AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવ દેશના રેલવે મંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભાના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સચિવ અને રહસ્ય સચિવપદે રહી ચૂક્યા છે. તે દરમિયાન તેઓ જે ભાજપના નેતાઓને મળ્યા હતા તેમાં એક નામ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ છે.

નરેન્દ્ર મોદી તેમના કામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આ જ કારણ હતું કે તેમના બીજા કાર્યકાળમાં તેમણે અશ્વિની વૈષ્ણવને રેલવે પ્રધાન બનાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવનો જન્મ 18 જુલાઈ 1970ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેમનું સ્કૂલિંગ દિલ્હીમાં થયું, બાદમાં તેઓ જોધપુર ગયા.

અહીં 1992 માં, તેમણે MBM એન્જિનિયરિંગ કોલેજમાંથી B.Tech કર્યું, જ્યાં તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. આ પછી અશ્વિની વૈષ્ણવ IIT કાનપુરમાં જોડાયા અને અહીંથી M.Tech ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન તેમણે IAS ની પદવી મેળવી અને ઓડિશા કેડરના અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યો. જોકે, 2008માં તેઓ સરકારી નોકરી છોડીને એમબીએનો અભ્યાસ કરવા અમેરિકા ગયા હતા.

 

Read More

Breaking News : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર એક મોટી અપડેટ, જાણો કેવી રીતે 130 મીટર લાંબો સ્ટીલ બ્રિજ પૂર્ણ થયો

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટી સફળતા મળી છે. ગુજરાતના ભરુચ જિલ્લાના ટ્રાલસી ગામની પાસે ભારતીય રેલવે ટ્રેક ઉપર 130 મીટર લાંબો બ્રિઝ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ સ્ટીલ બ્રિજની અંદાજે ઉંમર 100 વર્ષ માનવામાં આવી રહી છે.

Breaking News : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સાથે ભારતે ઇતિહાસ રચ્યો, 350 ટનની ‘મહાકટર’ ટનલ ખોદવા માટે આવી,જુઓ વીડિયો

મુંબઈ -અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટો અને ઐતિહાસિક માઈલસ્ટોન મેળવ્યો છે. મુંબઈના વિક્રોલી શાફટમાં 350 ટનની વિશાળ કટરહેડને સફળતાપૂર્વક ઉતારવામાં આવી છે.દેશે સૌથી પડકારજનક અને હાઈટેક ઈન્ફ્રાસ્ટચર પોજેક્ટમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

Indian Railway: GNWL, RLWL, PQWL, કે RAC, કઈ ટ્રેનની ટિકિટ પહેલા કન્ફર્મ થાય છે?

ભારત દેશમાં મોટાભાગે લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. આજના ટાઈમમાં કન્ફર્મ ટિકિટ મેળવવી પડકારજનક છે. ઘણીવાર લોકો ટિકિટ તો બુક કરાવે છે પરંતુ વેઇટિંગ લિસ્ટની વિવિધ શ્રેણીઓને સમજી શકતા નથી.

Special Train: સમર વેકેશનમાં રેલવે મુસાફરો માટે ખુશખબર, દોડશે 18262 સ્પેશિયલ ટ્રેનો!

ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવી હવે સરળ બનશે. તે માટે રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવામાં આવી રહી છે. જેથી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ વધુ વધશે.

ઝટકા ભૂલી જાઓ ! રેલવેના પાટા બદલાયા, 55,000 કિલોમીટરનું નેટવર્ક થયું સુપરફાસ્ટ, હવે 110ની સ્પીડે દોડશે ટ્રેનો

વડાપ્રધાન કાર્યાલય (PMO) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતીય રેલવેએ છેલ્લા 10 વર્ષમાં 55,000 કિલોમીટર લાંબા ટ્રેકનું નવીનીકરણ કરીને સુરક્ષા અને ઝડપના નવા આયામો સર કર્યા છે. આધુનિક મશીનો અને મજબૂત પટરીઓના કારણે હવે દેશના 80 ટકા નેટવર્ક પર ટ્રેનો 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે સજ્જ છે, જેનાથી મુસાફરોનો સમય બચશે અને મુસાફરી વધુ સુરક્ષિત બનશે.

‘ટ્રેન નીચે ફેંકી દઈશ’: રાજધાની એક્સપ્રેસમાં પેન્ટ્રી સ્ટાફનો આતંક, મહિલા મુસાફરોની સામે જ પેસેન્જરને આપી ધમકી, જાણો શું છે આખો વિવાદ?

