AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈશાન કિશન

ઈશાન કિશન

ઝારખંડનો વિકેટકિપર અને લેફ્ટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશન વર્ષ 2016માં અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો, જેમાં ફાઇનલમાં ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામે હાર થઇ હતી.

ઇશાન સૌપ્રથમ ઓક્ટોબર 2015માં ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તેણે રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર સામે 69 બોલમાં 87 રન કર્યા હતા. આ મેચમાં ઈશાન કિશને 6 છગ્ગા ફટકાર્યા હતા. 2016 આઇપીએલ ઓક્શનમાં ગુજરાત લાયન્સની ટીમે 17 વર્ષીય ઇશાનને 35 લાખમાં ખરીદ્યો હતો.
ઇશાન કિશન વનડે ક્રિકેટમાં એક માત્ર ક્રિકેટર છે જેણે તેની પ્રથમ સદીને બેવડી સદીમાં કન્વર્ટ કરી હતી. તેણે 2022માં બાંગ્લાદેશ સામે 210 રન કર્યા હતા. ઇશાન કિશને ટી-20 ક્રિકેટમાં માર્ચ 2021માં ઇંગ્લેન્ડ સામે પોતાના આંતરાષ્ટ્રીય ક્રિકેટ સફરની શરૂઆત કરી હતી. વન-ડેમાં જુલાઇ 2021માં શ્રીલંકા સામે અને ટેસ્ટમાં 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે ડેબ્યૂ કર્યુ હતુ.

Read More

Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, પહેલીવાર બન્યો ટીમનો વાઈસ કેપ્ટન

થોડા અઠવાડિયા પહેલા જ, વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને ઇતિહાસ રચ્યો. હવે, આ ઉંમરે તે ટીમના લીડરશીપનો ભાગ પણ બની ગયો છે અને જરૂર પડ્યે તે ટીમની કપ્તાની કરતો પણ જોવા મળી શકે છે. તેને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Breaking News: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો

ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ઈશાન કિશને ICC T20 રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. 916 રેટિંગ પોઈન્ટ સાથે તેણે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. આ સાથે ઈશાને ભારતીય ક્રિકેટમાં એવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જે આજ સુધી કોઈ ભારતીય વિકેટકીપર મેળવી શક્યો નથી.

IND vs ZIM: ઈશાન કિશનની તોફાની બેટિંગ, 44 બોલમાં 81 રન ફટકારી ઝિમ્બાબ્વેને ધમરોળ્યું

ઝિમ્બાબ્વે સામેની બીજી T20માં ઈશાન કિશને શાનદાર બેટિંગ કરીને 81 રનની તોફાની ઇનિંગ રમી હતી. હરારેમાં કિશને માત્ર 44 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને ભારતીય ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની આક્રમક બેટિંગે ઝિમ્બાબ્વેના બોલિંગ આક્રમણને સંપૂર્ણપણે દબાણમાં મૂકી દીધું હતું.

Breaking News: સતત બે શ્રેણીમાં હાર બાદ ભારતનો વિજય, શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પહેલીવાર ટ્રોફી જીતી

ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી T20Iમાં શાનદાર પ્રદર્શન કરીને 90 રનથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી છે. સતત બે T20I શ્રેણી હાર્યા બાદ ભારતની આ પ્રથમ શ્રેણી જીત છે. સાથે જ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમે પ્રથમ T20I શ્રેણી પોતાના નામે કરી છે.

Team India: ટીમ ઈન્ડિયા બુમરાહ-અય્યર વિના રમશે? મોટા સ્ટાર્સ આ ODI શ્રેણીમાંથી થઈ જશે બહાર!

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સપ્ટેમ્બરના અંતમાં ત્રણ મેચની ODI શ્રેણી રમશે. જોકે, ટીમ ઈન્ડિયાએ વાઈસ-કેપ્ટન શ્રેયસ અય્યર, સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન અને હર્ષિત રાણા જેવા સ્ટાર ખેલાડીઓ વિના આ સિરીઝ રમવી પડી શકે છે. ચાલી જાણીએ આવું થવા પાછળનું કારણ શું છે.

ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીમાં હાર બાદ આ 3 ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાંથી થશે છૂટ્ટી!

ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં હાર બાદ ટીમ ઈન્ડિયા હવે 2027 વનડે વર્લ્ડ કપની તૈયારીમાં લાગી ગઈ છે. આ દરમિયાન કેટલાક ખેલાડીઓના પ્રદર્શન પર સવાલો ઉઠી રહ્યા છે. ટીમ મેનેજમેન્ટ હવે સતત નિષ્ફળ રહેલા ખેલાડીઓની જગ્યાએ નવા વિકલ્પો પર વિચાર કરી શકે છે. ત્રણ ખેલાડીઓ માટે ODI ટીમમાં વાપસી મુશ્કેલ બની શકે છે.

