અશ્વિની વૈષ્ણવ
અશ્વિની વૈષ્ણવ દેશના રેલવે મંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભાના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સચિવ અને રહસ્ય સચિવપદે રહી ચૂક્યા છે. તે દરમિયાન તેઓ જે ભાજપના નેતાઓને મળ્યા હતા તેમાં એક નામ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ છે.
નરેન્દ્ર મોદી તેમના કામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આ જ કારણ હતું કે તેમના બીજા કાર્યકાળમાં તેમણે અશ્વિની વૈષ્ણવને રેલવે પ્રધાન બનાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવનો જન્મ 18 જુલાઈ 1970ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેમનું સ્કૂલિંગ દિલ્હીમાં થયું, બાદમાં તેઓ જોધપુર ગયા.
અહીં 1992 માં, તેમણે MBM એન્જિનિયરિંગ કોલેજમાંથી B.Tech કર્યું, જ્યાં તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. આ પછી અશ્વિની વૈષ્ણવ IIT કાનપુરમાં જોડાયા અને અહીંથી M.Tech ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન તેમણે IAS ની પદવી મેળવી અને ઓડિશા કેડરના અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યો. જોકે, 2008માં તેઓ સરકારી નોકરી છોડીને એમબીએનો અભ્યાસ કરવા અમેરિકા ગયા હતા.
Breaking News : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરીની મોટી તક ! NHSRCLમાં 224 જગ્યાઓ પર ભરતી, અરજીથી લઈને પગાર સુધી જાણો સંપૂર્ણ માહિતી
ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ આપવા માટે, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ 224 જગ્યાઓ માટે ભરતી બાહેર પાડી છે. આ જગ્યાઓ પર જુનિયર એન્જિનિયર, સ્ટેશન/ટ્રેન મેનેજર અને ડેપો/ઓપરેશન કંટ્રોલરનો સમાવેશ થાય છે.
- Dhruval Shah
- Updated on: Jun 16, 2026
- 1:22 pm
Sabarmati Bikaner Express Train : ટૂંક સમયમાં શરૂ થશે સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેન, જાણો ક્યાં ક્યાં ઊભી રહેશે ?
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાં અમદાવાદ અને બીકાનેર વચ્ચે દૈનિક સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે, જે વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો, વેપારીઓ અને પ્રવાસીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.
- TV9 Gujarati
- Updated on: Jun 14, 2026
- 11:44 am
Breaking News : લોન્ચ થશે IRCTC ની નવી વેબસાઇટ, સરકાર વિદ્યાર્થીઓની ચિંતાઓને કરશે દૂર
IRCTCની વેબસાઇટ પર ટિકિટ બુકિંગ દરમિયાન આવતી CAPTCHA અને અન્ય ટેક્નિકલ મુશ્કેલીઓ અંગે વિદ્યાર્થીઓએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ રજૂઆત કરી હતી.
- Sagar Solanki
- Updated on: Jun 11, 2026
- 8:47 pm
Breaking News : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર એક મોટી અપડેટ, જાણો કેવી રીતે 130 મીટર લાંબો સ્ટીલ બ્રિજ પૂર્ણ થયો
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટી સફળતા મળી છે. ગુજરાતના ભરુચ જિલ્લાના ટ્રાલસી ગામની પાસે ભારતીય રેલવે ટ્રેક ઉપર 130 મીટર લાંબો બ્રિઝ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ સ્ટીલ બ્રિજની અંદાજે ઉંમર 100 વર્ષ માનવામાં આવી રહી છે.
- Nirupa Duva
- Updated on: May 21, 2026
- 8:17 am
Breaking News : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સાથે ભારતે ઇતિહાસ રચ્યો, 350 ટનની ‘મહાકટર’ ટનલ ખોદવા માટે આવી,જુઓ વીડિયો
મુંબઈ -અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટો અને ઐતિહાસિક માઈલસ્ટોન મેળવ્યો છે. મુંબઈના વિક્રોલી શાફટમાં 350 ટનની વિશાળ કટરહેડને સફળતાપૂર્વક ઉતારવામાં આવી છે.દેશે સૌથી પડકારજનક અને હાઈટેક ઈન્ફ્રાસ્ટચર પોજેક્ટમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.
- Nirupa Duva
- Updated on: May 18, 2026
- 10:54 am
Indian Railway: GNWL, RLWL, PQWL, કે RAC, કઈ ટ્રેનની ટિકિટ પહેલા કન્ફર્મ થાય છે?
ભારત દેશમાં મોટાભાગે લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. આજના ટાઈમમાં કન્ફર્મ ટિકિટ મેળવવી પડકારજનક છે. ઘણીવાર લોકો ટિકિટ તો બુક કરાવે છે પરંતુ વેઇટિંગ લિસ્ટની વિવિધ શ્રેણીઓને સમજી શકતા નથી.
- Dhruval Shah
- Updated on: May 6, 2026
- 10:17 am
Special Train: સમર વેકેશનમાં રેલવે મુસાફરો માટે ખુશખબર, દોડશે 18262 સ્પેશિયલ ટ્રેનો!
ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવી હવે સરળ બનશે. તે માટે રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવામાં આવી રહી છે. જેથી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ વધુ વધશે.
- Dhruval Shah
- Updated on: Apr 24, 2026
- 2:09 pm
ઝટકા ભૂલી જાઓ ! રેલવેના પાટા બદલાયા, 55,000 કિલોમીટરનું નેટવર્ક થયું સુપરફાસ્ટ, હવે 110ની સ્પીડે દોડશે ટ્રેનો
વડાપ્રધાન કાર્યાલય (PMO) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતીય રેલવેએ છેલ્લા 10 વર્ષમાં 55,000 કિલોમીટર લાંબા ટ્રેકનું નવીનીકરણ કરીને સુરક્ષા અને ઝડપના નવા આયામો સર કર્યા છે. આધુનિક મશીનો અને મજબૂત પટરીઓના કારણે હવે દેશના 80 ટકા નેટવર્ક પર ટ્રેનો 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે સજ્જ છે, જેનાથી મુસાફરોનો સમય બચશે અને મુસાફરી વધુ સુરક્ષિત બનશે.
- Sachin Agrawal
- Updated on: Apr 23, 2026
- 8:10 pm
‘ટ્રેન નીચે ફેંકી દઈશ’: રાજધાની એક્સપ્રેસમાં પેન્ટ્રી સ્ટાફનો આતંક, મહિલા મુસાફરોની સામે જ પેસેન્જરને આપી ધમકી, જાણો શું છે આખો વિવાદ?
સુવિધાઓના નામે લૂંટ અને સફરના નામે આતંક? નવી ટ્રેનોના સપના વચ્ચે જૂની ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે. રેલવે મંત્રી સુધી પહોંચ્યો ગુંડાગીરીનો વીડિયો પણ ક્યારે સરકાર જાગશે અને ક્યારે આવા લોકો પર એક્શન લેવામાં આવશે?
- Sachin Agrawal
- Updated on: Apr 11, 2026
- 8:25 pm
અકસ્માતોને રોકવા રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, દેશભરમાં બનાવાશે ‘રેલ અંડરપાસ’ જાણો સંપૂર્ણ પ્લાન
કેન્દ્ર સરકારે રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે થતા અકસ્માતોને રોકવા માટે દેશભરમાં સુવિધાજનક રેલ્વે અંડરપાસ બનાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને રેલ્વે અંડરપાસ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 27, 2026
- 4:32 pm
મોદી મંત્રીમંડળે BHAVYA યોજના, FCRA બિલને આપી મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA) ને મંજૂરી આપવામાં આવી હતી. આ અંગેની જાહેરાત કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી. વધુમાં, FCRA સુધારા બિલને પણ મંજૂરી આપવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 18, 2026
- 6:08 pm
ભારતનું AI Vision : મોટા મોડેલ નહીં, ROI આધારિત AIથી ભારત કરશે વૈશ્વિક નેતૃત્વ – અશ્વિની વૈષ્ણવ
દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં, ભારતે તેની 5-સ્તરીય AI સ્ટેક વ્યૂહરચના રજૂ કરી, જે એપ્લિકેશનથી માંડીને ચિપ અને ઊર્જા સ્તરો સુધી AI ક્ષમતાઓને વિસ્તૃત કરે છે.
- Sagar Solanki
- Updated on: Jan 21, 2026
- 7:07 pm
રેલવે અધિકારીઓએ કર્યો અંગ્રેજોના જમાનાના કાળા કોટનો બૉયકોટ, મળશે નવો યુનિફોર્મ
અંગ્રેજોએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તે સમયે, આ આશ્ચર્યજનક હતું. આ સાથે, અસંખ્ય નિયમો પણ બનાવ્યા હતા. જેમાંથી કેટલાક હજુ પણ અમલમાં છે. હવે, ભારતીય રેલવે વસાહતી પ્રભાવને દૂર કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jan 10, 2026
- 7:57 pm
Hydrogen Train : ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન ટ્રાયલ માટે તૈયાર, ચીન અને જર્મની કરતાં વધુ અદ્યતન ટેકનોલોજી
ભારતમાં ટૂંક સમયમાં હાઇડ્રોજન સંચાલિત ટ્રેનો પાટા પર દોડતી જોવા મળશે. ભારતીય રેલ્વેનો આ મહત્વાકાંક્ષી પાયલોટ પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને તેની ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ ભારતને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફ એક મોટું પગલું ભરવામાં મદદ કરશે.
- Sagar Solanki
- Updated on: Jan 7, 2026
- 10:21 pm
સ્લીપર કોચવાળી વંદે ભારતની રાહ પૂરી થઈ ! આ રૂટ પર તેજ ગતિએ દોડશે, જાણો
ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. વંદે ભારત સ્લીપર કોચ ટૂંક સમયમાં પાટા પર દોડવા લાગશે. રેલવે મંત્રાલયે આની સત્તાવાર જાહેરાત કરી છે.
- Sachin Agrawal
- Updated on: Jan 1, 2026
- 5:24 pm