મહાશિવરાત્રી
હિંદુ ધર્મમાં, મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે, મહા શિવરાત્રી મહા મહિનાની સુદ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે, એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા.દેશભરના તમામ જ્યોતિર્લિંગો અને શિવ મંદિરોમાં મહાશિવરાત્રિ પર શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જ્યાં શિવલિંગનો જલાભિષેક ધાર્મિક વિધિ તરીકે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે.મહાશિવરાત્રિ પર, શિવભક્તો તેમના દેવતાનું ધ્યાન કરતી વખતે આખી રાત જાગતા રહે છે. શિવભક્તો આ દિવસને ભગવાન શિવના લગ્ન ઉત્સવ તરીકે ઉજવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે ત્યાગનું જીવન છોડીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો.
Breaking News : ભાગતી ફરતી કીર્તિ પટેલને રાજસ્થાનથી ધરપકડ કરી જૂનાગઢ લવાઈ, ધાર્મિક લાગણી દુભાવવા સહિત નોંધાયા ત્રણ ગુના
એક બાદ એક નવા વિવાદનો મધપૂડો છેડનાર કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કર્યા બાદ તેને જુનાગઢ લાવવામાં આવી છે. મૃગીકુંડમાં જ્યાં સંસારીઓના સ્નાન પર કરવા પ્રતિબંધ છે ત્યા સાધુઓ વચ્ચે સ્નાન કરી કીર્તિએ સનાતનની પરંપરા તોડી. આ બાદ પણ વીડિયો બનાવી ધમકી આપતી કીર્તિ પટેલ સામે અલગ અલગ ત્રણ ગુના નોંધાયા છે હવે કીર્તિ પટેલે પર કાયદાનો સકંજો કસાયો છે.
- Ashvin Patel
- Updated on: Feb 22, 2026
- 8:03 pm
Breaking News : રાજસ્થાનમાં રખડતી વિવાદાસ્પદ કીર્તિ પટેલ આખરે પોલીસના હાથે ચડી
જો કે, જૂનાગઢમાં ત્રણ ત્રણ પોલીસ ફરિયાદ કરાઈ હોવા છતા, કીર્તિ પટેલ જાણે જૂનાગઢ પોલીસને પડકાર આપતી હોય તેમ સોશિયલ મીડિયા પર તેના વીડિયો પોસ્ટ કરતી આવી હતી. જો કે, વિવાદાસ્પદ કીર્તિ પટેલ પકડાઈ જતા પોલીસે મોટી રાહત અનુભવી હોવાનું પોલીસ બેડાના સૂત્રોએ જણાવ્યું હતું
- TV9 Gujarati
- Updated on: Feb 22, 2026
- 2:36 pm
કીર્તિ પટેલના ત્રાસથી જેતપુરના યુટ્યુબરે ગટગટાવ્યુ ફિનાઈલ, ધમકી અને ખંડણી માગવાનો આરોપ Video
મહાશિવરાત્રીના દિવસે જુનાગઢના ભવનાથમાં આયોજિત મેળામાં મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતે વિવાદમાં આવેલી કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં બે ફરિયાદ નોંધાઈ ચુકી છે. આ જ વિવાદમાં ઈન્દ્રભારતી બાપુને ખુલ્લા પાડવાની ધમકી આપનારી કીર્તિ પટેલ સામે જેતપુરમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 22, 2026
- 2:11 pm
Breaking News : જૂનાગઢમાં કીર્તિ પટેલ Vs ઇન્દ્રભારતી બાપુ, કીર્તિ પટેલે લગાવ્યા આક્ષેપ, વીડિયોથી વિવાદ
જૂનાગઢની પવિત્ર ગિરનારની તળેટીમાં અત્યારે માત્ર ભજન કે ભોજનનો સૂર નથી, પણ આક્ષેપોની એક એવી આંધી ચઢી છે જેણે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલનો 14 મિનિટનો લેટેસ્ટ વીડિયો કોઈ સામાન્ય વિવાદ નથી, આ માત્ર ન્યાયની શોધ નથી, પણ એક એવી લડાઈ છે જેમાં ધર્મ, રાજકારણ અને પોલીસ પ્રશાસન ત્રણેયના ગઠબંધન પર પ્રશ્નાર્થ ચિહ્નો મૂકવામાં આવ્યા છે. શું આ લોકશાહીમાં સત્યનો અવાજ છે, કે પછી કોઈ મોટા પડદા પાછળનું ગૂઢ સત્ય?
