AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈશાન કિશન

ઈશાન કિશન

ઝારખંડનો વિકેટકિપર અને લેફ્ટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશન વર્ષ 2016માં અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો, જેમાં ફાઇનલમાં ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામે હાર થઇ હતી.

ઇશાન સૌપ્રથમ ઓક્ટોબર 2015માં ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તેણે રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર સામે 69 બોલમાં 87 રન કર્યા હતા. આ મેચમાં ઈશાન કિશને 6 છગ્ગા ફટકાર્યા હતા. 2016 આઇપીએલ ઓક્શનમાં ગુજરાત લાયન્સની ટીમે 17 વર્ષીય ઇશાનને 35 લાખમાં ખરીદ્યો હતો.
ઇશાન કિશન વનડે ક્રિકેટમાં એક માત્ર ક્રિકેટર છે જેણે તેની પ્રથમ સદીને બેવડી સદીમાં કન્વર્ટ કરી હતી. તેણે 2022માં બાંગ્લાદેશ સામે 210 રન કર્યા હતા. ઇશાન કિશને ટી-20 ક્રિકેટમાં માર્ચ 2021માં ઇંગ્લેન્ડ સામે પોતાના આંતરાષ્ટ્રીય ક્રિકેટ સફરની શરૂઆત કરી હતી. વન-ડેમાં જુલાઇ 2021માં શ્રીલંકા સામે અને ટેસ્ટમાં 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે ડેબ્યૂ કર્યુ હતુ.

Read More

IND vs ENG: પાંચમી T20 માં સંજુ સેમસનની થશે વાપસી! તો વૈભવ-ઈશાન-તિલકમાંથી કોનું પત્તું કપાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પાંચમી અને અંતિમ T20 મેચ સાઉથમ્પ્ટનમાં રમાનારી છે, જ્યાં સંજુ સેમસન ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી શકે છે. સેમસન ઉપરાંત અન્ય એક ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. સવાલ એ છે કે સંજુને કોના સ્થાને રમાડવામાં આવશે. વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, તિલક વર્મામાંથી કોનું પત્તું કપાશે.

હમ નહીં સુધરેંગે… શોર્ટ બોલ સામે ભારતીય સ્ટાર બેટ્સમેનોનો The End ! આખરે આવું ક્યાં સુધી ચાલશે?

ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી20 મેચમાં પણ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ફરી એકવાર શોર્ટ પિચ બોલ રમતી વખતે ફસાયા. ભારતીય ટોપ ઓર્ડર વધારાના બાઉન્સને સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. ભારતીય ટીમે ટોચના ત્રણ બેટ્સમેન, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશનને માત્ર 48 રનમાં ગુમાવી દીધા.

Breaking News: ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સંજુ સેમસન સહિત 5 ખેલાડીઓનું પત્તું કપાયું

ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ વચ્ચે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન.

Breaking News: અભિષેક શર્માને પાછળ છોડીને ઈશાન કિશન બન્યો વર્લ્ડ નંબર-1 T20I બેટ્સમેન, જાણો કેવી રીતે થયો આ કમાલ

ICC ની લેટેસ્ટ T20 બેટિંગ રેન્કિંગમાં ઈશાન કિશન વિશ્વનો નંબર-1 બેટ્સમેન બન્યો છે. તેણે અભિષેક શર્માને પાછળ છોડી ટોચનું સ્થાન મેળવ્યું છે. તાજેતરની શ્રેણીમાં અભિષેકે વધુ રન બનાવ્યા હોવા છતાં તે પાછળ સરકી ગયો. આખરે આ બદલાવ કેવી રીતે આવ્યો, તે જાણવું રસપ્રદ છે.

Breaking News: ઈશાન કિશને કમજોરીને બનાવી તાકાત, હવે આ એક શોટથી બોલરોમાં ફેલાવી રહ્યો છે ડર

ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન હાલમાં શાનદાર ફોર્મમાં છે. T20 વર્લ્ડ કપ અને IPLમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ હવે તેણે ODI ક્રિકેટમાં પણ પોતાની છાપ છોડી છે. અફઘાનિસ્તાન સામેની સદી પછી દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ખુલાસો કર્યો છે કે ઈશાને પોતાની સૌથી મોટી નબળાઈને તાકાતમાં ફેરવી દીધી છે, જેના કારણે હવે તે બોલરો માટે વધુ ખતરનાક બની ગયો છે.

VIDEO: શુભમન ગિલના કારણે ઈશાન કિશન બેવડી સદી ફટકારવાનું ચૂકી ગયો, જાણો કેવી રીતે

અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં ઈશાન કિશન અને શુભમન ગિલે શાનદાર સદી ફટકારી. મેચ પછી ઈશાન કિશને ખુલાસો કર્યો કે ગિલના કારણે તે બેવડી સદી ના ફટકારી શક્યો. જાણો ઈશાન કિશને આવું કેમ કહ્યું.

