કાનુની સવાલ : શું ટ્રાફિક પોલીસ તમારું વાહન રોકી શકે? જાણો કાનુન શું કહે છે
તમે જોયું હશે કે, ટ્રાફિક પોલીસ અચાનક ટ્રાફિકની વચ્ચે આવી જાય છે અથવા એન્જિન બંધ કરી ચાવી લઈ લે છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ચૂક્યા છે. તોચાલો આજે આપણે કાનુન શું કહે તેના વિશે વાત કરીએ.

ટ્રાફિક નિયમો સુરક્ષિત માર્ગ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ લોકો આ નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરે છે. જ્યારે કોઈ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે, ત્યારે ટ્રાફિક પોલીસ તેમની સામે કાર્યવાહી કરે છે અને દંડ લગાવી શકે છે, અથવા કેટલાક કિસ્સાઓમાં, વાહનો જપ્ત પણ કરી શકે છે.

ઘણા લોકો માને છે કે ,ટ્રાફિક પોલીસ ફક્ત ચલણ જાહેર કરી શકે છે અને કોઈની ધરપકડ કરવાનો અધિકાર નથી. જોકે, કેટલાક દલીલ કરે છે કે ટ્રાફિક પોલીસ ધરપકડ કરી શકે છે. આજે, આપણે જાણીશું કે શું ટ્રાફિક પોલીસ કોઈની ધરપકડ કરી શકે છે.

ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવે ત્યારે તમારા અધિકારો અને નિયમો જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે,ટ્રાફિક પોલીસને તમારી ગાડીની ચાવી નીકાળવાનો કોઈ કાનુની અધિકાર નથી.મોટર વાહન અધિનિયમની કલમ 130 હેઠળ વર્દીમાં રહેલા અધિકારી તમારી પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી, વીમો અને પીયુસી જેવા ડોક્યુમેન્ટ માંગી શકે છે.

ટ્રાફિક પોલીસને વોરંટ વિના ધરપકડ કરવાની ચોક્કસ સત્તાઓ આપવામાં આવી છે. મોટર વાહન અધિનિયમ જણાવે છે કે જો કોઈ વ્યક્તિએ પોલીસની ઉપસ્થિતિમાં કલમ 184, 185 અને 197 હેઠળ સજાપાત્ર કૃત્ય કર્યું છે. તો તેની ધરપકડ કરી શકે છે.

કલમ 207 હેઠળ, વાહનો ફક્ત ગંભીર ઉલ્લંઘનના કિસ્સામાં જ જપ્ત કરી શકાય છે (જેમ કે લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવું). આ માટે યોગ્ય કાનૂની ડોક્યુમેન્ટની પણ જરૂર પડે છે, જેમ કે જપ્તી મેમો (પંચનામા)

તમારે ઓરિજનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરુર નથી. તમે ડિજિલોકલમાં ડિજિટલ ડોક્યુમેન્ટ રાખી શકો છો.ફક્ત સબ-ઇન્સ્પેક્ટર (SI) કે તેથી ઉપરના રેન્કના અધિકારીઓ જ સ્થળ પર દંડ (ચલણ) કાપી શકે છે.

જો પોલીસકર્મી સાદા કપડામાં હોય, તો તમને તેમનું ઓળખપત્ર અથવા બેચ નંબર માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. જો પોલીસ કર્મચારીઓ તમારી સાથે દુવ્યવ્હાર કરે છે અથવા ગેરવર્તન કરે તો તમે તરત 112 પર કોલ કરી શકો છો અને ફરિયાદ નોંધાવી શકે છો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
