ગુજરાત પોલીસ
ગુજરાત પોલીસ રાજ્યની સુરક્ષા, શાંતિ અને કાયદો-વ્યવસ્થાનું સંચાલન કરતી મહત્વપૂર્ણ સંસ્થા છે. તેનું મુખ્ય ધ્યેય ગુનાઓને રોકવું, ગુનેગારોને પકડી ન્યાય સુધી પહોંચાડવું અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જાળવી રાખવાનું છે. ગુજરાત પોલીસ આધુનિક ટેક્નોલોજી, CCTV નેટવર્ક અને સાઇબર સેલ જેવી સુવિધાઓનો ઉપયોગ કરીને ગુનાઓની અસરકારક રીતે તપાસ કરે છે. રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ મથકો કાર્યરત છે, જે લોકોની સેવા અને સુરક્ષા માટે 24 કલાક સક્રિય રહે છે. “સેવા પહેલાં સુરક્ષા” ગુજરાત પોલીસનુો મંત્ર છે, જે તેના કાર્યમાં સ્પષ્ટ દેખાય છે.
Breaking News: પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, પરિવાર અને સમાજની મધ્યસ્થી બાદ લીધો નિર્ણય
લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ઉભો થયેલો વિવાદ હવે શાંત થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના લગ્નને લઈને સમાજમાં વિરોધ થઈ રહ્યો હતો, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. હવે કિંજલ રબારી ઘરે પરત ફરતા સમગ્ર વિવાદનો અંત આવ્યો હોવાનું માનવામાં આવે છે.
- Devankashi rana
- Updated on: Mar 14, 2026
- 1:50 pm
Breaking News : લવ મેરેજ બાદ ભડક્યો વિવાદ! કિંજલ રબારીનો આક્ષેપ ‘મારા જીવને જોખમ’
પાટણમાં ગુજરાતી સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને વિવાદ સર્જાયો છે. પરિવાર અને રબારી સમાજ દ્વારા વિરોધ થતા કિંજલ રબારીએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવી પોલીસ રક્ષણ માગ્યું છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કરતા કહ્યું કે, જો તેને કે તેના પતિને કોઈ નુકસાન થશે તો તેના માટે તેનો પરિવાર જવાબદાર રહેશે.
- Hasmukh Ramani
- Updated on: Mar 14, 2026
- 8:50 am
Breaking News : વડોદરામાં કારને ટક્કર મારી ભાગેલા, 2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
સંસ્કાર નગરી વડોદરામાં કારને ટક્કર મારી ભાગેલા 2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા છે. આ મામલે વડોદરા પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 12, 2026
- 12:34 pm
નિર્લિપ્ત રાયની નિમણૂકને પગલે ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, દાદાના રાજમાં અસામાજિકોને ડામવા ગાંધીનગરથી ગ્રીન સિગ્નલ !
નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી પદે નિમણૂક થવાની સાથે જ કેટલાકના ભવા પણ ચડી ગયા હોવાના વાવડ વહેતા થયા હતા. જો કે, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ દાદાના રાજમાં અસામાજીક તત્વોને ડામી દેવાની જે મનસા વ્યક્ત કરી છે તે પરીપૂર્ણ કરવાના ભાગરૂપે જ નિર્લિપ્ત રાયની વરણી રાજકોટ રેન્જમાં કરવામાં આવી છે. અગાઉ આ જ અધિકારીએ અમરેલીમાં કેટલાયના માન-મોભાને જમીન ઉપર ઉતારી લેવડાયા હતા.
- TV9 Gujarati
- Updated on: Mar 9, 2026
- 2:55 pm
IND vs NZ, T20 WC ફાઇનલની ચાલુ મેચમાં દિલ્હી પોલીસે ન્યુઝીલેન્ડની ટીમ તરફથી ફરિયાદ મળવા અંગે કર્યું ટ્વિટ, જુઓ અમદાવાદ પોલીસે શું કહ્યું ?
અમદાવાદમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન, દિલ્હી અને અમદાવાદ પોલીસે ટ્વિટર પર મજેદાર સંવાદ કર્યો. દિલ્હી પોલીસે ભારતીય બેટ્સમેનોની આક્રમક રમત પર ટ્વિટ કર્યું,
- Sagar Solanki
- Updated on: Mar 8, 2026
- 10:34 pm
T20 WC Breaking : અમદાવાદમાં હાઈ વૉલ્ટેજ ફાઇનલમાં 3 હજાર પોલીસકર્મી ખડેપગે તૈનાત, 7 PI, 91 PSI, હોમગાર્ડ સહિત 700 જવાનો રહેશે હાજર
અમદાવાદ શહેરમાં હાઈ વૉલ્ટેજ ફાઇનલ પહેલા પોલીસ કમિશનર જી એસ મલિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષાની સમીક્ષા કરી હતી. 8-DCP, 14-ACP સહીત 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી બંદોબસ્તમા રહેશે.
