AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રક્ષાબંધન

રક્ષાબંધન

હિંદુ ધર્મમાં શ્રાવણ માસની પૂનમના દિવસે ઉજવાતા રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે, બહેનો તેમના ભાઈના જમણાં કાંડા પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્યની શુભકામના કરે છે. રાખડીનો આ પવિત્ર તહેવાર ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવે છે અને સુખ અને સૌભાગ્યના આશીર્વાદ લાવે છે.

દર વર્ષે શ્રાવણ માસની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે, તમામ બહેનો તેમના ભાઈઓના જમણાં કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે અને ભાઈઓ તેમની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે.

આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેનો સ્નેહ, અતૂટ વિશ્વાસ અને બંધનને મજબૂત બનાવે છે. આ દિવસે, રાખડી બાંધવાની સાથે, મીઠાઈ વહેંચવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ઘરમાં અનેરા ઉત્સવનો માહોલ હોય છે. રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો એક હેતુ પણ છે.

Read More

રક્ષાબંધન પૂરું થતાં જ રાખડી ન ઉતારશો: જાણો ક્યારે અને કેવી રીતે રાખડી ખોલવી શુભ ગણાય

હિન્દુ શાસ્ત્રો અનુસાર જે રીતે શુભ મુહૂર્તમાં રાખડી બાંધવાના નિયમો છે, તેવી જ રીતે તેને કાંડા પરથી ઉતારવાના પણ ચોક્કસ નિયમો છે. તહેવાર પૂર્ણ થતાં જ ઘણા લોકો રાખડી ઉતારી દેતા હોય છે, પરંતુ હિન્દુ શાસ્ત્રો અનુસાર રાખડી ક્યારે અને કયા સમયે ઉતારવી જોઈએ તે જાણો.

Breaking News : અમદાવાદમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે કરી મોટી પહેલ, જુઓ Video

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં દીકરીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી, ખાસ કરીને ટાઇપ વન ડાયાબિટીસથી પીડિત દીકરીઓ પાસેથી રાખડી બંધાવી.

28 ઓગસ્ટના મહત્વના સમાચાર : ધાનેરાના નેનાવા પાસેથી લક્ઝરી બસમાં પાર્સલની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 960 બોટલ ઝડપાઈ

આજે 28 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

રક્ષાબંધન પર રોકડને બદલે બહેનને આપો આ 4 ફાઇનાન્સિયલ ગિફ્ટ્સ, ભવિષ્યમાં બનશે લાખોનું ફંડ !

રક્ષાબંધન પર બહેનને કવરમાં રોકડ આપવાને બદલે SIP, ડિજિટલ ગોલ્ડ, ફિક્સ્ડ ડિપોઝિટ કે હેલ્થ ઇન્સ્યોરન્સ જેવી સ્માર્ટ નાણાકીય ભેટ આપો. આ નાના રોકાણો ભવિષ્યમાં કમ્પાઉન્ડિંગના ફાયદા સાથે લાખો રૂપિયાનું મોટું ફંડ બનાવીને બહેનને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવશે.

Breaking News : રાખડી બંધાવ્યા બાદ CMએ કરી એવી જાહેરાત કે મહિલા ધારાસભ્યો ખુશખુશાલ, જુઓ Video

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધન પૂર્વે રાજ્યની 14 મહિલા જનપ્રતિનિધિઓ માટે ₹28 કરોડના વિકાસ ભંડોળની જાહેરાત કરી છે. દરેક મહિલા ધારાસભ્યને તેમના મતવિસ્તારમાં રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કાર્યો માટે ₹2 કરોડ ફાળવવામાં આવશે.

Sugarfree Sweet Recipe: તહેવારમાં ખાંડના વધતા ભાવ વચ્ચે મીઠાઈ બનાવવાની ટેન્શન છોડો, આ 7 સ્વીટમાં નહીં પડે રિફાઇન્ડ શુગર

રક્ષાબંધન પહેલાં ખાંડના ભાવમાં વધારો થયો છે. જો તમે મીઠાઈ બનાવવાનો ખર્ચ ઓછો રાખવા માંગતા હોવ તો ખજૂર, અંજીર, કિસમિસ અને પાકેલા ફળોથી બનતી No-Added-Sugar સ્વીટ અજમાવી શકો છો.

  • Nishat
  • Updated on: Aug 27, 2026
  • 2:48 pm

Surat Breaking News : સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ, 4000થી લઈ લાખો રુપિયા સુધીની રાખડીઓ ! જુઓ Video

સોનાના ભાવ ભલે વધી રહ્યા હોય, પરંતુ ભાઈ અને બહેનનો પ્રેમ તેના કરતાં પણ જૂનો છે. કદાચ આ જ કારણ છે કે સુરતમાં રક્ષાબંધનના પર્વને લઈને બજારોમાં સોના-ચાંદી અને પ્લેટિનમની રાખડીઓની ધૂમ જોવા મળી રહી છે.

