અશ્વિની વૈષ્ણવ
અશ્વિની વૈષ્ણવ દેશના રેલવે મંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભાના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સચિવ અને રહસ્ય સચિવપદે રહી ચૂક્યા છે. તે દરમિયાન તેઓ જે ભાજપના નેતાઓને મળ્યા હતા તેમાં એક નામ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ છે.
નરેન્દ્ર મોદી તેમના કામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આ જ કારણ હતું કે તેમના બીજા કાર્યકાળમાં તેમણે અશ્વિની વૈષ્ણવને રેલવે પ્રધાન બનાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવનો જન્મ 18 જુલાઈ 1970ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેમનું સ્કૂલિંગ દિલ્હીમાં થયું, બાદમાં તેઓ જોધપુર ગયા.
અહીં 1992 માં, તેમણે MBM એન્જિનિયરિંગ કોલેજમાંથી B.Tech કર્યું, જ્યાં તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. આ પછી અશ્વિની વૈષ્ણવ IIT કાનપુરમાં જોડાયા અને અહીંથી M.Tech ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન તેમણે IAS ની પદવી મેળવી અને ઓડિશા કેડરના અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યો. જોકે, 2008માં તેઓ સરકારી નોકરી છોડીને એમબીએનો અભ્યાસ કરવા અમેરિકા ગયા હતા.
વટવામાં મેગા ટર્મિનલ બનાવાશે, 10 લાઈન નાખીને રોજની 150 ટ્રેન દોડાવાય તેવુ રેલવે સ્ટેશન બનાવવા અશ્વિની વૈષ્ણવની જાહેરાત
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ચાલતા કામ અંગે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે. હાલમાં 16 પૈકી 4 માળનું બાંધકામ પૂર્ણ થયું છે.
- TV9 Gujarati
- Updated on: Nov 3, 2025
- 6:07 pm
સેમિકોન ઈન્ડસ્ટ્રી માટે ધોલેરાનો વિશેષ ઉલ્લેખ, હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે
કેન્દ્રીય આઈટી, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે, આજે મુખ્યપ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, આઈટી પ્રધાન સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સેમિકન્ડકટર સેક્ટરના વિકાસ પર ફોકસ કરવા, ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ અને નિયમિત ફોલોઅપ તથા ચોકસાઈ સાથે કાર્યો પૂરા કરવાના દિશાનિર્દેશો આપ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Nov 3, 2025
- 4:25 pm
IT Rule Change : સોશિયલ મીડિયામાં હવે મનમાની નહીં ચલાવી લેવાય, 1 નવેમ્બરથી બદલાઇ જશે ITના આ નિયમ, જાણો શું બદલાશે
છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ખોટી માહિતીઓ ફેલાતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. જેને લઇને હવે ભારત સરકારે કડક વલણ અપનાવ્યુ છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ નિયમોમાં કેટલાક બદલાવ કર્યા છે. જે 1 નવેમ્બરથી લાગુ થવા જઇ રહ્યા છે. જેના કારણે માહિતીને સાચી અને સુરક્ષિત બનાવી શકાય.
- Tanvi Soni
- Updated on: Oct 23, 2025
- 8:25 am
ટ્રેનમાં હવે સફેદ નહીં, રંગબેરંગી ‘સાંગણેરી પ્રિન્ટ’ની ચાદર મળશે!
ભારતીય રેલ્વે એસી કોચમાં એક મોટો ફેરફાર અમલમાં મૂકી રહી છે, જ્યાં મુસાફરોને હવે સફેદ ચાદરને બદલે રંગબેરંગી, પરંપરાગત રાજસ્થાની સાંગણેરી પ્રિન્ટવાળી ચાદર મળશે. જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Oct 21, 2025
- 5:12 pm
GST Bachat Mahotsav : ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો સેક્ટરમાં 23 ટકાના વધારા સાથે રેકોર્ડ વેચાણ
ધનતેરસ પર્વના શુભ પ્રસંગે, નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે એક મહત્વપૂર્ણ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, જીએસટીના દર ઘટાડ્યા બાદ, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કંડિશનર જેવી વસ્તુઓની માંગ એટલી વધી ગઈ છે કે ઘણી જગ્યાએ સ્ટોક ખતમ થઈ ગયો છે.
- TV9 Gujarati
- Updated on: Oct 18, 2025
- 2:32 pm
રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત, હવેથી તમે રિઝર્વેશન ટિકિટમાં મુસાફરીની તારીખ બદલી શકશો, જાણો નિયમ
Online change in train travel date : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે જાન્યુઆરી 2026થી શરૂ કરીને, મુસાફરો કોઈપણ વધારાના ફી વિના તેમની કન્ફર્મ ટિકિટની મુસાફરીની તારીખ ઓનલાઈન બદલી શકશે. નવી નીતિ સીટની ઉપલબ્ધતા પર આધાર રાખશે, અને જો નવી મુસાફરી માટે ભાડું વધારે હશે, તો તેનો તફાવત જે તે મુસાફરે ચૂકવવો પડશે.
