે તો જાણો ભાંગના નશાથી છુટકારો મેળવવા માટે કયા ઘરેલું ઉપાયો તમારા માટે ઉપયોગી થઈ શકે છે. દેશી ઘીથી લઈને આદુ સુધી બધું જ મદદ કરશે.
- Meera Kansagara
- Updated on: Feb 26, 2025
- 11:49 am
ભાંગ પીધા પછી કેમ બકવાસ કરવા લાગે છે લોકો ? વાંચો શું કહે છે વિજ્ઞાન
Why Bhang makes Happy:શિવરાત્રી અને ભાંગ વચ્ચેનો સંબંધ સેંકડો વર્ષ જૂનો છે.પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવે ભાંગનું સેવન સમુદ્ર મંથન દરમિયાન હલાહલ (વિષ) પચાવવા માટે કર્યું હતું, કારણ કે ભાંગના શીતળ ગુણો તેમના શરીરમાં રહેલી ઝેરી ગરમીને શાંત કરવા માટે ઉપયોગી બન્યા, લોકો ભાંગ પીધા પછી હોશ ગુમાવી બેસે છે. તમે હસો તો કલાકો સુધી હસતા રહે. જ્યારે તમે નાચવાનું શરૂ કરો છો, ત્યારે તમારા પગ કલાકો સુધી થીરકતા બંધ થતા નથી. કલાકો સુધી હસતા રહે છે. રંગોના તહેવારના નામ પર, ચાલો સમજીએ કે ભાંગનું વિજ્ઞાન શું છે.
- Dhinal Chavda
- Updated on: Feb 26, 2025
- 11:29 am
Sabudana Paratha Recipe : ફરાળ બનાવવાનું ભૂલી ગયા છો ? 10 મિનિટમાં ઘરે બનાવો સાબુદાણાના પરોઠા
મહાશિવરાત્રીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક સાબુદાણાના પરોઠા સરળતાથી કેવી રીતે બનાવી શકાય.
- Disha Thakar
- Updated on: Feb 26, 2025
- 11:23 am
મહાશિવરાત્રીના પર્વ પર ઘરે બેઠા કરો સોમનાથ મહાદેવના વિશેષ શ્રૃંગારના દર્શન, મંદિરમાં આજે શિવ મહારુદ્ર યજ્ઞ, જુઓ Video
સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે વહેલી સવારથી ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સોમનાથમાં હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર સતત ગુંજી રહ્યુ છે. મહાશિવરાત્રીના પર્વે સોમેશ્વર મહાદેવને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. શિવરાત્રી નિમિત્તે સોમનાથ ધામમાં ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2025
- 9:57 am
Mahashivratri 2025 : મહાશિવરાત્રી પર 4 પ્રહરની પૂજામાં કરો મહાદેવ પર આ વસ્તુઓનો અભિષેક,જાણો સંપૂર્ણ વિગત
મહાશિવરાત્રીના પર્વ પર ભગવાન શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ માનવામાં આવે છે. શિવરાત્રીના દિવસે દેશભરમાં ઉત્સાહનો માહોલ હોય છે. શિવરાત્રીની રાત્રે પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.
- Disha Thakar
- Updated on: Feb 26, 2025
- 2:22 pm
Mahashivratri 2025 : 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો બનાવી રહ્યા છો પ્લાન, તો જાણો નજીકનું રેલવે સ્ટેશન કયું છે?
શિવ પુરાણમાં ભગવાન શિવ અને તેમના 12 જ્યોતિર્લિંગોના વિવિધ અવતારોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તો આજે આપણે 12 જ્યોર્તિર્લિંગના દર્શન કેવી રીતે કરશો તેના વિશે જણાવીશું.
- Nirupa Duva
- Updated on: Feb 26, 2025
- 7:34 am
26 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ગુજરાતની ભાજપ સરકાર હાથી જેવડી જાહેરાત કરીને, ખેડૂતોને કીડી જેટલું વળતર પણ આપતી નથી: કોંગ્રેસ કિસાન સેલ
આજે 26 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2025
- 9:55 pm
મહાશિવરાત્રી પર્વે સુરતમાં ઘી થી બનાવેલી શિવજીની પ્રતિકૃતિઓ બનશે આકર્ષણનું કેન્દ્ર- જુઓ Photos
સુરતી લાલાઓ હર હંમેશ કંઈક અનોખુ કરવા માટે જાણીતા છે. ત્યારે આ વખતે મહાશિવરાત્રી પર્વે પણ તેઓ કેમ પાછળ રહે. સુરતના વિવિધ શિવાલયોમાં ઘીથી બનાવેલી વિવિધ શિવજીની પ્રતિકૃતિઓ જોવા મળશે. સુરતના સલાબતપુરા આર્ટિસ્ત પ્રકાશભાઈ દર વર્ષે ઘી ના કમળ બનાવે છે આ વખતે તેમણે ઘી માંથી શિવજીની વિવિધ પેઈન્ટીંગ્સ તૈયાર કરી છે. નીચે સ્ક્રોલ કરીને જુઓ મનમોહક આ તસવીરો
- Sanjay Chandel
- Updated on: Feb 25, 2025
- 9:20 pm
સોમનાથ મંદિરને તોડનારા, લૂંટનારા અને લાખો હિંદુઓની કતલેઆમ કરનારા આ મુસ્લિમ આક્રાંતાની પાકિસ્તાન કેમ કરે છે પૂજા?
મહાશિવરાત્રીના પર્વે વાત કરવી છે સોમનાથ મંદિરને લૂંટનારા, 25 વર્ષમાં 17-17 વાર ભારત પર આક્રમણ કરનારા, લાખો હિંદુઓને મોતને ઘાટ ઉતારનારા મહમુદ ગઝની વિશે. જો કે બહુ ઓછા લોકો જાણતા હશે કે ભારતમાં બેફામ લૂંટફાટ મચાવનારા, અનેક નિર્દોષો ને તલવારના જોરે મોતને ઘાટ ઉતારનારા આ મુસ્લિમ આક્રાંતાને આપણો પડોશી દેશ પાકિસ્તાન ઈશ્વરની જેમ પૂજે છે અને તેને ઈસ્લામનો મસીહા અને સૌથી મોટો જેહાદ્દી પણ ગણાવે છે.
- Mina Pandya
- Updated on: Feb 25, 2025
- 9:16 pm