ઈશાન કિશન
ઝારખંડનો વિકેટકિપર અને લેફ્ટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશન વર્ષ 2016માં અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો, જેમાં ફાઇનલમાં ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામે હાર થઇ હતી.
ઇશાન સૌપ્રથમ ઓક્ટોબર 2015માં ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તેણે રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર સામે 69 બોલમાં 87 રન કર્યા હતા. આ મેચમાં ઈશાન કિશને 6 છગ્ગા ફટકાર્યા હતા. 2016 આઇપીએલ ઓક્શનમાં ગુજરાત લાયન્સની ટીમે 17 વર્ષીય ઇશાનને 35 લાખમાં ખરીદ્યો હતો.
ઇશાન કિશન વનડે ક્રિકેટમાં એક માત્ર ક્રિકેટર છે જેણે તેની પ્રથમ સદીને બેવડી સદીમાં કન્વર્ટ કરી હતી. તેણે 2022માં બાંગ્લાદેશ સામે 210 રન કર્યા હતા. ઇશાન કિશને ટી-20 ક્રિકેટમાં માર્ચ 2021માં ઇંગ્લેન્ડ સામે પોતાના આંતરાષ્ટ્રીય ક્રિકેટ સફરની શરૂઆત કરી હતી. વન-ડેમાં જુલાઇ 2021માં શ્રીલંકા સામે અને ટેસ્ટમાં 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે ડેબ્યૂ કર્યુ હતુ.
Breaking News: ઈશાન કિશને કમજોરીને બનાવી તાકાત, હવે આ એક શોટથી બોલરોમાં ફેલાવી રહ્યો છે ડર
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન હાલમાં શાનદાર ફોર્મમાં છે. T20 વર્લ્ડ કપ અને IPLમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ હવે તેણે ODI ક્રિકેટમાં પણ પોતાની છાપ છોડી છે. અફઘાનિસ્તાન સામેની સદી પછી દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ખુલાસો કર્યો છે કે ઈશાને પોતાની સૌથી મોટી નબળાઈને તાકાતમાં ફેરવી દીધી છે, જેના કારણે હવે તે બોલરો માટે વધુ ખતરનાક બની ગયો છે.
- Smit Chauhan
- Updated on: Jun 18, 2026
- 10:08 pm
VIDEO: શુભમન ગિલના કારણે ઈશાન કિશન બેવડી સદી ફટકારવાનું ચૂકી ગયો, જાણો કેવી રીતે
અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં ઈશાન કિશન અને શુભમન ગિલે શાનદાર સદી ફટકારી. મેચ પછી ઈશાન કિશને ખુલાસો કર્યો કે ગિલના કારણે તે બેવડી સદી ના ફટકારી શક્યો. જાણો ઈશાન કિશને આવું કેમ કહ્યું.
- Smit Chauhan
- Updated on: Jun 18, 2026
- 7:01 pm
Breaking News: 82 રનમાં 8 વિકેટ ગુમાવી, છતાં ટીમ ઈન્ડિયાએ 400 રન ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીની બીજી મેચમાં શાનદાર બેટિંગ કરી અને 400 રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે ભારતે એક મોટા વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. ખાસ વાત એ હતી કે ભારતીય ટીમે 82 રનમાં 8 વિકેટ ગુમાવી, છતાં 400 રન ફટકાર્યા હતા.
- Smit Chauhan
- Updated on: Jun 17, 2026
- 7:38 pm
Breaking News: પહેલા 52 બોલમાં અડધી સદી, પછી માત્ર 19 બોલમાં સદી, ઈશાન કિશનની તોફાની બેટિંગ
લગભગ ત્રણ વર્ષ પછી ODI ટીમમાં વાપસી કરતા ઈશાન કિશને ધમાલ મચાવી દીધી છે. ઈશાન કિશને અફઘાનિસ્તાન સામે બીજી વનડેમાં માત્ર 71 બોલમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. આ ઈશાન કિશનની બીજી ODI સદી છે. આ પહેલા તેણે 2022 માં 210 રન બનાવ્યા હતા.
- Smit Chauhan
- Updated on: Jun 17, 2026
- 4:35 pm
Breaking News: વિરાટ કોહલીની જગ્યાએ કોણ રમશે ? અફઘાનિસ્તાન સામે ODI માં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જે બાદ હવે ટીમના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે. જોકે મોટો સવાલ એ છે કે કોહલીનીન જગ્યાએ કોને પ્લેઈંગ ઈલેવનમેં તક મળશે. અને બીજો સવાલ એ છે કે ત્રીજા નંબરે કોણ બેટિંગ કરશે?
- Smit Chauhan
- Updated on: Jun 4, 2026
- 4:36 pm
Breaking News: ઈશાન કિશન સનરાઈઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન બનશે ? પેટ કમિન્સે લીધો મોટો નિર્ણય
સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2026 ના એલિમિનેટરમાં હારી ગયું અને ફરી ટ્રોફી ના જીતી શક્યું. હવે ટીમ આગામી સિઝન માટે તેનો કેપ્ટન બદલવાની તૈયારીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સિઝનમાં પેટ કમિન્સની જગ્યાએ ઈશાન કિશન કેપ્ટન બનશે.
