
અશ્વિની વૈષ્ણવ
અશ્વિની વૈષ્ણવ દેશના રેલવે મંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભાના સાંસદ છે. અશ્વિની વૈષ્ણવ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સચિવ અને રહસ્ય સચિવપદે રહી ચૂક્યા છે. તે દરમિયાન તેઓ જે ભાજપના નેતાઓને મળ્યા હતા તેમાં એક નામ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ છે.
નરેન્દ્ર મોદી તેમના કામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આ જ કારણ હતું કે તેમના બીજા કાર્યકાળમાં તેમણે અશ્વિની વૈષ્ણવને રેલવે પ્રધાન બનાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવનો જન્મ 18 જુલાઈ 1970ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેમનું સ્કૂલિંગ દિલ્હીમાં થયું, બાદમાં તેઓ જોધપુર ગયા.
અહીં 1992 માં, તેમણે MBM એન્જિનિયરિંગ કોલેજમાંથી B.Tech કર્યું, જ્યાં તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. આ પછી અશ્વિની વૈષ્ણવ IIT કાનપુરમાં જોડાયા અને અહીંથી M.Tech ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન તેમણે IAS ની પદવી મેળવી અને ઓડિશા કેડરના અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યો. જોકે, 2008માં તેઓ સરકારી નોકરી છોડીને એમબીએનો અભ્યાસ કરવા અમેરિકા ગયા હતા.
WITT 2025: બંધારણ બતાવનારાઓએ પણ તે વાંચવું જોઈએ, અશ્વિની વૈષ્ણવે કુણાલ કામરા અને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર વાત કરી
WITT 2025: રેલવે મંત્રાલય અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે TV9 ના મહામંચ પર બંધારણ, કુણાલ કામરા અને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર વાત કરી. તેમણે કહ્યું કે જે લોકો બંધારણ બતાવે છે તેમણે પણ તે વાંચવું જોઈએ. તે જ સમયે, બિહાર ચૂંટણીની ચર્ચા કરતી વખતે, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસે 50-60 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું, પરંતુ તે દરમિયાન યુવાનો માટે કોઈ મોટો ફેરફાર થયો નહીં.
- Sagar Solanki
- Updated on: Mar 29, 2025
- 6:13 pm
શું તમે જાણો છો ? રેલવેમાં સીનીયર સીટીઝન, મહિલા, વિકલાંગ માટે આટલી લોઅર બર્થ રિઝર્વ હોય છે
દેશના મોટાભાગના વિસ્તારોને રેલવે સેવાથી આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે ભારતમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે. રેલવની મુસાફરી સમાજના કેટલાક વર્ગના લોકો માટે વધુ સુગમતાયુક્ત રહે તે માટે રેલવે વિભાગે કાર્યવાહી કરી છે. ખાસ કરીને સીનીયર સીટીઝન, 45 વર્ષથી મોટી ઉંમરની મહિલા, વિકલાંગ વ્યક્તિને રેલવે મુસાફરી સરળ રહે તે માટે નીચેની બર્થ ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2025
- 7:12 pm
દરિયાની નીચે ટનલ… બુલેટ ટ્રેનનું 360 કિમી કામ પૂર્ણ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અપડેટ શેર કરી
Mumbai Ahmedabad Bullet Train Project: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે એક મોટી અપડેટ શેર કરી છે. રેલવે મંત્રીએ અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે કાલુપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના કારણે પ્રોજેક્ટમાં થયેલા વિલંબની ભરપાઈ કરવામાં આવી રહી છે.
