AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નહાયા પછી ભૂલથી પણ ન કરતા આ ‘6 કામ’, નાની અમથી ભૂલથી થઈ શકે છે ‘મોટું નુકસાન’

હાલ ગરમી તેના ચરમસીમા પર છે. ઘરની બહાર ન નીકળનારા લોકોને પણ ગરમી પરેશાન કરી રહી છે. શરીરને ઠંડું રાખવા માટે લોકો દિવસમાં ઘણી વખત નહાય છે. જો કે, કેટલાક લોકો જાણતા-અજાણતા નહાયા પછી એવી ભૂલો કરી બેસે છે કે, જે તેમના પર ભારે પડી જાય છે.

| Updated on: May 25, 2026 | 5:40 PM
Share
હેલ્થ એક્સપર્ટ માને છે કે, નહાયા પછી શરીરનું તાપમાન અને બ્લડ સર્ક્યુલેશન (રક્ત પરિભ્રમણ) થોડું બદલાઈ જાય છે, તેથી આ સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહાયા પછી તરત જ શરીરનું તાપમાન સામાન્ય કરતાં થોડું ઓછું થઈ જાય છે. આવા સમયે જો તમે તરત જ પંખા કે AC સામે બેસી જાઓ છો, તો શરદી-ખાંસી, માથાનો દુખાવો કે શરીરમાં જકડાઈ જવાની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને ઉનાળામાં લોકો આ ભૂલ વધુ કરે છે. એવામાં સારું રહેશે કે, શરીરને પહેલા સામાન્ય તાપમાનમાં આવવા દો.

હેલ્થ એક્સપર્ટ માને છે કે, નહાયા પછી શરીરનું તાપમાન અને બ્લડ સર્ક્યુલેશન (રક્ત પરિભ્રમણ) થોડું બદલાઈ જાય છે, તેથી આ સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહાયા પછી તરત જ શરીરનું તાપમાન સામાન્ય કરતાં થોડું ઓછું થઈ જાય છે. આવા સમયે જો તમે તરત જ પંખા કે AC સામે બેસી જાઓ છો, તો શરદી-ખાંસી, માથાનો દુખાવો કે શરીરમાં જકડાઈ જવાની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને ઉનાળામાં લોકો આ ભૂલ વધુ કરે છે. એવામાં સારું રહેશે કે, શરીરને પહેલા સામાન્ય તાપમાનમાં આવવા દો.

1 / 5
નિષ્ણાતો માને છે કે, નહાયા પછી તરત જ ભારે આહાર ન લેવો જોઈએ. બીજું કે, નહાતી વખતે શરીરનું બ્લડ સર્ક્યુલેશન ત્વચા તરફ વધુ સક્રિય થઈ જાય છે. આવા સમયે તરત જ જમવાથી પાચન પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. પ્રયત્ન કરો કે, નહાવા અને જમવા વચ્ચે ઓછામાં ઓછો 20 થી 30 મિનિટનો તફાવત રાખો.

નિષ્ણાતો માને છે કે, નહાયા પછી તરત જ ભારે આહાર ન લેવો જોઈએ. બીજું કે, નહાતી વખતે શરીરનું બ્લડ સર્ક્યુલેશન ત્વચા તરફ વધુ સક્રિય થઈ જાય છે. આવા સમયે તરત જ જમવાથી પાચન પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. પ્રયત્ન કરો કે, નહાવા અને જમવા વચ્ચે ઓછામાં ઓછો 20 થી 30 મિનિટનો તફાવત રાખો.

2 / 5
ઘણા લોકો રાત્રે નહાયા પછી વાળ સૂકવ્યા વગર જ સૂઈ જાય છે. આ આદત માથાનો દુખાવો, વાળ ખરવા અને સ્કેલ્પ ઈન્ફેક્શન (માથાની ત્વચાનું સંક્રમણ) નું કારણ બની શકે છે. ભીના વાળમાં લાંબા સમય સુધી ભેજ રહેવાને કારણે ફૂગના સંક્રમણ (ફંગલ ઇન્ફેક્શન) નો ખતરો પણ વધી શકે છે.

