કોકરોચ જનતા પાર્ટી
ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને દેશના બેરોજગાર યુવાનોએ કોકરોચ જનતા પાર્ટીના નામે મજાક સ્વરૂપે કટાક્ષ કરવા માટે સોશિયલ મીડિયા પર શરુઆત કરી હતી. જે ડિજિટલ ટ્રેન્ડ બની ગઈ હતી. ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા મિલિયનમાં પહોચી ગઈ છે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ફોલોઅર્સ કરતા પણ વધુ ફોલોઅર્સ કોકરોચ જનતા પાર્ટી’ના છે. મીમ્સ, બેરોજગારી, પરીક્ષા તણાવ, સોશિયલ મીડિયામાં સરકાર વિરોધી આક્રોશ અને રાજકીય વ્યંગના મિશ્રણમાંથી જન્મેલી, આ ડિજિટલ પાર્ટી ગણાય છે.
કોકરોચ જનતા પાર્ટી એ કોઈ ભારતનો સત્તાવાર રાજકીય પક્ષ નથી, પરંતુ રાજકીય વ્યંગનો મૂળ ધરાવતી એક ઓનલાઈન સોશિયલ મીડિયાની ચળવળ ગણાય છે. કોકરોચ જનતા પાર્ટી પોતાને આળસુ અને બેરોજગારોનો અવાજ ગણાવે છે. તે વ્યંગાત્મક દ્રષ્ટિકોણ દ્વારા બેરોજગારી, ફુગાવો, પરીક્ષા પ્રણાલી, રાજકીય વિશેષાધિકાર અને યુવાનોના અસંતોષ જેવા મુદ્દાઓને સોશિયલ મીડિયામાં ઉઠાવે છે. સોશિયલ મીડિયા પર, સમર્થકો તેમની પોસ્ટમાં પોતાને ‘વંદા’ તરીકે ઓળખાવે છે, અને વંદો ઇમોજી એક ટ્રેન્ડિંગ સિમ્બોલ બની ગયું છે.
કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી થઈ છે. તેમણે અહેવાલ મુજબ કહ્યું હતું કે કેટલાક બેરોજગાર યુવાનો વંદો અને પરોપજીવી જેવા છે જેઓ રોજગાર શોધવામાં અસમર્થ હોય છે. તેઓ સોશિયલ મીડિયા અથવા સક્રિયતા દ્વારા અન્ય લોકો પર હુમલો કરે છે. જોકે, આ નિવેદન અંગે પાછળથી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. તેમની ટિપ્પણી બાદ તરત જ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી.
Read More“આટલા ઓછા પગાર સાથે અમેરિકામાં અભ્યાસ કેવી રીતે શક્ય બન્યો?” સુરતના RTI એક્ટિવિસ્ટની અભિજીત દિપકે અને તેમના પિતા સામે તપાસની માંગ
સુરતના RTI કાર્યકર્તા અમિત તિવારીએ CJP સ્થાપક અભિજીત દિપકે અને તેમના પિતા ભગવાનરાવ દિપકે વિરુદ્ધ વિવિધ સરકારી સંસ્થાઓમાં ફરિયાદો નોંધાવી છે.
- Sagar Solanki
- Updated on: Aug 2, 2026
- 10:03 pm
એકદમ કોપી પેસ્ટ! હવે પાકિસ્તાનમાં પણ ઉભા થયા ‘કોકરોચ’.. બની ગઈ “કોકરોચ પાર્ટી પાકિસ્તાન”
હવે પાકિસ્તાનમાં પણ 'કોકરોચ પાર્ટી પાકિસ્તાન (CPP)' નામનું એક નવું જૂથ સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. આ જૂથ પોતાને ભ્રષ્ટાચાર, ખરાબ શાસન વ્યવસ્થા અને દેશની આર્થિક મુશ્કેલીઓ સામે અવાજ ઉઠાવતું યુવા આંદોલન ગણાવે છે.