- Meera Kansagara
- Updated on: Mar 2, 2025
- 7:25 am
મુંબઈની લોકલ ટ્રેન બની જશે વંદે ભારત જેવી , કેન્દ્રએ મહારાષ્ટ્રને કરી રેકોર્ડ બજેટ ફાળવણી, જાણો તમામ માહિતી
મુંબઈ ઉપનગરીય રેલ્વે સિસ્ટમને અદ્યતન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (EMU) રેક મળવા જઈ રહ્યા છે. આ રેક્સ બહેતર સવારીનો અનુભવ પ્રદાન કરશે અને સારી વેન્ટિલેશન સુવિધાઓ હશે. આ જાહેરાત કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભવિષ્યમાં મુંબઈ લોકલનું વેન્ટિલેશન 'વંદે ભારત એક્સપ્રેસ' જેવું જ હશે
- Dhinal Chavda
- Updated on: Feb 4, 2025
- 1:22 pm
Indian AI : આવી રહ્યું છે ભારતનું પોતાનું Zen AI, ChatGPT અને DeepSeek સામે મોટો પડકાર ! જુઓ Video
ભારતીય માહિતી અને પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું છે કે ભારત પોતાની મૂળભૂત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલ વિકસિત કરશે, જે ChatGPT અને DeepSeek જેવા મોડેલોનો સામનો કરી શકશે. આ માટે, સરકાર 18,693 ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPUs) સાથેની સામાન્ય કમ્પ્યુટ ફેસિલિટી તૈયાર કરી રહી છે
- Sagar Solanki
- Updated on: Jan 30, 2025
- 7:08 pm
WEF 2025: મહારાષ્ટ્રને મળ્યા 16 લાખ કરોડ રૂપિયા, અશ્વિની વૈષ્ણવે વિશ્વને જણાવ્યો Made for the World પ્લાન
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ સમક્ષ PM નરેન્દ્ર મોદીનો 'ટીમ ઇન્ડિયા પ્લાન' રજૂ કર્યો. ભવિષ્ય માટે એક મોટી જાહેરાત પણ કરી. મહારાષ્ટ્રને અહીં યોજાઈ રહેલા 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ'માં પણ મોટા રોકાણની ઓફર મળી છે.
- Sagar Solanki
- Updated on: Jan 23, 2025
- 10:08 pm
Vande Bharat Sleeper Train: આ મહિનાથી મુસાફરો માટે વંદે ભારત સ્લીપર ટ્રેન આવશે પાટા પર, જાણો ડિટેલ
નવી દિલ્હીમાં સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી વંદે ભારત સ્લીપર ટ્રેને મહત્તમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મેળવી છે. આ વર્ષના આ મહિનાથી આ ટ્રેન દેશભરમાં લાંબા અંતર માટે દોડવાનું શરૂ કરશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી.
- krushnapalsinh chudasama
- Updated on: Jan 4, 2025
- 5:05 pm
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેવી રીતે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે ? આ પદ્ધતિ થશે ઉપયોગી
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એમ પણ કહ્યું હતું કે રેલવે વેઇટિંગ લિસ્ટ ટિકિટો ઈસ્યુ કરે છે. જેથી રિઝર્વેશન રદ કર્યા પછી ખાલી પડેલી સીટનો મહત્તમ ઉપયોગ કરી શકાય. વધુમાં, વેઇટિંગ લિસ્ટ રેલવેને મુસાફરોની માંગ પેટર્નનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.
