AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્વાન

શ્વાન

શ્વાન માનવનો સૌથી વિશ્વાસુ અને પ્રેમાળ સાથી માનવામાં આવે છે. તે માત્ર પાલતુ પ્રાણી નહીં પરંતુ પરિવારના સભ્ય તરીકે જોડાઈ જાય છે. શ્વાનનો સ્વભાવ સંવેદનશીલ, વફાદાર અને રક્ષાત્મક હોય છે, તેથી તે માલિકના આનંદ, દુઃખ અને જોખમની સ્થિતિને તરત ઓળખી લે છે. તેમના પાસે સુગંધ, સાંભળવાની અને સમજવાની અદ્ભુત શક્તિ હોય છે, જેના કારણે તે સુરક્ષા, શોધખોળ, બચાવ કાર્ય અને થેરાપી જેવા ક્ષેત્રોમાં પણ મોટી ભૂમિકા ભજવે છે. બાળકો સાથે રમવું હોય કે મોટા લોકોનો સાથ આપવો હોય, શ્વાન દરેક સંબંધમાં નિઃસ્વાર્થ પ્રેમ આપે છે. આ જ કારણે તેને “માનવના સાચા મિત્ર” તરીકે ઓળખવામાં આવે છે.

શ્વાનને સ્વસ્થ રાખવા માટે તેની યોગ્ય કાળજી લેવી અત્યંત જરૂરી છે. નિયમિત પોષણયુક્ત આહાર, સ્વચ્છ પાણી અને સમયસર વેક્સિનેશન તેની તંદુરસ્તી માટે જરૂરી છે. સાથે જ રોજિંદી વોક, વ્યાયામ અને રમતમાં તેને સામેલ કરવાથી તેનું શરીર અને માનસિક સ્વાસ્થ્ય બંને સુધરે છે. શ્વાનની ટ્રેનિંગ પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેના વર્તનમાં શિસ્ત લાવે છે અને ઘરના સભ્યો સાથે સુમેળ બનાવે છે.

Read More

Pet Care in Monsoon : ચોમાસામાં પાળતુ કૂતરા-બિલાડીઓને બીમારીઓથી બચાવવા અપનાવો આ 10 ગોલ્ડન ટિપ્સ, નહીં થાય ઈન્ફેક્શન

વરસાદના વાતાવરણમાં વધતા ભેજ અને બેક્ટેરિયા વચ્ચે તમારા વ્હાલા પેટ્સને કાદવ, ઇતરડી (Ticks) અને કાનના ઈન્ફેક્શનથી સુરક્ષિત રાખવાની આસાન રીતો.

રાજકોટથી દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા સુધી રખડતા શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો પર હુમલા બાદ લોકોમાં ભય

રાજકોટના જસદણ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રખડતા શ્વાનના હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.

આ 4 મૂળાંકવાળા લોકો હોય છે સૌથી મોટા પેટ લવર્સ, પ્રાણીઓ સાથે હોય છે ખાસ આત્મીય જોડાણ

અંકશાસ્ત્ર મુજબ કેટલાક મૂળાંકવાળા લોકોનો પ્રાણીઓ સાથે અનોખો અને ભાવનાત્મક સંબંધ હોય છે. ખાસ કરીને મૂળાંક 2, 6, 7 અને 8 ધરાવતા લોકો પાળતુ પ્રાણીઓ પ્રત્યે વધુ પ્રેમાળ અને સંવેદનશીલ માનવામાં આવે છે.

Breaking News: જાહેર સ્થળોથી રખડતા કૂતરા હટાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, જીવદયા પ્રેમીઓની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને દૂર કરવાનો આદેશ યથાવત રહેશે. અગાઉનો આદેશ (2025 થી) અમલમાં રહેશે. કોર્ટે પશુ કલ્યાણ બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ પણ ફગાવી દીધી હતી.

ડોગ માટે ઘાતક બની શકે છે આ આકરી ગરમી, નાની ભૂલ પણ બની શકે મોટી દુર્ઘટના

ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે મનુષ્યોની સાથે પ્રાણીઓ માટે પણ ખતરો વધ્યો છે. ખાસ કરીને પાલતુ શ્વાન બોલી શકતા નથી, પરંતુ તેમને હીટ સ્ટ્રોકનો ખતરો સૌથી વધુ હોય છે. તમારા ડોગીને એક્ટિવ અને હેલ્ધી રાખવા માટે તેના ડાયટ, વોકિંગ અને ગ્રૂમિંગમાં કયા ફેરફારો કરવા જરૂરી છે, વાંચો...

મોતનું બીજું નામ ‘રેબિઝ’ ! કૂતરાના માત્ર ચાટવાથી કેવી રીતે ફેલાય છે આ અસાધ્ય રોગ ? જુઓ Viral Video

શું તમે પણ કૂતરાને વધુ પડતો પ્રેમ કરો છો? સાવધાન, કારણ કે રેબિઝનો વાયરસ RBC કરતા પણ હજારો ગણો સૂક્ષ્મ હોય છે. એકવાર આ વાયરસ કરોડરજ્જુમાં પહોંચી જાય પછી દુનિયાનો કોઈ ડોક્ટર તમને બચાવી શકતો નથી. રાજસ્થાનના કિસ્સાએ આખી દુનિયાને કેમ ચોંકાવી દીધી? વાંચો આ ખાસ રિપોર્ટ.

