AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મહારાષ્ટ્રની રાજનીતિમાં નવાજુનીના એંધાણ, CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી નવા જુની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. હજુ ગઈકાલે જ વિધાનસભામાં હળવા અંદાજમાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરને સત્તા પક્ષમાં અલગ રીતે આવવાની ઓફર આપી હતી. જે બાદ આજે CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની બંધ બારણે બેઠક મળી હતી.

Breaking News: મહારાષ્ટ્રની રાજનીતિમાં નવાજુનીના એંધાણ, CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક
| Updated on: Jul 22, 2025 | 3:38 PM
Share

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠક વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેના ચેમ્બરમાં થઈ હતી. બંને નેતાઓ સિવાય રૂમમાં બીજું કોઈ હાજર નહોતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેએ લગભગ 10 મિનિટ સુધી બંધ બારણે ચર્ચા કરી હતી. જોકે, આ બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

ઠાકરેએ  મુખ્યમંત્રી અને વિધાન પરિષદના અધ્યક્ષને પુસ્તક ભેટમાં આપ્યુ

બંધ બારણે મળેલી બેઠક પહેલા, ઉદ્ધવ ઠાકરે, તેમના ધારાસભ્ય પુત્ર આદિત્ય ઠાકરે સાથે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેને મળ્યા. આ બેઠક દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રામ શિંદેને મરાઠી ભાષા અને હિન્દીની આવશ્યકતાના સંદર્ભમાં વિવિધ સંપાદકો દ્વારા લખાયેલા તંત્રીલેખો અને સ્તંભોનો સંગ્રહ ધરાવતું પુસ્તક ભેટમાં આપ્યું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદ, ત્રિભાષા અને હિંદી ફોર્મ્યુલા અને હિન્દી ફરજિયાત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. ‘હિન્દી ફરજિયાત કેમ ?’ નામનું આ પુસ્તક ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને આપ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર જાધવને પણ આ પુસ્તક આપવા કહ્યું હતુ. જે બાદ તેમણે અધ્યક્ષને પણ પુસ્તક ભેટ આપ્યુ હતુ.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદ, ત્રણ ભાષાનું સૂત્ર અને હિન્દી ફરજિયાત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. હિન્દી ફરજિયાત કેમ છે? આ પુસ્તક ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને આપ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર જાધવને પણ આ પુસ્તક આપવા કહ્યું.

ફડણવીસે બુધવારે (16 જુલાઈ) ઉદ્ધવને આપી હતી આ ઓફર

આ પહેલા બુધવારે ફડણવીસે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે  “સત્તાપક્ષમાં એક અલગ રીતે આવી શકે છે.”  મહારાષ્ટ્ર વિધાનસભાને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 2029 સુધી ભાજપ માટે વિપક્ષમાં આવવાની કોઈ તક નથી. ફડણવીસે કહ્યું, “ઓછામાં ઓછા 2029 સુધી  વિપક્ષ માટે સત્તામા આવવાની કોઈ તક નથી. ઉદ્ધવજી આ બાજુ (શાસક પક્ષ)માં આવવાની શક્યતા વિશે વિચારી શકે છે અને તેના પર અલગ રીતે વિચારી કરી શકાય છે, પરંતુ અમારા માટે ત્યાં (વિપક્ષમાં) આવવાની કોઈ શક્યતા હાલ નથી.”

આપને જણાવી દઈએ કે શિવસેના અને ભાજપનું ગઠબંધન 2019 સુધી હતું, પરંતુ ચૂંટણી જીત્યા પછી, બંને પક્ષો વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને મતભેદો હતા અને બંને પક્ષો વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું. ઉદ્ધવે ભાજપ છોડી દીધું અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હતી.

Breaking News: અમિત ચાવડાને બનાવાયા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ, OBC નેતાને સોંપાઈ કમાન

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">