- Devankashi rana
- Updated on: Aug 1, 2026
- 1:41 pm
NEET વિરોધ પાછળ શું રમાઈ રહ્યો છે નવો ખેલ? પરીક્ષાના મુદ્દા વચ્ચે રાજકીય એજન્ડા ઘૂસતા સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
NEET પરીક્ષા પેપર લીકના આરોપો સામે આવ્યા, તપાસ થઈ, અનેક લોકોની ધરપકડ થઈ, વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા લેવાઈ અને ત્યારબાદ પરિણામ જાહેર થયું. લાખો વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા અને પોતાના ભવિષ્ય તરફ આગળ વધવા લાગ્યા.
- Dhruval Shah
- Updated on: Jul 30, 2026
- 10:47 am
Breaking News : તેજ પ્રતાપ યાદવને 14 દિવસની જેલ, મોડી રાત્રે કોર્ટમાં હાજર થયા બાદ કાર્યવાહી
જનશક્તિ જનતા દળ પ્રમુખ તેજ પ્રતાપ યાદવને 13 દિવસ જેલમાં મોકલવામાં આવ્યા છે. પટનામાં NEET પેપર લીક વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
- Nirupa Duva
- Updated on: Jul 26, 2026
- 11:16 am
વ્યાજબી માંગથી શરૂ થયેલું આંદોલન કેમ આડા પાટે જઈ રહ્યું છે? પરવાનગી વગરના પ્રદર્શનો અને ભડકાઉ રાજનીતિ પર ઉઠ્યા સવાલ
વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષા સુધારા માટે શરૂ થયેલ આંદોલન શું હવે માત્ર રાજકીય એજન્ડાનું સાધન બની ગયું છે? NEET પરીક્ષા વિવાદથી લઈને અન્ય પ્રદર્શનોમાં જે રીતે મુખ્ય મુદ્દાઓ ભટકી રહ્યા છે અને વિરોધની આડમાં રાજનીતિ થઈ રહી છે, તેણે સમગ્ર દેશમાં એક નવી ચર્ચા જગાવી છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2026
- 4:14 pm
Breaking News: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યુ રાજીનામુ, સરકારે વિદ્યાર્થીઓની ત્રણેય માગો સ્વીકારી
NEET-UG વિવાદ અને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓની આંદોલન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનું રાજીનામુ સોપ્યુ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા પત્રમાં તેમણે કહ્યુ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોઈપણ વિવાદથી ઉપર છે. તેમણે પરીક્ષા પદ્ધતિમાં સુધારા, CBI તપાસ અને CBT વ્યવસ્થાનો ઉલ્લેખ કરી પદ છોડવાનું કારણ જણાવ્યુ.
- Mina Pandya
- Updated on: Jul 25, 2026
- 7:34 pm
Breaking News : કોકરોચ જનતા પાર્ટીના લીડર અભિજીત દીપકેના રમખાણો ભડકાવવાના માસ્ટરમાઈન્ડ પ્લાનિંગનો Video જુઓ
અભિજીત દીપકેના રમખાણો ભડકાવવાના માસ્ટમાઈન્ડ પ્લાનિંગનો વીડિયો જુઓ.20મી તારીખે રેલીમાં તેઓ બાળકો, અપંગો અને મહિલાઓને સૌથી આગળ રાખશે. તેમનું આ કાવતરું સ્પષ્ટ છે. આ NEET વિદ્યાર્થીઓ ફક્ત એક બહાનું છે.તેઓ દેશને ભડકાવવા માંગે છે.
- Nirupa Duva
- Updated on: Jul 23, 2026
- 2:31 pm
ધર્મેન્દ્ર પ્રધાનને પાણીચું આપો, 3 શરતો રાખતા રાહુલ ગાંધીએ કહ્યું-આંદોલનકારી વિદ્યાર્થીઓને કોંગ્રેસનો સાથ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પેપર લીકના મુદ્દા પર ફરી એકવાર સરકાર પર પ્રહારો કર્યા હતા. આજે 22 જુલાઈને બુધવારે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિત ત્રણ માંગણીઓ રજૂ કરી. તેમણે કહ્યું કે આ ત્રણ માંગણીઓ પર કોઈ સમાધાન થઈ શકે નહીં.