ઘણા લોકો રાત્રે નહાયા પછી વાળ સૂકવ્યા વગર જ સૂઈ જાય છે. આ આદત માથાનો દુખાવો, વાળ ખરવા અને સ્કેલ્પ ઈન્ફેક્શન (માથાની ત્વચાનું સંક્રમણ) નું કારણ બની શકે છે. ભીના વાળમાં લાંબા સમય સુધી ભેજ રહેવાને કારણે ફૂગના સંક્રમણ (ફંગલ ઇન્ફેક્શન) નો ખતરો પણ વધી શકે છે.

3 / 5
નહાયા પછી તરત જ ત્વચાના છિદ્રો (પોર્સ) ખુલ્લા હોય છે. આવા સમયે તેજ તડકો કે ગરમ હવાના સંપર્કમાં આવવાથી ત્વચા પર બળતરા કે ટેનિંગની સમસ્યા થઈ શકે છે. જો બહાર જવું જરૂરી હોય, તો શરીરને સારી રીતે સૂકવીને અને થોડો સમય રોકાયા પછી જ નીકળો. નહાયા પછી શરીર રિલેક્સ મોડમાં હોય છે. આવા સમયે તરત જ કસરત કરવી એ શરીર પર વધારાનું દબાણ લાવી શકે છે. ખાસ કરીને ગરમ પાણીથી નહાયા પછી તરત જ વર્કઆઉટ કરવાથી નબળાઈ કે ચક્કર આવવા જેવું અનુભવાઈ શકે છે.

નહાયા પછી તરત જ ત્વચાના છિદ્રો (પોર્સ) ખુલ્લા હોય છે. આવા સમયે તેજ તડકો કે ગરમ હવાના સંપર્કમાં આવવાથી ત્વચા પર બળતરા કે ટેનિંગની સમસ્યા થઈ શકે છે. જો બહાર જવું જરૂરી હોય, તો શરીરને સારી રીતે સૂકવીને અને થોડો સમય રોકાયા પછી જ નીકળો. નહાયા પછી શરીર રિલેક્સ મોડમાં હોય છે. આવા સમયે તરત જ કસરત કરવી એ શરીર પર વધારાનું દબાણ લાવી શકે છે. ખાસ કરીને ગરમ પાણીથી નહાયા પછી તરત જ વર્કઆઉટ કરવાથી નબળાઈ કે ચક્કર આવવા જેવું અનુભવાઈ શકે છે.

4 / 5
નહાયા પછી ટુવાલથી શરીરને ખૂબ જોરથી ઘસવું ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી સ્કીન ડ્રાય (સૂકી) અને રફ થઈ શકે છે. હળવા હાથે શરીરને લૂછવું વધુ સારું માનવામાં આવે છે. વાસ્તવમાં નહાયા પછી શરીરને થોડીવાર આરામ આપવો અને સામાન્ય સ્થિતિમાં આવવાનો સમય આપવો જરૂરી છે. જો તમે આ નાની-નાની વાતનું ધ્યાન રાખશો, તો તમારી હેલ્થ અને સ્કીન બંને વધુ સારા રહી શકે છે.

નહાયા પછી ટુવાલથી શરીરને ખૂબ જોરથી ઘસવું ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી સ્કીન ડ્રાય (સૂકી) અને રફ થઈ શકે છે. હળવા હાથે શરીરને લૂછવું વધુ સારું માનવામાં આવે છે. વાસ્તવમાં નહાયા પછી શરીરને થોડીવાર આરામ આપવો અને સામાન્ય સ્થિતિમાં આવવાનો સમય આપવો જરૂરી છે. જો તમે આ નાની-નાની વાતનું ધ્યાન રાખશો, તો તમારી હેલ્થ અને સ્કીન બંને વધુ સારા રહી શકે છે.

5 / 5

ડૉક્ટર તમને ઇન્જેક્શન આપતા પહેલાં સોયમાંથી થોડી દવા બહાર કેમ નીકાળે છે ? જો આ નાનકડી ભૂલ રહી જાય તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે!

Follow Us
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
g clip-path="url(#clip0_868_265)">