- TV9 Gujarati
- Updated on: Mar 8, 2026
- 11:26 am
Breaking News : મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી, પોલીસ માળખામાં મોટા પાયે સુધારા અને નવી જવાબદારીઓ
ગાંધીનગર: મોડી રાત્રે રાજ્યના પોલીસ વિભાગમાં મોટા પાયે 37 IPS અધિકારીઓની બદલીના ઓર્ડર બહાર આવ્યા છે. આ મોટા ફેરફારથી રાજ્યના પોલીસ માળખામાં મોટા પાયે સુધારા અને નવા જવાબદારીઓ સોંપવાના પગલાં લેવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Mar 6, 2026
- 12:28 pm
જનતા રેઈડ : પોલીસ હપ્તા ખાય છે ના સૂત્રોચ્ચાર સાથે જનતાએ દેશીદારુના ભઠ્ઠાઓમાં કરી તોડફોડ
દારુના ભઠ્ઠાઓ તોડી નાખ્યાં બાદ, તોડી ફોડી નાખેલ ચીજવસ્તુઓ લઈને ગ્રામ્યજનો પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. દેશી દારુ બનાવનારાઓ પાસેથી પોલીસ હપ્તા ખાય છે તેવો આક્ષેપ પણ ગ્રામ્યજનોએ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Mar 4, 2026
- 8:18 pm
Breaking News : શાળાઓને ધમકી આપનાર કોણ? અમદાવાદની શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર સકંજામાં
અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને મળેલી બોમ્બ ધમકીએ શહેરભરના માતા-પિતાના દિલ ધબકાવી દીધા. સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ તપાસ દ્વારા પશ્ચિમ બંગાળમાંથી આરોપી સૌરવ બિશ્વાસને ઝડપી પાડ્યો. તપાસમાં ઈ-મેઈલ આઈડીના ગેરકાયદેસર વેચાણનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. શું આ માત્ર એક વ્યક્તિની કરતૂત છે કે મોટા સાયબર નેટવર્કનો ભાગ? જાણો અમદાવાદ શાળા બોમ્બ ધમકી કેસની અંદરની સંપૂર્ણ કહાની, તપાસના મુખ્ય તારણો અને આગળ શું થઈ શકે છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 4, 2026
- 9:38 am
પોલીસ મથકના પગથિયા ચડીને ડાહ્યોડમરો થઈ ગયેલ ચિરાગ ગોટી સામે વધુ એક ફરિયાદ
સુરતમાં વ્યાજે રૂપિયા આપીને રૂપિયા પાછા વસૂલવા માટે ત્રાસ ગુજારનાર, ચિરાગ ગોટી વિરુદ્ધ એક પછી એક ફરિયાદી સામે આવી રહ્યાં છે. સુરત પોલીસે સૌને અપીલ કરી છે કે, ચિરાગ ગોટી સામે જે કોઈ વ્યક્તિને ફરિયાદ હોય તે હિંમત કરીને પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવે. પહેલી ફરિયાદ નોંધાતા જ, પોલીસે બતાવેલ ત્રીજા નેત્રને કારણે ચિરાગ ગોટી ડાહ્યોડમરો થઈને બે હાથ જોડીને લોકોની માફી માગતો ફરતો થઈ ગયો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 3, 2026
- 6:44 pm
Breaking News : અમદાવાદમાં હોળી-ધૂળેટી અને રમઝાન પર્વને લઈ પોલીસનું સઘન પેટ્રોલિંગ, જુઓ Video
અમદાવાદમાં હોળી-ધુળેટી અને રમઝાન પર્વને ધ્યાનમાં રાખીને પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે. નાઇટ વિઝન ડ્રોનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા આ કાર્યવાહી આગામી સમયમાં ચાલુ રહેશે.
- Hasmukh Ramani
- Updated on: Mar 2, 2026
- 10:54 am
Breaking News : હોળી ઉજવવા બિહાર-UPના લોકોની દોટ, સુરત રેલવે સ્ટેશન પર ભીડ કાબૂ બહાર!
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હોળી પર્વ નિમિત્તે બિહાર અને ઉત્તર પ્રદેશ જતાં હજારો મુસાફરોની ભારે ભીડ જોવા મળી. પોલીસ અને રેલવે પોલીસ દ્વારા સુરક્ષા તથા સુવિધાઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. મુસાફરો વધુ ટ્રેનોની માંગ કરી રહ્યા છે કારણ કે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 28, 2026
- 10:49 am
Breaking News : પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર જીવલેણ હુમલા મામલે 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો
કોસંબા પોલીસ મથકમાં 41 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હુમલાખોરે લાકડી, ધારીયા સહિતના હથિયારો સાથે પોલીસ પર હુમલો કર્યો હતો. ગૌહત્યાની તપાસમાં ગયેલી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Feb 27, 2026
- 11:51 am
Breaking News : રાજકોટમાં એક અપાર્ટમેન્ટમાં લાગી આગ, આગમાં ગૂંગળાઈ જવાથી માતા-પુત્રના મોત થયા
રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે એક ફ્લેટમાં ભીષણ આગમાં ગૂંગળાઈ જવાથી માતા-પુત્રના મોત નિપજ્યા છે.પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2026
- 12:35 pm
Breaking News : ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video
હોળી અને ફૂલડોલ ઉત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં પદયાત્રિકો દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા દ્વારકા પહોંચી રહ્યા છે. રાજ્યભરથી શ્રદ્ધાળુઓ પગપાળા આવી રહ્યા છે, ભક્તિના રંગોથી માર્ગો છવાયા છે. યાત્રિકોની સુવિધા માટે વિવિધ સેવા કેમ્પ અને દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પણ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 26, 2026
- 12:17 pm