AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નેત્રંગમાં સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ; તાલુકા પંચાયતમાં AAP સૌથી મોટો પક્ષ બનવા છતાં સત્તા વિહોણી રહી

ભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને પગલે ભારે હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. નેત્રંગ તાલુકા પંચાયતની સત્તા હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) એ એડીચોટીનું જોર લગાવ્યું હતું જોકે સૌથી વધુ સભ્ય હોવા છતાં આમ આદમી પાર્ટી (AAP) સત્તાથી દૂર રહી હતી.

| Updated on: May 25, 2026 | 1:30 PM
Share

ભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને પગલે ભારે હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. નેત્રંગ તાલુકા પંચાયતની સત્તા હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) એ એડીચોટીનું જોર લગાવ્યું હતું જોકે સૌથી વધુ સભ્ય હોવા છતાં આમ આદમી પાર્ટી (AAP) સત્તાથી દૂર રહી હતી.

પરંપરાગત હરીફ ભાજપ અને કોંગ્રેસે હાથ મિલાવી લીધા છે.

વહેલી સવારથી જ સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો હતો. જો કે, અંતિમ પરિણામો સામે આવતા જ અહીં રાજકારણમાં ‘ઉલટી ગંગા’ વહેતી જોવા મળી છે. આમ આદમી પાર્ટીને સત્તા સ્થાનેથી દૂર રાખવા માટે પરંપરાગત હરીફ એવા ભાજપ અને કોંગ્રેસે હાથ મિલાવી લીધા છે.

આપ સભ્યનું નિધન સત્તાનો ટ્રેનિંગ પોઇન્ટ બન્યું

નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 16 બેઠકો આવેલી છે. આ ચૂંટણીમાં જનાદેશ ખુબ જ રસપ્રદ રહ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ 8 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 7 બેઠકો અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી હતી. બહુમતી માટે 9 સભ્યોનું સમર્થન જરૂરી હતું. જો કે, ચૂંટણી જીત્યા બાદ અને પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીના 1 સભ્યનું અચાનક નિધન થઈ ગયું હતું. આ દુઃખદ ઘટનાના કારણે 1 બેઠક ખાલી પડી હતી અને આમ આદમી પાર્ટીને સીધું એક મતનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, જેનાથી આપનું સંખ્યાબળ 8 થી ઘટીને 7 થઈ ગયું હતું.

નેત્રંગ તાલુકા પંચાયત કચેરીમાં બાઉન્સરોની હાજરી જોવા મળી

પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભારે ખેંચતાણ અને કટોકટીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ એટલી હદે તણાવપૂર્ણ હતી કે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો ખાસ બાઉન્સરોની સુરક્ષા સાથે તાલુકા પંચાયત કચેરીએ મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

ભાજપ-કોંગ્રેસનું જોડાણ!!!

તાલુકા પંચાયતમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે ભાજપે મોટો રાજકીય દાવ ખેલ્યો હતો અને કોંગ્રેસના એકમાત્ર સભ્ય સાથે ગઠબંધન કરી લીધું હતું. આ ગઠબંધનના પરિણામે આજે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા વિજેતા બન્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિની વરણી કરવામાં આવી છે. આમ, ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને આમ આદમી પાર્ટીના સત્તા પર આવવાના સપના પર પાણી ફેરવી દીધું છે.

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">