- Smit Chauhan
- Updated on: Jun 3, 2026
- 4:29 pm
Bihar Breaking News : ગુજરાત, લખનૌ બાદ હવે બિહારની ટીમ IPLમાં ભાગ લેશે ? અબજોપતિ ઉદ્યોગપતિએ કરી મોટી જાહેરાત
IPLમાં તમિલનાડુ, કર્ણાટક, મુંબઈ, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, કોલકાતા અને ગુજરાત જેવા રાજ્યોની ફ્રેન્ચાઈઝી છે, પરંતુ હવે બિહારની ફ્રેન્ચાઈઝી માટે માંગણીઓ થઈ રહી છે. આ બાબતે જાણીતા ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે.
- Smit Chauhan
- Updated on: May 22, 2026
- 6:09 pm
Breaking News: ટેસ્ટ-વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ બન્યો નવો વાઈસ-કેપ્ટન
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની શ્રેણી 6 જૂનથી ટેસ્ટ મેચથી શરૂ થશે, ત્યારબાદ 3 મેચની વનડે શ્રેણી રમાશે. જેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
- Smit Chauhan
- Updated on: May 19, 2026
- 5:27 pm
Breaking News: અફઘાનિસ્તાન સામે ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, રિષભ પંત બહાર, ઈશાનને તક
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI શ્રેણી 14 જૂનથી શરૂ થઈ રહી છે, અને આ ત્રણ મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પસંદગીકારોએ રિષભ પંતને બહાર કરી દીધો છે, અને ઈશાન કિશન ટીમમાં પાછો ફર્યો છે. ત્રણ યુવા ખેલાડીઓને પણ તેમનો પ્રથમ ODI કોલ-અપ મળ્યો છે.
- Smit Chauhan
- Updated on: May 19, 2026
- 5:05 pm
Breaking News: ધોની સામે ઈશાન કિશને CSK ફેન્સની ઉડાવી મજાક, સીટી વગાડી-ઘરે જવાનો ઈશારો કર્યો, વીડિયો વાયરલ
ધોનીની સામે ઈશાન કિશને CSK ચાહકો સાથે જે કર્યું તે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ઈશાને સીટી વગાડીને CSK ચાહકોને ચીડવવાનો પ્રયાસ કર્યો. ચાલો જાણીએ તેણે બીજું શું કર્યું.
- Smit Chauhan
- Updated on: May 19, 2026
- 4:02 pm
Breaking News: IPL 2026 દરમિયાન ઈશાન કિશનનું સન્માન, બિહાર સરકારે 1 કરોડ રૂપિયાનું આપ્યું ઈનામ
બિહાર સરકારે 2026ના T20 વર્લ્ડ કપમાં જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઈશાન કિશનનું સન્માન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા તેને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. ઈશાન કિશન હાલ IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: May 15, 2026
- 4:41 pm
Breaking News: ટીમ બસથી હોટલ રૂમ સુધી… ગર્લફ્રેન્ડ સાથે ફરતા ખેલાડીઓ પર BCCI લેશે એક્શન, નવી ગાઈડલાઈન કરશે જાહેર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL 2026 માં ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટે કડક માર્ગદર્શિકા લાવવા જઈ રહ્યું છે. બોર્ડના જણાવ્યા અનુસાર, કેટલાક ખેલાડીઓ સાથે અનધિકૃત લોકો ટીમ બસ અને હોટલમાં જોવા મળ્યા હતા, જે નિયમોના વિરુદ્ધ છે. આ મામલે હવે BCCI કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે અને નવા નિયમો જલ્દી જાહેર થઈ શકે છે.
- Smit Chauhan
- Updated on: May 7, 2026
- 8:48 pm
Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને કચડી નાખ્યું, કાવ્યા મારનની ટીમ બની નંબર 1
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને પોતાના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું. આ જીત સાથે SRH પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું. હૈદરાબાદની જીતમાં હેનરિક ક્લાસેન અને ઈશાન કિશને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
- Smit Chauhan
- Updated on: May 6, 2026
- 11:27 pm
Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદના 3 ખેલાડીઓએ IPL 2026 માં 400 થી વધુ રન બનાવ્યા, 81 છગ્ગા ફટકાર્યા
સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2026 માં ચાહકોના દિલ જીતી લીધા છે. ટીમ ફરી એકવાર તેમની વિસ્ફોટક બેટિંગ કૌશલ્યનું પ્રદર્શન કરી રહી છે, અને આ સિઝનમાં તેમના ત્રણ ખેલાડીઓ ઓરેન્જ કેપ માટે દાવેદારીમાં છે.
- Smit Chauhan
- Updated on: May 6, 2026
- 10:59 pm
Breaking News: બે મોટી ભૂલ અને પંજાબ કિંગ્સને 106 રનનું મોટું નુકસાન, સનરાઈઝર્સ હૈદરાબાદે 235 રન બનાવ્યા
સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે 235 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદના બેટ્સમેનોએ પંજાબના બોલરોને આડે હાથ લીધા હતા, પરંતુ હેનરિક ક્લાસેન અને ઈશાન કિશને પંજાબને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું. પંજાબ કિંગ્સને બે મોટી ભૂલથી 106 રનનું મોટું નુકસાન થયું.
- Smit Chauhan
- Updated on: May 6, 2026
- 10:38 pm