કાનુની સવાલ : શું પત્ની દ્વારા તેના લિવ-ઇન પાર્ટનર સામે ક્રૂરતાનો કેસ દાખલ કરી શકાય છે? જાણો
કર્ણાટક હાઈકોર્ટે લિવ ઈન રિલેશન અને કલમ 498Aને લઈ એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, હવે પતિ માત્ર કાનુની કાગળોમાં જ નહી માનવામાં આવે. IPCની કલમ 498A (હવે BNS 85-86) લિવ ઈન રિલેશનશીપ, લગ્ન વગર સાથે રહેનાર પાર્ટનર પર સંપુર્ણ રીતે લાગુ થશે.

કર્ણાટક હાઈકોર્ટે લિવ ઈન રિલેશનશિપને લઈ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું ભારતીય દંડ સહિતાની કલમ 498A (પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રુરતા) આ જોગવાઈ ફક્ત માન્ય લગ્નો પર જ નહીં, પરંતુ રદબાતલ લગ્નો અને લિવ-ઇન સંબંધો પર પણ લાગુ પડે છે.

જસ્ટિસ સૂરજ ગોવિંદરાજની સિંગલ બેન્ચે 18 નવેમ્બરના રોજ ચુકાદો આપ્યો હતો. જ્યારે આ જોગવાઈ હવે ભારતીય દંડ સંહિતાની કલમ 85 અને 86 માં ખસેડવામાં આવી છે, તેનો સાર એ જ રહે છે.

આ કેસ એક વ્યક્તિની અરજી સાથે જોડાયેલો હતો. જેમાં તેમણે પોતાની બીજી પત્નીની ફરિયાદ પર નોંધાયેલ 498Aનો કેસ રદ્દ કરવાની માંગ કરી હતી. અરજી કરનારના પહેલા લગ્ન માન્ય હતા, અને તેમને આ લગ્નથી એક દીકરી પણ હતી.

તેમ છતાં, તેમણે 2010 માં બીજી મહિલા સાથે લગ્ન કર્યા અને 2016 સુધી તેમની સાથે પતિ-પત્ની તરીકે રહ્યા. ત્યારબાદ બીજી મહિલાએ કલમ 498A હેઠળ દહેજની માંગણી, હુમલો અને ક્રૂરતાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે, પુરુષે તેના પહેલા લગ્ન છુપાવ્યા હતા.

અરજીકરનારના વકીલનો તર્ક હતો કે, પહેલા લગ્ન માન્ય હતા. એટલા માટે બીજા લગ્ન કાનુની રુપથી અમાન્ય છે. તેમનું કહેવું હતુ કે, માત્ર લિવ ઈન રિલેશનશિપ હતી. આ માટે 498A લાગુ થશે નહી.

કોર્ટે આ દલીલને રદ્દ કરતા કહ્યું કે, કાનુનનો ઉદ્દેશ્ય મહિલાઓને ક્રૂરતાથી બચાવવાનો છે. જો કોઈ પુરુષ કોઈ મહિલાને ગેરમાર્ગે દોરીને એ વિશ્વાસ અપાવે છે કે, તે તેની કાનુની પત્ની છે અને ક્રુરતા કરે છે. તો તે ફક્ત લગ્ન રદબાતલ હોવાનો દાવો કરીને છટકી શકશે નહીં.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, સંબંધની કાનુની વૈદ્યતા થી વધારે તેનો સાર જોવામાં આવશે. જો કપલ પતિ-પત્નીની જેમ રહે છે અને મહિલાને ક્રુરતાનો સામનો કરવો પડે છે. તો તેને કાનુની સરંક્ષણ થી વંચિત કરી શકાય નહી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
