Breaking News : હવે વાહનોને નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં મળે, જુઓ Video
રાજકોટ શહેરમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઇંધણ નહીં પુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગુનાખોરી કરતા લોકો છટકી ન શકે તે હેતુથી નિયમ લાગુ કરવામાં આવ્યો છે. લોકોએ ઈંધણ માટેના જાહેરનામા અંગેનો નિર્ણય આવકાર્યો છે.
રાજકોટ શહેરમાં જો તમે ગાડી ચલાવી રહ્યા છો. તેમજ તમારા વાહનોનની નંબર પ્લેટ નથી. તો તમને ઈંધણ મળશે નહી.પેટ્રોલ પંપ પર પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી શરૂ કરવામાં આવ્યો છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.આનાથી શું ફાયદો થશે,જાણો
આ નિર્ણયથી ગુનાખોરી અટકશે
રાજકોટ શહેરમાં પેટ્રોલ પંપ પર પોલીસના જાહેરનામાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.નંબર પ્લેટ વગરના વાહનોને ઇંધણ નહિ પુરવાનું પોલીસ કમિશનરનું જાહેરનામૂં બહાર પાડ્યું હતુ. મહત્વની વાત એ છે કે, લોકો પોલીસના આ નિર્ણયને આવકારી રહ્યા છે.આ નિર્ણયથી ગુનાખોરી અટકશે.ગુનાખોરી કરતા લોકો હવે છટકી નહિ શકે તેવું લોકોનું માનવું છે.સામાન્ય માણસ પોતાના વાહનમાં નંબર પ્લેટ લગાવે જ છે. જે લોકો નથી લગાવતા તેવા લોકો સામે આ આવકાયક પગલું છે.
લોકોનું કહેવું છે ગેરરીતિ થશે નહી. ગુનાખોરી ગુનાની પ્રવૃતિ કરનારા તત્વો નંબર પ્લેટ વગરની ગાડીઓ ચલાવી આવી ઘટનાને અંજામ આપી નાશી છુટતા હોય છે. ત્યારે તેમને શોધવા પણ મુશ્કેલ પડે છે. ત્યારે પોલીસનું જાહેરનામું ખુબ મહત્વનું જોવા મળી રહ્યું છે.