Breaking News: રક્ષાબંધનની પર ભાઇને મીઠાઇ ખવડાવતા પહેલા સાવધાન, સુરતમાં મીઠાઈની દુકાનના માવાના સેમ્પલ ફેઈલ, જુઓ Video

રક્ષાબંધનના પર્વ પર બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધીને મોં મીઠું કરાવવા માટે મીઠાઈ ખરીદતી હોય છે. પરંતુ જો આ મીઠાઈમાં અખાદ્ય અથવા હલકી ગુણવત્તાનો માવો વપરાયો હોય તો ખુશીના આ પર્વમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે છે. આવી જ ચિંતાજનક સ્થિતિ સુરતમાં સામે આવી છે, જ્યાં મીઠાઈની દુકાનમાંથી લેવાયેલા માવાના સેમ્પલ તપાસમાં ફેઈલ થયા છે.

ભાઈની સાથે હવે ભાભીને પણ કેમ બાંધવામાં આવે છે રાખડી? જાણો શું છે મહત્વ અને માન્યતા

આજકાલ ઘણી જગ્યાએ ભાભીને પણ રાખડી બાંધવાની પરંપરા જોવા મળે છે. ભાભીને રાખડી બાંધવા પાછળ એક ખાસ ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા જોડાયેલી છે. ત્યારે ચાલો જાણીએ કે કેમ ભાઈની સાથે હવે ભાભીને પણ રાખડી બાંધવામાં આવે છે.

Chandra Grahan 2026: રક્ષાબંધનના પર્વ પર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો સમય અને ભારતમાં તેની અસર

28 ઓગસ્ટના રોજ થનારું ગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ છે. ભારતીય માનક સમય (IST) મુજબ, 28 ઓગસ્ટના રોજ સવારે ૬:૫૫ વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થશે. વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણનો સમયગાળો 5 કલાક અને 38 મિનિટનો રહેશે.

રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે આ 3 વસ્તુઓનું દાન કરો, ભાઈના આયુષ્યમાં થશે વધારો અને ટળશે મોટા સંકટો ?

રક્ષાબંધનને ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર 28 ઓગસ્ટ, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. માન્યતા અનુસાર, રક્ષાબંધન પર બહેનો દ્વારા કરવામાં આવતું દાન ભાઈના આયુષ્યને લંબાવી શકે છે અને ભાઈના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરી શકે છે. આ ખાસ પ્રસંગે યોગ્ય વસ્તુઓનું દાન કરવાથી ભાઈને ખુશી અને સારું સ્વાસ્થ્ય મળી શકે છે.

તહેવારો પહેલાં મોંઘવારીનો માર, ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી, જુઓ Video

તહેવારોની શરૂઆત પહેલાં જ મોંઘવારીએ સામાન્ય લોકોના બજેટને મોટો ફટકો માર્યો છે. ખાંડ અને ડુંગળીના ભાવ બમણા થતાં ઘરખર્ચ વધી ગયો છે. શાકભાજી અને મીઠાઈના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓની ચિંતા વધી છે અને તહેવારોમાં ઉજવણી મોંઘી બનશે.

Raksha Bandhan 2026 : રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે આ ભૂલ ન કરતાં, જણી લો

વર્ષ 2026માં 28 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવાશે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું આ પર્વ શુભ મુહૂર્તમાં અને યોગ્ય વિધિથી ઉજવવું અત્યંત મહત્વપૂર્ણ છે.

રક્ષાબંધન માટે ખાસ… પૂજાની થાળીમાં કઈ-કઈ સામગ્રી હોવી જોઈએ? નોંધી લો આ જરૂરી વસ્તુઓનું લિસ્ટ

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. આ દિવસે ભાઈને તિલક કરવા અને રાખડી બાંધવા માટે પૂજાની થાળીનું ખાસ મહત્વ હોય છે. એવામાં શું તમે જાણો છો કે, થાળીમાં કઈ વસ્તુઓ રાખવી ખાસ જોઈએ?

Raksha Bandhan 2026: રક્ષાબંધન પર ભાઈના પહેલા કોને બાંધવામાં આવે છે પહેલી રાખડી? જાણો પરંપરા વિશે

તમે ભાઈને રાખડી બાંધતા પહેલા દેવતાઓને પવિત્ર રાખડી કે રક્ષાસૂત્ર અર્પણ કરવાની પરંપરાથી વાકેફ છો? હિન્દુ ધાર્મિક માન્યતાઓ ભગવાન ગણેશની પૂજા સાથે કોઈપણ શુભ કાર્ય શરૂ કરવાનું સૂચન કરે છે.

g clip-path="url(#clip0_868_265)">