ઈશાન કિશન
ઝારખંડનો વિકેટકિપર અને લેફ્ટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશન વર્ષ 2016માં અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો, જેમાં ફાઇનલમાં ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામે હાર થઇ હતી.
ઇશાન સૌપ્રથમ ઓક્ટોબર 2015માં ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તેણે રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર સામે 69 બોલમાં 87 રન કર્યા હતા. આ મેચમાં ઈશાન કિશને 6 છગ્ગા ફટકાર્યા હતા. 2016 આઇપીએલ ઓક્શનમાં ગુજરાત લાયન્સની ટીમે 17 વર્ષીય ઇશાનને 35 લાખમાં ખરીદ્યો હતો.
ઇશાન કિશન વનડે ક્રિકેટમાં એક માત્ર ક્રિકેટર છે જેણે તેની પ્રથમ સદીને બેવડી સદીમાં કન્વર્ટ કરી હતી. તેણે 2022માં બાંગ્લાદેશ સામે 210 રન કર્યા હતા. ઇશાન કિશને ટી-20 ક્રિકેટમાં માર્ચ 2021માં ઇંગ્લેન્ડ સામે પોતાના આંતરાષ્ટ્રીય ક્રિકેટ સફરની શરૂઆત કરી હતી. વન-ડેમાં જુલાઇ 2021માં શ્રીલંકા સામે અને ટેસ્ટમાં 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે ડેબ્યૂ કર્યુ હતુ.
આંકડા ખોલે છે ‘પોલ’! સંજુ કે ઈશાન? આખરે T20 વર્લ્ડ કપમાં કોણ કરશે ‘ઓપનિંગ’? સૂર્યકુમાર યાદવે કર્યો ‘મોટો ખુલાસો’
T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કોણ કરશે? આ ક્રમ માટે સંજુ સેમસન અને ઈશાન કિશન વચ્ચે જબરદસ્ત જંગ છેડાઈ છે. જો કે, આ વાતને લઈને સૂર્યકુમાર યાદવે મોટો ખુલાસો કર્યો છે.
- Ravi Prajapati
- Updated on: Feb 1, 2026
- 8:15 pm
Breaking News : આ 7 બોલ પર હતી આખા સ્ટેડિયમની નજર… ઈશાન કિશનનો ઐતિહાસિક પરાક્રમ, સદીનો વિસ્ફોટ
ભારત-ન્યુઝીલેન્ડ T20 શ્રેણીની અંતિમ મેચમાં ઇશાન કિશને ઐતિહાસિક પ્રદર્શન કર્યું. તેણે માત્ર 42 બોલમાં સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો. ઇશાને સતત 7 બોલમાં 7 બાઉન્ડ્રી મારીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું.
- Sagar Solanki
- Updated on: Jan 31, 2026
- 10:20 pm
IND vs NZ: માત્ર 32 બોલમાં 76 રન બનાવ્યા, તો પછી કેપ્ટન સૂર્યકુમાર ઈશાન કિશન પર કેમ થયો ગુસ્સે?
ઈશાન કિશને મુશ્કેલ પરિસ્થિતિઓમાં જે રીતે પરફોર્મ કરી અડધી સદી બનાવી તે જોઈને બધા જ ખુશ થઈ ગયા. જોકે, આ ઇનિંગ દરમિયાન, સૂર્યકુમાર ઈશાન પર ગુસ્સે થઈ ગયા હતા, અને તેમણે મેચ પછી આ વાતનો ખુલાસો કર્યો.
- Devankashi rana
- Updated on: Jan 24, 2026
- 11:00 am
Breaking News : આખરે કેપ્ટને બતાવ્યો જલવો, Ind vs NZ મેચમાં 20 ઓવરનો ખેલ 15 ઓવરમાં સમેટી લીધો, ભારતીય ટીમે મેળવી જીત
IND vs NZ 2nd T20I: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 7 વિકેટથી વિજય મેળવ્યો અને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી. ભારતે 209 રનના મોટા લક્ષ્યનો પીછો માત્ર 92 બોલમાં કરી લીધો, જે T20 ઇતિહાસમાં એક નોંધપાત્ર સિદ્ધિ છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની મેચવિનિંગ ઇનિંગ્સ આ જીતનું મુખ્ય આકર્ષણ રહી.
- Sagar Solanki
- Updated on: Jan 23, 2026
- 11:03 pm
Breaking News : સ્ટાર ખેલાડી માટે સૂર્યકુમાર યાદવનું મોટું બલિદાન, મેચ પહેલા કેપ્ટને કરી જાહેરાત
સૂર્યકુમાર યાદવે ભારત-ન્યુઝીલેન્ડ T20I શ્રેણીમાં કેપ્ટન તરીકે મોટું બલિદાન આપ્યું છે. ઈજાગ્રસ્ત તિલક વર્માની જગ્યાએ સ્ટાર ખેલાડીને સ્થાન મળ્યું.