- Bipin Prajapati
- Updated on: Jul 22, 2026
- 7:08 pm
CJP ના પ્રદર્શનમાં કેમ આવી ‘વાદળી વર્દીવાળી’ ફોર્સ? આખરે કોણ છે આ લોકો અને શું છે એમનું ‘કામ’?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે જ્યારે તણાવ વધી ગયો, ત્યારે ખાખી પોલીસની સાથે વાદળી ગણવેશમાં સજ્જ એક ખાસ ફોર્સ મોરચો સંભાળતી જોવા મળી. આ વાદળી વર્દીધારી જવાનોએ મિનિટોમાં જ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. એવામાં સવાલ એ છે કે, આખરે આ વાદળી વર્દીવાળા જવાનો કોણ છે? આખરે મોટા વિરોધ કે રમખાણો સમયે તેમને જ કેમ બોલાવવામાં આવે છે?
- Ravi Prajapati
- Updated on: Jul 24, 2026
- 3:56 pm
કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન કોંગ્રેસે કેવી રીતે કર્યુ હાઈજેક? એક જ દિવસમાં બદલાઈ ગયો સંપૂર્ણ ખેલ- વાંચો
રાહુલ ગાંધી જો આંદોલનમાં આ રીતે સામે આવ્યા છે તો તેની સામે વિપક્ષી ગઠબંધનને પણ મજબુત કરવાની મોટી તક છે. મમતા બેનર્જીએ પણ દિલ્હી આવવાની વાત કરી છે. સમાજવાદી પાર્ટી પણ સક્રિય છે.
- Mina Pandya
- Updated on: Jul 21, 2026
- 7:38 pm
Breaking News : દિલ્લીમાં CJPના હિંસક વિરોધ પ્રદર્શનમાં 118 પોલીસકર્મીઓ ઘાયલ
પોલીસે જણાવ્યું હતું કે હિંસામાં 118 થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. જેમાં સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ, જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ જેવા વરિષ્ઠ અધિકારીઓ તેમજ કેટલાક મહિલા પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.
- Nirupa Duva
- Updated on: Jul 21, 2026
- 7:41 am
CJPએ જેપી નડ્ડા સમક્ષ મૂકી ત્રણ માંગણી, બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું – તમે ધરણા સમાપ્ત કરો
કોકરોચ જનતા પાર્ટી (CJP) એ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથે મુલાકાત કરી NEET 2026 પેપર લીક મામલે ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. જેપી નડ્ડા સમક્ષ મૂકી ત્રણ માંગણી.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 7:32 pm
Breaking News : CJPના પ્રદર્શનકારીઓ સંસદ ભવન પાસે પહોંચ્યા, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
કોકરોચ જનતા પાર્ટી ( Cockroach Janta Party )ના પ્રદર્શનકારી સંસદ ભવનની પાસે પહોંચ્યા છે. આ પ્રદર્શનને જોઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સંસદ ભવનના મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે. ભીડને કાબુ કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jul 20, 2026
- 1:42 pm
કાનુની સવાલ : ‘કોકરોચ જનતા પાર્ટી’ ની યોજનાઓ સામે પોલીસે BNSS ની કલમ 163 લાગુ કરી, જાણો શું છે આ કલમ
દિલ્લીમાં બીએનએસએસની કલમ 163 લાગુ કરવામાં આવી છે. જેને પહેલા સીઆરપીસી ની કલમ 144 તરીકે ઓળખવામાં આવતી નથી.જેના હેઠળ 5 કે તેનાથી વધારે લોકોને એક જગ્યા પર એકઠા થવા કે, જુલસ કાઢવા કે પ્રદર્શન કરવા પર પ્રતિબંધ રહેશે.
- Nirupa Duva
- Updated on: Jul 20, 2026
- 1:26 pm
જંતર મંતર પર ધરણા કરવા ઉત્સુક કોકરોચ જનતા પાર્ટીએ, હજુ સુધી દિલ્હી પોલીસ પાસેથી નથી માંગી પરવાનગી
'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અંગે દિલ્હી પોલીસ સતર્ક છે. દિલ્હી પોલીસ જણાવ્યું છે કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે કોકરોચ જનતા પાર્ટી તરફથી કે તેમના વતી પરવાનગી માંગતી કોઈ અરજી અત્યાર સુધી મળી નથી. અધિકારીઓએ ઉમેર્યું કે, જો જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટેની અરજી સબમિટ કરવામાં આવે છે, તો તેની તપાસ કરવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Jun 5, 2026
- 8:45 pm