
દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ ભાજપ અને મહારાષ્ટ્રના મહત્વના નેતા છે. દેવેન્દ્ર ફડણવીસે નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદામાં બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ અને ડી. એસ. ઇ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ પદ્ધતિઓ અને તકનીકોમાં બર્લિનમાંથી સ્નાતક થયા છે. 1990 ના દાયકામાં દેવેન્દ્ર ફડણવીસે રાજકારણમાં પ્રવેશ કર્યા પછી, તેમણે ટૂંકા ગાળામાં જ મોટી સંખ્યામાં અનુયાયીઓ મેળવ્યા. તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સતત બે વાર (1992 અને 1997) ચૂંટાયા હતા.
દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના મેયરનું પદ સંભાળ્યું છે અને ભારતના બીજા સૌથી યુવા મેયર તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. મેયર તરીકે ફરીથી ચૂંટાયા બાદ મહારાષ્ટ્રમાંથી ‘મેયર ઇન કાઉન્સિલ’નું સન્માન મેળવનાર તેઓ પ્રથમ નેતા છે. ફડણવીસ 1999થી સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ 2014 થી 2019 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. અગાઉ તેઓ વિધાનસભા વિપક્ષના નેતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. હાલમાં, દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદેની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનની સાથે સાથે અને ગૃહ વિભાગનો પણ હવાલો ધરાવે છે.
ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર લગાવવા પોલીસ પરવાનગી જરૂરી, જો કાયદાનું પાલન નહીં તો પોલીસ સામે પણ પગલાં : દેવેન્દ્ર ફડણવીસ
ગેરકાયદે લાઉડસ્પીકર અંગે મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે કહ્યું કે, માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ લાઉડસ્પીકર સહિતના તમામ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવશે. લાઉડ સ્પીકર માટે નક્કી કરાયેલા નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવાની જવાબદારી સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈની રહેશે, જો નિયમોનું પાલન થતું જોવા નહીં મળે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમ ફડણવીસે જણાવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Mar 11, 2025
- 9:14 pm
નાગપુરમાં પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કના ઉદ્દઘાટન પ્રસંગે બોલ્યા CM ફડણવીસ, સંતરા ઉત્પાદન માટે પેકેજિંગ- પ્રોસેસિંગની હશે સુવિધા
મહારાષ્ટ્રના નાગપુરમાં પતંજલિ ફૂડ અને હર્બલ પાર્કના ઉદ્દઘાટન દરમિયાન સીએમ ફડણવીસે કહ્યુ કે આ પાર્કને બનવામાં 9 વર્ષ થયા. બાબાા રામદેવએ તેમને મફતમાં મળતી જમીન પર ફુડ પાર્ક બનાવવાના બદલે નાગપુરને પસંદ કર્યુ અને તેને પુરુ કરીને બતાવ્યુ. તેમણે કહ્યુ અહીં સંતરાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે નર્સરીથી લઈ પ્રોસેસિંગ અને પેકેજિંગની પણ સુવિધા આપવામાં આવશે.
- Mina Pandya
- Updated on: Mar 9, 2025
- 8:03 pm
મહારાષ્ટ્રમાં ફરી ધૂળ્યું ભાષાનું ભૂત, RSS ના ભૈય્યાજી જોશીના નિવેદને હોબાળો મચાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- મુંબઈની ભાષા મરાઠી
મુંબઈમાં મરાઠી ભાષા પર ભૈય્યાજી જોશીના વિવાદાસ્પદ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી હોબાળો મચ્યો છે. જોશીના નિવેદનને રદિયો આપતાં પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મરાઠીને મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા ગણાવી છે. વિધાનસભામાં ભૈય્યાજી જોશીના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે જોરદાર ચર્ચા થઈ હતી, જેમાં વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું. સરકારનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં રહેતા દરેક વ્યક્તિએ મરાઠી ભાષા શીખવી જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Mar 6, 2025
- 4:50 pm
WEF 2025: મહારાષ્ટ્રને મળ્યા 16 લાખ કરોડ રૂપિયા, અશ્વિની વૈષ્ણવે વિશ્વને જણાવ્યો Made for the World પ્લાન
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ સમક્ષ PM નરેન્દ્ર મોદીનો 'ટીમ ઇન્ડિયા પ્લાન' રજૂ કર્યો. ભવિષ્ય માટે એક મોટી જાહેરાત પણ કરી. મહારાષ્ટ્રને અહીં યોજાઈ રહેલા 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ'માં પણ મોટા રોકાણની ઓફર મળી છે.
- Sagar Solanki
- Updated on: Jan 23, 2025
- 10:08 pm
મહારાષ્ટ્રમાં મંત્રીઓને ખાતાની વહેંચણી, ફડણવીસને મળ્યું ગૃહ વિભાગ, જાણો શિંદે-અજિતને શું મળ્યું?
મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ 15 ડિસેમ્બરે થયું હતું. આ પછી હવે મંત્રીઓના પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવી છે. ચંદ્રશેખર બાવનકુલેને મહેસૂલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. બાવનકુલે મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ છે. હસન મુશ્રીફને મેડિકલ એજ્યુકેશન વિભાગની કમાન સોંપવામાં આવી છે.
- Sagar Solanki
- Updated on: Dec 21, 2024
- 9:53 pm
Maharashtra Cabinet List : મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, કોણ બન્યા મંત્રી, કોનું કપાયું પત્તું ?
મહારાષ્ટ્ર કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 39 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. આ વખતે ભાજપના સૌથી વધુ 19 મંત્રીઓએ શપથ લીધા, જ્યારે શિવસેના શિંદે જૂથના 11 અને NCP અજિત પવાર જૂથના 9 મંત્રીઓએ શપથ લીધા છે.
