દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ ભાજપ અને મહારાષ્ટ્રના મહત્વના નેતા છે. દેવેન્દ્ર ફડણવીસે નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદામાં બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ અને ડી. એસ. ઇ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ પદ્ધતિઓ અને તકનીકોમાં બર્લિનમાંથી સ્નાતક થયા છે. 1990 ના દાયકામાં દેવેન્દ્ર ફડણવીસે રાજકારણમાં પ્રવેશ કર્યા પછી, તેમણે ટૂંકા ગાળામાં જ મોટી સંખ્યામાં અનુયાયીઓ મેળવ્યા. તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સતત બે વાર (1992 અને 1997) ચૂંટાયા હતા.
દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના મેયરનું પદ સંભાળ્યું છે અને ભારતના બીજા સૌથી યુવા મેયર તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. મેયર તરીકે ફરીથી ચૂંટાયા બાદ મહારાષ્ટ્રમાંથી ‘મેયર ઇન કાઉન્સિલ’નું સન્માન મેળવનાર તેઓ પ્રથમ નેતા છે. ફડણવીસ 1999થી સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ 2014 થી 2019 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. અગાઉ તેઓ વિધાનસભા વિપક્ષના નેતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. હાલમાં, દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદેની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનની સાથે સાથે અને ગૃહ વિભાગનો પણ હવાલો ધરાવે છે.
News9 Global Summit 2025: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જર્મનીને ગણાવ્યું ખાસ મિત્ર, મહારાષ્ટ્રમાં રોકાણ માટે આપ્યું આમંત્રણ
ન્યૂઝ9 ગ્લોબલ સમિટમાં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભારત-જર્મની સંબંધો અને મહારાષ્ટ્રની આર્થિક પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા છે.
- Sagar Solanki
- Updated on: Oct 9, 2025
- 5:49 pm
કેટલી ભણેલી છે અમૃતા ફડણવીસ ? આ ટોપ સંસ્થાઓમાં મેળવ્યું છે શિક્ષણ, જાણો
અમૃતા ફડણવીસ ફક્ત એક રાજકારણીની પત્ની નથી. તેમણે તેમના કારકિર્દીમાં ઘણા ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી છે. તે બેંકર, અભિનેત્રી, ગાયિકા અને સામાજિક કાર્યકર તરીકે સક્રિય છે.
- Sagar Solanki
- Updated on: Sep 13, 2025
- 4:40 pm
ચેસ વર્લ્ડ કપ જીતવા બદલ ચેમ્પિયન દિવ્યા દેશમુખને કરોડોનું ઈનામ, મહારાષ્ટ્ર સરકારે કર્યું સન્માન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયન દિવ્યા દેશમુખનું સન્માન કર્યું. તેમણે દિવ્યાને કરોડોનું ઈનામ આપ્યું અને ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પણ આપ્યા.
- Smit Chauhan
- Updated on: Aug 2, 2025
- 9:43 pm
Breaking News: મહારાષ્ટ્રની રાજનીતિમાં નવાજુનીના એંધાણ, CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી નવા જુની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. હજુ ગઈકાલે જ વિધાનસભામાં હળવા અંદાજમાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરને સત્તા પક્ષમાં અલગ રીતે આવવાની ઓફર આપી હતી. જે બાદ આજે CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની બંધ બારણે બેઠક મળી હતી.
- Mina Pandya
- Updated on: Jul 22, 2025
- 3:38 pm
હિન્દીને અભ્યાસક્રમનો ભાગ બનાવવો જોઈએ, મરાઠી ભાષાના વિવાદ વચ્ચે અમૃતા ફડણવીસનું નિવેદન
મહારાષ્ટ્રમાં આ દિવસોમાં હિન્દી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે એક નિવેદન આપ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે હિન્દી ભાષાને અભ્યાસક્રમનો ભાગ બનાવવી જોઈએ.
- Sagar Solanki
- Updated on: Jul 4, 2025
- 10:10 pm
રોહિત શર્મા સ્ટેન્ડના ઉદ્ઘાટન સમારોહમાં પત્ની રિતિકા થઈ ભાવુક, વીડિયો થયો વાયરલ
રોહિત શર્માનું નામ ભારતના સૌથી સફળ અને મહાન ક્રિકેટરોમાં ગણાશે. છેલ્લા એક વર્ષમાં, તેમની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. 'મુંબઈ ચા રાજા' તરીકે પ્રખ્યાત રોહિત શર્માને હવે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
- Disha Thakar
- Updated on: May 17, 2025
- 12:17 pm
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોહિત શર્મા સ્ટેન્ડનું થયું ઉદ્ઘાટન, આ 2 ખાસ લોકોએ દબાવ્યું બટન
મુંબઈ ક્રિકેટ એસોસિએશને બે વર્ષ પહેલા આ ઐતિહાસિક સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની એક ખાસ પ્રતિમા સ્થાપિત કરી હતી. પછી ગયા વર્ષે, તે સીટને એક ખાસ જગ્યા બનાવવામાં આવી હતી, જ્યાં 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં ધોનીએ વિનિંગ છગ્ગો ફટકાર્યા પછી બોલ પડ્યો હતો. હવે MCAએ આ સ્ટેડિયમને વધુ ખાસ બનાવ્યું છે.
