AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોકરોચ જનતા પાર્ટી

કોકરોચ જનતા પાર્ટી

ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને દેશના બેરોજગાર યુવાનોએ કોકરોચ જનતા પાર્ટીના નામે મજાક સ્વરૂપે કટાક્ષ કરવા માટે સોશિયલ મીડિયા પર શરુઆત કરી હતી. જે ડિજિટલ ટ્રેન્ડ બની ગઈ હતી. ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા મિલિયનમાં પહોચી ગઈ છે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ફોલોઅર્સ કરતા પણ વધુ ફોલોઅર્સ કોકરોચ જનતા પાર્ટી’ના છે. મીમ્સ, બેરોજગારી, પરીક્ષા તણાવ, સોશિયલ મીડિયામાં સરકાર વિરોધી આક્રોશ અને રાજકીય વ્યંગના મિશ્રણમાંથી જન્મેલી, આ ડિજિટલ પાર્ટી ગણાય છે.

કોકરોચ જનતા પાર્ટી એ કોઈ ભારતનો સત્તાવાર રાજકીય પક્ષ નથી, પરંતુ રાજકીય વ્યંગનો મૂળ ધરાવતી એક ઓનલાઈન સોશિયલ મીડિયાની ચળવળ ગણાય છે. કોકરોચ જનતા પાર્ટી પોતાને આળસુ અને બેરોજગારોનો અવાજ ગણાવે છે. તે વ્યંગાત્મક દ્રષ્ટિકોણ દ્વારા બેરોજગારી, ફુગાવો, પરીક્ષા પ્રણાલી, રાજકીય વિશેષાધિકાર અને યુવાનોના અસંતોષ જેવા મુદ્દાઓને સોશિયલ મીડિયામાં ઉઠાવે છે. સોશિયલ મીડિયા પર, સમર્થકો તેમની પોસ્ટમાં પોતાને ‘વંદા’ તરીકે ઓળખાવે છે, અને વંદો ઇમોજી એક ટ્રેન્ડિંગ સિમ્બોલ બની ગયું છે.

કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી થઈ છે. તેમણે અહેવાલ મુજબ કહ્યું હતું કે કેટલાક બેરોજગાર યુવાનો વંદો અને પરોપજીવી જેવા છે જેઓ રોજગાર શોધવામાં અસમર્થ હોય છે. તેઓ સોશિયલ મીડિયા અથવા સક્રિયતા દ્વારા અન્ય લોકો પર હુમલો કરે છે. જોકે, આ નિવેદન અંગે પાછળથી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. તેમની ટિપ્પણી બાદ તરત જ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી.

Read More

Breaking News : દિલ્લીમાં CJPના હિંસક વિરોધ પ્રદર્શનમાં 118 પોલીસકર્મીઓ ઘાયલ

પોલીસે જણાવ્યું હતું કે હિંસામાં 118 થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. જેમાં સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ, જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ જેવા વરિષ્ઠ અધિકારીઓ તેમજ કેટલાક મહિલા પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.

CJPએ જેપી નડ્ડા સમક્ષ મૂકી ત્રણ માંગણી, બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું – તમે ધરણા સમાપ્ત કરો

કોકરોચ જનતા પાર્ટી (CJP) એ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથે મુલાકાત કરી NEET 2026 પેપર લીક મામલે ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. જેપી નડ્ડા સમક્ષ મૂકી ત્રણ માંગણી.

Breaking News : CJPના પ્રદર્શનકારીઓ સંસદ ભવન પાસે પહોંચ્યા, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

કોકરોચ જનતા પાર્ટી ( Cockroach Janta Party )ના પ્રદર્શનકારી સંસદ ભવનની પાસે પહોંચ્યા છે. આ પ્રદર્શનને જોઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સંસદ ભવનના મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે. ભીડને કાબુ કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે.

કાનુની સવાલ : ‘કોકરોચ જનતા પાર્ટી’ ની યોજનાઓ સામે પોલીસે BNSS ની કલમ 163 લાગુ કરી, જાણો શું છે આ કલમ

દિલ્લીમાં બીએનએસએસની કલમ 163 લાગુ કરવામાં આવી છે. જેને પહેલા સીઆરપીસી ની કલમ 144 તરીકે ઓળખવામાં આવતી નથી.જેના હેઠળ 5 કે તેનાથી વધારે લોકોને એક જગ્યા પર એકઠા થવા કે, જુલસ કાઢવા કે પ્રદર્શન કરવા પર પ્રતિબંધ રહેશે.

જંતર મંતર પર ધરણા કરવા ઉત્સુક કોકરોચ જનતા પાર્ટીએ, હજુ સુધી દિલ્હી પોલીસ પાસેથી નથી માંગી પરવાનગી

'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અંગે દિલ્હી પોલીસ સતર્ક છે. દિલ્હી પોલીસ જણાવ્યું છે કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે કોકરોચ જનતા પાર્ટી તરફથી કે તેમના વતી પરવાનગી માંગતી કોઈ અરજી અત્યાર સુધી મળી નથી. અધિકારીઓએ ઉમેર્યું કે, જો જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટેની અરજી સબમિટ કરવામાં આવે છે, તો તેની તપાસ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">