- Hasmukh Ramani
- Updated on: Feb 21, 2026
- 1:53 pm
Breaking News : કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન પછી ભવનાથમાં ભડક્યો વિવાદનો જ્વાળામુખી! જુઓ Video
જૂનાગઢમાં કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન બાદ ભવનાથમાં સાધુ-સંતો આમને-સામને આવ્યા છે. રુદ્રેશ્વર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી પર અમરગીરી બાપુએ ડ્રગ્સના વેપાર, છોકરીઓને આશ્રમમાં લાવવા અને ગેરકાયદેસર કામોના ગંભીર આક્ષેપો કર્યા છે. ભવનાથ મંદિરમાં યોગ્ય મહંતની નિમણૂક કરવાની માગ ઉઠી છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 20, 2026
- 10:23 am
Breaking News : કિર્તી પટેલ સામે FIR, જૂનાગઢ ભવનાથ મેળામાં થયો હતો વિવાદ, જુઓ Video
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કિર્તી પટેલ જૂનાગઢમાં ફરી કાયદાકીય વિવાદમાં સપડાઈ છે. ભવનાથ પોલીસ સ્ટેશનમાં PI કે. જે. મોડે દ્વારા તેની સામે પોલીસ સાથે ગેરવર્તન બદલ ફરિયાદ નોંધાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 17, 2026
- 8:55 pm
Breaking News : જૂનાગઢના મિની મહાકુંભમાં સાધુ-સંતો સાથે PI વરીયાની ડુબકીથી વિવાદ, જુઓ Video
જૂનાગઢના ભવનાથ મેળામાં મિની મહાકુંભ દરમિયાન મૃગી કુંડમાં પીઆઈ વરિયાના સ્નાનથી નવો વિવાદ સર્જાયો છે. સાધુ-સંતો માટે નિર્ધારિત આ કુંડમાં તેમણે નિયમો અને બેરિકેડિંગ તોડીને સ્નાન કર્યું હતું. અગાઉ કીર્તિ પટેલના આવા જ વિવાદ બાદ આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 16, 2026
- 10:58 am
Breaking News : જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભમાં સાધુનો વેશ ધારણ કરી પ્રવેશ… કીર્તિ પટેલ શું સાબિત કરવા માગે છે ? જુઓ Video
જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભ દરમિયાન મૃગી કુંડ ખાતે બનેલી ઘટના માત્ર એક સામાન્ય વિવાદ નથી, પરંતુ ધાર્મિક પરંપરાઓ અને વ્યવસ્થાપન પર સીધો સવાલ ઊભો કરતી ઘટના છે. વર્ષો જૂની માન્યતા મુજબ મૃગી કુંડમાં માત્ર અખાડાના સાધુ-સંતોને જ સ્નાન કરવાની મંજૂરી હોય છે. આવી પવિત્ર પરંપરાની વચ્ચે કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી સાધુનો વેશ ધારણ કરીને કુંડ સુધી પહોંચી જવું અનેક પ્રશ્નો ઉભા કરે છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 16, 2026
- 9:14 am
મહાશિવરાત્રી 2026: મહાશિવરાત્રીએ શિવલિંગ પર આ વસ્તુથી કરો અભિષેક, બધા દુઃખ દૂર થવા સાથે મળશે મહાદેવના અનંત આશીર્વાદ
Mahashivratri 2026 Jalabhishek Benefits: હિન્દુ ધર્મમાં, મહાશિવરાત્રીના પવિત્ર તહેવારને ભક્તિ અને શક્તિનો સૌથી મોટો સંગમ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ દિવસે થયા હતા. 2026 માં મહાશિવરાત્રીનો આ પવિત્ર તહેવાર ખૂબ જ ખાસ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે શિવલિંગ પર વિશેષ સામગ્રીથી અભિષેક કરવાથી, મહાદેવ તેમના ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરીને આશીર્વાદ વરસાવે છે.