શું તમે પણ ઘરે કૂતરો પાળવાનું વિચારી રહ્યા છો? જાણી લો 2026 ના ‘મોસ્ટ પોપ્યુલર’ ડોગ બ્રીડ્સ

સમયની સાથે લોકોની પસંદગી બદલાય છે અને વર્ષ 2026 માં ડોગ પેરેન્ટ્સ કંઈક અલગ જ શોધી રહ્યા છે. હવે માત્ર દેખાવ જ નહીં, પણ એપાર્ટમેન્ટ લાઈફ અને વર્ક-ફ્રોમ-હોમ કલ્ચરને અનુરૂપ શ્વાનનો ક્રેઝ વધ્યો છે.

જો તમારું પેટ વારંવાર પોતાના પગ ચાટતું હોય તો સાવધાન! આ માત્ર આદત નથી પણ ગંભીર બીમારીના હોઈ શકે છે સંકેત!

ઘણીવાર આપણે પાલતુ પ્રાણીઓની પગ ચાટવાની આદતને સામાન્ય ગણીને અવગણીએ છીએ, પરંતુ આ આદત પાછળ ભેજ, ઈન્ફેક્શન કે માનસિક તણાવ જવાબદાર હોઈ શકે છે. નિષ્ણાંત પાસેથી જાણો આ સમસ્યાના કારણો અને તેનાથી બચવાની રીતો.

Breaking News : રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઇને પરિપત્ર જાહેર કર્યો, જુઓ વીડિયો

રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઇને પરિપત્ર જાહેર કર્યો છે.સોમવાર સુધીમાં આ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

શું તમને ખબર છે કે કૂતરાનો પણ DNA ટેસ્ટ થાય છે..! ચાલો સંપૂર્ણ ઘટના પર નજર કરીએ

અમેરિકાની એક મહિલાએ પોતાના પાલતુ કૂતરાની અસલી નસલ જાણવા માટે DNA ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે જે કૂતરો સામાન્ય ટેરિયર જેવો દેખાતો હતો, તેના લોહીમાં જાણો શું સામે આવ્યું. સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારો રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે.

લાગણી હોય તો આવી….. એક ભારતીય દંપતીએ પોતાના પાલતુ શ્વાન માટે ₹15 લાખ ખર્ચ્યા. કહ્યુ- ‘સ્કાય અમારું બાળક છે

હૈદરાબાદના એક દંપતીએ તેમના પાલતુ શ્વાન 'સ્કાય'ને ભારતથી ઓસ્ટ્રેલિયા લાવવા માટે લગભગ ₹15 લાખ ખર્ચ્યા. ઓસ્ટ્રેલિયાના કડક આયાત નિયમોને કારણે, સ્કાયને 6 મહિના દુબઈમાં રહેવું પડ્યું. પ્રેમ અને સમર્પણની આ હૃદયસ્પર્શી ગાથા દર્શાવે છે કે પાલતુ પ્રાણીઓ ફક્ત એક પશુ નથી, પરંતુ પરિવારનો એક અભિન્ન અંગ છે, જેના માટે કોઈપણ કિંમત ઓછી છે.

Breaking News : કૂતરા કરડવાથી ઈજા કે મૃત્યુ થાય તો કૂતરાનો માલિક જવાબદાર રહેશે,જાણો સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણીમાં શું થયું?

જો કૂતરા કરડવાથી મૃત્યુ થાય, તો રાજ્ય સરકારોને મોટું વળતર ચૂકવવું પડી શકે છે.આ સાથે કૂતરા કરડવાથી ઈજા કે મૃત્યુ થાય તો કૂતરાનો માલિકો જવાબદાર રહેશે સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણીમાં શું થયું તે જાણો?

શિયાળામાં તમારા Pet Dog ને શરદી થઈ છે ? જાણો તેને મટાડવાના ઘરેલું ઉપાય, જુઓ Video

શિયાળામાં તમારા શ્વાનને શરદી, તાવ કે વહેતું નાક હોય તો ચિંતા કરશો નહીં. ડૉક્ટર દ્વારા જણાવવામાં આવેલો આ ઘરેલું ઉપચાર અપનાવો. તમારા Dog ને રાહત મળશે.

તમારા Pet Dog ને દરેક બીમારીઓથી દૂર રાખવા Common રસી કઈ-કઈ છે ? જાણી લો

શ્વાનનું રસીકરણ તેના સ્વસ્થ અને લાંબા જીવન માટે અત્યંત જરૂરી છે. તે ગંભીર રોગોથી રક્ષણ આપે છે. રસીઓને મુખ્ય (Core) અને જીવનશૈલી (Lifestyle) એમ બે શ્રેણીમાં વહેંચવામાં આવે છે.

તમારા Pet Dog ને આ શાકભાજી ભૂલથી પણ ન ખવડાવતા, જાણો કારણ

કેટલાક એવા શાકભાજી છે જે શ્વાનના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તમારા પાલતુ શ્વાનને સુરક્ષિત રાખવા માટે આ શાકભાજીથી દૂર રાખો અને કોઈપણ શંકાસ્પદ સેવન પર તરત પશુચિકિત્સકનો સંપર્ક કરો.

g clip-path="url(#clip0_868_265)">