- TV9 Gujarati
- Updated on: Dec 17, 2024
- 6:57 pm
News9 Global Summit : જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે, ભારતીય રાજદૂત અજીત ગુપ્તેએ સમિટમાં જણાવ્યું
21 નવેમ્બરથી જર્મનીમાં ભારતના નંબર-1 ન્યુઝ નેટવર્ક TV9ના ન્યુઝ9 ગ્લોબલ સમિટનું શરુઆત થઈ ચૂકી છે. જર્મનીમાં ભારતના રાજદૂત અજીત ગુપ્તે આ મંચ પર બંન્ને દેશોના મજબુત થતા સંબંધો વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે પોતાની વાત કહેતા પહેલા ત્યાં હાજર રહેલા કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને TV9 નેટવર્કના એમડી બરુણ દાસને આ આયોજન માટે ધન્યવાદ કર્યું હતુ. જુઓ વીડિયો
- Nirupa Duva
- Updated on: Nov 22, 2024
- 1:50 pm
News9 Global Summit : ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા અને સ્થિતિ બદલી નાખી…બોલ્યા અશ્વિની વૈષ્ણવ
આ વખતે જર્મનીમાં ‘ન્યૂઝ9 ગ્લોબલ સમિટ 2024’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 50 થી વધુ વક્તાઓ ભાગ લેવાના છે. આવતીકાલે આ સમિટને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંબોધિત કરવાના છે
- Devankashi rana
- Updated on: Nov 22, 2024
- 11:31 am
ટેક્નોલોજીએ બદલ્યું ચિત્ર, લોકસભા ચૂંટણીના પરિણામો માત્ર 5 કલાકમાં આવ્યા, News9 Global Summit માં બોલ્યા અશ્વિની વૈષ્ણવ
દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9 નેટવર્કની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ શરૂ થઈ ગઈ છે. આ વખતે આ કાર્યક્રમ જર્મનીમાં થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશમાં બદલાતા ટેકનોલોજીના વાતાવરણ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં ચૂંટણીની દિશા અને સ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ છે.
- Sagar Solanki
- Updated on: Nov 21, 2024
- 11:48 pm
News9 Global Summit: BJP સતત ત્રીજી વખત સત્તામાં આવી… અશ્વિની વૈષ્ણવે જર્મનીમાં ગણાવી PM મોદીની સિદ્ધિઓ
દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9ની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ જર્મનીમાં શરૂ થઈ ગઈ છે. જેમાં દેશના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે બદલાતા વૈશ્વિક વાતાવરણ વિશે પણ વાત કરી હતી.
- Sagar Solanki
- Updated on: Nov 21, 2024
- 11:23 pm
News9 Global Summit : જર્મનીના સ્ટુટગાર્ટમાં News9 ગ્લોબલ સમિટ યોજાશે, પીએમ મોદી કરશે સંબોધન
આગામી 21 થી 23 નવેમ્બર દરમિયાન જર્મનીના સ્ટુટગાર્ટમાં TV9 ગ્રુપની News9 ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 નવેમ્બરે સમિટને સંબોધન કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કોન્ફરન્સમાં ભાગ લેશે.
- TV9 Gujarati
- Updated on: Nov 20, 2024
- 6:39 pm
કુંભ મેળાને લઈને ભારતીય રેલવેની ખાસ તૈયારીઓ, 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, દરેકને મળશે કન્ફર્મ ટિકિટ
રેલવે મંત્રીએ કહ્યું કે પ્રયાગરાજ વિસ્તારમાંથી દરરોજ 140 ટ્રેનો દોડાવવામાં આવશે. વિશેષ ટ્રેનો માટે 174 રેકનું આયોજન કરવામાં આવ્યું છે. મેમુ અથવા ડેમુ ટ્રેનમાં 16 કોચ હોય છે અને લાંબા અંતરની ટ્રેનોમાં 20 કોચ હોય છે. વિશેષ ટ્રેનોની સંખ્યા 2019 માં 695 થી વધારીને 2025 માં 992 કરવામાં આવી છે.
- Devankashi rana
- Updated on: Sep 30, 2024
- 11:25 am
ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રોટોટાઇપ વર્ઝનનું બેંગલુરુના BEML પ્લાન્ટ ખાતે અનાવરણ
ટ્રેનમાં ઘણી સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વંદે ચેયર કાર, વંદે સ્લીપર, વંદે મેટ્રો અને અમૃત ભારતને ઘણી બાબતોને ધ્યાને રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. જેમ કે આધુનિક ટેકનોલોજી, સુરક્ષા અને લોકો પાયલોટ તથા અન્ય કર્મચારીઓ માટે વિશેષ સુવિધા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- Dilip Chaudhary
- Updated on: Sep 1, 2024
- 7:37 pm