AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વંદે ભારત એક્સપ્રેસ 180 કિમી/કલાકની સ્પીડે દોડી, પાણીનું એક ટીપું પણ ઢોળાયું નહીં, રેલમંત્રીએ Video શેર કર્યો

Vande Bharat : ભારતીય રેલવેની અદ્યતન ટેકનોલોજી દર્શાવવા માટે વંદે ભારત સ્લીપર પર એક અનોખું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટ્રાયલ દરમિયાન, વંદે ભારત ટ્રેનને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હતી. આ દરમિયાન ગ્લાસમાંથી પાણીનું એક ટીપું પણ નીચે પડ્યું ન હતુ.

વંદે ભારત એક્સપ્રેસ 180 કિમી/કલાકની સ્પીડે દોડી, પાણીનું એક ટીપું પણ ઢોળાયું નહીં, રેલમંત્રીએ Video શેર કર્યો
| Updated on: Dec 31, 2025 | 10:33 AM
Share

રેલવે દર વર્ષે નવી ટેકનોલોજી રજૂ કરીને મુસાફરોની મુસાફરી સુધારવાનો પ્રયાસ કરે છે. વંદે ભારત સ્લીપર ટ્રેન અને તેની અદ્યતન ટેકનોલોજી રેલ્વેની ટેકનોલોજીકલ પ્રગતિનો પુરાવો છે. આ વીડિયો વંદે ભારતનો છે. જેમાં કમિશ્રર રેલવે સેફ્ટીએ વંદે ભારત સ્લીપરમાં અનોખી ટ્રાયલ કરી હતી. જેમા પાણી ભરેલા ગ્લાસને રાખવામાં આવ્યો હતો. એક બાજુ ટ્રેનની સ્પીડ 180 સ્પીડ જોવા મળી રહી હતી. આ દરમિયાન પાણીના ગ્લાસમાંથી એક પાણીનું ટીપું પણ બહાર આવ્યું ન હતી. રેલવે વોર્ટર ટેસ્ટથી નવી જનરેશનની ટ્રેનની ટેકનીક ફીચર્સને જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વંદે ભારત સ્લીપર ટ્રેન પર આ ટ્રાયલ રાજસ્થાનના કોટા-નાગદા રેલ ખંડ પર થયું હતુ.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો શેર કર્યો

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વીડિયો શેર કરી લખ્યું આ બિલકુલ અલગ છે. રેલવેની સેફ્ટીને સમજવા માટે આ એક સંપૂર્ણપણે અલગ રીત છે. આ ટેસ્ટ નવી ટેકનોલોજી અને સલામતીને સમજાવવાનો પ્રયાસ કરે છે. વંદે ભારત ભારતીય રેલ્વે પણ સતત લોકોની પહેલી પસંદગી બની રહ્યું છે. હાઈ સ્પીડ ટ્રેનના આ જમાનામાં જ્યાં દરેક દેશ એક બાદ એક નવી સફળતાઓ મેળવી રહી છે. જેમાં ભારત પણ સતત વંદે ભારતથી સ્પીડ અને તેનો અનુભવને સુંદર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાણીનું એક ટીપું પણ ઢોળાયું નહીં

ભારતીય રેલવે આ વર્ષે જાન્યુઆરીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનમાં આ પ્રકારનો અનોખો ટેસ્ટ કર્યો હતો. તે સમયે પણ 180 કિલોમીટરની સ્પીડથી વંદે ભારત સ્લીપર ટ્રેનને દોડાવી અને પાણીનો ગ્લાસ રાખવામાં આવ્યો હતો. આ વીડિયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કર્યો છે. આ વીડિયો બનાવવાનો હેતુ રેલવે મંત્રીએ સમજાવ્યો છે. તેમણે કહ્યું કે, રેલવેનો હેતુ મુસાફરોને આરામદાયક સફર કરાવવાનો છે. જો 180 કિલોમીટરની સ્પીડથી ટ્રેનમાં પાણીનું એક ટીપું પણ પડે નહી તો સ્પષ્ટ છે કે, મુસાફરો ટ્રેનમાં કેટલી આરામદાયક મુસાફરી કરી શકે, આ ટ્રાયલને પૂર્ણ થયા બાદ રેલવે આ ટ્રેનને ફાઈનલ સર્ટિફિકેટ આપશે અને યાત્રિકોને આ સેવા આપવામાં આવશે.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">