AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવ દેશના રેલવે મંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભાના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સચિવ અને રહસ્ય સચિવપદે રહી ચૂક્યા છે. તે દરમિયાન તેઓ જે ભાજપના નેતાઓને મળ્યા હતા તેમાં એક નામ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ છે.

નરેન્દ્ર મોદી તેમના કામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આ જ કારણ હતું કે તેમના બીજા કાર્યકાળમાં તેમણે અશ્વિની વૈષ્ણવને રેલવે પ્રધાન બનાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવનો જન્મ 18 જુલાઈ 1970ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેમનું સ્કૂલિંગ દિલ્હીમાં થયું, બાદમાં તેઓ જોધપુર ગયા.

અહીં 1992 માં, તેમણે MBM એન્જિનિયરિંગ કોલેજમાંથી B.Tech કર્યું, જ્યાં તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. આ પછી અશ્વિની વૈષ્ણવ IIT કાનપુરમાં જોડાયા અને અહીંથી M.Tech ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન તેમણે IAS ની પદવી મેળવી અને ઓડિશા કેડરના અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યો. જોકે, 2008માં તેઓ સરકારી નોકરી છોડીને એમબીએનો અભ્યાસ કરવા અમેરિકા ગયા હતા.

 

Read More

ભારતનું AI Vision : મોટા મોડેલ નહીં, ROI આધારિત AIથી ભારત કરશે વૈશ્વિક નેતૃત્વ – અશ્વિની વૈષ્ણવ

દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં, ભારતે તેની 5-સ્તરીય AI સ્ટેક વ્યૂહરચના રજૂ કરી, જે એપ્લિકેશનથી માંડીને ચિપ અને ઊર્જા સ્તરો સુધી AI ક્ષમતાઓને વિસ્તૃત કરે છે.

રેલવે અધિકારીઓએ કર્યો અંગ્રેજોના જમાનાના કાળા કોટનો બૉયકોટ, મળશે નવો યુનિફોર્મ

અંગ્રેજોએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તે સમયે, આ આશ્ચર્યજનક હતું. આ સાથે, અસંખ્ય નિયમો પણ બનાવ્યા હતા. જેમાંથી કેટલાક હજુ પણ અમલમાં છે. હવે, ભારતીય રેલવે વસાહતી પ્રભાવને દૂર કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

Hydrogen Train : ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન ટ્રાયલ માટે તૈયાર, ચીન અને જર્મની કરતાં વધુ અદ્યતન ટેકનોલોજી

ભારતમાં ટૂંક સમયમાં હાઇડ્રોજન સંચાલિત ટ્રેનો પાટા પર દોડતી જોવા મળશે. ભારતીય રેલ્વેનો આ મહત્વાકાંક્ષી પાયલોટ પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને તેની ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ ભારતને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફ એક મોટું પગલું ભરવામાં મદદ કરશે.

સ્લીપર કોચવાળી વંદે ભારતની રાહ પૂરી થઈ ! આ રૂટ પર તેજ ગતિએ દોડશે, જાણો

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. વંદે ભારત સ્લીપર કોચ ટૂંક સમયમાં પાટા પર દોડવા લાગશે. રેલવે મંત્રાલયે આની સત્તાવાર જાહેરાત કરી છે.

વંદે ભારત એક્સપ્રેસ 180 કિમી/કલાકની સ્પીડે દોડી, પાણીનું એક ટીપું પણ ઢોળાયું નહીં, રેલમંત્રીએ Video શેર કર્યો

Vande Bharat : ભારતીય રેલવેની અદ્યતન ટેકનોલોજી દર્શાવવા માટે વંદે ભારત સ્લીપર પર એક અનોખું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટ્રાયલ દરમિયાન, વંદે ભારત ટ્રેનને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હતી. આ દરમિયાન ગ્લાસમાંથી પાણીનું એક ટીપું પણ નીચે પડ્યું ન હતુ.

Breaking News : રેલવે હવે વિમાન જેવી બની ! વધુ લગેજ લઈ જશો તો મુસાફરી પડશે મોંઘી, જાણો રેલવેની નવી ગાઈડલાઈન

જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વધુ સામાન લઈ જવાનું વલણ રાખો છો, તો સાવચેત રહો. રેલવે મુસાફરો માટે નવા સામાન નિયમો કડક બનાવી રહી છે. માન્ય વજન કરતાં વધુ વજન તમારા ખિસ્સા પર સીધી અસર કરશે.

