AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જંતર મંતર પર ધરણા કરવા ઉત્સુક કોકરોચ જનતા પાર્ટીએ, હજુ સુધી દિલ્હી પોલીસ પાસેથી નથી માંગી પરવાનગી

'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અંગે દિલ્હી પોલીસ સતર્ક છે. દિલ્હી પોલીસ જણાવ્યું છે કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે કોકરોચ જનતા પાર્ટી તરફથી કે તેમના વતી પરવાનગી માંગતી કોઈ અરજી અત્યાર સુધી મળી નથી. અધિકારીઓએ ઉમેર્યું કે, જો જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટેની અરજી સબમિટ કરવામાં આવે છે, તો તેની તપાસ કરવામાં આવશે.

જંતર મંતર પર ધરણા કરવા ઉત્સુક કોકરોચ જનતા પાર્ટીએ, હજુ સુધી દિલ્હી પોલીસ પાસેથી નથી માંગી પરવાનગી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2026 | 8:45 PM
Share

‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ, આવતીકાલ 6 જૂનને શનિવારના રોજ, દિલ્હીના જંતર-મંતર પર એક મોટા વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી સોશિયલ મીડિયા પર, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં, નોંધપાત્ર ચર્ચા થઈ છે. જો કે, દિલ્હી પોલીસે હવે સ્પષ્ટતા કરી છે કે, આજ સુધી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે કોઈ પરવાનગી માંગવામાં આવી નથી.

કોકરોચ જનતા પાર્ટી અને તેના સ્થાપક, અભિજીત દિપકેએ તાજેતરમાં 6 જૂને જંતર-મંતર પર મોટા પાયે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. જંતર-મંતર એ દિલ્હીમાં એક એવુ સ્થળ છે જ્યાં વ્યક્તિઓ અને સંગઠનો સામાન્ય રીતે તેમની લાગણીઓ, ચિંતાઓ વ્યક્ત કરવા માટે ધરણા અથવા વિરોધ પ્રદર્શન કરતા આવ્યા છે.

કોકરોચ જનતા પાર્ટીની ધરણા યોજવા માટેની જાહેરાત પછી, આ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ચર્ચાનો વિષય બન્યો અને વિદ્યાર્થીઓમાં વ્યાપક ચર્ચાનો વિષય બન્યો, જેનાથી દિલ્હી પોલીસનું ધ્યાન ખેંચાયું.

પોલીસે શું કહ્યું?

દિલ્હી પોલીસે હવે સ્પષ્ટપણે પોતાનું વલણ જાહેર કર્યું છે. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે, કોકરોચ જનતા પાર્ટીએ હજુ સુધી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી માંગી નથી. બીજા શબ્દોમાં કહીએ તો, કોકરોચ જનતા પાર્ટી દ્વારા કોઈ અરજી પોલીસમાં દાખલ કરવામાં આવી નથી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જો ભવિષ્યમાં કોકરોચ જનતા પાર્ટી સંગઠન પરવાનગી માંગે છે, તો નિયમો અનુસાર નિર્ણય લેવામાં આવશે. પરવાનગી આપવી કે નહીં તે અંગે સુરક્ષા અને વહીવટી પરિબળોનું મૂલ્યાંકન કર્યા પછી જ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

પોલીસની તૈયારીઓ શું છે?

પોલીસનું કહેવું છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી તેમની પ્રાથમિક જવાબદારી છે. તેથી, પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડ્યે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના પોલીસ કર્મચારીઓને તહેનાત કરી શકાય છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે તમામ સંબંધિત સુરક્ષા એકમોને અગાઉથી સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ઈરાન અમેરિકા યુદ્ધની વિષમ સ્થિતિ છતા ભારતે કર્યો વિકાસ, GDP વૃદ્ધિદર વધીને 7.7% થયો

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">