17 સપ્ટેમ્બરે સૂર્ય બદલશે પોતાની ચાલ! 3 રાશિઓની થશે ‘ચાંદી જ ચાંદી’, બસ સૂર્યદેવને પ્રસન્ન કરવા કરો આટલું કામ
17 સપ્ટેમ્બરે સૂર્યદેવ પોતાની રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ગ્રહ-ગોચરની દ્રષ્ટિએ આ મોટો ફેરફાર 3 ખાસ રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થવાનો છે. નોકરીમાં પ્રમોશન, ધનલાભ અને અટકેલા કામો પૂરા થવાના પ્રબળ યોગ બની રહ્યા છે.

સપ્ટેમ્બર મહિનો ગ્રહ-ગોચરની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ મહિનામાં સૂર્યનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. 17 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 7 વાગ્યેને 50 મિનિટે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને આખો એક મહિનો એટલે કે 17 ઓક્ટોબર સુધી આ જ રાશિમાં રહેશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, સૂર્યનું આ ગોચર આ રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેશે. આ રાશિના જાતકોને વેપાર અને નોકરીમાં પ્રગતિ મળશે. સમાજમાં માન-સન્માન વધશે અને સાથે જ આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે.

સૂર્યનું આ ગોચર મેષ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી રહેશે. નોકરિયાત લોકોને નવી તકો મળશે અને આવકમાં વધારાનો યોગ પણ બની રહ્યો છે. વેપારીઓ માટે પણ આગામી એક મહિનો નફાકારક રહેશે. વેપારમાં લાભ મળી શકે છે અને કોઈ નવી તેમજ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. આ સિવાય જે લોકો નવી નોકરીની શોધમાં છે, તેમને એક સારા જોબની ઓફર મળી શકે છે. નવી યોજનાઓ સફળ થશે અને આર્થિક લાભના પ્રબળ યોગ બની રહ્યા છે.

ધન રાશિના લોકો માટે સૂર્યનું ગોચર સકારાત્મક પરિવર્તન લાવશે. કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી કે મોટું પદ મળી શકે છે. વેપારમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે, જેમાં આગળ જતાં સારો નફો મળશે. આ સિવાય જમીન, મકાન કે વાહન ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. ઘર-પરિવારમાં સમૃદ્ધિ અને ખુશહાલી જળવાઈ રહેશે. પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે અને તમામ અટકેલા કામો વિના વિઘ્ને ઝડપથી પૂરા થશે.

સૂર્યનું ગોચર મકર રાશિના લોકો માટે પણ અત્યંત ફાયદાકારક રહેશે. મહેનતનું પૂરું પરિણામ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. લાંબા સમયથી અટકેલું ધન પરત મળવાની પૂરી શક્યતા છે. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. બિઝનેસમાં જબરદસ્ત નફો થવાની શક્યતા છે અને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. આ સમય રોકાણ માટે ખૂબ જ ઉત્તમ રહેશે.

સૂર્યને મજબૂત કરવા માટે દરરોજ સવારે સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી સૂર્યદેવને જળ અર્પિત કરો અને જળ ચઢાવતી વખતે 'ઓમ સૂર્યાય નમઃ' અથવા 'ઓમ ઘૃણિ સૂર્યાય નમઃ' મંત્રનો 11 વાર જાપ કરો. આ સાથે જ રવિવારના દિવસે જરૂરિયાતમંદોને ગોળ અને ફળોનું દાન કરો તથા સૂર્યની કૃપા મેળવવા માટે રવિવારનું વ્રત રાખી શકો છો, જે દિવસે મીઠા (Salt) વાળું ભોજન કરવામાં આવે છે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. TV9 ગુજરાતી એક પણ વાતની સત્યતાનું પ્રમાણ આપતું નથી.)
Mercury Rise in Virgo 2026: 14 સપ્ટેમ્બરથી બદલાઈ શકે આ 4 રાશિઓનું ભાગ્ય, બુધના ઉદયથી મળશે આર્થિક લાભ