Railway New Rule: હવે ટ્રેન ઉપડવાના 10 કલાક પહેલા જ ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ છે કે નહીં! જાણો નવો નિયમ

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો સામાન્ય મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ટ્રેન ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તે જાણવા માટે મુસાફરોએ ટ્રેન ઉપડવાના છેલ્લા 4 કલાક સુધી રાહ જોવી પડશે નહીં. જાણો વિગતે.

વંદે ભારત સ્લીપર ટ્રેન પર મોટી અપડેટ! હાલમાં બે રેક ટ્રાયલ, આધુનિક ટેકનોલોજી વિશે રેલવે મંત્રીએ સંસદમાં કર્યો મોટો ખુલાસો

વંદે ભારત સ્લીપર ટ્રેનને લઈને સંસદમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. આ ટ્રેનમાં આધુનિક ટેકનોલોજી, ઉચ્ચ સલામતી અને મુસાફરો માટે ખાસ સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જાણો વિગતે.

Hydrogen Train India : ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન, જાણો શું છે આ ટ્રેનની વિશેષતા અને કેટલા હશે ડબ્બા.. ?

ભારતીય રેલવેએ દેશની પ્રથમ સ્વદેશી ડિઝાઇન અને વિકસિત હાઇડ્રોજન ટ્રેન તૈયાર કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે આ પર્યાવરણમિત્ર ટ્રેન ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે.

Railway KAVACH : દેશભરના આ રૂટ પર શરૂ થયું કવચ 4.0, રેલવે મંત્રીએ આપી માહિતી

ભારતીય રેલવેએ દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રૂટ પર કવચ 4.0 સેફ્ટી સિસ્ટમ કાર્યરત કરી છે. આ અદ્યતન ટેક્નોલોજી 738 કિલોમીટરના વિભાગોમાં મુસાફરોની સલામતી, સચોટ સ્થાન અને સુધારેલ સિગ્નલિંગ સુનિશ્ચિત કરશે.

વટવામાં મેગા ટર્મિનલ બનાવાશે, 10 લાઈન નાખીને રોજની 150 ટ્રેન દોડાવાય તેવુ રેલવે સ્ટેશન બનાવવા અશ્વિની વૈષ્ણવની જાહેરાત

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ચાલતા કામ અંગે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે. હાલમાં 16 પૈકી 4 માળનું બાંધકામ પૂર્ણ થયું છે.

સેમિકોન ઈન્ડસ્ટ્રી માટે ધોલેરાનો વિશેષ ઉલ્લેખ, હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે

કેન્દ્રીય આઈટી, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે, આજે મુખ્યપ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, આઈટી પ્રધાન સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સેમિકન્ડકટર સેક્ટરના વિકાસ પર ફોકસ કરવા, ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ અને નિયમિત ફોલોઅપ તથા ચોકસાઈ સાથે કાર્યો પૂરા કરવાના દિશાનિર્દેશો આપ્યા હતા.

IT Rule Change : સોશિયલ મીડિયામાં હવે મનમાની નહીં ચલાવી લેવાય, 1 નવેમ્બરથી બદલાઇ જશે ITના આ નિયમ, જાણો શું બદલાશે

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ખોટી માહિતીઓ ફેલાતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. જેને લઇને હવે ભારત સરકારે કડક વલણ અપનાવ્યુ છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ નિયમોમાં કેટલાક બદલાવ કર્યા છે. જે 1 નવેમ્બરથી લાગુ થવા જઇ રહ્યા છે. જેના કારણે માહિતીને સાચી અને સુરક્ષિત બનાવી શકાય.

ટ્રેનમાં હવે સફેદ નહીં, રંગબેરંગી ‘સાંગણેરી પ્રિન્ટ’ની ચાદર મળશે!

ભારતીય રેલ્વે એસી કોચમાં એક મોટો ફેરફાર અમલમાં મૂકી રહી છે, જ્યાં મુસાફરોને હવે સફેદ ચાદરને બદલે રંગબેરંગી, પરંપરાગત રાજસ્થાની સાંગણેરી પ્રિન્ટવાળી ચાદર મળશે. જાણો વિગતે.

GST Bachat Mahotsav : ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો સેક્ટરમાં 23 ટકાના વધારા સાથે રેકોર્ડ વેચાણ

ધનતેરસ પર્વના શુભ પ્રસંગે, નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે એક મહત્વપૂર્ણ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, જીએસટીના દર ઘટાડ્યા બાદ, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કંડિશનર જેવી વસ્તુઓની માંગ એટલી વધી ગઈ છે કે ઘણી જગ્યાએ સ્ટોક ખતમ થઈ ગયો છે.

g clip-path="url(#clip0_868_265)">