Breaking News : રાજકોટમાં એક અપાર્ટમેન્ટમાં લાગી આગ, આગમાં ગૂંગળાઈ જવાથી માતા-પુત્રના મોત થયા
રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે એક ફ્લેટમાં ભીષણ આગમાં ગૂંગળાઈ જવાથી માતા-પુત્રના મોત નિપજ્યા છે.પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા છે. મોડી રાત્રે લાગેલી આગમાં માતા- પુત્રના મોતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે રાજકોટના પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગમાં ગૂંગળાઈ જવાથી 92 વર્ષીય માતા પ્રભાબેન પુજારા અને 63 વર્ષીય પુત્ર નરેન્દ્ર પુજારાના મોત થયું છે.
આગમાં ગૂંગળાઈ જવાથી માતા-પુત્રના મોત
પરિવારજનો સાથેની વાતમાં સામે આવ્યું કેસ આ પરિવારે અન્ય જગ્યાએ ફ્લેટ લીધો હતો ત્યાં રહેવા જવાના હતા.6 સભ્યોનો પરિવાર આ ઘરમાં રહેતો હતો,અન્ય ચાર સભ્યો બહાર ગયા હોવાથી તેમનો બચાવ થયો છે,આ ફ્લેટમાં વર્ષોથી રહેતા હોવાથી લગાવ હોવાના કારણે શિફ્ટ નહોતા થઈ રહ્યા હોવાની પણ વાત સામે આવી છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.A ડિવિઝન પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.