- TV9 Gujarati
- Updated on: Feb 15, 2026
- 10:36 am
મુસ્લિમ મહિલાની શ્રદ્ધા… મનોકામના પૂર્ણ થતાં હરિદ્વારથી કાવડ લઈને નીકળી, જાણો આખરે શું છે આખી કહાની?
ઉત્તર પ્રદેશના સંભલમાં મુસ્લિમ મહિલા તમન્ના મલિકે શિવરાત્રી પર શિવને જલાભિષેક કરવા હરિદ્વારથી કાવડ યાત્રા શરૂ કરી છે. લગ્નની મનત પૂરી થતાં તેણે આ પ્રતિજ્ઞા લીધી હતી.
- Sagar Solanki
- Updated on: Feb 14, 2026
- 10:34 pm
Mahashivratri 2026: ઘરમાં નથી ટકતા પૈસા? મહાશિવરાત્રી પર અજમાવો આ ખાસ ઉપાય…
જો તમારા ઘરે આવક હોવા છતાં બચત થતી નથી અને પૈસા ટકતા નથી, તો આવી પરિસ્થિતિમાં મહાશિવરાત્રીના દિવસે ગોમતી ચક્ર સાથે જોડાયેલ એક વિશેષ ધાર્મિક ઉપાય કરવો લાભદાયક માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ ઉપાય આર્થિક અડચણો ઘટાડવામાં અને સ્થિરતા લાવવામાં મદદરૂપ બની શકે છે.
- Ashvin Patel
- Updated on: Feb 14, 2026
- 6:59 pm
Bhavnath Melo : મહાશિવરાત્રી પર્વે ગિરનાર તળેટીમાં યુવા ભક્તોનું ઘોડાપૂર, ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું મેળાનું માહાત્મ્ય, જુઓ Video
જૂનાગઢના ભવનાથ મેળામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, જેમાં યુવાનોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી. આ મેળો ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે.
- Sagar Solanki
- Updated on: Feb 14, 2026
- 11:56 am
Mahashivratri Special: મહાશિવરાત્રિ પર પહેરવા ત્રિશૂલથી લઇને ઓમ સુધીના ટ્રેન્ડી ઈયરિંગ્સ ડિઝાઇન જુઓ
મહાશિવરાત્રીના પાવન અવસરે તમારા એથનિક લુકને સ્પિરિચ્યુઅલ ટચ આપવા માટે ગોડ મોટિફ ઈયરિંગ્સ પરફેક્ટ વિકલ્પ છે. ત્રિશૂલ, ડમરૂ, ગણેશ અને ઓમ ડિઝાઇન ઈયરિંગ્સથી મેળવો અનોખી અને ગ્રેસફુલ સ્ટાઈલ.
- Nishat
- Updated on: Feb 14, 2026
- 9:13 am
Mahashivratri : ભક્તિ અને સેવાનો અનોખો સંગમ, જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં સંત ભંડારા અને અન્નક્ષેત્રે ભક્તિ-સેવાનો અદ્ભુત સંગમ રચ્યો. શ્રી કેશવાનંદ બાપુ અન્નક્ષેત્રમાં પૂજ્ય માં કનકેશ્વરી દેવીના સાનિધ્યે હજારો સાધુ-સંતોએ ભોજન પ્રસાદ લીધો.
- TV9 Gujarati
- Updated on: Feb 13, 2026
- 9:26 pm
Mahashivratri 2026: મહાશિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા ઇચ્છો છો? રાશિ પ્રમાણે શિવલિંગ પર આ વસ્તુ ચઢાવો
મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર શિવભક્તો માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. હિન્દુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી 2026 માં 15 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ દિવસે થયા હતા. શાસ્ત્રો અનુસાર, જો ભક્તો આ દિવસે તેમની રાશિ અનુસાર ભગવાન શિવની પૂજા અને અભિષેક કરે છે, તો તેમની ઇચ્છાઓ ઝડપથી પૂર્ણ થશે.
- Tanvi Soni
- Updated on: Feb 13, 2026
- 7:20 am