- Sagar Solanki
- Updated on: Jan 20, 2026
- 7:17 pm
IND vs NZ: T20 બાદ વનડેમાંથી પણ બહાર થશે ટીમ ઈન્ડિયાનો આ ખિલાડી, BCCI લેશે મોટું પગલું
T20I પછી ટીમના એક સ્ટાર ખેલાડીને ODI ટીમમાંથી પણ બહાર કરી શકાય છે. આ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી ભારતીય ODI ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને હવે તેના સ્થાને કોઈ ઇન-ફોર્મ
- Devankashi rana
- Updated on: Dec 28, 2025
- 8:32 am
બે વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી પર ઈશાન કિશને શું કહ્યું? વર્લ્ડ કપમાં પસંદગી પછીનો વીડિયો વાયરલ
ઈશાન કિશન ડિસેમ્બર 2023 થી ટીમ ઈન્ડિયાની બહાર હતો. BCCI ના વારંવાર કહેવા છતાં તે થોડા સમય માટે ઘરેલુ ક્રિકેટથી પણ દૂર રહ્યો. જોકે, મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમને વિજય અપાવ્યા બાદ અને ઘણા રન બનાવ્યા બાદ તે હવે ટીમમાં પાછો ફર્યો છે અને તેની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થઈ છે. ટીમમાં પસંદગી અંગે ઈશાને ખુશી વ્યક્ત કરી હતી.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 7:31 pm
બે વર્ષથી ભારત માટે એક પણ મેચ ન રમનાર ખેલાડીની T20 વર્લ્ડ કપમાં એન્ટ્રી, BCCI નો મોટો નિર્ણય
છેલ્લા બે વર્ષમાં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ ન રમનાર ખેલાડીને ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. આ ખેલાડીનું તાજેતરનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. તે BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ પણ નથી.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 5:37 pm
Breaking News: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલનું પત્તું કપાયું, ઈશાન-રિંકુની વાપસી
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં બનેલી આ ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમની પસંદગી મુંબઈ સ્થિત BCCI મુખ્યાલયમાં થઈ હતી.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 5:36 pm
ઝારખંડ પહેલીવાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બન્યું ચેમ્પિયન, ઈશાન કિશનની કેપ્ટનશીપમાં રચ્યો ઈતિહાસ
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું, સતત નવ મેચ જીતીને ફાઈનલમાં પહોંચનાર ઝારખંડની ટીમે ફાઈનલમાં પણ તેમનું વર્ચસ્વ જમાવ્યું અને પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું.
- Smit Chauhan
- Updated on: Dec 18, 2025
- 9:30 pm
Ishan Kishan Century : ઈશાન કિશને માત્ર 45 બોલમાં ફટકારી શાનદાર સદી, SMAT ફાઈનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈશાન કિશન ભલે હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર હોય, પરંતુ તેણે ઘરેલુ ક્રિકેટમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. SMAT માં ઝારખંડનું નેતૃત્વ કરીને, તેણે ટીમને ન માત્ર ફાઈનલ સુધી પહોંચાડી, પરંતુ ફાઈનલમાં વિસ્ફોટક સદીની ઈનિંગ પણ રમી.
- Smit Chauhan
- Updated on: Dec 18, 2025
- 7:50 pm
વિરાટ કોહલી-રોહિત શર્મા ટીમમાંથી બહાર, અભિષેક શર્મા ODI શ્રેણીમાં રમશે, BCCI એ કરી મોટી જાહેરાત
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 13 નવેમ્બરથી એક ખાસ ODI શ્રેણી શરૂ થશે, જેના માટે BCCI એ 5 નવેમ્બરે ટીમની જાહેરાત કરી હતી. સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માઆ શ્રેણીમાં નહીં રમે. ઈશાન કિશનની ટીમમાં વાપસી થઈ છે. T20 ક્રિકેટમાં ધમાલ મચાવનાર અભિષેક શર્માને વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Nov 5, 2025
- 8:11 pm
અજીત અગરકરે રન બનાવવા કહ્યું, ઈશાન કિશને રણજી ટ્રોફીની પહેલી જ મેચમાં ફટકારી સદી
રણજી ટ્રોફી 2025-26 શરૂ થઈ ગઈ છે. ઝારખંડના કેપ્ટન ઈશાન કિશને ટુર્નામેન્ટના પહેલા જ રાઉન્ડમાં યાદગાર ઈનિંગ રમી હતી. તેણે તમિલનાડુ સામે સદી ફટકારી હતી. આ ઈનિંગ એક મહત્વપૂર્ણ તબક્કે આવી હતી. થોડા દિવસ પહેલા જ ચીફ સિલેક્ટર અજીત અગરકરે ઈશાનના ટીમમાં સ્થાન ન મળવા અંગે મોટું નિવેદન આપ્યું હતું, જે બાદ ઈશાને હવે સદી ફટકારી જવાબ આપ્યો છે.
- Smit Chauhan
- Updated on: Oct 15, 2025
- 5:22 pm
VIDEO : શુભમન ગિલ લંડનમાં બીજાના રૂમમાં શું કરી રહ્યો હતો? વાયરલ વીડિયોમાં થયો ખુલાસો
લંડનમાં હોટલના રૂમમાં તે દિવસે શું થયું? શુભમન ગિલે કોના રૂમની શોધ કરી અને શા માટે? આ પ્રશ્નનો જવાબ હવે મળી ગયો છે. આને લગતા તમામ પ્રશ્નોના જવાબ હવે સામે વાયરલ થયેલા વીડિયોમાં મળી ગયા છે.
- Smit Chauhan
- Updated on: Aug 21, 2025
- 10:28 pm
Virat Kohli : વિરાટ કોહલીના રિટાયરમેન્ટ બાદ ODI ટીમમાં આ ત્રણ ખેલાડીઓ લઈ શકે છે તેનું સ્થાન
વિરાટ કોહલી વિશે એવા અહેવાલો છે કે તે 2027ના ODI વર્લ્ડ કપ પહેલા આ ફોર્મેટને અલવિદા કહી શકે છે. તે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં તેની કારકિર્દીની છેલ્લી ODI રમી શકે છે. પ્રશ્ન એ છે કે જો વિરાટ કોહલી નિવૃત્તિ લે છે, તો તેની જગ્યાએ નંબર 3 પર કોણ આવશે?
- Smit Chauhan
- Updated on: Aug 11, 2025
- 5:25 pm