Breaking News: 82 રનમાં 8 વિકેટ ગુમાવી, છતાં ટીમ ઈન્ડિયાએ 400 રન ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીની બીજી મેચમાં શાનદાર બેટિંગ કરી અને 400 રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે ભારતે એક મોટા વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. ખાસ વાત એ હતી કે ભારતીય ટીમે 82 રનમાં 8 વિકેટ ગુમાવી, છતાં 400 રન ફટકાર્યા હતા.

Breaking News: પહેલા 52 બોલમાં અડધી સદી, પછી માત્ર 19 બોલમાં સદી, ઈશાન કિશનની તોફાની બેટિંગ

લગભગ ત્રણ વર્ષ પછી ODI ટીમમાં વાપસી કરતા ઈશાન કિશને ધમાલ મચાવી દીધી છે. ઈશાન કિશને અફઘાનિસ્તાન સામે બીજી વનડેમાં માત્ર 71 બોલમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. આ ઈશાન કિશનની બીજી ODI સદી છે. આ પહેલા તેણે 2022 માં 210 રન બનાવ્યા હતા.

Breaking News: વિરાટ કોહલીની જગ્યાએ કોણ રમશે ? અફઘાનિસ્તાન સામે ODI માં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જે બાદ હવે ટીમના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે. જોકે મોટો સવાલ એ છે કે કોહલીનીન જગ્યાએ કોને પ્લેઈંગ ઈલેવનમેં તક મળશે. અને બીજો સવાલ એ છે કે ત્રીજા નંબરે કોણ બેટિંગ કરશે?

Breaking News: ઈશાન કિશન સનરાઈઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન બનશે ? પેટ કમિન્સે લીધો મોટો નિર્ણય

સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2026 ના એલિમિનેટરમાં હારી ગયું અને ફરી ટ્રોફી ના જીતી શક્યું. હવે ટીમ આગામી સિઝન માટે તેનો કેપ્ટન બદલવાની તૈયારીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સિઝનમાં પેટ કમિન્સની જગ્યાએ ઈશાન કિશન કેપ્ટન બનશે.

Bihar Breaking News : ગુજરાત, લખનૌ બાદ હવે બિહારની ટીમ IPLમાં ભાગ લેશે ? અબજોપતિ ઉદ્યોગપતિએ કરી મોટી જાહેરાત

IPLમાં તમિલનાડુ, કર્ણાટક, મુંબઈ, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, કોલકાતા અને ગુજરાત જેવા રાજ્યોની ફ્રેન્ચાઈઝી છે, પરંતુ હવે બિહારની ફ્રેન્ચાઈઝી માટે માંગણીઓ થઈ રહી છે. આ બાબતે જાણીતા ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે.

Breaking News: ટેસ્ટ-વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ બન્યો નવો વાઈસ-કેપ્ટન

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની શ્રેણી 6 જૂનથી ટેસ્ટ મેચથી શરૂ થશે, ત્યારબાદ 3 મેચની વનડે શ્રેણી રમાશે. જેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

Breaking News: અફઘાનિસ્તાન સામે ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, રિષભ પંત બહાર, ઈશાનને તક

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI શ્રેણી 14 જૂનથી શરૂ થઈ રહી છે, અને આ ત્રણ મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પસંદગીકારોએ રિષભ પંતને બહાર કરી દીધો છે, અને ઈશાન કિશન ટીમમાં પાછો ફર્યો છે. ત્રણ યુવા ખેલાડીઓને પણ તેમનો પ્રથમ ODI કોલ-અપ મળ્યો છે.

Breaking News: ધોની સામે ઈશાન કિશને CSK ફેન્સની ઉડાવી મજાક, સીટી વગાડી-ઘરે જવાનો ઈશારો કર્યો, વીડિયો વાયરલ

ધોનીની સામે ઈશાન કિશને CSK ચાહકો સાથે જે કર્યું તે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ઈશાને સીટી વગાડીને CSK ચાહકોને ચીડવવાનો પ્રયાસ કર્યો. ચાલો જાણીએ તેણે બીજું શું કર્યું.

Breaking News: IPL 2026 દરમિયાન ઈશાન કિશનનું સન્માન, બિહાર સરકારે 1 કરોડ રૂપિયાનું આપ્યું ઈનામ

બિહાર સરકારે 2026ના T20 વર્લ્ડ કપમાં જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઈશાન કિશનનું સન્માન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા તેને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. ઈશાન કિશન હાલ IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે.

કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
g clip-path="url(#clip0_868_265)">