મંત્રીઓને ખાતાની ફાળવણી તો થઈ ગઈ, તો કેવું રહેશે આવતીકાલનું શેરબજાર, તેજી રહેશે કે આવશે મંદી ?
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના મંત્રીઓના ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. જેમાં મોટાભાગના મંત્રીઓને ફરીથી એ જ મંત્રાલય આપવામાં આવ્યા છે. ત્યારે સૌથી મોટા મંત્રાલયો ગણાતા નાણા, રક્ષા, માર્ગ-મકાન અને રેલ મંત્રાલયમાં ફરીથી મંત્રીઓને રિપીટ કરાયા છે, ત્યારે જાણી લઈએ કે આવતીકાલે શેરબજારની સ્થિતિ કેવી રહેશે.

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના મંત્રીઓના ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સૌથી મોટા મંત્રાલયો ગણાતા નાણા, રક્ષા, માર્ગ-મકાન અને રેલ મંત્રાલયમાં ફરીથી મંત્રીઓને રિપીટ કરાયા છે.

જે મંત્રાલયોમાં મંત્રીઓને રિપીટ કરાયા છે, તે સેક્ટરના શેરોમાં આવતીકાલે માર્કેટ ખુલતાની સાથે જ ઉછાળો આવી શકે છે. કારણ કે મંત્રીઓને રિપીટ કરાયા છે, તેમના જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમાં કોઈ અવરોધ નહીં આવે. તેથી આવતીકાલે એટલે કે 11 જૂને માર્કેટમાં તેજી જોવા મળી શકે છે.

રક્ષા મંત્રાલયની વાત કરીએ તો, આ વિભાગ ફરીથી રાજનાથસિંહને સોંપવામાં આવ્યો છે. તેથી રક્ષા ક્ષેત્રની કંપનીઓ જેવી કે BHEL, Kaynes Technology, MICEL ના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે.

નાણા મંત્રાલયની વાત કરીએ તો, આ વિભાગ પણ ફરીથી નિર્મલા સિતારમણને આપવામાં આવ્યો છે. ત્યારે પેટ્રોલિયમ કંપનીઓ ઉપરાંત BPCL, IOC, Hindustan Petroleumના શેરોમાં આવતીકાલે તેજી જોવા મળી શકે છે.

નીતિન ગડકરીને ફરીથી માર્ગ અને મકાન વિભાગ આપવામાં આવ્યું છે. ત્યારે IRB, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપનીઓ, સિમેન્ટ કંપનીઓ જેવી કે, અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડાલ્મિયા સિમેન્ટના શેરોમાં ઉછાળો આવી શકે છે.

રેલવે મંત્રાલયની વાત કરીએ તો, આ વિભાગ ફરીથી અશ્વિની વૈષ્ણવને આપવામાં આવ્યો છે. ત્યારે આ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ જેવી કે, IRFC, IRCTC, RailTel ના શેરની કિંમતમાં આગામી સમયમાં તેજી જોવા મળી શકે છે. નોંધ : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.






































