સુવિધાઓના નામે લૂંટ અને સફરના નામે આતંક? નવી ટ્રેનોના સપના વચ્ચે જૂની ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે. રેલવે મંત્રી સુધી પહોંચ્યો ગુંડાગીરીનો વીડિયો પણ ક્યારે સરકાર જાગશે અને ક્યારે આવા લોકો પર એક્શન લેવામાં આવશે?

અકસ્માતોને રોકવા રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, દેશભરમાં બનાવાશે ‘રેલ અંડરપાસ’ જાણો સંપૂર્ણ પ્લાન

કેન્દ્ર સરકારે રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે થતા અકસ્માતોને રોકવા માટે દેશભરમાં સુવિધાજનક રેલ્વે અંડરપાસ બનાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને રેલ્વે અંડરપાસ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

મોદી મંત્રીમંડળે BHAVYA યોજના, FCRA બિલને આપી મંજૂરી

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA) ને મંજૂરી આપવામાં આવી હતી. આ અંગેની જાહેરાત કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી. વધુમાં, FCRA સુધારા બિલને પણ મંજૂરી આપવામાં આવી હતી.

ભારતનું AI Vision : મોટા મોડેલ નહીં, ROI આધારિત AIથી ભારત કરશે વૈશ્વિક નેતૃત્વ – અશ્વિની વૈષ્ણવ

દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં, ભારતે તેની 5-સ્તરીય AI સ્ટેક વ્યૂહરચના રજૂ કરી, જે એપ્લિકેશનથી માંડીને ચિપ અને ઊર્જા સ્તરો સુધી AI ક્ષમતાઓને વિસ્તૃત કરે છે.

રેલવે અધિકારીઓએ કર્યો અંગ્રેજોના જમાનાના કાળા કોટનો બૉયકોટ, મળશે નવો યુનિફોર્મ

અંગ્રેજોએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તે સમયે, આ આશ્ચર્યજનક હતું. આ સાથે, અસંખ્ય નિયમો પણ બનાવ્યા હતા. જેમાંથી કેટલાક હજુ પણ અમલમાં છે. હવે, ભારતીય રેલવે વસાહતી પ્રભાવને દૂર કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

Hydrogen Train : ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન ટ્રાયલ માટે તૈયાર, ચીન અને જર્મની કરતાં વધુ અદ્યતન ટેકનોલોજી

ભારતમાં ટૂંક સમયમાં હાઇડ્રોજન સંચાલિત ટ્રેનો પાટા પર દોડતી જોવા મળશે. ભારતીય રેલ્વેનો આ મહત્વાકાંક્ષી પાયલોટ પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને તેની ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ ભારતને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફ એક મોટું પગલું ભરવામાં મદદ કરશે.

સ્લીપર કોચવાળી વંદે ભારતની રાહ પૂરી થઈ ! આ રૂટ પર તેજ ગતિએ દોડશે, જાણો

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. વંદે ભારત સ્લીપર કોચ ટૂંક સમયમાં પાટા પર દોડવા લાગશે. રેલવે મંત્રાલયે આની સત્તાવાર જાહેરાત કરી છે.

વંદે ભારત એક્સપ્રેસ 180 કિમી/કલાકની સ્પીડે દોડી, પાણીનું એક ટીપું પણ ઢોળાયું નહીં, રેલમંત્રીએ Video શેર કર્યો

Vande Bharat : ભારતીય રેલવેની અદ્યતન ટેકનોલોજી દર્શાવવા માટે વંદે ભારત સ્લીપર પર એક અનોખું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટ્રાયલ દરમિયાન, વંદે ભારત ટ્રેનને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હતી. આ દરમિયાન ગ્લાસમાંથી પાણીનું એક ટીપું પણ નીચે પડ્યું ન હતુ.

Breaking News : રેલવે હવે વિમાન જેવી બની ! વધુ લગેજ લઈ જશો તો મુસાફરી પડશે મોંઘી, જાણો રેલવેની નવી ગાઈડલાઈન

જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વધુ સામાન લઈ જવાનું વલણ રાખો છો, તો સાવચેત રહો. રેલવે મુસાફરો માટે નવા સામાન નિયમો કડક બનાવી રહી છે. માન્ય વજન કરતાં વધુ વજન તમારા ખિસ્સા પર સીધી અસર કરશે.

Railway New Rule: હવે ટ્રેન ઉપડવાના 10 કલાક પહેલા જ ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ છે કે નહીં! જાણો નવો નિયમ

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો સામાન્ય મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ટ્રેન ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તે જાણવા માટે મુસાફરોએ ટ્રેન ઉપડવાના છેલ્લા 4 કલાક સુધી રાહ જોવી પડશે નહીં. જાણો વિગતે.

હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">