AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી

Breaking News : સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી

| Updated on: Aug 18, 2026 | 11:20 PM
Share

દિલ્લીમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર કેસમાં ACBએ પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 લોકોની ધરપકડ કરી છે. દિલ્લી જળ બોર્ડના પૂર્વ CEO ઉદિત પ્રકાશ રાયને ₹1.52 કરોડની કથિત લાંચ અપાઈ હોવાનો આરોપ છે.

દિલ્લીમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ટેન્ડર કેસને લઈને એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈન સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્લી જળ બોર્ડના પૂર્વ CEO ઉદિત પ્રકાશ રાય પણ ધરપકડ કરાયેલા લોકોમાં સામેલ છે.

ACBના આરોપ મુજબ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડરમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હતી. ટેન્ડરની શરતો એક ચોક્કસ કંપનીને ફાયદો પહોંચે તે રીતે તૈયાર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પૂર્વ CEO ઉદિત પ્રકાશ રાયને ₹1.52 કરોડની કથિત લાંચ આપવામાં આવી હોવાનો પણ ACBનો આરોપ છે.

સત્યેન્દ્ર જૈનની ધરપકડથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે. ACB દ્વારા આ કેસમાં તપાસ હજુ ચાલુ છે અને વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે. આ કાર્યવાહીથી દિલ્લીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કથિત ભ્રષ્ટાચાર અને ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ અંગેની તપાસ આગળ વધતા વધુ નામો સામે આવી શકે છે.

ભરૂચ ACBનો સકંજો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Published on: Aug 18, 2026 11:20 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">