Photos: પાટણમાં શિવાલયો હર હર મહાદેવના ગૂંજથી ગૂંજી ઉઠ્યા, શિવાલયો દિવસભર શિવભક્તોથી ઉભરાયેલા રહ્યા
maha shivratri 2023: સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવમાં દર્શન માટે શિવભક્તોની દોઢ કિલોમીટર સુધી લાંબી કતારો પણ લાગી હતી.


પાટણની સરસ્વતી નદી કિનારે આવેલ નેપાળના હૂબહૂ પશુપતિનાથ મહાદેવની છબી સમાન આનંદેશ્વર મહાદેવ ખાતે પણ દિવસભર બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં તો ભગવાન શિવની ખાસ અને મહત્વની પ્રહરપૂજા ,શિવજીની વિવિધ આરતી સહિત ભોજન ,પ્રસાદ પણ પીરસાયા.

સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવમાં દર્શન માટે શિવભક્તોની દોઢ કિલોમીટર સુધી લાંબી કતારો પણ લાગી હતી. તો શિવભક્તો માટે પ્રહરપૂજા દર્શનને લઈને ખાસ આયોજન પણ કરવામાં આવ્યું .

શિવભક્તો માટે પરિસર બહાર મોટી LEDમાં ભગવાન શિવજીની પ્રહર પૂજાના જીવંત દર્શન કરવાનો લ્હાવો પણ મોટી સંખ્યામાં શિવભક્તોએ લીધો હતો.

તેટલું જ નહીં આનંદેશ્વર મહાદેવ ખાતે દિવસભર શિવભક્તોની સાથે સાથે રાજકીય નેતાઓ , અધિકારીઓ અને વેપારીઓએ પણ દર્શનનો લાભ લેતા નજરે પડ્યા હતા.

શિવરાત્રીના નીજ સંધ્યા સમયે ભજનસંઘ્યાના સૂર પણ રેલાયા હતા અને ભક્તોએ તેનો લ્હાવો પણ લીધો હતો. (With Input Sunil Patel, Patan)
Latest News Updates

































































