સ્વપ્ન સંકેત: તમારુ સ્વપ્ન સાચું થશે કે નહી, આ વાત કરશે નક્કી, સંકેતોથી જાણો ભવિષ્ય
સ્વપ્ન સંકેત: તમારામાંથી ઘણા લોકો સવારના સપના વિશે જાણતા હશે પરંતુ લોકો કદાચ જાણતા નહીં હોય કે બપોરના કે રાત્રિના સપના તમને શું સૂચવે છે. શાસ્ત્રોમાં અલગ-અલગ સમયે જોવા મળતા સપનાઓ વિશે માહિતી આપવામાં આવી છે.

અર્ધજાગ્રત મનમાં ચાલતા વિચારો ઉપરાંત સપના ભવિષ્યની ઘટનાઓના સંકેત પણ આપે છે. સ્વપ્ન શાસ્ત્રમાં દરેક પ્રકારના સ્વપ્નના શુભ અને અશુભ અર્થ સમજાવવામાં આવ્યા છે. કેટલાક સપના એવા હોય છે, જે જીવનમાં સુખ, સંપત્તિ, સમૃદ્ધિના આગમનનો સ્પષ્ટ સંકેત આપે છે. સ્વપ્ન શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે સવારે જોવામાં આવેલા સપના ઘણીવાર સાચા પડે છે.

તેમજ તે ફક્ત સવારે જોયેલા સપના વિશે જ નહીં, પણ રાત્રે જોયેલા સપના વિશે પણ વાત કરે છે. તમારામાંથી ઘણા લોકો સવારના સપના વિશે જાણતા હશે, પરંતુ લોકો કદાચ જાણતા નહીં હોય કે બપોરના કે રાત્રિના સપના તમને શું સૂચવે છે.

શાસ્ત્રોમાં અલગ અલગ સમયે જોવા મળતા સપનાઓ વિશે માહિતી આપવામાં આવી છે. ચાલો જાણીએ રાત્રિના અલગ અલગ સમયે આવતા સ્વપ્ન સંકેતો વિશે.

આવા સપના સાકાર થાય છે: દિવસના ગમે તે સમયે સપના જોવામાં આવે તેમાંથી કેટલાક સાચા પડે છે અને કેટલાક નથી થતા. આપણે આ રીતે પણ કહી શકીએ કે કેટલાક સપના ફળ આપે છે અને કેટલાક સપનાનું કોઈ પરિણામ નથી. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સ્વપ્ન જોવાનો સમય કહે છે કે તે વાસ્તવિકતામાં ફેરવાશે કે નહીં.

રાત્રે 10 થી 12 વાગ્યાની વચ્ચે જોવામાં આવેલા સપનાનું કોઈ પરિણામ આવતું નથી. સામાન્ય રીતે આ સપના દિવસ દરમિયાન બનેલી ઘટનાઓનો મન પર પ્રભાવ હોય છે. રાત્રે 12 થી3 વાગ્યાની વચ્ચે જોયેલા સપના સાચા થઈ શકે છે પરંતુ તેને સાકાર થવામાં સામાન્ય રીતે 1 વર્ષ જેટલો સમય લાગે છે.

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન એટલે કે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જોવા મળતા મોટાભાગના સપના સાકાર થાય છે. તેઓ 1 થી 6 મહિનાની વચ્ચે ફળ આપે છે. બપોરે જોવામાં આવતા સપનાનો કોઈ અર્થ નથી કારણ કે તે સાચા થતા નથી.

સવારના સપના કેમ સાચા થાય છે?: સવારનો સમય એ સમય છે જ્યારે વ્યક્તિ તેના આત્માની ખૂબ નજીક હોય છે. આ સમયે દૈવી શક્તિઓ એક્ટિવ બને છે અને તેમની અસર પૃથ્વી પરના દરેક જીવંત અને નિર્જીવ વસ્તુ પર પડે છે. એટલા માટે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભગવાનની પૂજા કરવાનું કહેવામાં આવે છે. (Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)
અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