- Smit Chauhan
- Updated on: May 16, 2025
- 6:56 pm
ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર લગાવવા પોલીસ પરવાનગી જરૂરી, જો કાયદાનું પાલન નહીં તો પોલીસ સામે પણ પગલાં : દેવેન્દ્ર ફડણવીસ
ગેરકાયદે લાઉડસ્પીકર અંગે મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે કહ્યું કે, માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ લાઉડસ્પીકર સહિતના તમામ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવશે. લાઉડ સ્પીકર માટે નક્કી કરાયેલા નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવાની જવાબદારી સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈની રહેશે, જો નિયમોનું પાલન થતું જોવા નહીં મળે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમ ફડણવીસે જણાવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Mar 11, 2025
- 9:14 pm
નાગપુરમાં પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કના ઉદ્દઘાટન પ્રસંગે બોલ્યા CM ફડણવીસ, સંતરા ઉત્પાદન માટે પેકેજિંગ- પ્રોસેસિંગની હશે સુવિધા
મહારાષ્ટ્રના નાગપુરમાં પતંજલિ ફૂડ અને હર્બલ પાર્કના ઉદ્દઘાટન દરમિયાન સીએમ ફડણવીસે કહ્યુ કે આ પાર્કને બનવામાં 9 વર્ષ થયા. બાબાા રામદેવએ તેમને મફતમાં મળતી જમીન પર ફુડ પાર્ક બનાવવાના બદલે નાગપુરને પસંદ કર્યુ અને તેને પુરુ કરીને બતાવ્યુ. તેમણે કહ્યુ અહીં સંતરાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે નર્સરીથી લઈ પ્રોસેસિંગ અને પેકેજિંગની પણ સુવિધા આપવામાં આવશે.
- Mina Pandya
- Updated on: Mar 9, 2025
- 8:03 pm
મહારાષ્ટ્રમાં ફરી ધૂળ્યું ભાષાનું ભૂત, RSS ના ભૈય્યાજી જોશીના નિવેદને હોબાળો મચાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- મુંબઈની ભાષા મરાઠી
મુંબઈમાં મરાઠી ભાષા પર ભૈય્યાજી જોશીના વિવાદાસ્પદ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી હોબાળો મચ્યો છે. જોશીના નિવેદનને રદિયો આપતાં પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મરાઠીને મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા ગણાવી છે. વિધાનસભામાં ભૈય્યાજી જોશીના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે જોરદાર ચર્ચા થઈ હતી, જેમાં વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું. સરકારનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં રહેતા દરેક વ્યક્તિએ મરાઠી ભાષા શીખવી જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Mar 6, 2025
- 4:50 pm
WEF 2025: મહારાષ્ટ્રને મળ્યા 16 લાખ કરોડ રૂપિયા, અશ્વિની વૈષ્ણવે વિશ્વને જણાવ્યો Made for the World પ્લાન
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ સમક્ષ PM નરેન્દ્ર મોદીનો 'ટીમ ઇન્ડિયા પ્લાન' રજૂ કર્યો. ભવિષ્ય માટે એક મોટી જાહેરાત પણ કરી. મહારાષ્ટ્રને અહીં યોજાઈ રહેલા 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ'માં પણ મોટા રોકાણની ઓફર મળી છે.
- Sagar Solanki
- Updated on: Jan 23, 2025
- 10:08 pm
મહારાષ્ટ્રમાં મંત્રીઓને ખાતાની વહેંચણી, ફડણવીસને મળ્યું ગૃહ વિભાગ, જાણો શિંદે-અજિતને શું મળ્યું?
મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ 15 ડિસેમ્બરે થયું હતું. આ પછી હવે મંત્રીઓના પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવી છે. ચંદ્રશેખર બાવનકુલેને મહેસૂલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. બાવનકુલે મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ છે. હસન મુશ્રીફને મેડિકલ એજ્યુકેશન વિભાગની કમાન સોંપવામાં આવી છે.
- Sagar Solanki
- Updated on: Dec 21, 2024
- 9:53 pm
Maharashtra Cabinet List : મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, કોણ બન્યા મંત્રી, કોનું કપાયું પત્તું ?
મહારાષ્ટ્ર કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 39 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. આ વખતે ભાજપના સૌથી વધુ 19 મંત્રીઓએ શપથ લીધા, જ્યારે શિવસેના શિંદે જૂથના 11 અને NCP અજિત પવાર જૂથના 9 મંત્રીઓએ શપથ લીધા છે.
- Dilip Chaudhary
- Updated on: Dec 15, 2024
- 8:47 pm
મહારાષ્ટ્રમાં અઢી વર્ષનો રહેશે મંત્રીઓનો કાર્યકાળ, આપવી પડશે એફિડેવિટ, સામે આવી ફડણવીસ કેબિનેટના વિસ્તરણની ફોર્મ્યુલા
મહારાષ્ટ્રમાં લાંબા સસ્પેન્સ બાદ રવિવારે દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભાજપ, એનસીપી અને શિંદે જૂથના 39 નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ આ મંત્રીઓનો કાર્યકાળ પાંચ વર્ષનો નહીં, પરંતુ અઢી વર્ષનો રહેશે અને મંત્રીઓએ એફિડેવિટ પણ લખવી પડશે.
- Sagar Solanki
- Updated on: Dec 15, 2024
- 7:01 pm
Maharastra : મોવડીમંડળે નવા મંત્રીમંડળને આપ્યું ગ્રીન સિગ્નલ, શનિવારે શપથવિધિ, સૌની નજર શિંદે-અજીતના ખાતા પર
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ હવે તમામની નજર કેબિનેટ વિસ્તરણ પર છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી શરૂ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, આવતીકાલે એટલે કે 14મી ડિસેમ્બરે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અજિત પવાર અને એકનાથ શિંદેને કયું મંત્રાલય ફાળવવામાં આવે છે તેના પર સૌની નજર છે?
- TV9 Gujarati
- Updated on: Dec 13, 2024
- 8:14 pm