- TV9 Gujarati
- Updated on: Oct 8, 2025
- 2:50 pm
Breaking News : રેલવે કર્મચારીઓને 78 દિવસનું મળશે દિવાળી બોનસ, 10.90 લાખ કર્મચારીઓને ચૂકવાશે રૂપિયા 1,866 કરોડ
કેન્દ્રીય મંત્રીમંડળે, આજે બુધવારે છ મુખ્ય નિર્ણયોને મંજૂરી આપી, કુલ રૂપિયા 94,916 કરોડની ફાળવણીને મંજૂરી આપી. આમાં આશરે 10.90 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસના ઉત્પાદકતા-સંબંધિત બોનસ તરીકે ₹1,866 કરોડની ચુકવણીનો સમાવેશ થાય છે.
- TV9 Gujarati
- Updated on: Sep 24, 2025
- 5:05 pm
8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? બેસિક સેલરી ₹18000થી વધીને ₹51480 થઈ શકે છે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 8મું પગાર પંચ રચવામાં આવશે. ફિટમેન્ટ ફેક્ટરના આધારે, લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે.
- Devankashi rana
- Updated on: Aug 24, 2025
- 3:51 pm
અમદાવાદથી માત્ર 2 જ કલાકમાં પહોંચી જવાશે મુંબઇ, જાણો ક્યારે શરુ થશે Bullet Train
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવા હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ માહિતી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે ગુજરાતના ભાવનગરમાં આપી હતી. તેમણે કહ્યું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર હવે માત્ર બે કલાક અને સાત મિનિટમાં કાપી શકાશે. રેલવે મંત્રીએ કહ્યું કે બુલેટ ટ્રેનની કુલ લંબાઈ 508 કિમી હશે.
- Tanvi Soni
- Updated on: Aug 4, 2025
- 10:06 am
Railway news: સૌરાષ્ટ્રના આ સ્ટેશનથી શરુ થઈ નવી ટ્રેન, સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે, અયોધ્યા જવું સહેલું થશે
માનનીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 3 ઓગસ્ટ 2025ના રોજ એક્સપ્રેસ ટ્રેન અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રીવા-પુણે (હડપસર) અને જબલપુર-રાયપુર એક્સપ્રેસની શરૂઆતની ટ્રેનોને લીલી ઝંડી આપશે.
- Meera Kansagara
- Updated on: Aug 2, 2025
- 2:37 pm
રેલવેએ રચ્યો ઇતિહાસ, હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું સફળ પરીક્ષણ, 1200 HP ટ્રેન થઈ રહી છે તૈયાર
ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે દેશની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત 1,200 HP હાઇડ્રોજન ટ્રેન વિકસાવી રહ્યું છે.
- Tanvi Soni
- Updated on: Jul 26, 2025
- 12:17 pm
Breaking News : કેન્દ્ર સરકાર 15000નો પહેલો પગાર ચૂકવશે, 1.07 લાખ કરોડની ELI યોજનાને આપી મંજૂરી, 3.5 કરોડ નોકરીઓ આપવાનો લક્ષ્યાંક
કેન્દ્ર મોદી સરકારે, પહેલીવાર નોકરી કરતા કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે એક યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ, પહેલી વાર નોકરી મેળવનારા કર્મચારીઓને એક મહિનાનો રૂપિયા 15,000નો પગાર સરકાર ચૂકવશે.
- TV9 Gujarati
- Updated on: Jul 1, 2025
- 6:44 pm
PM Modi Chenab Bridge: PM Modi એ ચિનાબ રેલવે બ્રિજ પર તિરંગો લહેરાવ્યો, પાકિસ્તાન અને દુનિયાને આપ્યો મોટો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ, ચેનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ચેનાબ નદી પર બનેલો આ પુલ તેની અનોખી ભૌગોલિક અને તકનીકી સુવિધાઓને કારણે વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર છે. ઉદ્ઘાટન પહેલાં, પીએમ મોદીએ હાથમાં ત્રિરંગો લઈને પુલ પર ચાલ્યા પણ હતા.
- Dhinal Chavda
- Updated on: Jun 6, 2025
- 2:01 pm
Bullet Trainનો કેટલા કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર છે? રેલમંત્રીએ આપી માહિતી, જુઓ વીડિયો
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે નવી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, પ્રોજેક્ટનો 300 કિલોમીટરના વાયડક્ટ બનાવી તૈયાર થઈ ગયો છે.ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.
- Nirupa Duva
- Updated on: May 30, 2025
- 2:31 pm
Video : PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
વડાપ્રધાન મોદીએ દાહોદમાં 24,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું. આમાં ભારતનું પ્રથમ 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટિવ, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેન અને નવા રેલ્વે ઉત્પાદન એકમનો સમાવેશ થાય છે.
- Sagar Solanki
- Updated on: May 26, 2025
- 12:39 pm