- Dilip Chaudhary
- Updated on: Dec 15, 2024
- 8:47 pm
મહારાષ્ટ્રમાં અઢી વર્ષનો રહેશે મંત્રીઓનો કાર્યકાળ, આપવી પડશે એફિડેવિટ, સામે આવી ફડણવીસ કેબિનેટના વિસ્તરણની ફોર્મ્યુલા
મહારાષ્ટ્રમાં લાંબા સસ્પેન્સ બાદ રવિવારે દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભાજપ, એનસીપી અને શિંદે જૂથના 39 નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ આ મંત્રીઓનો કાર્યકાળ પાંચ વર્ષનો નહીં, પરંતુ અઢી વર્ષનો રહેશે અને મંત્રીઓએ એફિડેવિટ પણ લખવી પડશે.
- Sagar Solanki
- Updated on: Dec 15, 2024
- 7:01 pm
Maharastra : મોવડીમંડળે નવા મંત્રીમંડળને આપ્યું ગ્રીન સિગ્નલ, શનિવારે શપથવિધિ, સૌની નજર શિંદે-અજીતના ખાતા પર
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ હવે તમામની નજર કેબિનેટ વિસ્તરણ પર છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી શરૂ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, આવતીકાલે એટલે કે 14મી ડિસેમ્બરે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અજિત પવાર અને એકનાથ શિંદેને કયું મંત્રાલય ફાળવવામાં આવે છે તેના પર સૌની નજર છે?
- TV9 Gujarati
- Updated on: Dec 13, 2024
- 8:14 pm
Video : મુંબઈ-પુણેની મુસાફરી થશે 25 મિનિટમાં, ભારતમાં પ્રથમ વાર Hyperloop Train દોડશે, જાણો વિશેષતા
મુંબઈ-પુણે વચ્ચે હાઈપરલૂપ ટ્રેન શરૂ થશે. આ ટ્રેન 600 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મુસાફરીનો સમય ઘટીને 25 મિનિટ થઈ જશે. કેન્દ્રીય રેલવે મંત્રીએ વીડિયો શેર કર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. 410 કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. ટિકિટની કિંમત હવાઈ મુસાફરી જેટલી જ રહેશે.
- Sagar Solanki
- Updated on: Dec 7, 2024
- 7:10 pm
મે આપકી વહિની.. દેવેન્દ્ર ફડણવિસે શપથ લેતાની સાથે અમૃતા ફડણવીસે મહારાષ્ટ્રને કર્યો આ વાયદો
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. 5 ડિસેમ્બરની સાંજે તેમણે CM તરીકે શપથ લીધા હતા. શપથ સમારોહ બાદ તેમની પત્ની અમૃતા ફડણવીસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને મહારાષ્ટ્રને વચન આપ્યું હતું. ચાલો જાણીએ કે તેમણે તેમની પોસ્ટમાં શું લખ્યું છે.
- Sagar Solanki
- Updated on: Dec 5, 2024
- 11:32 pm
દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં શાહરૂખ ખાને સચિન તેંડુલકરને ગળે લગાવ્યો, જુઓ વીડિયો
દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં નેતાઓ ઉપરાંત ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. સચિન તેંડુલકર પણ આ સમારોહનો ભાગ બન્યો હતો. આ દરમિયાન બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન સચિન તેંડુલકરને મળ્યો હતો અને તેને ગળે લગાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પઆર ખાઉબ જ વાયરલ થયો છે.
- Smit Chauhan
- Updated on: Dec 5, 2024
- 8:20 pm
દેવેન્દ્ર ફડણવિસ ત્રીજીવાર બન્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, શિંદે અને અજીત પવારને મળ્યુ નાયબ મુખ્યમંત્રી પદ
દેવેન્દ્ર ફડણવિસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના ત્રીજીવાપ શપથ ગ્રહણ કર્યા. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Mina Pandya
- Updated on: Dec 5, 2024
- 7:44 pm
Maharashtra CMના શપથ ગ્રહણ સમારોહના કાર્ડે સૌને ચોંકાવ્યા, ફડણવીસના નામ પાછળ આ ખાસ વ્યક્તિનું નામ ઉમેર્યું
મહારાષ્ટ્રમાં આજથી ફડણવીસ સરકાર શરૂ થવા જઈ રહી છે. પરંતુ આ વખતે ત્રીજી વખત શપથ લેવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસનું નામ આમંત્રણ કાર્ડમાં થોડું અલગ રીતે લખવામાં આવ્યું છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
- Devankashi rana
- Updated on: Dec 5, 2024
- 1:33 pm
મહારાષ્ટ્રને આજે મળશે નવા સીએમ, બે ડેપ્યુટી CM લેશે શપથ, PM મોદી પણ રહેશે હાજર
દેવેન્દ્ર ફડણવીસ આજે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે સાડા પાંચ વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ પહેલા બુધવારે દેવેન્દ્ર ફડણવીસને ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી ફડણવીસે કાર્યકારી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મળીને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સામે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
- Meera Kansagara
- Updated on: Dec 5, 2024
- 7:31 am
Breaking news : દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ત્રીજી વખત સીએમ બનશે, આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તે પ્રશ્નનો જવાબ આજે મળી ગયો છે. ભાજપે રાજ્યની કમાન દેવેન્દ્ર ફડણવીસને સોંપી છે. તેઓ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનશે. તેઓ 2014માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ પણ હતા.
- Dhinal Chavda
- Updated on: Dec 4, 2024
- 12:34 pm