IND vs ENG: પાંચમી T20 માં સંજુ સેમસનની થશે વાપસી! તો વૈભવ-ઈશાન-તિલકમાંથી કોનું પત્તું કપાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પાંચમી અને અંતિમ T20 મેચ સાઉથમ્પ્ટનમાં રમાનારી છે, જ્યાં સંજુ સેમસન ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી શકે છે. સેમસન ઉપરાંત અન્ય એક ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. સવાલ એ છે કે સંજુને કોના સ્થાને રમાડવામાં આવશે. વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, તિલક વર્મામાંથી કોનું પત્તું કપાશે.

હમ નહીં સુધરેંગે… શોર્ટ બોલ સામે ભારતીય સ્ટાર બેટ્સમેનોનો The End ! આખરે આવું ક્યાં સુધી ચાલશે?

ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી20 મેચમાં પણ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ફરી એકવાર શોર્ટ પિચ બોલ રમતી વખતે ફસાયા. ભારતીય ટોપ ઓર્ડર વધારાના બાઉન્સને સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. ભારતીય ટીમે ટોચના ત્રણ બેટ્સમેન, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશનને માત્ર 48 રનમાં ગુમાવી દીધા.

Breaking News: ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સંજુ સેમસન સહિત 5 ખેલાડીઓનું પત્તું કપાયું

ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ વચ્ચે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન.

Breaking News: અભિષેક શર્માને પાછળ છોડીને ઈશાન કિશન બન્યો વર્લ્ડ નંબર-1 T20I બેટ્સમેન, જાણો કેવી રીતે થયો આ કમાલ

ICC ની લેટેસ્ટ T20 બેટિંગ રેન્કિંગમાં ઈશાન કિશન વિશ્વનો નંબર-1 બેટ્સમેન બન્યો છે. તેણે અભિષેક શર્માને પાછળ છોડી ટોચનું સ્થાન મેળવ્યું છે. તાજેતરની શ્રેણીમાં અભિષેકે વધુ રન બનાવ્યા હોવા છતાં તે પાછળ સરકી ગયો. આખરે આ બદલાવ કેવી રીતે આવ્યો, તે જાણવું રસપ્રદ છે.

Breaking News: ઈશાન કિશને કમજોરીને બનાવી તાકાત, હવે આ એક શોટથી બોલરોમાં ફેલાવી રહ્યો છે ડર

ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન હાલમાં શાનદાર ફોર્મમાં છે. T20 વર્લ્ડ કપ અને IPLમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ હવે તેણે ODI ક્રિકેટમાં પણ પોતાની છાપ છોડી છે. અફઘાનિસ્તાન સામેની સદી પછી દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ખુલાસો કર્યો છે કે ઈશાને પોતાની સૌથી મોટી નબળાઈને તાકાતમાં ફેરવી દીધી છે, જેના કારણે હવે તે બોલરો માટે વધુ ખતરનાક બની ગયો છે.

VIDEO: શુભમન ગિલના કારણે ઈશાન કિશન બેવડી સદી ફટકારવાનું ચૂકી ગયો, જાણો કેવી રીતે

અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં ઈશાન કિશન અને શુભમન ગિલે શાનદાર સદી ફટકારી. મેચ પછી ઈશાન કિશને ખુલાસો કર્યો કે ગિલના કારણે તે બેવડી સદી ના ફટકારી શક્યો. જાણો ઈશાન કિશને આવું કેમ કહ્યું.

Breaking News: 82 રનમાં 8 વિકેટ ગુમાવી, છતાં ટીમ ઈન્ડિયાએ 400 રન ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીની બીજી મેચમાં શાનદાર બેટિંગ કરી અને 400 રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે ભારતે એક મોટા વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. ખાસ વાત એ હતી કે ભારતીય ટીમે 82 રનમાં 8 વિકેટ ગુમાવી, છતાં 400 રન ફટકાર્યા હતા.

Breaking News: પહેલા 52 બોલમાં અડધી સદી, પછી માત્ર 19 બોલમાં સદી, ઈશાન કિશનની તોફાની બેટિંગ

લગભગ ત્રણ વર્ષ પછી ODI ટીમમાં વાપસી કરતા ઈશાન કિશને ધમાલ મચાવી દીધી છે. ઈશાન કિશને અફઘાનિસ્તાન સામે બીજી વનડેમાં માત્ર 71 બોલમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. આ ઈશાન કિશનની બીજી ODI સદી છે. આ પહેલા તેણે 2022 માં 210 રન બનાવ્યા હતા.

Breaking News: વિરાટ કોહલીની જગ્યાએ કોણ રમશે ? અફઘાનિસ્તાન સામે ODI માં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જે બાદ હવે ટીમના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે. જોકે મોટો સવાલ એ છે કે કોહલીનીન જગ્યાએ કોને પ્લેઈંગ ઈલેવનમેં તક મળશે. અને બીજો સવાલ એ છે કે ત્રીજા નંબરે કોણ બેટિંગ કરશે?

g clip-path="url(#clip0_868_265)">